Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 13 ઉત્પાદ્ધ ઉઘોગો
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 13 ઉત્પાદ્ધ ઉઘોગો
પ્રકરણસાર
- ઉદ્યોગ : માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોનાં સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ‘ઉદ્યોગ’ કહેવામાં આવે છે.
- ઔદ્યોગિક વિકાસના પાયામાં કુદરતી સંસાધનોનો પર્યાપ્ત ઉપયોગ રહેલો છે.
- ભારતમાં સૌપ્રથમ ઈ. સ. 1853માં ચારકોલ આધારિત ‘લોહ ગાળણ’ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પરંતુ તે ચાલુ રહી શક્યું નહિ.
- ભારતમાં ઈ. સ. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ-પોલાદની કંપની’ની સ્થાપના થવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી.
- ઉદ્યોગોનું વર્ગીકરણ : ઉદ્યોગોને માનવશ્રમ, કાર્ચો માલ, કાચા માલનો સ્રોત અને માલિકીના ધોરણના આધારે કેટલાંક જૂથોમાં વહેંચવામાં આવે છે.
- મોટા પાયા પરના અને નાના પાયા પરના ઉદ્યોગો : જે ઉદ્યોગોમાં ઘણા લોકોને રોજગારી મળી શકે તે મોટા પાયા પરના ઉદ્યોગો છે. દા. ત., સુતરાઉ કાપડનો ઉદ્યોગ, જેમાં કારીગરોની સંખ્યા ઓછી હોય તે નાના પાયા પરના ઉદ્યોગો છે. દા. ત., ખાંડસરી ઉદ્યોગ.
- માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથોમાં વહેંચી શકાય.
- કાચા માલના સ્રોતના આધારે ઉદ્યોગોને કૃષિ-આધારિત અને ખનીજ-આધારિત જૂથોમાં વહેંચી શકાય. સુતરાઉ, રેશમી અને શણનું કાપડ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે ઉદ્યોગો કૃષિ-આધારિત છે.
- સુતરાઉ કાપડ : આ ઉદ્યોગ ભારતનો સૌથી મોટો ઉદ્યોગ છે. તે 3.5 કરોડ લોકોને રોજી આપે છે.
શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી. આજે તે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વધુ છે.મહારાષ્ટ્રમાં મુંબઈ, સોલાપુર, નાગપુર, ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, તમિલનાડુમાં કોઇમ્બતુર, ચેન્નઈ, મદુરાઈ; પશ્ચિમ બંગાળમાં હાવડા, મુર્શિદાબાદ; ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, મોદીનગર અને મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઇંદોર, ઉજ્જૈન તેમજ દેવાસ સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે.ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે.
- શણનું કાપડ : શણ અને તેની ચીજોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ લગભગ 80%, આંધ્ર પ્રદેશ લગભગ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ાિ, અસમ, ત્રિપુરા વગેરે રાજ્યોમાં થાય છે.
પશ્ચિમ બંગાળની મોટા ભાગની મિલી હુગલી નીના કિનારે આવેલી છે.
- શમી કાપડ : ભારતમાં ચૈતુ, ઇરી, સર અને મુળા એમ ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે, રંગમના ઉત્પાદનમાં ભારત, ચીન પછી દ્વિતીય ક્રમ ધરાવે છે, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, પંજાબ તથા જમ્મુ-કશ્મીરમાં થાય છે. બેંગલૂરુ, મૈસુર, કાંચીપુરમ, મુર્શિદાબાદ, શ્રીનગર વગેરે રેશમનાં મુખ્ય ઉત્પાદક કેન્દ્રો છે.
- ગરમ (ઊની) કાપડ : આ ઉદ્યોગ મુખ્યત્વે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયો છે, પંજાબમાં ધારીવાલ, લુધિયાબ્રા અને અમૃતસર, મહારાષ્ટ્રમાં મુંબઇ; ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગરા અને મિર્ઝાપુર; ગુજરાતમાં અમદાવાદ અને જામનગર, હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ; કશ્મીરમાં શ્રીનગર અને ટિકમાં બેંગલૂરુ આ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે. ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ બનાવવામાં આવે છે.
- કૃત્રિમ કાપડ : માનવ-નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબુત અને ટકાઉ હોય છે. ઊંચી જાતનું કાપડ બનાવવા માટે કૃત્રિમ રેસામાં કપાસ, રેશમ કે ઊનના પૈસા પણ ભેળવવામાં આવે છે. આ (ઉદ્યોગ કૈરલ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્લી, અમૃતસર, ગ્વાલિયર, વડોદરા, કાનપુર, મોદીનગર અને કોલકાતા તેનાં મુખ્ય કેન્દ્રો છે.
- ખાંડ ઉદ્યોગ : ગોળ, ખાંસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
શેરડી વજનમાં ભારે હોય છે અને કપાયા પછી તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે, આથી ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.ભારતમાં ખાંડની મોટા ભાગની મિલો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને પંજાબ પણ મહત્ત્વનાં ખાંડ ઉત્પાદક રાજ્યો છે.
- કાગળ ઉદ્યોગ : પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. ભારતમાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં કાગળ ઉદ્યોગ વિકસ્યો છે.
- લોખંડ-પોલાદ, તાંબું, ઍલ્યુમિનિયમ, રસાયણ, ખાતર, સિમેન્ટ, પરિવહન ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક વગેરે ઉદ્યોગો ખનીજ-આધારિત ઉદ્યોગો છે.
- લોખંડ અને પોલાદ ઉદ્યોગ ઃ ભારતમાં આધુનિક લોખંડ ઉદ્યોગનો વાસ્તવિક પ્રારંભ પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે થયો. તેનું મોટા પાયા પરનું ઉત્પાદન 1907માં જમશેદપુરમાં શરૂ થયું. તે પછી બર્નપુર અને ભદ્રાવતીમાં પોલાદનાં કારખાનાં સ્થપાયાં. ત્યારબાદ ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બોકારો, વિશાખાપટ્નમ અને સેલમમાં સ્થપાયાં.
લોખંડ-પોલાદ ઉદ્યોગમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂના-પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે. આ પદાર્થો ભારે છે અને મોટી જગ્યા રોકતા હોવાથી લોખંડ- પોલાદ ઉદ્યોગ કાચા માલનાં ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થપાયો છે.ટાટા સિવાયનાં લોખંડ-પોલાદનાં બધાં કારખાનાંનો વહીવટ સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ(SAIL)ને સોંપવામાં આવ્યો છે. લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પાંચમા ક્રમે છે.
- ઍલ્યુમિનિયમ-ગાળણ : તે ભારતનો મહત્ત્વનો ધાતુ ઉદ્યોગ છે. ઍલ્યુમિનિયમ હલકી, મજબૂત, ટિપાઉ, વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાય નહિ એવી ધાતુ હોવાથી મેંગેનીઝ, તાંબું, જસત અને મૅગ્નેશિયમ સાથેની તેની મિશ્રધાતુઓ મોટરકાર, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે વપરાય છે.
- ભારતમાં તાંબાનું સૌપ્રથમ કારખાનું ભારતીય તાંબા નિગમ (ICC) દ્વારા ઝારખંડના સિંગભૂમ જિલ્લામાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યું હતું.
વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, ઍરકંડિશનર, ઑટોમોબાઇલ, રેડિયેટર, ઘરવપરાશનાં વાસણો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.
- રસાયણ ઉદ્યોગ : ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે. અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક ઍસિડ, વિવિધ ઍલ્કલાઇ, સોડા ફૅશ તથા કૉસ્ટિક સોડાનો સમાવેશ થાય છે. ભારે કાર્બનિક રસાયણોમાં પેટ્રોરસાયણો મુખ્ય છે. પેટ્રોરસાયણો કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ, રસાયણો અને દવાઓમાં વપરાય છે.
જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ભારત વિકાસશીલ દેશોમાં અગ્રસ્થાને છે.
- રાસાયણિક ખાતર ઉદ્યોગ : આ ઉદ્યોગનું સૌપ્રથમ કારખાનું ઈ. સ. 1906માં તમિલનાડુમાં રાનીપેટ ખાતે સ્થપાયું હતું. ભારતમાં આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરીમાં સ્થપાયેલા ખાતરના કારખાનાથી થયો. હરિયાળી ક્રાંતિને લીધે ખાતરોની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના મોટા ભાગનાં રાજ્યોમાં ખાતરનાં કારખાનાં સ્થપાયાં છે.
ખાતરોનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરલમાં થાય છે.ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કલોલ, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે.
- પ્લાસ્ટિક ઉદ્યોગ : પ્લાસ્ટિક ઉદ્યોગને Sunrise Industry કહે છે.
પૅકિંગ, રસાયણોના સંચયન, ટેક્સ્ટાઇલ, મકાન બાંધકામ, વાહન-નિર્માણ, ઇલેક્ટ્રૉનિક્સ વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.ભારતમાં દિલ્લી, મુંબઈ, કોલકાતા, બેંગલૂરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતૂર, ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે.
- સિમેન્ટ ઉદ્યોગ : આ ઉદ્યોગ માટે ચૂના-પથ્થર, કોલસો, ચિરોડી, બૉક્સાઇટ, ચીકણી માટી વગેરે જેવા વજનદાર અને ઘણી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. તેથી તે કાચા માલના પ્રાપ્તિસ્થાનની નજીક સ્થાપવામાં આવે છે. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો બીજો ક્રમ છે.
પરિવહન-ઉપકરણ ઉદ્યોગઃ
- રેલવે : ભારત રેલવે એંજિન, મુસાફરીના ડબ્બા, માલગાડીનાં વેગનો વગેરેના ઉત્પાદનની બાબતમાં આત્મનિર્ભર છે. રેલના પાટા અને રેલ-સ્લીપરો લોખંડ-પોલાદનાં કારખાનાંમાં બને છે.
એંજિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે. મુસાફરીના ડબ્બા પેરામ્બુર, બેંગલૂરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે.
- સડક વાહનો : ભારતમાં ટ્રક, બસ, કાર, ટ્રૅક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર અને સાઇકલનું ઉત્પાદન મોટા પાયે થાય છે. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
- જહાજ-બાંધકામ : ભારતમાં વિશાખાપટ્નમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્માગોવામાં જહાજો બને છે. વિશાળકાય જહાજો કોચી અને વિશાખાપટ્નમમાં તૈયાર થાય છે.
- હવાઈ જહાજ બાંધકામ : ભારતમાં નાગરિક ઉડ્ડયનનાં જહાજો બનતાં નથી, પરંતુ સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારનાં વિમાનો અને હેલિકૉપ્ટરો બેંગલૂરુ, કોરાપુટ, નાશિક, હૈદરાબાદ અને લખનઉનાં કારખાનાંઓમાં બનાવવામાં આવે છે.
- ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગ : ભારતમાં ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગની સ્થાપના ઈ. સ. 1905માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગ દ્વારા થઈ. તેનો હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગ માટેનાં ઉપકરણો બનાવવાનો હતો.
આજે ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (BEL) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) સાથે સહયોગ કરી ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનું નિર્માણ કરે છે.ભારતમાં બેંગલૂરુને ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગની રાજધાની’ અને ભારતની ‘સિલિકોન વેલી’ જેવાં નામોથી ઓળખવામાં આવે છે.ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગના વિકાસ માટે બેંગલૂરુમાં સૉફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રોદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે.
- ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણ અતિક્રમણ : ઉદ્યોગો થકી પેદા થતા વિવિધ પ્રકારના હાનિકારક વાયુઓ, ધુમાડા, નિઃસ્રાવ અને ઘન તેમજ તરલ દ્રવ્યો હવા, જળ, જમીન અને ભૂમિને દૂષિત કરે છે તથા મોટાં તેમજ ખામીવાળાં મશીનો અનિચ્છનીય અવાજો પેદા કરે છે. આ બધાંને ઔદ્યોગિક પ્રદૂષણ કહે છે.
કુદરતી અને માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય ત્યારે પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય.પ્રદૂષણના મુખ્ય ચાર પ્રકાર છે : (1) હવા-પ્રદૂષણ, (2) જળ-પ્રદૂષણ, (3) ભૂમિ-પ્રદૂષણ અને (4) ધ્વનિ-પ્રદૂષણ.કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ અને સલ્ફર ડાયૉક્સાઇડ જેવા નુકસાનકારક વાયુઓને લીધે હવા પ્રદૂષિત થાય છે.ઉદ્યોગોનાં મોટાં અને જૂનાં થઈ ગયેલાં મશીનોના અને પરિવહનનાં સાધનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજોને કારણે ધ્વનિ-પ્રદૂષણ વધ્યું છે.
- પર્યાવરણનું અવક્રમણ રોકવાના ઉપાયો : ઉદ્યોગો માટે યોગ્ય સ્થાનો નક્કી કરીને, સારાં યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા-પ્રદૂષણ ઓછું કરી શકાય છે. ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવાં સાધનોની મદદથી પ્રદૂષકોને હવામાં જતા રોકી શકાય છે. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતાં પહેલાં તેનું શુદ્ધીકરણ કરવાથી જળ-પ્રદૂષણ ઘટાડી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી શકાય છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.
અથવા
ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરવામાં આવે છે?
ઉત્તર : શ્રમિકોની સંખ્યા (માનવશ્રમ), માલિકીનું ધોરણ અને કાચા માલના સ્રોતના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલ જૂથમાં વહેંચવામાં આવે છે :
- શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોના બે જૂથ ( બનાવી શકાય : મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા મોટી હોય (વધુ રોજગારી મળે) તે ઉદ્યોગો મોટા પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દા. ત., સુતરાઉ કાપડનો ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં નાનો ઉદ્યોગપતિ ઓછા કામદારોને રોકીને સામાન્ય ઉત્પાદન કરતો હોય તે ઉદ્યોગો નાના પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દા. ત., ખાંડસરી ઉદ્યોગ.
- માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથોમાં વહેંચી શકાય. અંબાણી, ટાટા, બિરલા, બજાજ વગેરે જૂથોની કંપનીઓના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે. ભિલાઈનો પોલાદ ઉઘોગ અને હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે, જેનાં માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સંયુક્ત સાહસ છે. કેટલીક ખાંડની મિલો અને દૂધ-ઉત્પાદક ડેરી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
- કાચા માલના સ્રોતના આધારે ઉદ્યોગોને કૃષિ-આધારિત અને ખનીજ-આધારિત જૂથોમાં વહેંચી શકાય. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ-આધારિત છે; જ્યારે લોખંડ-પોલાદ, સિમેન્ટ, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો ઍલ્યુમિનિયમ, તાંબું, રસાયણ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગ ખનીજ-આધારિત છે.
(2) (ભારતના) સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો.
ઉત્તર : ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :
→ ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુખ્ય છે. તે ભારતનો સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. તે દેશના લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે.
→ ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ.
→ શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતાં. વળી, અહીં મજૂરો, કારીગરો, વિદ્યુત, બૅન્ક, નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા અને પરિવહનની સારી સગવડો ઉપલબ્ધ હતી. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશનાં લગભગ 100 શહેરોમાં આવેલી છે.
→ આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે.
→ મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. તેથી તે સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ (Cottonopolis of India) કહેવાય છે. આ ઉપરાંત, પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર અને નાગપુર; ગુજરાતમાં અમદાવાદ, સુરત, લોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા; તમિલનાડુમાં કોઇમ્બતૂર, ચેન્નઈ અને મદુરાઈ; પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર; ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઇંદોર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે.
→ ગુજરાતમાં અમદાવાદને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ અને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ પણ કહે છે.
→ આ ઉદ્યોગ આજે ઊંચી જાતના કપાસની અછત, જૂનાં યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ-પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
→ ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. રશિયા, યૂ.કે., યુ.એસ.એ., સુદાન, નેપાલ, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે.
→ સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.
(3) ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.
અથવા
ભારતના લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે વિસ્તૃત માહિતી આપો.
ઉત્તર : ભારતનો લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના- મોટા ભાગો બનાવવામાં આવે છે.
→ ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે. સીરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
→ ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટોનોવા નામના સ્થળે 1830માં સ્થાપવામાં આવ્યું હતું, પણ કેટલાંક કારણોસર તે બંધ પડી ગયું. ત્યારપછી 1864માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે.
→ લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907માં શરૂ થયું. ત્યારપછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદનાં કારખાનાં સ્થપાયાં.
→ સ્વાતંત્ર્ય બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉરકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્નમ, સેલમ વગેરે સ્થળે આધુનિક અને મોટાં કારખાનાં સ્થપાયાં.
→ લોખંડ-પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. તેમાં કાચા માલ તરીકે લોહઅયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મૅગેનીઝની કાચી ધાતુ વપરાય છે.
→ ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
→ ટાટા સિવાયનાં ભારતનાં લોખંડ-પોલાદનાં બધાં કારખાનાંનો વહીવટ સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ’ (Steel Authority of India Limited – SAIL) હસ્તક છે.
→ લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
(4) ભારતના ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતમાં ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની શરૂઆત ઈ. સ. 1905માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપનાથી થઈ.
→ ઈ. સ. 1956માં બેંગલુરુમાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના થઈ. તેનો મુખ્ય હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગનાં ઉપકરણો બનાવવાનો હતો.
→ આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO – ઇસરો) સાથે સહયોગ કરી તે અનેક ઇલેક્ટ્રિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે.
→ ભારતનો ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે. ભારતમાં રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર ફોન, કમ્પ્યૂટર વગેરે અનેક ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બને છે.
→ આ ઉદ્યોગના લીધે લોકોનાં જીવન, જીવનશૈલી અને દેશના અર્થતંત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. કમ્પ્યૂટર આ ઉદ્યોગનું અદ્ભુત ઉપકરણ છે.
→ ભારતમાં 1990ના દશકામાં કમ્પ્યૂટર ઉદ્યોગ હાર્ડવેરના રૂપે શરૂ થયો. હાર્ડવેર ઉપરાંત સૉફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે.
→ બેંગલૂરુ ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે. તે ભારતની ‘સિલિકોન વેલી’ તરીકે પણ ઓળખાય છે.
→ ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગના વિકાસ માટે દેશમાં જુદાં જુદાં કેન્દ્રોમાં ‘સૉફ્ટવેર ટેક્નોલૉજી પાર્ક’, ‘વિજ્ઞાન પાર્ક’ અને ‘પ્રોદ્યોગિકી પાર્ક’ વિકસાવવામાં આવ્યા છે.
→ અંતિરક્ષ ટેક્નોલૉજીના ક્ષેત્રે પણ ભારતીય ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગનું નોંધપાત્ર યોગદાન છે.
(5) ભારતના પરિવહન-ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર : ભારતમાં રેલવે, સડક, જલમાર્ગ અને હવાઈ માર્ગે થતાં પરિવહન માટે અનેકવિધ ઉપકરણો બને છે.
રેલવે : ભારતીય રેલ પોતાની જરૂરિયાતનાં ઉપકરણો, જેવાં કે રેલવે એંજિન, મુસાફરીના ડબ્બા, માલગાડીનાં વેગનો વગેરે પોતે તૈયાર કરે છે. રેલના પાટા અને રેલ-સ્લીપરો ભારતનાં લોખંડ-પોલાદનાં કારખાનાંમાં બને છે.
→ રેલવે એંજિન ત્રણ પ્રકારનાં છે : વરાળ એંજિન, ડીઝલ એંજિન અને વિદ્યુત એંજિન. વર્તમાન સમયમાં વરાળથી ચાલતાં એંજિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે.
→ રેલવે એંજિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે. (*નોંધ : જમશેદપુરમાં જૂન, 1970થી રેલવે એંજિનનું નિર્માણ થતું નથી.) અહીંનાં કારખાનાં ડીઝલ અને ઇલેક્ટ્રિક એંજિનો બનાવે છે, જે ઈંધણ-સક્ષમ અને પ્રદૂષણ-મુક્ત હોય છે.
→ મુસાફરીના ડબ્બા (કોચ) પેરામ્બુર, બેંગલૂરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત, વેગનો, રેલવેના પાટા, એંજિન પાર્ટ્સ, વ્હીલ વગેરે રેલવેનાં કારખાનાં તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે.
સડક-વાહનો : ભારતમાં સડક-પરિવહન સૌથી વધુ વ્યાપક છે. તેને માટે દેશમાં ટ્રક, બસ, કાર, ઑટોરિક્ષા, ટ્રૅક્ટર, મોટરસાઇકલ, સ્કૂટર અને સાઇકલનું મોટા પાયે ઉત્પાદન થાય છે.
સડક-વાહનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પાંચમું સ્થાન ધરાવે છે. ટ્રૅક્ટરો અને સાઇકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેથી આ વાહનોની ભારત વિદેશોમાં નિકાસ કરે છે.
જહાજ-બાંધકામ : વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાનાં મુખ્ય પાંચ કેન્દ્રો છે : વિશાખાપટ્નમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્માગોવા (મુડગાંવ). આ બધાં જાહેર ક્ષેત્રમાં છે. ખાનગી ક્ષેત્રની બાંધકામ ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે.
→ મોટા કદનાં જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્નમમાં થાય છે.
હવાઈ જહાજ બાંધકામ : ભારતમાં હજી સુધી નાગરિક ઉડ્ડયન (યાત્રિકો) માટે વિમાનો બનતાં નથી. પરંતુ સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારનાં વિમાનો બનાવવા માટે બેંગલૂરુ, કોરાપુટ, નાશિક, હૈદરાબાદ, કાનપુર અને લખનઉમાં આ ઉદ્યોગના એકમો સ્થાપવામાં આવ્યા છે.
ભારતમાં હેલિકૉપ્ટરો પણ બને છે.

(6) પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.
અથવા
પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? તેને રોકવાના ઉપાયો જણાવો.
ઉત્તર : ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, ત્સુનામી જેવાં કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણનાં જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ’ કહેવાય છે.
પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છેઃ
- ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા : પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને, સારાં યંત્રો અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે.
- ઈંધણની યોગ્ય પસંદગી : ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા-પ્રદૂષણ ઓછું કરી શકાય છે. દા. ત., ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનીજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે.
- હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવાં સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે.
- ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતાં પહેલાં તેનું શુદ્ધીકરણ કરવાથી જળ-પ્રદૂષણ ઘટાડી શકાય છે.
- ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે.
- જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે ત્રણ પ્રવૃત્તિઓ મહત્ત્વની છે : (1) વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, (2) પુનઃ ચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો અને (3) બાકીના કચરાને જમીન-ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો.
(7) ઉદ્યોગોના મહત્ત્વ પર ટૂંક નોંધ લખો.
ઉત્તર : ઉદ્યોગોનું મહત્ત્વ નીચે પ્રમાણે છેઃ
→ દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે.
→ ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી.
→ ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. દા. ત., યૂ.એસ.એ., રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે.
→ જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એ દેશોએ પોતાનાં કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી. તેમનો આર્થિક વિકાસ રુંધાઈ જાય છે.
→ દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવનધોરણ ઊંચું આવે છે.
→ ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવનધોરણ સુધરે છે.
→ ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તનિકી જ્ઞાન વધે છે. તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદશક્તિ પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે.
→ ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 29 % જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્ત્વ દર્શાવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારતના શણ ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતના શણ ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છેઃ
→ શણ એ ભારતનો દ્વિતીય સ્થાનનો મુખ્ય ઉદ્યોગ છે.
→ શણ અને તેમાંથી બનતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. શણની વસ્તુઓની નિકાસમાં તેનું સ્થાન બાંગ્લાદેશ પછી બીજું છે.
→ ભારતમાં શણની લગભગ 70 મિલો છે. તેમાંની મોટા ભાગની પશ્ચિમ બંગાળમાં છે.
→ શણની ચીજોનું 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં, 10% આંધ્ર પ્રદેશમાં તથા બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં થાય છે.
→ શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગની શણ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. શા- ઉત્પાદક ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળપરિવહનની સુવિધા, શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવશ્રમ, બૅન્કો અને વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે.
→ શણ ઉદ્યોગ નિકાસ દ્વારા સારા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે, પરંતુ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘટી રહી છે. શણનું ઉત્પાદન-ખર્ચ વધતું જાય છે અને ત્રણની જગ્યાએ વપરાતી અન્ય કૃત્રિમ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
[વિશેષ : યૂ.એસ., કૅનેડા, રશિયા, યુ.એ.ઈ., ઑસ્ટ્રેલિયા, યુ.કે. વગેરે ભારતના શણના મુખ્ય ગ્રાહકો છે.]

(2) ભારતના રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તર : ભારત વર્ષોથી તેના રેશમી કાપડ માટે પ્રસિદ્ધ છે. રેશમનું ઉત્પાદન કરતા દેશોમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.
→ ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છેઃ શેતૂર, ઈરી, ટસર અને મૂગા (muga).
→ આજે ભારતમાં રેશમી કાપડની લગભગ 300 મિલો છે.
→ ભારતમાં કર્ણાટક, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ-કશ્મીર વગે૨ે રેશમનું ઉત્પાદન કરનારાં મુખ્ય રાજ્યો છે.
→ ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા અને મધ્ય-પૂર્વના દેશોમાં થાય છે. આ ઉપરાંત, જર્મની, સિંગાપુર, યૂ.એસ.એ., કુવૈત, મલેશિયા, રશિયા, યૂ.કે., સાઉદી અરેબિયા વગેરે દેશોમાં પણ ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ થાય છે.
→ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમ ઉદ્યોગને ચીનની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે.
(3) ભારતના ઊની (ગરમ) કાપડના ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતમાં ઊની (ગરમ) કાપડ ઉદ્યોગની શરૂઆત કુટિર ઉદ્યોગ રૂપે થઈ હતી.
→ તેની પહેલી મિલ કાનપુરમાં સ્થપાઈ હતી. તે પછી ધારીવાલ અને બેંગલૂમાં આવી મિલો શરૂ થઈ.
→ ભારતનો ગ૨મ (ઊની) કાપડ ઉદ્યોગ પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, જમ્મુ-કશ્મીર અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયેલો છે.
→ આજે ભારતમાં ઊની (ગરમ) કાપડની સૌથી વધારે મિલો પંજાબમાં છે. એ પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે.
→ પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર; મહારાષ્ટ્રમાં મુંબઈ; ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગરા અને મિર્ઝાપુર; ગુજરાતમાં અમદાવાદ અને જામનગર; હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ; રાજસ્થાનમાં બીકાનેર અને જયપુર; જમ્મુ-કશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગલૂરુ ઊની કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
→ ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ બનાવવામાં આવે છે.
→ ભારત યૂ.એસ.એ., રશિયા, યૂ.કે., કૅનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે યુરોપના દેશોમાં ઊની કાપડની નિકાસ કરે છે.
(4) ભારતના ખાંડ ઉદ્યોગ વિશે નોંધ લખો.
અથવા
ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન ધરાવતા ખાંડ ઉદ્યોગ વિશે સમજ આપો.
ઉત્તર : ભારતમાં ખાંડ ઉદ્યોગ વિશેની નોંધ નીચે પ્રમાણે છે :
→ ભારતમાં ખેતી-આધારિત ઉદ્યોગમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ દ્વિતીય ક્રમે છે.
→ ખાંડ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે. ભારતમાં પુષ્કળ શેરડી પાકતી હોવાથી ગોળ અને ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે.
→ શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.
→ ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાનાં કારખાનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં કેન્દ્રિત થયેલાં છે.
→ ગુજરાતમાં ખાંડનાં કારખાનાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડિનાર, તાલાળા ગીર વગેરે સ્થળોએ આવેલાં છે.
[વિશેષ : દક્ષિણ ભારતમાં થતી શેરડીમાં ગળપણ વધુ હોવાથી ખાંડ ઉદ્યોગ હવે દક્ષિણ ભારતમાં વધુ વિકસી રહ્યો છે.]
(5) ભારતના ઍલ્યુમિનિયમ-ગાળણ ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : ઍલ્યુમિનિયમ-ગાળણ ભારતનો મહત્ત્વનો ધાતુ ઉદ્યોગ છે.
→ ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટિપાઉ (malleable), વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાય નહિ તેવી ધાતુ હોવાથી મેંગેનીઝ, તાંબું, જસત, લિથિયમ અને મૅગ્નેશિયમ સાથેની તેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્રધાતુઓ સડકનાં વાહનો, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે વપરાય છે.
→ ઍલ્યુમિનિયમના ઉત્પાદન-ખર્ચના 30થી 40 % વિદ્યુત પેટે જાય છે.
→ આથી જ્યાં જળવિદ્યુત અથવા સસ્તી વિદ્યુત અને બૉક્સાઇટ મળે ત્યાં જ ઍલ્યુમિનિયમ-ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે.
→ ભારતમાં ઍલ્યુમિનિયમ-ગાળણનાં કેન્દ્રો ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરલ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલાં છે.

(6) ભારતના તાંબું-ગાળણ ઉદ્યોગ વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતનો તાંબું-ગાળણ ઉદ્યોગ એક મહત્ત્વનો ઉદ્યોગ છે.
→ તાંબું વિદ્યુતનું સુવાહક છે તેમજ તે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે. તેથી તેનો ઉપયોગ વધ્યો છે.
→ વિદ્યુતનાં ઉપકરણો, રેફ્રિજરેટર, ઍરકંડિશનર, ઑટોમોબાઇલ, રેડિયેટર, ઘરવપરાશનાં સાધનો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.
→ ભારતમાં તાંબું ગાળવાનો સૌપ્રથમ એકમ ભારતીય તાંબા નિગમ (ઇન્ડિયન કૉપર કૉર્પોરેશન – ICC) દ્વારા ઝારખંડ રાજ્યમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો.
→ ઈ. સ. 1972માં ભારતીય તાંબા નિગમને ‘હિંદુસ્તાન કૉપર લિમિટેડ (HCL)’ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિંદુસ્તાન કૉપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે.
→ ભારતમાં તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરી કરી શકતું નથી, તેથી તેને ઝામ્બિયા, ચિલી, યૂ.એસ.એ. અને કૅનેડાથી આયાત કરવામાં આવે છે.
(7) ભારતના રસાયણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર : ભારતના અર્થતંત્રમાં રસાયણ ઉદ્યોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
→ ભારતમાં અકાર્બનિક (inorganic) અને કાર્બનિક (carbonic) એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે.
→ અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક ઍસિડ, ક્ષારીય સામગ્રી, સોડા બૅશ, કૉસ્ટિક સોડા અને ક્લોરિનનો સમાવેશ થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગોના સંદર્ભે પેટ્રોરસાયણો (પેટ્રોકેમિકલ્સ) મુખ્ય છે.
→ પેટ્રોરસાયણોનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ-રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે.
→ અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનીજ તેલની રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે.
→ જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે.
→ રસાયણ ઉદ્યોગમાં દેશમાં ગુજરાતનું સ્થાન સર્વોપરી છે.
→ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
(8) ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : વિવિધ પ્રકારનાં મકાનો, સડકો અને બંધો(ડેમ્સ)ના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે.
→ સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે.
→ વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના 6 % જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે.
→ સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂના-પથ્થર, ચિરોડી, ઍલ્યુમિના (બૉક્સાઇટ) અને ચીકણી માટી (સિલિકા) જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલનાં પ્રાપ્તિસ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે. તેને કોલસો અને વીજળીની પણ જરૂ૨ પડે છે.
→ ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટનાં કારખાનાં આવેલાં છે.
[વિશેષ : ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ વગેરે રાજ્યોમાં વિકસ્યો છે.]
(9) ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર : ઉદ્યોગોને લીધે મુખ્યત્વે ચાર પ્રકારનાં પ્રદૂષણો જોવા મળે છે : (1) હવા-પ્રદૂષણ, (2) જળ-પ્રદૂષણ, (3) ભૂમિ-પ્રદૂષણ અને (4) ધ્વનિ-પ્રદૂષણ.
→ ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનૉક્સાઇડ અને સલ્ફર ડાયૉક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓ હોય છે. તે હવાને પ્રદૂષિત કરે છે. હવા પ્રદૂષણ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવણને નુકસાન કરે છે.
→ ઔદ્યોગિક કચરાવાળું પાણી જળ-પ્રદૂષણ ફેલાવે છે. આજે ઘણાં કારખાનાં સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. તેથી એ નદીઓ અને બીજા જળસ્રોતોનું પાણી ખૂબ જ દૂષિત બન્યું છે.
→ કેટલાક ઉદ્યોગોમાં ખૂબ અવાજ થાય છે. પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટાં યંત્રો અને જૂનાં થઈ ગયેલાં મશીનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડે છે. તેથી વધુ પડતા અવાજો પણ પ્રદૂષણ છે. તેનાથી માનવીને બહેરાશ આવી શકે છે. અતિશય ઘોંઘાટને કારણે માનવી માનસિક તાણ પણ અનુભવે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો.
ઉત્તર : ભારતના કૃત્રિમ કાપડના ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :
→ ભારતમાં આજે માનવ-નિર્મિત રેસામાંથી બનતા કૃત્રિમ કાપડ- (સિન્થેટિક)ની મોટી માંગ છે.
→ મજબૂતાઈ, ટકાઉપણું, રંગવાની તેમજ વણાટની સરળતા, આકર્ષક દેખાવ વગેરે ગુણોને લીધે રેયૉન, નાઇલૉન, ટેરીન અને ડેક્રોન જેવાં કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ સર્જી છે.
→ કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ તૈયાર કરાય છે.
→ આ ઉદ્યોગ કેરલ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં વિકસ્યો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્લી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર અને કોલકાતા આ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો છે.
(2) ખાંડ અને ખાંડસરીનાં કારખાનાં ક્યાં સ્થપાયાં છે ? શા માટે?
ઉત્તર : ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાનાં કારખાનાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે.
→ શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.
(3) ઍલ્યુમિનિયમ ઉદ્યોગ ક્યાં સ્થપાય છે? શા માટે?
ઉત્તર : ઍલ્યુમિનિયમ ઉત્પાદન-ખર્ચના 40થી 50 % વિદ્યુત પેટે જાય છે. આથી જ્યાં જળવિદ્યુત અથવા સસ્તી વિદ્યુત સરળતાથી મળે ત્યાં જ ઍલ્યુમિનિયમ-ગાળણ ઉદ્યોગ સ્થપાય છે.
(4) ગુજરાતના રસાયણ ઉદ્યોગનાં કેન્દ્રો જણાવી, ચાર રસાયણોનાં નામ લખો.
ઉત્તર : અમદાવાદ, વડોદરા, અંક્લેશ્વર, ભરૂચ વગેરે ગુજરાતના રસાયણ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
ચાર રસાયણોનાં નામ : ગંધકનો તેજાબ, નાઇટ્રિક ઍસિડ, સોડા ઍશ અને કૉસ્ટિક સોડા. આ ચારેય અકાર્બનિક રસાયણો છે.
(5) ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં Sunrise Industry કહે છે.
→ ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે.
→ વૉટર પ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પૅકિંગ, રસાયણોના સંચયન, ટૅક્સ્ટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રૉનિક્સ વગેરેમાં થાય છે.
→ ભારતમાં દિલ્લી, મુંબઈ, કોલકાતા, બેંગલૂરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતૂર, ચેન્નઈ વગે૨ે પ્લાસ્ટિક ઉત્પાદનનાં મુખ્ય કેન્દ્રો છે.
(6) રેલવે-એંજિનના પ્રકાર જણાવી તેના ઉત્પાદનનાં સ્થળો જણાવો.
ઉત્તર : રેલવે-એંજિનના ત્રણ પ્રકાર છે : (1) વરાળ એંજિન, (2) ડીઝલ એંજિન અને (3) વિદ્યુત એંજિન.
→ વર્તમાન સમયમાં વરાળથી ચાલતાં એંજિનોનો ઉપયોગ માત્ર પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ થાય છે.
→ ડીઝલ અને વિદ્યુત એંજિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સમાં અને વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સમાં થાય છે.
[નોંધ : જમશેદપુરમાં ‘ટાટા એંજિનિયરિંગ ઍન્ડ લોકોમોટિવ કંપની’ વર્ક્સ(TELCO – ટેલ્કો)માં જૂન 1970થી રેલવે એંજિનોનું નિર્માણ થતું નથી.’]
(7) ભારતનાં સડક વાહનો વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : આઝાદી પહેલાં વિદેશોમાંથી આયાત કરેલા ગાડીના જુદા જુદા ભાગોને જોડીને ગાડીઓ બનાવવામાં આવતી હતી.
→ આજે ભારતમાં ટ્રક, બસ, મોટરકાર, મોટરસાઇકલ, સ્કૂટર, સાઇકલ વગેરે વાહનો બનાવવાનાં કારખાનાં સ્થપાયાં છે.
→ દેશમાં સડક વાહનોનું ઉત્પાદન ખાનગી ક્ષેત્રે થાય છે.
→ વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
→ આજે દેશમાં તૈયાર થતાં વાહનો અને તેના જુદા જુદા ભાગોની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે.
→ ભારતમાં ટ્રૅક્ટર અને સાઇકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વાહનોની વિદેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે.
(8) ભારતમાં રાસાયણિક ખાતર ઉદ્યોગની ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :
→ ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું 1906માં તમિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયું હતું. પરંતુ આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ 1951માં ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ઝારખંડના સિંદરીમાં સ્થપાયેલા કારખાનાથી થયો. ‘હરિયાળી ક્રાંતિ’ને લીધે ખાતરની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના ઘણા ભાગોમાં રાસાયણિક ખાતરનાં કારખાનાં સ્થપાયાં છે.
→ દેશના કુલ ઉત્પાદનના 50 %થી વધુ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરલમાં થાય છે.
→ ગુજરાતમાં કંડલા, કલોલ, વડોદરા, હજીરા, ભરૂચ વગેરે શહેરોમાં રાસાયણિક ખાતરનાં કારખાનાં આવેલાં છે.
(9) સુતરાઉ કાપડ ઉદ્યોગ સામેના પડકારો જણાવો.
અથવા ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે?
ઉત્તર : ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે
→ ઊંચી જાતના રૂની અછત
→ જર્જરિત થઈ ગયેલી જૂની યંત્રસામગ્રીનો ઉપયોગ
→ અનિયમિત વીજ-પુરવઠો
→ શ્રમિકોની ઓછી ઉત્પાદકતા
→ કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા.
→ વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે પડકારો – સમસ્યાઓ છે.
(10) ભારતમાં સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે ક્યાં ક્યાં આવેલી છે?
ઉત્તર : ભારતમાં સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે.
→ મહારાષ્ટ્રમાં મુખ્યત્વે મુંબઈ, સોલાપુર, પુણે, કોલ્હાપુર, જલગાંવ અને નાગપુર; ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા; તમિલનાડુમાં કોઇમ્બતુર, ચેન્નઈ અને મદુરાઈ; પશ્ચિમ બંગાળમાં હાવડા, કોલકાતા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર; ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, ઇટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઇંદોર, ઉજ્જૈન અને દેવાસમાં સુતરાઉ કાપડની મિલો આવેલી છે.
→ આ ઉપરાંત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડની મિલો આવેલી છે.
(11) પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ શાથી વધુ વિકસ્યો છે?
અથવા
પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તે લોકોના ઘરમાં શણનાં પગલૂછણિયાં, સૂતળી, કંતાન-કોથળાનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો. આવું શા માટે હશે?
ઉત્તર : શણ-ઉત્પાદક ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળપરિવહનની સુવિધા, શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવશ્રમ, બૅન્કો અને વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ વધુ વિકસ્યો છે.
→ શણને સંસાધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગની શણ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે.
(12) ભારતનો શણ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે?
ઉત્તર : ભારતનો શણ ઉદ્યોગ નીચેની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે :
→ આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજવસ્તુઓની માંગ ઘટી રહી છે. તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓ પ્રમાણમાં વધુ ટકાઉ અને ચિડયાતી છે. તેથી આ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે.
→ બીજી તરફ શણ અને તેની વસ્તુઓનું ઉત્પાદન-ખર્ચ વધતું જાય છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
(13) ભારતમાં ગરમ (ઊની) કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો કયાં કયાં છે?
ઉત્તર : ભારતના ગરમ (ઊની) કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર; મહારાષ્ટ્રમાં મુંબઈ; ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગરા અને મિર્ઝાપુર; ગુજરાતમાં અમદાવાદ અને જામનગર; હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ; રાજસ્થાનમાં બીકાનેર અને જયપુર; જમ્મુ-કશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગલૂરુ છે.
(14) ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં ક્યાં ક્યાં આવેલાં છે?
ઉત્તર : ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં ઝારખંડમાં જમશેદપુર અને બોકારો ખાતે, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર અને બર્નપુર ખાતે, કર્ણાટકમાં ભદ્રાવતી અને વિજયનગર ખાતે, છત્તીસગઢમાં ભિલાઈ ખાતે, ઓડિશામાં રાઉરકેલા ખાતે, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્નમ ખાતે તથા તમિલનાડુમાં સેલમ ખાતે આવેલાં છે.
(15) પરિવહન ઉપકરણ રેલવે ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : ભારતીય રેલ પોતાની જરૂરિયાતનાં ઉપકરણો, જેવાં કે રેલવે એંજિન, મુસાફરીના ડબ્બા, માલગાડીનાં વેગનો વગેરે પોતે તૈયાર કરે છે. રેલના પાટા, રેલ-સ્લીપરો અને એંજિન પાર્ટ્સ અને વ્હીલ ભારતનાં લોખંડ-પોલાદનાં કારખાનાંમાં બને છે.
→ રેલવે એંજિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે. અહીંનાં કારખાનાં ડીઝલ અને વિદ્યુત એંજિનો બનાવે છે, જે ઈંધણ-સક્ષમ અને પ્રદૂષણ-મુક્ત હોય છે.
→ મુસાફરીના ડબ્બા (કોચ) પેરામ્બુર, બેંગલૂરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે. વેગનો રેલવેનાં કારખાનાં તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે.
પ્રશ્ન 4. સંકલ્પના સમજાવો :
(1) મોટા પાયા પરનો ઉદ્યોગ
ઉત્તર : જે ઉદ્યોગમાં શ્રમિકોની સંખ્યા ઘણી વધારે હોય (વધુ રોજગારી મળે) અને જેનું ઉત્પાદન પણ મોટું હોય તે ઉદ્યોગ ‘મોટા પાયા પરનો ઉદ્યોગ’ કહેવાય છે. દા. ત., ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ.
(2) નાના પાયા પરનો ઉદ્યોગ
ઉત્તર : જે ઉદ્યોગ વ્યક્તિગત માલિકીના ધોરણે ઓછા શ્રમિકો થકી ચલાવાતો હોય તે ઉદ્યોગ ‘નાના પાયા પરનો ઉદ્યોગ’ કહેવાય છે. દા. ત., ખાંડસરી ઉદ્યોગ.
પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) ઉદ્યોગ એટલે શું?
ઉત્તર : માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોનાં સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ‘ઉદ્યોગ’ કહેવામાં આવે છે.
(2) કાચા માલના સ્રોતોને આધારે ઉદ્યોગોને ક્યા ક્યા જૂથમાં વહેંચી શકાય?
ઉત્તર : કાચા માલના સ્રોતોને આધારે ઉદ્યોગોને કૃષિ-આધારિત ઉદ્યોગો અને ખનીજ-આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય.
(3) માલિકીના આધારે ઉદ્યોગોને ક્યાં ક્યાં જૂથોમાં વહેંચવામાં આવે છે?
ઉત્તર : માલિકીના આધારે ઉદ્યોગોને (1) ખાનગી, (2) જાહેર, (3) સંયુક્ત અને (4) સહકારી એમ ચાર જૂથોમાં વહેંચવામાં આવે છે.
(4) કૃષિ-આધારિત ઉદ્યોગો એટલે શું?
ઉત્તર : જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે અનાજ તેલીબિયાં, શેરડી, કપાસ, શણ જેવી ખેતપેદાશો વપરાય છે તે ઉદ્યોગો ‘કૃષિ-આધારિત ઉદ્યોગો’ કહેવાય છે.
(5) કૃષિ-આધારિત ઉદ્યોગો ક્યા ક્યા છે?
ઉત્તર : સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ, ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ-આધારિત ઉદ્યોગો છે.
(6) સુતરાઉ કાપડની મિલની સ્થાપનામાં કયાં પરિબળો મહત્ત્વનાં છે?
ઉત્તર : સુતરાઉ કાપડની મિલની સ્થાપના માટે રૂના પુરવા ઉપરાંત મોટું બજાર, ભેજવાળી આબોહવા, સસ્તો અને સક્ષમ માનવશ્રમ તથા પરિવહન, બૅન્ક અને વિદ્યુત વગેરેની સગવડો મહત્ત્વનાં પરિબળો છે.
(7) ભારત ક્યા ક્યા દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે?
ઉત્તર : ભારત, રશિયા, યુનાઇટેડ કિંગ્ડમ, યૂ.એસ.એ., સુદાન, નેપાળ, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ તેમજ દક્ષિણ આફ્રિકાના દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે.
(8) ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? કયું કર્યું?
ઉત્તર : ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છેઃ (1) શેતૂર, (2) ઈરી, (3) ટસર અને (4) મૂગા.
(9) કાગળ શામાંથી બનાવવામાં આવે છે?
ઉત્તર : પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે.
(10) ગુજરાતના કાગળ ઉદ્યોગનાં ચાર કેન્દ્ર જણાવો.
ઉત્તર : ગુજરાતના કાગળ ઉદ્યોગનાં કેન્દ્રો : અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા.
(11) ક્યા ક્યા ઉદ્યોગોનો સમાવેશ ખનીજ-આધારિત ઉદ્યોગમાં થાય છે?
ઉત્તર : લોખંડ-પોલાદ, ઍલ્યુમિનિયમ, તાંબું, રસાયણો, ખાતરો, સિમેન્ટ, પરિવહન ઉપકરણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગોનો તેમજ ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગનો સમાવેશ ખનીજ-આધારિત ઉદ્યોગમાં થાય છે.
(12) ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં ક્યાં ક્યાં આવેલાં છે?
ઉત્તર : ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં કુલ્ટી, જમશેદપુર, બર્નપુર, ભદ્રાવતી, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બોકારો, વિશાખાપટ્નમ, સેલમ વગેરે સ્થળોએ આવેલાં છે.
(13) ટાટા સિવાયનાં લોખંડ-પોલાદનાં કારખાનાંનો વહીવટ કોને સોંપવામાં આવ્યો છે?
ઉત્તર : ટાટા સિવાયનાં લોખંડ-પોલાદનાં કારખાનાંનો વહીવટ સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ(SAIL)ને સોંપવામાં આવ્યો છે.
(14) ઍલ્યુમિનિયમ ક્યા ક્યા વિશિષ્ટ ગુણો ધરાવે છે?
ઉત્તર : ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટિપાઉ (malleable) વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણો ધરાવે છે.
(15) તાંબાની ઉપયોગિતા જણાવો.
ઉત્તર : વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, ઍરકંડિશનર, ઑટોમોબાઇલ, રેડિયેટર, ઘરવપરાશનાં વાસણો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.
(16) ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે?
ઉત્તર : ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્લોલ, કંડલા, ભરૂચ, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે.
(17) પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
ઉત્તર : પૅકિંગ, રસાયણોના સંચયન, ટૅક્સ્ટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રૉનિક્સ વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
(18) સિમેન્ટ બનાવવા માટે ક્યા કાચા માલની જરૂર પડે છે?
ઉત્તર : સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બૉક્સાઇટ, ચીણી માટી વગેરે કાચા માલની જરૂર પડે છે.
(19) ભારતમાં ડીઝલ અને વિદ્યુત રેલવે એંજિનોનું ઉત્પાદન ક્યાં ક્યાં થાય છે?
ઉત્તર : ભારતમાં ડીઝલ અને વિદ્યુત રેલવે એંજિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં મિહિજામ ખાતે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સમાં અને વારાણસી ખાતે ડીઝલ લોકોમોટિવ વર્ક્સમાં થાય છે.
(20) ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય કેન્દ્રો કેટલાં છે? તે ક્યાં આવેલાં છે?
ઉત્તર : ભારતમાં જહાજ બાંધવાનાં મુખ્ય પાંચ કેન્દ્રો છે તે (1) વિશાખાપટ્નમ, (2) કોલકાતા, (૩) રાંચી, (4) મુંબઈ અને (5) માર્મીંગોવામાં આવેલાં છે.
(21) ભારતમાં લડાયક વિમાનો બનાવવાના એકમો ક્યાં ક્યાં સ્થાપવામાં આવ્યા છે?
ઉત્તર : ભારતમાં લડાયક વિમાનો બનાવવાના એકમો બેંગલૂરુ, કોરાપુટ, નાશિક, હૈદરાબાદ, કાનપુર અને લખનઉમાં સ્થાપવામાં આવ્યા છે.
(22) ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? તેનો હેતુ શો હતો?
ઉત્તર : ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ સ્થાપના ઈ. સ. 1905માં બેંગલૂરમાં કરવામાં આવી. તેનો હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગ માટેનાં ઉપકરણો બનાવવાનો હતો.
(23) આજે ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (BEL) કોની સાથે સહયોગ કરી ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ કરે છે?
ઉત્તર : આજે ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (BEL) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) સાથે સહયોગ કરી ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ કરે છે.
(24) ભારતમાં બેંગલૂરુને કયાં નામથી ઓળખવામાં આવે છે?
ઉત્તર : ભારતમાં બેંગલૂરુને ‘ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગની રાજધાની’ અને ભારતની ‘સિલિકોન વેલી’ જેવાં નામોથી ઓળખવામાં આવે છે.
(25) પર્યાવરણીય અતિક્રમણ થયું ક્યારે કહેવાય ?
ઉત્તર : કુદરતી અને માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય ત્યારે પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય.
(26) પ્રદૂષણના પ્રકારો જણાવો.
ઉત્તર : પ્રદૂષણના મુખ્ય ચાર પ્રકાર છે : (1) હવા-પ્રદૂષણ, (2) જળ-પ્રદૂષણ, (૩) ભૂમિ-પ્રદૂષણ અને (4) ધ્વનિ-પ્રદૂષણ.
(27) કયા વાયુઓને લીધે હવા પ્રદૂષિત થાય છે?
ઉત્તર : કાર્બન ડાયૉક્સાઇડ, કાર્બન મોનૉક્સાઇડ અને સલ્ફર ડાયૉક્સાઇડ જેવા નુકસાનકારક વાયુઓને લીધે હવા પ્રદૂષિત થાય છે.
(28) ઔદ્યોગિક પ્રદૂષણ એટલે શું?
ઉત્તર : ઉદ્યોગો થકી પેદા થતા વિવિધ પ્રકારના હાનિકારક વાયુઓ, ધુમાડા, નિઃસ્રાવ અને ઘન તેમજ તરલ દ્રવ્યો હવા, જળ, જમીન અને ભૂમિને દૂષિત કરે છે તથા મોટાં તેમજ ખામીવાળાં મશીનો અનિચ્છનીય અવાજો પેદા કરે છે. આ બધાંને ઔદ્યોગિક પ્રદૂષણ કહે છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :
(1) ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ……. % ફાળો છે.
A. 18
B. 40
C. 29
ઉત્તર : C. 29
(2) ઈ. સ. 1855માં કોલકાતા નજીક …….. માં શણનું કારખાનું સ્થપાયું હતું.
A. રિસરા
B. કુલ્ટા
C. શિવેરા
ઉત્તર : A. રિસરા
(3) ઈ. સ. …….. માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ.
A. 1907
B. 1920
C. 1912
ઉત્તર : A. 1907
(4) સુતરાઉ કાપડ ઉદ્યોગ એ …….. પાયાનો ઉદ્યોગ કહેવાય.
A. કાચા
B. નાના
C. મોટા
ઉત્તર : C. મોટા
(5) ખાંડસરી ઉદ્યોગ એ ………. પાયાનો ઉદ્યોગ કહેવાય.
A. નાના
B. મોટા
C. કાચા
ઉત્તર : A. નાના
(6) ……… ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.
A. શણ
B. ખાંડ
C. કાપડ
ઉત્તર : C. કાપડ
(7) સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત ……… સ્થાન ધરાવે છે.
A. તૃતીય
B. પ્રથમ
C. દ્વિતીય
ઉત્તર : C. દ્વિતીય
(8) ભારતમાં …….. માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ
A. કાનપુર
B. મુંબઈ
C. અમદાવાદ
ઉત્તર : B. મુંબઈ
(9) ……… સુતરાઉ કાપડનું વિશ્વમહાગનર (Cottonopolis of India) કહેવાય છે.
A. અમદાવાદ
B. મુંબઈ
C. નાગપુર
ઉત્તર : B. મુંબઈ
(10) ગુજરાતમાં ………..…ને પૂર્વનું માન્ચેસ્ટર’ કહે છે.
A. અમદાવાદ
B. વડોદરા
C. સુરત
ઉત્તર : A. અમદાવાદ
(11) ગુજરાતમાં …….. શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે.
A. સુરત
B. અમદાવાદ
C. જામનગર
ઉત્તર : B. અમદાવાદ
(12) તમિલનાડુમાં ………. શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.
A. કોઇમ્બતૂર
B. ચેન્નઈ
C. મદુરાઈ
ઉત્તર : A. કોઇમ્બતૂર
(13) શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન …….. છે.
A. દ્વિતીય
B. તૃતીય
C. પ્રથમ
ઉત્તર : C. પ્રથમ
(14) શણની નિકાસમાં વિશ્વમાં ભારતનો ક્રમ ………. છે.
A. પહેલો
B. બીજો
C. ત્રીજો
ઉત્તર : B. બીજો
(15) રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ……… છે.
A. પહેલો
B. બીજો
C. ત્રીજો
ઉત્તર : B. બીજો
(16) ભારતમાં ……… માં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.
A. જમ્મુ-કશ્મીર
B. હરિયાણા
C. પંજાબ
ઉત્તર : C. પંજાબ
(17) શેરડીના રસમાંથી …….. બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.
A. ગોળ
B. ખાંડ
C. ખાંડસરી
ઉત્તર : A. ગોળ
(18) દમાસ્કસમાં ………. બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
A. સૂડી-ચપ્પુ
B. તોપ
C. તલવાર
ઉત્તર : C. તલવાર
(19) ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં ……… ખાતે સ્થપાયું હતું.
A. પોર્ટોનોવા
B. ચેન્નઈ
C. મદુરાઈ
ઉત્તર : A. પોર્ટોનોવા
(20) ઈ. સ. 1907માં ઝારખંડના ………. માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયું.
A. બોકારો
B. જમશેદપુર
C. બર્નપુર
ઉત્તર : B. જમશેદપુર
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો 29% છે.
(2) ઈ. સ. 1855માં કોલકાતા નજીક રિસરામાં શણનું કારખાનું સ્થપાયું.
(3) ઈ. સ. 1874માં કુલ્ટીમાં લોખંડ-પોલાદ બનાવવાનું કારખાનું સ્થપાયું.
(4) ઈ. સ. 1920માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયું.
(5) સુતરાઉ કાપડનો ઉદ્યોગ મોટા પાયાનો ઉદ્યોગ છે.
(6) ખાંડસરી ઉદ્યોગ નાના પાયાનો ઉદ્યોગ છે.
(7) ભારતની અર્થવ્યવસ્થામાં શણ ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે.
(8) સુતરાઉ કાપડની નિકાસમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.
(9) મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.
(10) કોઇમ્બતુરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે.
(11) અમદાવાદને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ કહે છે.
(12) વડોદરાને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે.
(13) તમિલનાડુમાં કોઇમ્બતુર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.
(14) શણ અને શણમાંથી બનેલી વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન દ્વિતીય છે.
(15) શણની નિકાસમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે.
(16) ભારતમાં ત્રણ પ્રકારનાં રેશમનું ઉત્પાદન થાય છે.
(17) ટસર અને મૂંગા રેશમના પ્રકારો છે.
(18) ભારતમાં પંજાબમાં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.
(19) પંજાબમાં ધારીવાલ, અમૃતસર અને લુધિયાણા ઊની કાપડનાં મુખ્ય કેન્દ્રો છે.
(20) દમાસ્કસમાં લશ્કરી તોપો બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.
(21) ગુજરાતમાં અંકલેશ્વર પાસે મીની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે.
(22) લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.
(23) ભારતમાં સૌપ્રથમ તાંબાગાળણ ઉદ્યોગનો એકમ ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો છે.
(24) અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રોરસાયણ મુખ્ય છે.
(25) રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે.
(26) દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ તમિલનાડુમાં રાનીપેટ ખાતે સ્થપાયું હતું.
(27) પ્લાસ્ટિક ઉદ્યોગને Moonrise Industry પણ કહે છે.
(28) સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ પહેલો છે.
(29) મુસાફરો માટેના રેલ-ડબ્બા પેરામ્બુર, બેંગલૂરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે.
(30) વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ત્રીજું છે.
ઉત્તર :
(1) ખરું
(2) ખરું
(3) ખોટું
(4) ખોટું
(5) ખરું
(6) ખરું
(7) ખોટું
(8) ખોટું
(9) ખરું
(10) ખોટું
(11) ખરું
(12) ખોટું
(13) ખરું
(14) ખોટું
(15) ખોટું
(16) ખોટું
(17) ખરું
(18) ખરું
(19) ખરું
(20) ખોટું
(21) ખોટું
(22) ખરું
(23) ખરું
(24) ખોટું
(25) ખરું
(26) ખરું
(27) ખોટું
(28) ખોટું
(29) ખરું
(30) ખોટું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) કોની નીતિએ ભારતમાં ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી?
ઉત્તર : બ્રિટિશ શાસનની
(2) ઈ. સ. 1855માં કોલકાતા નજીક શણનું કારખાનું ક્યાં સ્થપાયું?
ઉત્તર : રિસરામાં
(3) જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને કયા ઉદ્યોગો કહે છે?
ઉત્તર : મોટા પાયાના
(4) જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને કયા ઉદ્યોગો કહે છે?
ઉત્તર : નાના પાયાના
(5) મુંબઈને કયા ઉદ્યોગનું ‘વિશ્વમહાનગર’ કહે છે?
ઉત્તર : સુતરાઉ કાપડ
(6) ગુજરાતમાં કયા શહેરને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ અને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે?
ઉત્તર : અમદાવાદને
(7) કયા પાકને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે?
ઉત્તર : શણને
(8) ગુજરાતનાં કયાં શહેરોમાં ઊની વસ્ત્રોનાં કેન્દ્રો છે?
ઉત્તર : અમદાવાદ અને જામનગર
(9) પોચું, લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી શું બનાવવામાં આવે છે?
ઉત્તર : કાગળ
(10) કયા ઉદ્યોગને ‘Sunrise Industry’ પણ કહે છે?
ઉત્તર : પ્લાસ્ટિક ઉદ્યોગને
(11) કયા ઉદ્યોગે બેંગલુરુને પોતાની રાજધાની બનાવ્યું છે?
ઉત્તર : ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગે
(12) કયું શહેર ભારતની સિલિકોન વેલી કહેવાય છે?
ઉત્તર : બેંગલૂરુને
(13) કયું પ્રદૂષણ માનવીના બહેરાશનું એક કારણ છે?
ઉત્તર : ધ્વનિ-પ્રદૂષણ
(14) ભારતમાં ઉદ્યોગોની પરંપરા ક્યારથી ચાલી આવે છે?
ઉત્તર : સિંધુખીણની સભ્યતાથી
(15) અઢારમી સદી સુધી ભારત કયા ઉદ્યોગમાં આગળ હતો?
ઉત્તર : વહાણો બનાવવાના
(16) કોના વિકાસ વિના આર્થિક વિકાસ અસંભવ જ થઈ જાય છે?
ઉત્તર : ઔદ્યોગિક વિકાસ વિના
(17) ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના 29 % જેટલો ફાળો કોનો છે?
ઉત્તર : ઉદ્યોગોનો
(18) ઈ. સ. 1907માં ટાટા લોખંડ-પોલાદની કંપની ક્યાં સ્થપાઈ હતી ?
ઉત્તર : જમશેદપુરમાં
(19) ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં કયા ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે ?
ઉત્તર : વસ્ત્ર ઉદ્યોગનું
(20) ઉત્પાદન અને રોજગારીની દષ્ટિએ કર્યો ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે?
ઉત્તર : સુતરાઉ કાપડનો ઉદ્યોગ
(21) શરૂઆતનાં વર્ષોમાં સુતરાઉ કાપડની મિલો કર્યાં શહેરોમાં સ્થપાઈ હતી?
ઉત્તર : મુંબઈ અને અમદાવાદમાં
(22) બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ કર્યો છે?
ઉત્તર : શણના કાપડનો ઉદ્યોગ
(23) શણના કાપડની મોટા ભાગની મિલો કઈ નદીને કિનારે આવેલી છે?
ઉત્તર : હુગલી નદી
(24) ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે?
ઉત્તર : ચાર
(25) આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમને કયા દેશની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે?
ઉત્તર : ચીનની
(26) ભારતમાં સૌથી વધારે ઊની મિલો કયા રાજ્યમાં છે?
ઉત્તર : પંજાબમાં
(27) ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું?
ઉત્તર : તમિલનાડુના પોર્ટોનોવામાં
(28) કયા ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ કહી શકાય?
ઉત્તર : લોખંડ અને પોલાદના ઉદ્યોગને
(29) દમાસ્કસમાં શું બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?
ઉત્તર : તલવાર
(30) લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
ઉત્તર : પાંચમું
(31) ઍલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે?
ઉત્તર : બૉક્સાઇટ
(32) ભારતમાં સૌપ્રથમ તાંબાગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ (ICC) દ્વારા ક્યાં સ્થાપવામાં આવ્યો?
ઉત્તર : ઝારખંડમાં ઘાટશિલા ખાતે
(33) રસાયણોના બે પ્રકા૨ કયા કયા છે?
ઉત્તર : કાર્બનિક અને અકાર્બનિક
(34) દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થપાયું હતું ?
ઉત્તર : તમિલનાડુમાં રાનીપેટ ખાતે
(35) રેલવે એંજિનના પ્રકાર કયા કયા છે?
ઉત્તર : વરાળ, ડીઝલ અને વિદ્યુત
(36) વર્તમાન સમયમાં વરાળથી ચાલતાં એંજિનો કઈ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે?
ઉત્તર : હેરિટેજ રેલવેમાં
(37) ભારતમાં મોટા કદનાં વહાણોનું બાંધકામ કયાં શહેરોમાં થાય છે?
ઉત્તર : કોચી અને વિશાખાપટ્નમમાં
(38) ભારતમાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
ઉત્તર : બેંગલુરુમાં
(39) કયા અતિ નુકસાનકારક વાયુઓને કારણે હવા પ્રદૂષિત બની છે?
ઉત્તર : કાર્બન મોનૉક્સાઇડ અને સલ્ફર ડાયૉક્સાઇડ
(40) અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય શેનો અનુભવ કરે છે?
ઉત્તર : માનસિક તાણનો
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?
A. રિસરામાં
B. શ્રીરામપુરમાં
C. ટીટાગઢમાં
D. કૃષ્ણનગરમાં
ઉત્તર : A. રિસરામાં
2. ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.
A. ખાનગી સાહસ
B. જાહેર સાહસ
C. ભાગીદારી પેઢી
D. સંયુક્ત સાહસ
ઉત્તર : C. ભાગીદારી પેઢી
3. ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?
A. રિસરામાં
B. કુલ્ટીમાં
C. બર્નપુરમાં
D. જમશેદપુરમાં
ઉત્તર : B. કુલ્ટીમાં
4. ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે?
A. સિમેન્ટ ઉદ્યોગ
B. ખાંડ ઉદ્યોગ
C. સુતરાઉ કાપડ ઉદ્યોગ
D. લોખંડ-પોલાદ ઉદ્યોગ
ઉત્તર : C. સુતરાઉ કાપડ ઉદ્યોગ
5. નીચેનાં નગરોમાંથી ક્યા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે?
A. ઇંદોરને
B. મુંબઈને
C. અમદાવાદને
D. નાગપુરને
ઉત્તર : B. મુંબઈને
6. ગુજરાતના કયાં શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે?
A. સુરતને
B. રાજકોટને
C. અમદાવાદને
D. વડોદરાને
ઉત્તર : C. અમદાવાદને
7. ગુજરાતના કયા શહેરને ‘પૂર્વના માન્ચેસ્ટર’નું બિરુદ મળેલું છે?
A. અમદાવાદને
B. સુરતને
C. ભરૂચને
D. કલોલને
ઉત્તર : A. અમદાવાદને
8. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?
A. દ્વિતીય
B. પ્રથમ
C. તૃતીય
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર : A. દ્વિતીય
9. ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?
A. કુલ્ટીમાં
B. બર્નપુરમાં
C . જમશેદપુરમાં
D. પોર્ટોનોવામાં
ઉત્તર : D. પોર્ટોનોવામાં
10. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?
A. દુર્ગાપુર – પશ્ચિમ બંગાળ
B. ભદ્રાવતી – કર્ણાટક
C. સેલમ – આંધ્ર પ્રદેશ
D. ભિલાઈ – છત્તીસગઢ
ઉત્તર : C. સેલમ – આંધ્ર પ્રદેશ
11. નીચેનાંમાંથી કયું જોડકું સાચું નથી?
A. જમશેદપુર – ઝારખંડ
B. બર્નપુર – પશ્ચિમ બંગાળ
C. ભદ્રાવતી – કર્ણાટક
D. ભિલાઈ – મધ્ય પ્રદેશ
ઉત્તર : D. ભિલાઈ – મધ્ય પ્રદેશ
12. ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?
A. કલોલમાં
B. ભરૂચમાં
C. વડોદરામાં
D. રાનીપેટમાં
ઉત્તર : D. રાનીપેટમાં
13. સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી?
A. ચૂનાનો પથ્થર
B. ઍલ્યુમિનિયમવાળી માટી
C. ચિરોડી
D. ચકમક
ઉત્તર : D. ચકમક
14. કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?
A. રેશમના
B. કપાસના
C. ઊનના
D. પ્લાસ્ટિકના
ઉત્તર : B. કપાસના
15. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?
A. દિલ્લી
B. બેંગલૂરુ
C. મુંબઈ
D. હૈદરાબાદ
ઉત્તર : B. બેંગલૂરુ
16. દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી.
A. મૂંગા
B. નાયલૉન
C. ટસર
D. ઈરી
ઉત્તર : B. નાયલૉન
17. નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?
A. બગદાદ
B. અંકારા
C. રિયાધ
D. દમાસ્કસ
ઉત્તર : D. દમાસ્કસ
18. ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?
A. કંડલા
B. ઓખા
C. દ્વારકા
D. હજીરા
ઉત્તર : D. હજીરા
19. કયું જોડકું ખોટું છે?
A. પશ્ચિમ બંગાળ – કુલ્ટી
B. ઝારખંડ – જમશેદપુર
C. કર્ણાટક – ભદ્રાવતી
D. આંધ્ર પ્રદેશ – બર્નપુર
ઉત્તર : D. આંધ્ર પ્રદેશ – બર્નપુર
20. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?
A. નિકલ
B. જસત
C. સીસું
D. ઍલ્યુમિનિયમ
ઉત્તર : D. ઍલ્યુમિનિયમ
21. ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો કયાં છે?
A. વિશાખાપટ્નમ અને મુંબઈ
B. વિશાખાપટ્નમ અને ચેન્નઈ
C. કોચી અને કંડલા
D. પારાદ્વીપ અને તિરુવનંતપુરમ
ઉત્તર : A. વિશાખાપટ્નમ અને મુંબઈ
22. ભારતનું કયું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે?
A. દિલ્લી
B. બેંગલૂરુ
C. જયપુર
D. નાગપુર
ઉત્તર : B. બેંગલૂરુ
23. જળ-પ્રદૂષણનો સૌથી વધુ મહત્ત્વનો સ્રોત કયો છે?
A. ઔદ્યોગિક કચરો
B. જીવજંતુઓ
C. વનસ્પતિ
D. વાયુઓ
ઉત્તર : A. ઔદ્યોગિક કચરો
24. પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે?
A. કૃત્રિમ વાયુ
B. પ્રાકૃતિક વાયુ
C. પેટ્રોલ
D. કેરોસીન
ઉત્તર : B. પ્રાકૃતિક વાયુ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here