Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 14 પરિવહન, સંદેશાવ્યવહા૨ અને વ્યાપાર
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 14 પરિવહન, સંદેશાવ્યવહા૨ અને વ્યાપાર
પ્રકરણસાર
- પરિવહન એટલે માલસામાન અને મુસાફરોની એક સ્થળેથી બીજે સ્થળે હેરફેર. પ્રારંભમાં માનવી પોતે અને પછી ભારવાહક પશુઓ દ્વારા પરિવહન કરતો હતો. હવે મહદંશે વિવિધ વાહનો દ્વારા પરિવહન થાય છે.
- પરિવહન પદ્ધતિનો પ્રકાર પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ તથા તે પ્રદેશની માનવ-સંસ્કૃતિના વિકાસના તબક્કા પર આધાર રાખે છે. પરિવહન પદ્ધતિને પ્રદેશનાં સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીનનો પ્રકાર માનવવસ્તીનું પ્રમાણ વગેરે અસર કરે છે. આ ઉપરાંત તકનિકી વિકાસ, આર્થિક વિકાસ, બજાર ક્ષેત્રે મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો વગેરે સાંસ્કૃતિક પરિબળો અસર કરે છે.
- આજે પણ માનવી બોજવાહક તરીકે કામ કરે છે તેમજ બોજવહન માટે ઘોડા, ગધેડા, ખચ્ચર, ઊંટ, હાથી વગેરે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. યાંત્રિક વાહનોમાં કુદરતી વાયુ, કોલસો, ખનીજ તેલ, વિદ્યુત જેવી સંચાલનશક્તિનો ઉપયોગ થાય છે.
- પરિવહન દેશના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસનો માપદંડ છે. તેના અનેકવિધ ઉપયોગો છે.
- પરિવહન પદ્ધતિ સ્થળ કે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, માનવસમૂહો અને તેઓનો સાંસ્કૃતિક વિકાસ, સમયગાળા તથા સંચાલનશક્તિ પર આધાર રાખે છે. ભારતમાં (1) જમીન પરના સડક અને રેલમાર્ગે, (2) જળમાર્ગે, (3) હવાઈ માર્ગે તથા (4) પાઇપલાઇનો તેમજ (5) રોપ-વે દ્વારા પરિવહન થાય છે, આ માટે વિવિધ સાધનોનો ઉપયોગ થાય છે.
- સડકમાર્ગ : દેશમાં જ્યાં રેલમાર્ગો કે હવાઈ માર્ગો વિકસાવવાનું શક્ય હોતું નથી, ત્યાં મોટા ભાગે સડકમાર્ગે પરિવહન કરવામાં આવે છે. ભારતના સડકમાર્ગો વિશ્વમાં યૂ.એસ.એ. અને ચીન પછી ત્રીજા ક્રમે છે.
- ભારતમાં સડકમાર્ગોના મુખ્ય પ્રકારોમાં (1) રાષ્ટ્રીય ધોરી માર્ગો, (2) રાજ્ય ધોરી માર્ગો, (3) જિલ્લા માર્ગો, (4) ગ્રામીણ માર્ગો અને (5) સરહદી (સીમાવર્તી) માર્ગોનો સમાવેશ થાય છે.
- રાષ્ટ્રીય ધોરી માર્ગો : તે દેશનાં અગત્યનાં મહાનગરો, બંદરો, પાટનગરો, વહીવટી મથકો અને વ્યૂહાત્મક સ્થાનોને જોડે છે. તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે.
તે ભારતને પાડોશી દેશો સાથે જોડે છે શ્રીનગર – કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. આ માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે. ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે.
- રાજ્ય ધોરી માર્ગો ઃ તે રાજ્યના પાટનગરને જિલ્લાઓનાં મુખ્ય મથકો તથા મહત્ત્વનાં અન્ય શહેરો સાથે સાંકળે છે. તેનું નિર્માણ અને જાળવણી જે-તે રાજ્ય સરકાર કરે છે.
- જિલ્લા માર્ગો : તે જિલ્લાના મુખ્ય મથકને જિલ્લાનાં મુખ્ય ગામો સાથે જોડે છે. તેનું નિર્માણ અને જાળવણી જે-તે જિલ્લા પંચાયત કરે છે.
- ગ્રામીણ માર્ગો : તે ગામડાંઓને ગામ પાસેથી પસાર થતા મોટા માર્ગો સાથે જોડતા ‘અપ્રોચ રોડ’ છે. તેનું નિર્માણ અને તેની દેખભાળ ગ્રામપંચાયત કરે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ ગ્રામ્ય માર્ગોને પાકી સડકોમાં ફેરવવામાં આવી રહ્યા છે.
- સરહદી માર્ગો : વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વના આ માર્ગોનું નિર્માણ સંરક્ષણના હેતુથી કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ સરહદ માર્ગ સંસ્થાન (Border Road Organization) કરે છે.
- એક્સપ્રેસ ધોરી માર્ગ : દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે દેશના રાષ્ટ્રીય ધોરી માર્ગોને 4થી 6 લેનવાળા ધોરી માર્ગોમાં ફેરવી નાખવાની એક યોજના તૈયાર કરવામાં આવી છે.
- ટ્રાફિક સમસ્યા : મોટાં શહેરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઓવર બ્રિજ, બાયપાસ રોડ અને શહેરની ફરતે રિંગરોડ બનાવવામાં આવે છે. આમ છતાં, વધતી જતી વાહનોની સંખ્યાને કારણે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે.
- રેલમાર્ગો : લાંબા અંતરની મુસાફરી અને વજનદાર તેમજ મોટા કદના પદાર્થોની હેરફેર માટે રેલમાર્ગો પ્રમાણમાં સસ્તા, ઝડપી, સરળ અને અનુકૂળ છે. દેશના ઔદ્યોગિક વિકાસ, આંતરરાજ્ય વ્યાપાર, સંરક્ષણ અને આપત્તિકાળમાં રાહત પહોંચાડવાની બાબતમાં રેલવેનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં દ્વિતીય છે.
ભારતનો પહેલો રેલમાર્ગ ઈ. સ. 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થયો હતો.ગીચ વસ્તીવાળા મેદાની પ્રદેશોમાં રેલમાર્ગોનાં ગીચ જાળાં જોવા મળે છે, જ્યારે ઓછી વસ્તીવાળાં દુર્ગમ પર્વતીય ક્ષેત્રો, ગીચ જંગલો, રણપ્રદેશો અને વેરાન પ્રદેશોમાં રેલમાર્ગો બહુ ઓછા છે.રેલવેના બે પાટા વચ્ચેના અંતર પરથી રેલવેના ત્રણ પ્રકાર પડે છે : (1) બ્રોડગેજ, (2) મીટરગેજ અને (3) નેરોગેજ. હાલમાં મીટરગેજ રેલમાર્ગો બ્રોડગેજમાં ફેરવાઈ રહ્યા છે. એકમાર્ગી રેલમાર્ગોને દ્વિમાર્ગી બનાવવાના કાર્યક્રમો પણ ચાલે છે.
ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન ‘વિવેક એક્સપ્રેસ’ છે. તે દિબ્રુગઢથી કન્યાકુમારીની વચ્ચે દોડે છે.
પશ્ચિમઘાટની કોંમ્બ્રટ્ટીમાંથી જતી કોંક્યુ રેલવે ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૃનો છે.ગુજરાતમાં મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને સુરત જિલ્લાઓમાં રેલવેનો સારો વિકાસ થયો છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું જંક્શન છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક મીટરગેજ રેલમાર્ગો બ્રોડગેજમાં ફેરવાયા છે. - જળમાર્ગ : નદી, સરોવરો કે નહેરો દ્વારા દેશના અંદરના ભાગોને જોડતા જળમાર્ગને આંતરિક જળમાર્ગ કહે છે. જુદા જુદા દેશોને જોડતા સમુદ્ર કે મહાસાગરના માર્ગને આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળમાર્ગ કહે છે.
વજનમાં ભારે, વધારે જગ્યા રોકતા, કિંમતમાં સસ્તા અને જલ્દી બગી ન જાય તેવા માલને ાંબા અંતરે લઈ જવા જળમાર્ગો ઘણા અનુકૂળ અને સૌથી સસ્તા છે.આંતરિક જળપરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગોનો દરજ્જો આપ્યો છેઃ
- રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી – યિા – અલાહાબાદ (1620 કિમી)
- રાષ્ટ્રીય જળમાર્ગ 2 ભ્રહ્મપુત્ર નદી – ધુશ્રી – સાદિયા (891 કિમી)
- રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેર – કોલમ – ોટાપુરમ (250 કિમી)
- રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોઘવરી-બ્રા નદી – કાકીનાડા – પુÃરી (1078 કિમી)
- રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણી નદી – ગોએનખલી – તાલચેર (588 કિમી)
- દરિયાઈ જળમાર્ગ: ભારતના 7516 કિમી લાંબા દરિયાકાંઠે 13 મોટાં અને 200 નાનાં બંદરો છે. મુંબઈ દેશનું સૌથી મોટું બંદર અને પ્રવેશદ્વાર છે. પશ્ચિમ નિારે કંડલા, મુંબઈ, નાવા શેવા, માગોવા, ન્યુ મેંગલોર અને કોચી તથા પૂર્વ કિનારે ઘેલાતા, યિા, પાટીપ, વિશાખાપટનમ, એન્નોર, ચેન્નઈ અને તૃતીકોરીન મુખ્ય બંદરો છે.
ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારે કંડલા, મુંદ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, નવલખી, સલાયા, પીપાવાવ, પત્રિા, ખા, હજીરા વગેર અગત્યનાં બંદરો છે. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે.
- હવાઈ માર્ગો : હવાઇ પરિવહન સૌથી ઝડપી, પરંતુ સૌથી મોંઘું છે. દુર્ગમ સ્થળોએ ઝડપથી પહોંચવા માટે તે ઉપયોગી છે.
ભારતમાં ઇન્ડિયન એરલાઇન્સ’ અને કેટલીક ખાનગી કંપનીઓ દેશનાં શહેરો વચ્ચે તથા કેટલાક પડોશી દેશો વચ્ચે વિમાનસેવા આપે છે. એર ઇન્ડિયા’ વિદેશોનો વિમાનવ્યવહાર સંભાળે છે, પવનહંસ’ દુર્ગમ વિસ્તારોમાં તથા ONGCને અને રાજ્ય સરકારોને કલર સેવા આપે છે.ભારતમાં ‘ભારતીય વિમાન મથક સત્તામંડળ’ દ્વારા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ સહિત હવાઈ મથકોનું સંચાલન કરે છે. દિલ્લી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, તિરુવનંતપુરમ, પાજી, બેંગલૂરુ, હૈદરાબાદ, અમદાવાદ, પુષ્ણે, કોચી અને અમૃતસર મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
- પાઇપલાઇનો : ભારતમાં ખનીજ તેલ, કુદરતી વાયુ અને અન્ય પ્રવાહી પદાર્થોને પાઇપલાઇનો દ્વારા પરિવહન કરવામાં આવે છે. દેશમાં અસમ, ગુજરાત, બૉમ્બે હાઈ વગેરે ક્ષેત્રોમાં પાઇપ- લાઇનો કાર્યરત છે.
- રજ્જુ માર્ગ (રોપ-વે) : કેટલાક પર્વતીય વિસ્તારોમાં માલસામાન, શ્રમિકો, મુસાફરો, પર્યટકો કે યાત્રિકોની હેરફેર માટે રજ્જુ માર્ગ પર સરકતી ટ્રૉલીનો ઉપયોગ થાય છે. ભારતમાં 100થી વધુ રોપ-વે છે. ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજ્જુ માર્ગો આવેલા છે.
- સંદેશાવ્યવહાર : તાર-ટપાલ, બિનતારી સંદેશા, ટેલિફોન, ટેલિસ્પ્રિંટર, ફક્સ, કમ્પ્યૂટર, ઇ-મેઇલ, ઇન્ટરનેટ, રેડિયો, ટેલિવિઝન, સમાચારપત્રો, પત્રિકાઓ, સામયિકો, પુસ્તકો, વિવિધ પ્રકારની ફિલ્મો, કૅસેટો, સૅટેલાઇટ વગેરે સંદેશાવ્યવહારનાં સાધનો છે.
વ્યક્તિગત સંચારતંત્ર ઃ ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રનાં સૌથી અસરકારક સાધનો છે. ઇ-મેઇલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યાં છે.સામૂહિક સંચારતંત્રઃ તેનાં બે માધ્યમો છે : 1. મુદ્રિત માધ્યમ : જેમાં અખબારો, ટપાલ અને પત્રિકાઓનો અને 2. ઇલેક્ટ્રૉનિક માધ્યમ : જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. તેના આકાશવાણી અને દૂરદર્શન એમ બે વિભાગો છે. દેશમાં આકાશવાણીનાં 415 સ્ટેશનો છે. તે દેશની 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે. દૂરર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચારો, હવામાનની વિગતો તેમજ શિક્ષણ અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે.
- ઉપગ્રહો : ભારત સરકારે અવકાશમાં છોડેલા કૃત્રિમ ઉપગ્રહો પણ દેશનાં સંચાર સાધનોનું નિયમન કરે છે. તે દૂરસંચાર, સંશોધન તેમજ કુદરતી આપત્તિઓમાં મદદરૂપ બને છે.
- આંતરિક કે રાષ્ટ્રીય વ્યાપાર ઃ તે રાજ્યો વચ્ચે થતી પેદાશોની લે-વેચ છે. તેનાથી દેશના બધા પ્રદેશોને એકબીજાનાં ઉત્પાદનોનો લાભ મળે છે.
- આંતરરાષ્ટ્રીય વ્યાપાર : તે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચેનો વ્યાપાર છે. આ વ્યાપારનાં બે પાસાં છેઃ આયાત અને નિકાસ. દેશમાં આયાત થયેલા માલની કિંમત અને દેશમાંથી નિકાસ થયેલા માલની કિંમત સરખી હોય તો દેશની વ્યાપારની તુલા સંતુલિત છે એમ કહેવાય. જે દેશ ઉત્પાદિત વસ્તુઓની નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે ત્યારે તે દેશની વ્યાપારતુલા હકારાત્મક છે એમ કહી શકાય.
ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નિકાસ કરતાં આયાતની કિંમત વધારે રહે છે. તેથી વ્યાપારતુલા નારાત્મક રહે છે. આ કારણે વિદેશવ્યાપારમાં વિદેશી હૂંડિયામણની ખાધ રહે છે.
- ભારતનો આયાત વ્યાપાર : ભારત ખનીજ તેલ અને તેની પેદ્યશો, યંત્રસામગ્રી, સોનું, ચાંદી, હીરા અને કીમતી પથ્થરો, પોલાદ, ધાતુઓ, રસાયણો, ખાતરો, કાગળ, દવાઓ, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો વગેરેની આયાત કરે છે. ભારતનો સૌથી વધુ વ્યાપાર યૂ.એસ.એ. સાથે થાય છે. ઈરાન, સાઉદી અરેબિયા વગેરે પશ્ચિમ એશિયાના દેશો, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ વગેરે યુરોપના દેશો, રશિયા અને જાપાનમાંથી પણ મોટી આયાત થાય છે.
- ભારતનો નિકાસ વ્યાપાર : ભારત સુતરાઉ કાપડ અને વસ્ત્રો, વેરાત અને આભૂષણો, ઇજનેરી સામાન, શણ, શણનું કાપડ, વાહનો, પંખા, સિલાઈ મશીનો, રેલવેના ડબ્બા, ચા, કૉફી, તેજાના, તમાકુ, ખોળ, ચામડાં અને ચામડાંનો સામાન, કાચું લોખંડ, યંત્રો, રસાયણો, માલી અને તેની પેદશો, હસ્તકલાની વસ્તુઓ વગેરેની નિકાસ કરે છે. આ નિકાસ મુખ્યત્વે એશિયા અને યુરોપના દેશો તથા યુ.એસ.એ.માં થાય છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) પરિવહનના વિવિધ લાભો જણાવો.
ઉત્તર : પરિવહનના વિવિધ લાભો નીચે મુજબ છેઃ
→ પરિવહન દ્વારા દેશના કુદરતી સંસાધનોનો પૂરો ઉપયોગ કરીને દેશનો આર્થિક વિકાસ સાધી શકાય છે.
→ પરિવહન દ્વારા ઉદ્યોગોને કાચો માલ પહોંચાડી શકાય છે અને તેમાં તૈયાર થતા પાકા માલને બજારમાં પહોંચાડી શકાય છે, જેથી દેશના આર્થિક વિકાસને વેગ મળે છે.
→ પરિવહનથી લોકો દેશમાં સરળતાથી અને ઝડપથી આવન-જાવન કરી શકે છે.
→ પરિવહનથી દેશના પ્રદેશોને એક્બીજા સાથે સાંકળી શકાય છે.
→ પરિવહનથી લોકો એક્બીજાની સમીપ આવે છે, તેથી તેનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે છે.
→ પરિવહનથી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓને વેગ મળે છે.
→ પરિવહનથી ગ્રામ્ય ઉત્પાદનોનો લાભ શહેરી લોકોને અને શહેરી ઉત્પાદનોનો લાભ ગ્રામવાસીઓને મળે છે.
→ પરિવહનથી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થયો છે.
→ દેશમાં અવારનવાર સર્જાતી દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ જેવી આપત્તિઓને પહોંચી વળવા પરિવહન મદદરૂપ થાય છે.
→ પરિવહનની સગવડોથી પ્રવાસની પ્રવૃત્તિઓ અને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય છે.
(2) પરિવહનનો સવિસ્તૃત પરિચય આપો.
ઉત્તર : પરિવહન એટલે માનવી કે માલસામાન અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર.
→ પરિવહન પદ્ધતિના પ્રકાર પર તનિકી વિકાસ, આર્થિક વિકાસ, બજારક્ષેત્રે મૂડીરોકાણ, રાજકીય નિર્ણયો વગેરે સાંસ્કૃતિક પરિબળો અસર કરે છે. આ ઉપરાંત, પરિવહન પદ્ધતિ પર પ્રદેશનાં સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, માનવવસ્તીની સંખ્યાનું પ્રમાણ વગેરે પરિબળો પણ અસર કરે છે.
→ પ્રારંભિક જીવનમાં માનવી પોતાની ચીજવસ્તુઓ પોતે જ વહન કરતો હતો. સમય જતાં તેણે ભારવાહક તરીકે પશુઓનો ઉપયોગ કરવા લાગ્યો. વર્તમાન સમયમાં તે પશુઓની સાથે સાથે યાંત્રિક વાહનોનો ઉપયોગ કરે છે.
→ મેદાની વિસ્તારોમાં સડકમાર્ગે અને રેલમાર્ગથી પરિવહન થાય છે.
→ હિમાલય જેવા દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં માનવી અને યાક જેવા પશુનો ઉપયોગ થાય છે. એવરેસ્ટ આરોહણ સમયે સારા પર્વતારોહકો ગણાતા ભોટિયા લોકો બોજવાક તરીકે કામ કરે છે.

→ પહાડી પ્રદેશોનાં જંગલોમાં ભાર ઊંચકવા માટે હાથી, ખચ્ચર અને ઘોડાનો ઉપયોગ થાય છે.

→ રણપ્રદેશમાં બોજવાહક તરીકે મુખ્યત્વે ઊંટનો ઉપયોગ થાય છે.
→ મેદાની પ્રદેશમાં કઠિયારાના લાકડાંનો ભારો તથા રેલવે સ્ટેશનો ૫૨ કુલીઓ સામાન માથે ઊંચકીને લઈ જાય છે.
→ નદી ઊંડી અને બારે માસ વહેતી હોય, તો પરિવહન માટે હોડીનો અને સમુદ્રકિનારે વહાણનો ઉપયોગ થાય છે.
(3) ભારતીય સડકમાર્ગોનું વર્ગીકરણ કરી દરેક સડકમાર્ગનો ટૂંકમાં પરિચય આપો.
અથવા
ભારતમાં કયા કયા પ્રકારના સડકમાર્ગો છે? દરેકનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : નિર્માણ અને દેખરેખના સંદર્ભમાં ભારતમાં પાંચ પ્રકારના સડકમાર્ગો છે : (1) રાષ્ટ્રીય ધોરી માર્ગો, (2) રાજ્ય ધોરી માર્ગો, (3) જિલ્લા માર્ગો, (4) ગ્રામીણ માર્ગો અને (5) સરહદી માર્ગો. હાલમાં કેટલાક રાષ્ટ્રીય ધોરી માર્ગોને એક્સપ્રેસ હાઈવે’માં ફેરવવામાં આવી રહ્યા છે.

1. રાષ્ટ્રીય ધોરી માર્ગો (National Highways) : તે આર્થિક અને સંરક્ષણની દૃષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે.
→ તે દેશનાં અગત્યનાં મહાબંદરો, બંદરો, રાજ્યોનાં પાટનગરો, મોટાં ઔદ્યોગિક અને વ્યાપારી મથકો અને વ્યૂહાત્મક સ્થાનોને જોડે છે.
→ તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે.
→ તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે.
→ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડનારી યોજના છે.
→ રાષ્ટ્રીય ધોરી માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે, જેમ કે 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે.
→ શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.
→ જનસંખ્યાની દૃષ્ટિએ દેશમાં ચંડીગઢ, પુડુચેરી, દિલ્લી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધુ છે; જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ ઓછી છે.
→ ભારત સરકારે ઈ. સ. 2011માં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરોમાં ફેરફાર કર્યા છે.
2. રાજ્ય ધોરી માર્ગો (State Highways) : તે રાજ્યના પાટનગરને જિલ્લાનાં મુખ્ય મથકો તથા મહત્ત્વનાં અન્ય શહેરો સાથે સાંકળે છે.
→ આ માર્ગોનું નિર્માણ અને તેમની જાળવણી જે-તે રાજ્ય સરકાર કરે છે.
→ તે રાજ્યના વ્યાપાર અને ઉદ્યોગની દૃષ્ટિએ મહત્ત્વના માર્ગો છે.
3. જિલ્લા માર્ગો (District Roads) ઃ તે જિલ્લાના મુખ્ય મથકને તાલુકા મથકો, ગામડાં, શહેરો અને અન્ય મહત્ત્વનાં સ્થળો સાથે જોડે છે.
→ આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જે-તે જિલ્લા પંચાયત કરે છે.
→ ગુજરાતમાં બધા જિલ્લા માર્ગો પાકી સડકો છે.
4. ગ્રામીણ માર્ગો (Village Roads) : ભારતમાં મોટા ભાગના ગ્રામીણ માર્ગો કાચી સડકોવાળા હોવાથી ચોમાસામાં બિનઉપયોગી થઈ જાય છે. તેથી તેમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકી સડકોમાં ફેરવવાનું કામ મોટા પાયા પર શરૂ કરવામાં આવ્યું છે.
→ આ માર્ગોનું નિર્માણ અને તેની જાળવણી જે-તે ગ્રામપંચાયત કરે છે.
5. સરહદી માર્ગો (Border Roads) : ભારતના સરહદી વિસ્તારોનું સંરક્ષણ કરવાના ઉદ્દેશથી આ ક્ષેત્રોમાં ‘સરહદ માર્ગ સંસ્થાન’ (Border Road Organization) દ્વારા સરહદી માર્ગો બાંધવામાં આવ્યા છે.
→ દુર્ગમ ક્ષેત્રોનું નિર્માણ, તેની જાળવણી, માર્ગોમાંથી બરફ દૂર કરવો જેવાં કાર્યો પણ તે કરે છે.
[વિશેષ ઃ દેશનો સૌથી વધુ ઊંચાઈ પર તૈયાર કરેલો એક સરહદી માર્ગ હિમાચલ પ્રદેશના મનાલીને જમ્મુ-કશ્મીરના લેહ સાથે જોડે છે.]
(4) ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો.
ઉત્તર : ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છેઃ
→ જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાઇસન્સ ધરાવતા નથી, તો તમારે વાહન ચલાવવું ન જોઈએ.
→ અનિવાર્ય હોય તો જ મોટા વાહનને ‘ઓવરટેક’ કરવું. તે માટે પોતાના વાહનની સિગ્નલ લાઇટથી પૂરો સંકેત આપવો અને આગળ જતા વાહનની જમણી બાજુએથી જ તેને ‘ઓવરટેક’ કરવું.
→ સાઇક્લ, સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનો ડાબી બાજુએ જ ચલાવવાં જોઈએ. તેનાથી મોટાં અને ઝડપી વાહનો સરળતાથી જમણી બાજુએ જઈ શકશે.
→ વાહનચાલકે ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો. અનિવાર્ય હોય તો સાઇડ બતાવી વાહનને રસ્તાની ડાબી બાજુએ ઊભું રાખીને પછી જ ફોન પર વાત કરવી.
→ 108, ઍમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડનાં વાહનોને પહેલાં પસાર થવા દેવાં જોઈએ.
→ નજીકનાં સ્થળોએ ચાલીને જાઓ અથવા સાઇકલનો ઉપયોગ કરવો.
→ બિનજરૂરી ‘હૉર્ન’મારવાનું ટાળવું.
→ વાહનચાલકે ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવું કે જેથી અકસ્માત ન થાય.
→ ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું.
→ રાત્રે વાહન ચલાવતી વખતે આવશ્યકતા હોય ત્યારે જ ડીપરનો ઉપયોગ કરવો.
→ વાહન ચલાવતી વખતે બે વાહનો વચ્ચે સલામત અંતર રાખવું.
→ નિયત સમયમર્યાદામાં વાહનની જાળવણી અને મરામત કરાવવી.
→ પોતાના વાહનમાં અગ્નિશામક અને પ્રાથમિક સારવારપેટી રાખવી. વાહન ચલાવતાં પહેલાં વાહનમાં પૂરતા ઈંધણની, ટાયરમાં હવાના જરૂરી દબાણની તેમજ વાહનમાં કોઈ યાંત્રિક ખામી છે કે નહિ તેની ચકાસણી કરી લેવી. વાહનમાં સ્પેર વ્હીલની વ્યવસ્થા પણ રાખવી.
→ ગાડીમાં બેઠેલ દરેક વ્યક્તિએ સીટબેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો. વાહન પાછળ રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લગાવવાં જરૂરી છે. રેલવે ફાટક પર ઊભા
→ ચાર રસ્તાની નજીક સિગ્નલ પાસે અને રહેતાં વાહનોને બંધ કરવાં, જેથી ઈંધણનો બચાવ થાય.
→ વાહનચાલકોએ પૂરતી ઊંઘ લેવી જોઈએ.
→ એકમાર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહિ.
→ વાહનચાલકે વાહનની બંને બાજુના તેમજ વાહનની વચ્ચેના અરીસાનો ઉપયોગ કરવો.
→ વાહનનું પાર્કિંગ નક્કી કરેલ સ્થળે, અડચણરૂપ ન બને એ રીતે કરવું.
→ વાહનની બ્રેકલાઇટ ચાલુ હોવી જ જોઈએ. જમણી કે ડાબી બાજુએ રસ્તો પસાર કરતી વખતે જે-તે ઇન્ડિકેટર લાઇટનો અવશ્ય ઉપયોગ કરવો.
→ સ્ટેટ હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પર લાઇન હોય તો સ્પીડવાળી ગાડીઓ નિયત કરેલ લેનમાં ચલાવવી જોઈએ. ભારવાહક વાહનો ડાબી બાજુએ ચલાવવાં.
→ માલવાહક વાહનોમાં ઉતારુઓને બેસાડવાં નહિ.
→ વાહન ચલાવતી વખતે ગતિમર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ.
→ અકસ્માત થાય ત્યારે પોતાનું વાહન નિયત લેનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો. રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક 108 નંબરને જાણ કરવી અને ઘાયલ થયેલ મુસાફરોને તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થામાં મદદરૂપ થવું.
→ દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું.
→ રસ્તા પર વળાંક દેખાય ત્યારે વાહનની ગતિ ઓછી કરવી.
→ શાળા, હૉસ્પિટલ વગે૨ે ‘નો હૉર્ન’ વિસ્તારમાંથી પસાર થતી વખતે હૉર્ન વગાડવું નહિ તેમજ ગતિમર્યાદા જાળવવી. બમ્પ આવે ત્યારે પણ વાહનની ગતિ ઓછી કરવી.
→ વાહનચાલકે ટ્રાફિક અંગેના બધા નિયમોની જાણકારી મેળવી લેવી.
(5) ભારતીય રેલવેનો સવિસ્તૃત પરિચય આપો.
ઉત્તર : ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસાધન છે.
→ તે દેશનાં ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરે અર્થવ્યવસ્થાનાં ક્ષેત્રોના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે.
→ દેશની રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ-વ્યવસ્થા, સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા જાળવવા તેનો ફાળો ઘણો મહત્ત્વનો છે.
→ ભારતના કેટલાક દુર્ગમ વિસ્તારોને બાદ કરતાં લગભગ બધાં મહત્ત્વનાં સ્થળોને રેલમાર્ગોથી સાંકળી લેવામાં આવ્યાં છે.
→ રેલમાર્ગોની દૃષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં દ્વિતીય છે.
→ ભારતમાં રેલમાર્ગની શરૂઆત ઈ. સ. 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી.
→ ભારતમાં બ્રોડગેજ, મીટરગેજ અને નેરોગેજ એમ ત્રણ પ્રકારના રેલમાર્ગો છે. વર્તમાન સમયમાં મીટરગેજ અને નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવામાં આવી છે. ભારતીય રેલવેની તે એક મોટી સિદ્ધિ છે.
→ દેશનાં મેદાની પ્રદેશો, ગીચ વસ્તી, સઘન ખેતી, સમૃદ્ધ ખનીજ ક્ષેત્રો ધરાવતા વિસ્તારોમાં રેલવેની સંખ્યાનું પ્રમાણ સૌથી વધુ છે. ગંગાના મેદાની પ્રદેશમાં વિપુલ ખેતપેદાશો અને ગીચ વસ્તીને કારણે રેલમાર્ગોનું પ્રમાણ વધારે છે.
→ કોલકાતા, દિલ્લી અને જયપુર જેવાં મોટાં શહેરોમાં મેટ્રોરેલ કાર્યરત છે. ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર મેટ્રોરેલની કામગીરી શરૂ થઈ ગઈ છે. મુંબઈને તેનાં ઉપનગરો સાથે જોડવા માટે ઉપનગરીય રેલવે ઉપયોગી સાબિત થઈ છે.
→ ભારતીય રેલવે મુસાફરો અને માલસામાનની હેરફેરમાં તથા દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેરમાં તેમજ યુદ્ધ કે કુદરતી આપત્તિઓના સમયે સૈનિકોની હેરફેરમાં ઉપયોગી બને છે.
→ દુર્ગમ પર્વતીય પ્રદેશમાંથી પસાર થતી કોંકણ રેલને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું એક ઉદાહરણ છે.
→ ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેન ‘વિવેક એક્સપ્રેસ’ છે. તે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી જાય છે.
→ ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, વીરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ વગેરે મહત્ત્વનાં જંક્શનો છે. તેમાં અમદાવાદ સૌથી મોટું રેલવે સ્ટેશન છે.

(6) ભારતમાં સંચારતંત્રનો વિકાસ જણાવો.
ઉત્તર : ભારતમાં સંચારતંત્રની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
→ વિજ્ઞાન અને ટેક્નોલૉજી એ સંચારક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
→ ટપાલ, ટેલિફોન, ઇ-મેઇલ, સેલફોન, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, સૅટેલાઇટ વગેરે સાધનોએ સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યું છે.
→ સંચારતંત્રના મુખ્ય બે વિભાગો છે : (1) વ્યક્તિગત સંચારતંત્ર અને (2) સામૂહિક સંચારતંત્ર.
→ વ્યક્તિગત સંચારતંત્ર ઃ ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રનાં સૌથી અસરકારક અને આધુનિક સાધનો છે.
→ ઇ-મેઇલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ વગે૨ે ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યાં છે.
→ આ ઉપરાંત, સોશ્યલ મીડિયા વિવિધ ઍપ્લિકેશન મારફતે સંચારક્ષેત્રે ક્રાંતિ આવી છે. ગ્રામ વિસ્તારોના લોકો પણ તેના મારફતે દેશ- વિદેશના લોકો સાથે સંપર્કમાં રહે છે.
→ સામૂહિક સંચારતંત્રઃ સમૂહ સંચારનાં બે માધ્યમો છે : (1) મુદ્રિત માધ્યમ અને (2) ઇલેક્ટ્રૉનિક માધ્યમ.
→ અખબારો, ટપાલ, પત્રિકાઓ વગેરે મુદ્રિત માધ્યમો છે, જ્યારે આકાશવાણી અને દૂરદર્શન ઇલેક્ટ્રૉનિક માધ્યમો છે.
→ પ્રસારભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી અને દૂરદર્શન તેના બે મુખ્ય વિભાગો છે. આ નિગમ આકાશવાણીનાં 415 સ્ટેશનો દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે, જે કુદરતી આફતોના સમયે મહત્ત્વનું સંપર્ક સાધન બને છે.
→ દૂરદર્શન ઉપગ્રહો દ્વારા દૂરદર્શન સમાચાર, હવામાનની વિગતો તેમજ શિક્ષણ અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે. આજે દેશની અનેક ખાનગી ચૅનલો પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરે છે.
→ ઉપગ્રહ સંચાર : ભારતે અવકાશ સંશોધન માટે કેટલાક ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે. એ ઉપગ્રહો પોતાની કામગીરીની સાથે સાથે સંચાર સાધનોનું પણ નિયમન કરે છે.
→ ભારતે છોડેલા Indian National Satellite System બહુહેતુક પ્રણાલિ છે. તે હવામાન અને ચક્રવાત તથા વાવાઝોડાં જેવી આફતો સમયે મહત્ત્વનું સંપર્ક સાધન બની રહે છે.
→ ભારતીય દૂરસ્થ સંવેદન (Indian Remote Sensing Satellite) પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન-પોલાર સૅટેલાઇટ લૉન્ચ વ્હિકલ(Polar Satellite Launch Vehicle)નો વિકાસ કર્યો છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
ટૂંક નોંધ લખો :
(1) રાષ્ટ્રીય ધોરી માર્ગો
ઉત્તર : જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (3)નો મુદ્દો 1. રાષ્ટ્રીય ધોરી માર્ગોનો ઉત્તર.
(2) એક્સપ્રેસ ધોરી માર્ગો
ઉત્તર : એક્સપ્રેસ ધોરી માર્ગો દ્રુતગતિ માર્ગો પણ કહેવાય છે.
→ દેશની ચારે દિશાઓના વિસ્તારોને સાંકળી લેતા એક્સપ્રેસ ધોરી માર્ગોને 4થી 6 લેનવાળા બનાવવામાં આવ્યા છે.
→ આ માર્ગો પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે.
→ આ માર્ગોમાં રેલવે ક્રૉસિંગ કે ક્રૉસ રોડ આવે ત્યાં ઓવરબ્રિજ (પુલ) બનાવેલા છે.
→ આ માર્ગોનો ઉપયોગ કરનાર વાહનચાલકે ટોલટૅક્ષ ભરવો પડે છે. દા. ત., અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે.

(3) ભારતના આંતરિક જળમાર્ગો
ઉત્તર : ભારતના આંતરિક જળમાર્ગોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :
→ આ પરિવહન સેવા ઉત્તર-પૂર્વ ભારતનાં અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવાં રાજ્યોમાં વધારે છે. દક્ષિણ ભારતમાં પણ આંતરિક જળમાર્ગનો વિકાસ થયો છે.
→ જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ સૌથી વધુ ઉપયોગી છે.
→ ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાની શાખા હુગલીમાં થાય છે.
→ ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો : ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ અને તમિલનાડુ રાજ્યોમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે. આ જળમાર્ગોમાં નાની-મોટી સ્ટીમરો ચાલે છે.
→ આંતરિક જળમાર્ગોની જાળવણી માટે સ૨કા૨ે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપ્યો છે :
( 1 ) રાષ્ટ્રીય જળમાર્ગ 1 : ગંગા નદીમાં 1620 કિલોમીટરની લંબાઈનો હલ્દિયા – અલાહાબાદ જળમાર્ગ.
( 2 ) રાષ્ટ્રીય જળમાર્ગ 2 : બ્રહ્મપુત્ર નદીમાં 891 કિલોમીટરની લંબાઈનો ધૂબ્રી – સાદિયા જળમાર્ગ.
( 3 ) રાષ્ટ્રીય જળમાર્ગ 3 : પશ્ચિમ કિનારાની 250 કિલોમીટરની લંબાઈનો કોલમ – કોટ્ટાપુરમ જળમાર્ગ.
( 4 ) રાષ્ટ્રીય જળમાર્ગ 4 : ગોદાવરી-કૃષ્ણા નદીમાં 1078 કિલોમીટરની લંબાઈનો કાકીનાડા – પુડુચેરી જળમાર્ગ.
( 5 ) રાષ્ટ્રીય જળમાર્ગ 5 : બ્રહ્માણી નદીમાં 588 કિલોમીટરની લંબાઈનો ગોએનખલી – તાલચેર જળમાર્ગ.

(4) ભારતનો દરિયાઈ જળમાર્ગ
ઉત્તર : ભારતના દરિયાઈ જળમાર્ગની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે:
→ ભારતનો દરિયાકિનારો લગભગ 7516 કિમી લાંબો છે. તેના પર 13 મોટાં અને 200 જેટલાં નાનાં બંદરો છે.
→ શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા’ની સ્થાપના બાદ ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો સારો વિકાસ થયો છે.
→ ભારતના પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, ન્હાવાશેવા ખાતે જવાહરલાલ નેહરુ બંદર, માર્માગોવા (મુડગાંવ), ન્યૂ મઁગલોર અને કોચી (કોચીન) તથા પૂર્વ કિનારે કોલકાતા, હન્દિયા, પારાદ્વીપ, વિશાખાપટ્નમ, એન્નોર, ચેન્નઈ અને તુતીકોરીન મુખ્ય બંદરો છે. મુંબઈ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે.
→ ગુજરાતનો દરિયાકિનારો લગભગ 1600 કિમી લાંબો છે. ગુજરાતના દરિયાકિનારે નાનાં-મોટાં 43 બંદરો છે; જેમાં કંડલા, મુંદ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, ઓખા, પોશિત્રા, હજીરા વગેરે અગત્યનાં બંદરો છે.
→ ભાવનગર ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું એકમાત્ર બંદર છે.
→ પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું બંદર છે.
→ કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે.
(5) ભારતના હવાઈ માર્ગો
ઉત્તર : ભારતના હવાઈ માર્ગોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :
→ બધા પ્રકારનાં પરિવહનોમાં હવાઈ પરિવહન સૌથી વધુ ઝડપી, પરંતુ મોંઘું છે.
→ દૂરનાં અને દુર્ગમ સ્થળો, ગીચ જંગલો અને પર્વતીય વિસ્તારોમાં જલદી પહોંચવા માટે તે ઘણું ઉપયોગી છે. કુદરતી આપત્તિઓ અને યુદ્ધના સમયે તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
→ ભારતમાં વિમાનને ઊડવા માટે લગભગ બારે માસ અનુકૂળ હવામાન રહે છે. હાલમાં દેશમાં હવાઈ વ્યવહાર વધતો જાય છે.
→ ભારતમાં હવાઈ સેવાની સૌપ્રથમ શરૂઆત ટપાલ સેવા માટે અલાહાબાદથી નૈની સુધી થઈ હતી.
→ ભારતમાં ‘ઇન્ડિયન ઍરલાઇન્સ’ અને કેટલીક ખાનગી કંપનીઓ દેશનાં શહેરો વચ્ચે તથા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકા, મ્યાનમાર વગેરે પડોશી દેશો સાથે હવાઈ માર્ગોનું સંચાલન કરે છે. તે મુસાફરો, કીમતી અને નાના કદની વસ્તુઓ તથા ટપાલની હેરફેર કરે છે. ભારતમાં કેટલીક ખાનગી કંપનીઓ પણ હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે.
→ ‘ઍર ઇન્ડિયા’ ભારતનો આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર સંભાળે છે. હવે ખાનગી કંપનીઓને પણ મર્યાદિત પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો કરવાની છૂટ અપાઈ છે. ‘ઍર ઇન્ડિયા’નાં વિમાનો પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશો, આફ્રિકા અને યુરોપના દેશો, યૂ.એસ.એ. વગેરે દેશોમાં જાય છે.
→ પવનહંસ હેલિકૉપ્ટર્સ લિમિટેડ’ ONGCને તેનાં ‘બૉમ્બે હાઈ’ જેવાં તેલક્ષેત્રો માટે અને રાજ્ય સરકારોને હવાઈ સેવા આપે છે.
→ ‘ભારતીય વિમાન સત્તા મંડળ’ (ઍરપૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) ભારતનાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય હવાઈ મથકો તેમજ નાગરિક વિમાન ટર્મિનલ સહિત હવાઈ મથકોનું સંચાલન કરે છે.
→ ભારતમાં કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્લી, બેંગલૂરુ, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ, પણજી (ગોવા), કોચી, પુણે, અમૃતસર વગેરે 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
(6) ભારતમાં પાઇપલાઇનો
ઉત્તર : ભારતમાં આવેલી પાઇપલાઇનોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :
→ પાઇપલાઇનોનો ઉપયોગ પાણી, ખનીજ તેલ, કુદરતી વાયુ અને કેટલાક અન્ય પ્રવાહી પદાર્થોના પરિવહન માટે થાય છે.
→ ભારતમાં આ પ્રકારની પાઇપલાઇનો શહેરો, ખનીજ તેલની રિફાઇનરીઓ, ખાતરનાં કારખાનાં, તાપવિદ્યુતમથકો વગેરેની નજીક નાખવામાં આવી છે.
→ ભારતમાં ખનીજ તેલ અને કુદરતી ગૅસની મુખ્ય પાઇપલાઇનો નીચે પ્રમાણે છેઃ
( 1 ) અસમના નાહ૨-કોટિયાથી નૂનમતી-બરોની સુધી ખનીજ તેલની પાઇપલાઇન પથરાયેલી છે.
( 2 ) ગુજરાતમાં કલોલથી કોયલી સુધી અને સલાયાથી મથુરા સુધી મુખ્ય પાઇપલાઇનો આવેલી છે.
( 3 ) ગુજરાતના હજીરા બંદરથી ઉત્તર પ્રદેશના જગદીશપુર સુધી પહોંચતી આ ગૅસ પાઇપલાઇન છે.
( 4 ) ગુજરાતમાં ખંભાત-ધુવારણ-કોયલી-અમદાવાદ ગૅસ પાઇપલાઇન આવેલી છે.
( 5 ) બૉમ્બે હાઈનાં સમુદ્રસ્થિત તેલ અને ગૅસક્ષેત્રો મુંબઈ સાથે પાઇપલાઇનો દ્વારા જોડાયેલાં છે.
( 6 ) ગુજરાતમાં સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીમડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર વગેરે શહેરોમાં પાઇપલાઇનો દ્વારા રાંધણ ગૅસ પૂરો પાડવામાં આવે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે?
ઉત્તર : જુઓ પ્રશ્ન 2ની ટૂંક નોંધ (3)નો ઉત્તર.
(2) ભારતમાં રજ્જુ માર્ગો (Ropeways) વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતમાં રજ્જુ માર્ગો(Ropeways)ની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :
→ કેટલાક પર્વતીય વિસ્તારોમાં માલસામાન, શ્રમિકો, મુસાફરો, પર્યટકો કે યાત્રિકોની હેરફેર માટે ઊંચાં સ્થળો કે શિખરોને જોડતા રોપ-વે પર સરકતી ટ્રૉલીઓનો ઉપયોગ થાય છે.
→ ભારતમાં 100થી વધુ રજ્જુ માર્ગો છે.
→ ભારતમાં દાર્જિલિંગ, કુલ્લુ-મનાલી, ચેરાપુંજી, ચેન્નઈ, આનૈમલાઈ વગેરે પર્વતીય ક્ષેત્રોમાં તેમજ હરદ્વારમાં રજ્જુ માર્ગો આવેલા છે.
→ ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા વગેરે સ્થળોએ યાત્રિકો અને પર્યટકોની સુવિધા માટે રોપ-વે બનાવવામાં આવ્યા છે. જૂનાગઢમાં ગિરનારમાં રજ્જુ માર્ગ બનાવવાની કામગીરી શરૂ થઈ છે.
વિશેષ : મોટા અને ભારે ઉદ્યોગોમાં કાચા માલ અને તૈયાર માલની હેરફેર માટે રોપ-વે અથવા કન્વેયર બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત., ચંડીગઢ પાસે આવેલી એક સિમેન્ટ ફૅક્ટરીમાં ચૂના-પથ્થરોનો પુરવઠો પહોંચાડવા 7 કિમી લાંબો રજ્જુ માર્ગ છે. દ્વારકા અને સિક્કાની સિમેન્ટ ફેક્ટરીઓમાં પણ આવા રજ્જુ માર્ગ છે.
(3) આંતરિક વ્યાપાર કોને કહેવાય છે?
ઉત્તર : એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે તેને ‘આંતરિક વ્યાપાર’ કહેવાય છે.
→ દા. ત., પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી તે બીજાં રાજ્યોમાં નિકાસ કરે છે – મોકલે છે; જ્યારે પંજાબમાં મીઠું પાકતું નથી, તેથી તે ગુજરાત જેવા મીઠું પકવતા રાજ્યમાંથી આયાત કરે છે – મંગાવે છે.
→ આમ, દેશનાં રાજ્યો વચ્ચે થતી પેદાશોની લે-વેચને કારણે આંતરિક વ્યાપાર વિકસે છે.
(4) હકારાત્મક અને નકારાત્મક વ્યાપારતુલાનો અર્થ સમજાવો. તેની અસરો જણાવો.
ઉત્તર : દેશના આંત૨રાષ્ટ્રીય વ્યાપારમાં આયાત કરતાં નિકાસની કિંમતો વધુ હોય, તો દેશની વ્યાપારતુલા હકારાત્મક ગણાય છે.
→ પરંતુ નિકાસ કરતાં આયાતની કિંમતો વધારે થાય, તો દેશની વ્યાપારતુલા નકારાત્મક ગણાય છે.
→ જે દેશ આયાત કરતાં નિકાસ વધારે કરે તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે અને જે દેશ નિકાસ કરતાં આયાત વધારે કરે, તો તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે.
પ્રશ્ન 4. નીચેનાં વિધાનોનાં ભૌગોલિક કારણો આપો :
(1) જમીનમાર્ગો કરતાં જળમાર્ગો સસ્તા છે.
ઉત્તર : નીચેનાં કારણોસર જમીનમાર્ગો કરતાં જળમાર્ગો સસ્તા છે :
→ જળમાર્ગોમાં જમીનમાર્ગોની જેમ ખાસ માર્ગ બાંધવાની, નિભાવવાની કે સમારકામની અને પુલો કે બોગદાં બાંધવાની જરૂર રહેતી નથી. માત્ર બંદરો પર ધક્કા (Dock) બાંધવા પડે છે.
→ જહાજનું વહનખર્ચ ઓછું આવે છે.
→ દરિયાઈ માર્ગો બધા માટે ખુલ્લા છે.
→ મોટા ભાગે વજનમાં ભારે, કિંમતમાં સસ્તા અને જલદી બગડી ન જાય તેવા માલને લાંબા અંતરે લઈ જવા માટે જળમાર્ગો ઘણા અનુકૂળ છે.
(2) ભારતમાં સડકમાર્ગોનું ગીચ જાળું બન્યું છે.
અથવા
ભારતમાં સડકમાર્ગોનું ગીચ જાળું શાથી બન્યું છે?
ઉત્તર : વિવિધ આવશ્યકતાઓ પૂરી કરવા માટે દેશના બધા ભાગોમાં પરિવહનના માર્ગો હોવા જરૂરી છે.
→ વિશાળ ભારતમાં હજારો શહેરો અને લાખો ગામડાં છે. આ બધાંને રેલવે કે હવાઈ માર્ગોથી સાંકળવા અશક્ય છે, એટલે તેમને સડકમાર્ગો દ્વારા સાંકળી લેવામાં આવ્યાં છે.
→ આ કારણે ભારતમાં સડકમાર્ગોનું ગીચ જાળું બન્યું છે.
(3) દુર્ગમ પહાડી વિસ્તારોમાં હવાઈ માર્ગોનો વિકાસ જરૂરી બને છે.
અથવા
દુર્ગમ પહાડી વિસ્તારોમાં હવાઈ માર્ગોનો વિકાસ શા માટે જરૂરી બને છે?
ઉત્તર : દુર્ગમ પહાડી વિસ્તારોમાં પાંખી વસ્તીના કારણે રેલવે કે સડકો બાંધવી આર્થિક રીતે પરવડતી નથી. તેથી ત્યાં જમીનમાર્ગે પહોંચી શકાતું નથી.
→ પરંતુ દેશનાં ઐક્ય અને સંરક્ષણ માટે આ વિસ્તારોનો સંપર્ક જાળવી રાખવો ઘણો જરૂરી હોય છે. એટલે દુર્ગમ પહાડી વિસ્તારોમાં હવાઈ માર્ગોનો વિકાસ જરૂરી બને છે.
પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) પરિવહન એટલે શું?
ઉત્તર : પરિવહન એટલે માનવી કે માલસામાન અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર.
(2) પરિવહનની આવશ્યકતા જણાવો.
ઉત્તર : પરિવહન ઉદ્યોગોના કાચા અને પાકા માલની હેરફેર માટે, મુસાફરોની હેરફેર માટે, દૂરનાં સ્થળોને એકબીજાથી સાંકળવા માટે, રાષ્ટ્રીય એકતા માટે, ઔદ્યોગિકીકરણ માટે, શહેરીકરણ માટે, દેશના પ્રશાસન અને સંરક્ષણ માટે આવશ્યક છે.
(3) ભારતમાં બોજવહન માટે ક્યાં પશુઓનો ઉપયોગ થાય છે?
ઉત્તર : ભારતમાં બોજવહન માટે મુખ્યત્વે બળદ, ઘોડા, ગધેડાં, ખચ્ચર, ઊંટ અને હાથીનો ઉપયોગ થાય છે. પૂર્વ ભારતમાં ભેંસાગાડી ચલાવવા માટે પાડા અને હિમાલયનાં ઊંચાં ક્ષેત્રોમાં યાકનો પણ ઉપયોગ થાય છે.
(4) પરિવહનના પ્રકાર ક્યા ક્યા છે?
અથવા
ભારતમાં ક્યા ક્યા માર્ગે પરિવહન થાય છે?
ઉત્તર : ભારતના મુખ્યત્વે પાંચ પ્રકારે પરિવહન થાય છે : (1) જમીન પરના સડક અને રેલમાર્ગે, (2) જળમાર્ગે, (૩) હવાઈ માર્ગે, (4) પાઇપલાઇનો દ્વારા તથા (5) રોપ-વે દ્વારા.
(5) ભારતમાં ક્યા ક્યા પ્રકારના સડકમાર્ગો છે?
ઉત્તર : નિર્માણ અને દેખભાળના સંદર્ભમાં ભારતમાં પાંચ પ્રકારના માર્ગો છે : (1) રાષ્ટ્રીય ધોરી માર્ગો, (2) રાજ્ય ધોરી માર્ગો, (3) જિલ્લા માર્ગો, (4) ગ્રામીણ માર્ગો અને (5) સરહદી માર્ગો. હાલમાં કેટલાક રાષ્ટ્રીય ધોરી માર્ગોને ‘એક્સપ્રેસ હાઈવે’માં ફેરવવામાં આવી રહ્યા છે.
(6) ભારતમાં કયો રાષ્ટ્રીય ધોરી માર્ગ (National Highway) સૌથી લાંબો છે?
ઉત્તર : ભારતમાં શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો રાષ્ટ્રીય ધોરી માર્ગ (National Highway) નંબર 44 સૌથી લાંબો છે.
(7) ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે?
ઉત્તર : ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141 અને 147 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે.
(8) ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગો ભારતને કયા દેશો સાથે જોડે છે?
ઉત્તર : ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગો ભારતને મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન અને ચીન જેવા દેશો સાથે જોડે છે.
(9) સ્વર્ણિમ (સોનેરી) ચતુર્ભુજ એક્સપ્રેસ ધોરી માર્ગ કાં ક્યાં મહાનગરોને જોડે છે?
ઉત્તર : સ્વર્ણિમ (સોનેરી) ચતુર્ભુજ એક્સપ્રેસ ધોરી માર્ગ દિલ્લી-કોલકાતા-ચેન્નઈ-મુંબઈ-દિ લ્લી મહાનગરોને જોડે છે.
(10) રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રાજ્ય ધોરી માર્ગ વચ્ચે શો તફાવત છે?
ઉત્તર : રાષ્ટ્રીય ધોરી માર્ગનાં નિર્માણ અને જાળવણી કેન્દ્રીય સરકાર કરે છે, જ્યારે રાજ્ય ધોરી માર્ગનાં નિર્માણ અને જાળવણી જે-તે રાજ્ય સરકાર કરે છે.
(11) ભારતના સરહદી વિસ્તારોમાં માર્ગોનું નિર્માણ કઈ સંસ્થા કરે છે?
ઉત્તર : ઈ. સ. 1960માં સ્થપાયેલી સરહદ માર્ગ સંસ્થાન (Border Road Organization) ભારતના સરહદી વિસ્તારોમાં માર્ગોનું નિર્માણ કરે છે.
(12) એક્સપ્રેસ ધોરી માર્ગ (Express Highway) કોને કહે છે?
ઉત્તર : ખૂબ મહત્ત્વનાં વ્યાપારી કેન્દ્રોને સાંકળતા 4થી 6 લેનવાળા પહોળા અને સારી રચનાવાળા જે માર્ગો બંધાયા છે કે બંધાઈ રહ્યા છે, તે ‘એક્સપ્રેસ ધોરી માર્ગ’ (Express Highway) કહેવાય છે. દા. ત., અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે.
(13) રેલવે આપણને કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર : રેલવે મુસાફરો અને માલસામાનની હેરફેરમાં તથા દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેર માટે ઉપયોગી છે. તદુપરાંત, યુદ્ધ કે કુદરતી આપત્તિઓના સમયે સૈનિકોની હેરફેર માટે પણ તે ઉપયોગી છે. ‘ભારતના રેલમાર્ગો રાષ્ટ્રની જીવાદોરી છે.’
(14) ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેનનું નામ આપો. તે ક્યાંથી ક્યાં સુધી જાય છે?
ઉત્તર : ભારતમાં સૌથી લાંબા માર્ગ પર દોડતી ટ્રેનનું નામ ‘વિવેક એક્સપ્રેસ’ છે. તે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી જાય છે.
(15) ભારતના પશ્ચિમ કિનારે આવેલાં બંદરો કયાં કયાં છે?
ઉત્તર : ભારતના પશ્ચિમ કિનારે આવેલાં મોટાં બંદરો કંડલા, મુંબઈ, ન્હાવાશેવા ખાતે જવાહરલાલ નેહરુ બંદર, માર્માગોવા (મુડગાંવ) ન્યૂ મેંગલોર અને કોચી છે.
(16) ભારતના પૂર્વ કિનારે આવેલાં મોટાં બંદરોનાં નામ જણાવો.
ઉત્તર : ભારતના પૂર્વ કિનારે આવેલાં મોટાં બંદરો કોલકાતા- હાલ્દિયા, પારાદ્વીપ, વિશાખાપટ્નમ, એન્નોર, ચેન્નઈ અને તુતીકોરીન છે.
(17) ગુજરાતનાં અગત્યનાં બંદરોનાં નામ જણાવો.
ઉત્તર : ગુજરાતનાં અગત્યનાં બંદરો કંડલા, મુંદ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, સલાયા, પીપાવાવ, પોશિત્રા, દહેજ, હજીરા, ઓખા વગેરે છે.
(18) હવાઈ માર્ગનો ઉપયોગ ક્યાં થાય છે?
ઉત્તર : દૂરનાં સ્થળો, દુર્ગમ અને ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારો કે જ્યાં સડકમાર્ગે ન પહોંચી શકાતું હોય ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે.
(19) ભારતમાં ‘ભારતીય વિમાનમથક સત્તા મંડળ’ (ઍરપૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) કઈ કામગીરી કરે છે?
ઉત્તર : ભારતમાં ‘ભારતીય વિમાનમથક સત્તા મંડળ’ (ઍરપૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) દેશનાં 15 આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ સહિત હવાઈ મથકોનું સંચાલન કરે છે.
(20) ભારતનાં મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો જણાવો.
ઉત્તર : કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્લી, બેંગલૂરુ, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ્, પણજી (ગોવા), કોચી, પુણે, અમૃતસર વગેરે ભારતનાં મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
(21) ભારતનાં હવાઈ મથકોનું સંચાલન કોણ કરે છે?
ઉત્તર : ભારતનાં હવાઈ મથકોનું સંચાલન ‘ભારતીય વિમાનમથક સત્તા મંડળ’ (ઍરપૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) કરે છે.
(22) કઈ સંસ્થા ONGC અને રાજ્ય સરકારોને હેલિકૉપ્ટર સેવા આપે છે?
ઉત્તર : ‘પવનહંસ હેલિકૉપ્ટર’ નામની સંસ્થા ONGC (Oil and Natural Gas Corporation અને રાજ્ય સરકારોને હેલિકૉપ્ટર સેવા આપે છે.
(23) રજ્જુ માર્ગ (રોપ-વે) ક્યાં બનાવવામાં આવે છે? શા માટે?
ઉત્તર : પહાડી વિસ્તારોમાં માલસામાન અને મુસાફરોની હેરફેર માટે રજ્જુ માર્ગ (રોપ-વે) બનાવવામાં આવે છે.
(24) ભારતમાં કયા કયા સ્થળે રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલા છે?
ઉત્તર : ભારતમાં દાર્જિલિંગ, કુલુ-મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, ચેન્નઈ અને મલાઈના પર્વતીય વિસ્તારોમાં રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલા છે.
(25) ગુજરાતમાં રજ્જુ માર્ગ કયાં સ્થળોએ આવેલા છે?
ઉત્તર : ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલા છે.
(26) સંચારતંત્ર કોને કહે છે?
ઉત્તર : એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા અને મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કહે છે.
(27) સંદેશાવ્યવહારની ઉપયોગિતા જણાવો.
ઉત્તર : દેશમાં પૂર, ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ, ત્સુનામી જેવી કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરીમાં તેમજ દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે તથા રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતા જાળવવા માટે સંદેશાવ્યવહાર ખૂબ ઉપયોગી છે.
(28) પહેલાંના જમાનામાં સંદેશાવ્યવહાર કેવી રીતે થતો?
ઉત્તર : પહેલાંના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડો ઉત્પન્ન કરીને, બૂતરો અને પશુઓ દ્વારા સંદેશાવ્યવહાર થતો.
(29) વ્યક્તિગત સંચારતંત્રનાં અસરકારક સાધનો કયાં છે?
ઉત્તર : ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન વ્યક્તિગત સંચારતંત્રનાં અસરકારક સાધનો છે.
(30) સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે?
ઉત્તર : સમૂહસંચારમાં બે માધ્યમોનો સમાવેશ થાય છે : (1) મુદ્રિત માધ્યમ – તેમાં વર્તમાનપત્રો, ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે. (2) ઇલેક્ટ્રૉનિક માધ્યમ – તેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે. –
(31) દૂરદર્શન ઉપગ્રહો દ્વારા શું પ્રસારિત થાય છે?
ઉત્તર : દૂરદર્શન ઉપગ્રહો દ્વારા દૂરદર્શન સમાચારો, હવામાનની વિગતો તેમજ શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય છે.
(32) આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહે છે?
ઉત્તર : વિશ્વના જુદા જુદા દેશોની પોતપોતાની જરૂરિયાતો મુજબ નિકાસ અને આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે.
(33) દેશની વ્યાપારતુલા હકારાત્મક છે એમ શાથી કહી શકાય?
ઉત્તર : દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાતી વસ્તુઓની કિંમતો કરતાં નિકાસની ચીજવસ્તુઓની કિંમતો વધુ હોય, તો દેશની વ્યાપારતુલા હકારાત્મક છે એમ કહી શકાય.
(34) દેશની વેપારતુલા નકારાત્મક છે એમ શાથી કહી શકાય?
ઉત્તર : દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં નિકાસની વસ્તુઓની કિંમતો કરતાં આયાતી ચીજવસ્તુઓની કિંમતો વધુ હોય, તો દેશની વેપારતુલા નકારાત્મક છે એમ કહી શકાય.
(35) ભારતમાં આયાત થતી ચીજવસ્તુઓનાં નામ આપો.
ઉત્તર : ભારતમાં મુખ્યત્વે ખનીજ તેલ અને તેની પેદાશો, યંત્રસામગ્રી, સોનું, ચાંદી, હીરા અને મૂલ્યવાન પથ્થરો, પોલાદ, ધાતુઓ, રસાયણો, ખાતરો, ખાદ્યતેલ, કાગળ, દવાઓ અને ઇલેક્ટ્રૉનિક ઉત્પાદનોની આયાત થાય છે.
(36) ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે?
ઉત્તર : ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કાચું લોખંડ, ઇજનેરી સામાન, સાઇકલ, પંખા, સિલાઈ મશીનો, વાહનો, રેલવેના ડબ્બા, કમ્પ્યૂટર સૉફ્ટવેર, રસાયણો, રત્ન-આભૂષણો, ચામડાં અને ચામડાંનો સામાન, સુતરાઉ કાપડ અને વસ્ત્રો, શણ અને શણનું કાપડ, માછલાં, હસ્તકલાની વસ્તુઓ, ચા, કૉફી, તેજાના અને મસાલાઓ છે.
(37) ભારતની વ્યાપારતુલા હકારાત્મક બનાવવા સરકારે કો પ્રોજેક્ટ શરૂ કર્યો છે?
ઉત્તર : ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવા સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
(38) આયાત-નિકાસની દેશના ચલણ મૂલ્ય પર શી અસર થાય છે?
ઉત્તર : જે દેશની આયાત વધે છે તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટે છે અને જે દેશની નિકાસ વધારે થાય છે, તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં વધે છે.
(39) ભારતમાં હવાઈ માર્ગો શાથી ઝડપથી વિકસી રહ્યા છે?
ઉત્તર : ભારતમાં હવાઈ માર્ગોના વિકાસ માટે દેશની વિશાળતા, ઉડ્ડયનને અનુકૂળ હવામાન, કુદરતી સંસાધનોનું વૈવિધ્ય, દેશનું મધ્યસ્થ – મોખરાનું સ્થાન વગેરે અનુકૂળતાઓ છે. તેથી ભારતમાં હવાઈ માર્ગો ઝડપથી વિકસી રહ્યા છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
(1) વ્યાપાર પ્રવૃત્તિ …….. પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે.
A. પહેલા
B. બીજા
C. ત્રીજા
ઉત્તર : C. ત્રીજા
(2) …….. લોકો સારા પર્વતારોહકો છે.
A. ભોટિયા
B. નેપાળી
C. ભૈયાજી
ઉત્તર : A. ભોટિયા
(3) રણપ્રદેશમાં ……. શ્રેષ્ઠ બોજવાહક છે.
A. ખચ્ચર
B. ઊંટ
C. હાથી
ઉત્તર : B. ઊંટ
(4) ભારતની સડકપ્રણાલી વિશ્વની ……. નંબરની સડક-પ્રણાલી છે.
A. ચોથા
B. ત્રીજા
C. બીજા
ઉત્તર : B. ત્રીજા
(5 ) રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી ……… ની છે.
A. કેન્દ્ર સરકાર
B. જિલ્લા પંચાયત
C. રાજ્ય સરકાર
ઉત્તર : A. કેન્દ્ર સરકાર
(6) ………. નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.
A. 3
B. 8
C. 44
ઉત્તર : C. 44
(7) રાષ્ટ્રીય ધોરી માર્ગ – 44 ……… થી કન્યાકુમારી સુધી જાય છે.
A. દિલ્લી
B. શ્રીનગર
C. અમૃતસર
ઉત્તર : B. શ્રીનગર
(8) ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણી ………. દ્વારા કરવામાં આવે છે.
A. જિલ્લા પંચાયતો
B. તાલુકા પંચાયતો
C. ગ્રામપંચાયતો
ઉત્તર : C. ગ્રામપંચાયતો
(9) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ …….. પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
A. શહેરી
B. ગ્રામીણ
C. શહેરી અને ગ્રામીણ
ઉત્તર : B. ગ્રામીણ
(10) સરહદ માર્ગ સંસ્થાન(Border Road Organization)ની સ્થાપના ઈ. સ. …….. માં કરવામાં આવી.
A. 1950
B. 1955
C. 1960
ઉત્તર : C. 1960
(11) ……… દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવાં કાર્યો કરે છે.
A. સ૨હદ માર્ગ સંસ્થાન
B. દુર્ગમ ક્ષેત્ર સંસ્થાન
C. સરહદ પરિવહન સંસ્થાન
ઉત્તર : A. સ૨હદ માર્ગ સંસ્થાન
(12) …..…ને દ્રુતગતિ માર્ગ પણ કહે છે.
A. રાષ્ટ્રીય ધોરી માર્ગ
B. એક્સપ્રેસ હાઈવે
C. સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગ
ઉત્તર : B. એક્સપ્રેસ હાઈવે
(13) ગુજરાતમાં અમદાવાદથી …….. સુધી એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે.
A. મુંબઈ
B. વડોદરા
C. પાલનપુર
ઉત્તર : B. વડોદરા
(14) રેલમાર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન ………. છે.
A. ત્રીજું
B. પ્રથમ
C. બીજું
ઉત્તર : C. બીજું
(15) રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન ……… છે.
A. પહેલું
B. બીજું
C. ત્રીજું
ઉત્તર : A. પહેલું
(16) ભારતમાં સૌપ્રથમ રેલવે ઈ. સ. 1853માં મુંબઈથી ………. વચ્ચે શરૂ થઈ.
A. સોલાપુર
B. થાણા
C. નાગપુર
ઉત્તર : B. થાણા
(17) ……… થી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે.
A. દિબ્રુગઢ
B. કોલકાતા
C. ગંગટોક
ઉત્તર : A. દિબ્રુગઢ
(18) દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ………. એક્સપ્રેસ’ તરીકે જાણીતો છે.
A. વિવેક
B. અશોક
C. મહાત્મા
ઉત્તર : A. વિવેક
(19) ભારતને લગભગ ………. કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે.
A. 6050
B. 6518
C. 7516
ઉત્તર : C. 7516
(20) ભારતના દરિયાકિનારા પર ………. મુખ્ય બંદરો આવેલાં છે.
A. 18
B. 13
C. 20
ઉત્તર : B. 13
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) વ્યાપાર પ્રવૃત્તિ બીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે.
(2) એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો સામાન ઊંચકવાનું કામ કરે છે.
(3) ભોટિયા લોકો સારા પર્વતારોહકો છે.
(4) રણપ્રદેશમાં હાથી શ્રેષ્ઠ બોજવાહક છે.
(5 ) ભારતની સડકપ્રણાલી વિશ્વની ત્રીજી મોટી પ્રણાલિકા છે.
(6) રાષ્ટ્રીય ધોરી માર્ગોના નિર્માણની જવાબદારી રાજ્ય સરકારની છે.
(7) રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 44 દેશમાં સૌથી લાંબો છે.
(8) ગુજરાતમાંથી 27, 41, 47, 48 અને 151 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે.
(9) દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ કરવા માટે સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના ઈ. સ. 1960માં કરવામાં આવી.
(10) રાષ્ટ્રીય ધોરી માર્ગને દ્રુતગતિ માર્ગ પણ કહેવાય છે.
(11) રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજું છે.
(12) ભારતમાં સૌપ્રથમ રેલવે ઈ. સ. 1958માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ.
(13) કોંકણની રેલવે ઇજનેરી કૌશલ્યનો શ્રેષ્ઠ નમૂનો છે.
(14) દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે.
(15) દિબ્રુગઢથી કન્યાકુમારીનો રેલમાર્ગ ‘ભારત એક્સપ્રેસ’ તરીકે જાણીતો છે.
(16) રાષ્ટ્રીય જળમાર્ગ 1 બ્રહ્મપુત્ર નદીનો જળમાર્ગ છે.
(17) રાષ્ટ્રીય જળમાર્ગ 2 ગંગા નદીનો જળમાર્ગ છે.
(18) ભારત લગભગ 7516 કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે.
(19) ભારતના દરિયાકિનારા પર 13 મુખ્ય બંદરો અને 200 જેટલાં નાનાં બંદરો છે.
(20) ગુજરાતને આશરે 1600 કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે.
(21) ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે.
(22) કંડલા ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર છે.
(23) વેરાવળ બારે માસ ખુલ્લું રહેતું બંદર છે.
(24) ભારતમાં 12 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.
(25) પવનહંસ હેલિકૉપ્ટર નામની સંસ્થા ONGCને અને કેન્દ્ર સરકારને હેલિકૉપ્ટર સેવા આપે છે.
(26) અસમના નાહર-કોટિયાથી નૂનમતી-બરોની સુધી ખનીજ તેલની પાઇપલાઇન છે.
(27) ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા સુધી ખનીજ તેલની પાઇપલાઇન છે.
(28) ભારતમાં આશરે 100 જેટલા રજ્જુ માર્ગો છે.
(29) ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રોપ-વે સેવાઓ ઉપલબ્ધ છે.
(30) દેશમાં આજે આકાશવાણીનાં 541 જેટલાં સ્ટેશનો છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખરું
(4) ખોટું
(5) ખરું
(6) ખોટું
(7) ખરું
(8) ખોટું
(9) ખરું
(10) ખોટું
(11) ખોટું
(12) ખોટું
(13) ખરું
(14) ખરું
(15) ખોટું
(16) ખોટું
(17) ખોટું
(18) ખરું
(19) ખરું
(20) ખરું
(21) ખરું
(22) ખોટું
(23) ખોટું
(24) ખોટું
(25) ખોટું
(26) ખરું
(27) ખરું
(28) ખરું
(29) ખરું
(30) ખોટું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) શાની શોધ થયા પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો ?
ઉત્તર : ખેતીની
(2) કયા લોકો સારા પર્વતારોહકો પણ છે?
ઉત્તર : ભોટિયા
(3) દરિયાકિનારે કે નદી ઊંડી હોય અને બારે માસ પાણી વહેતું હોય ત્યાં પરિવહન તરીકે શાનો ઉપયોગ થાય છે?
ઉત્તર : જહાજનો કે હોડીનો
(4) રાષ્ટ્રીય ધોરી માર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે?
ઉત્તર : શ્રીનગરથી કન્યાકુમારી
(5) કઈ યોજના દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા શહેરોને જોડે છે?
ઉત્તર : સ્વર્ણિમ ચતુર્ભુજ
(6) કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે?
ઉત્તર : સરહદ માર્ગ સંસ્થાન
(7) ઈ. સ. 1853માં કયાં શહેરો વચ્ચે રેલવે શરૂ થઈ?
ઉત્તર : મુંબઈ અને થાણા
(8) કોલકાતા, દિલ્લી અને જયપુર શહેરોમાં કઈ રેલ પણ જોવા મળે છે?
ઉત્તર : મેટ્રોરેલ
(9) કયાં સ્થળોને જોડતો રેલમાર્ગ ‘વિવેક એક્સપ્રેસ’ તરીકે જાણીતો છે?
ઉત્તર : દિબ્રુગઢથી કન્યાકુમારી
(10) કઈ સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકૉપ્ટર સેવા આપે છે?
ઉત્તર : પવનહંસ હેલિકૉપ્ટર
(11) ઇ-મેલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગે૨ે કોને કારણે ઝડપી બન્યાં છે?
ઉત્તર : ઇન્ટરનેટને કારણે
(12) ગુજરાતનું ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું બંદર કયું છે?
ઉત્તર : ભાવનગર
(13) શું હકારાત્મક બનાવવા સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે?
ઉત્તર : વ્યાપારતુલા
(14) એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે, તો તેને કયા પ્રકારની વ્યાપાર-પ્રણાલી કહી શકાય?
ઉત્તર : આંતરરાષ્ટ્રીય વ્યાપાર-પ્રણાલી
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી?
A. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના
B. સમ્રાટ અશોક અને સમુદ્રગુપ્ત મૌર્યના
C. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમુદ્રગુપ્ત મૌર્યના
D. સ્કંદગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના
ઉત્તર : A. સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના
2. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
A. 3 નંબરનો
B. 8 નંબરનો
C. 44 નંબરનો
D. 15 નંબરનો
ઉત્તર : C. 44 નંબરનો
3. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?
A. ગુવાહાટીથી કન્યાકુમારી
B. જમ્મુથી કન્યાકુમારી
C. કોલકાતાથી ચેન્નઈ
D. શ્રીનગરથી કન્યાકુમારી
ઉત્તર : D. શ્રીનગરથી કન્યાકુમારી
4. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી?
A. અમદાવાદ
B. દિલ્લી
C. મુંબઈ
D. ચેન્નઈ
ઉત્તર : A. અમદાવાદ
5. ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે?
A. ઈ. સ. 2009માં
B. ઈ. સ. 2011માં
C. ઈ. સ. 2014માં
D. ઈ. સ. 2015માં
ઉત્તર : B. ઈ. સ. 2011માં
6. જનસંખ્યાની દૃષ્ટિએ નીચેનાં પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની સંખ્યા વધારે છે?
A. ગોવા
B. મધ્ય પ્રદેશ
C. રાજસ્થાન
D. ગુજરાત
ઉત્તર : A. ગોવા
7. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

A. રાષ્ટ્રીય ધોરી માર્ગ
B. રાજ્ય ધોરી માર્ગ
C. ગ્રામીણ માર્ગ
D. એક્સપ્રેસ ધોરી માર્ગ
ઉત્તર : B. રાજ્ય ધોરી માર્ગ
8. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

A. ગ્રામીણ માર્ગ
B. જિલ્લા માર્ગ
C. રાજ્ય ધોરી માર્ગ
D. સરહદી માર્ગ
ઉત્તર : C. રાજ્ય ધોરી માર્ગ
9. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

A. એક્સપ્રેસ ધોરી માર્ગ
B. સરહદી માર્ગ
C. જિલ્લા માર્ગ
D. ગ્રામીણ માર્ગ
ઉત્તર : D. ગ્રામીણ માર્ગ
10. બાજુમાં દર્શાવેલ નિશાની કઈ સડક યોજનાની છે?

A. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની
B. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની
C. એક્સપ્રેસ ધોરી માર્ગ યોજનાની
D. રાષ્ટ્રીય ગ્રામ સડક યોજનાની
ઉત્તર : B. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની
11. ગુજરાતમાં ક્યાં શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરી માર્ગ આવેલો છે?
A. અમદાવાદ – વડોદરા
B. અમદાવાદ – પાલનપુર
C. વડોદરા – સુરત
D. અમદાવાદ – સુરત
ઉત્તર : A. અમદાવાદ – વડોદરા
12. ભારતનો પ્રથમ રેલમાર્ગ કયાં સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો?
A. દિલ્લી અને આગરા
B. કોલકાતા અને પોર્ટ ડાયમંડ
C. મુંબઈ અને થાણા
D. ચેન્નઈ અને કાંચીપુરમ્
ઉત્તર : C. મુંબઈ અને થાણા
13. કયા રેલમાર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે?
A. ઉધમપુર રેલમાર્ગે
B. દિબ્રુગઢ રેલમાર્ગે
C. કોંકણ રેલમાર્ગે
D. દાર્જિલિંગ રેલમાર્ગે
ઉત્તર : C. કોંકણ રેલમાર્ગે
14. ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ ક્યો છે?
A. રાજકોટથી ગુવાહાટી
B. દિલ્લીથી કન્યાકુમારી
C. દિબ્રુગઢથી કન્યાકુમારી
D. મુંબઈથી કોલકાતા
ઉત્તર : C. દિબ્રુગઢથી કન્યાકુમારી
15. વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે?
A. જમ્મુથી કોલકાતા
B. દિબ્રુગઢથી કન્યાકુમારી
C. કોલકાતાથી ચેન્નઈ
D. ગુવાહાટીથી કન્યાકુમારી
ઉત્તર : B. દિબ્રુગઢથી કન્યાકુમારી
16. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલો છે?
A. આનેમલાઈ
B. નીલગિરિ
C. કાર્ડમમ
D. મહાદેવ
ઉત્તર : A. આનેમલાઈ
17. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ર માર્ગ (રોપ-વે) આવેલો છે?
A. વણાકબોરી
B. આહવા
C. સાપુતારા
D. છોટા ઉદેપુર
ઉત્તર : C. સાપુતારા
18. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે?
A. બ્રહ્મપુત્ર
B. ગંગા
C. ગોદાવરી
D. કૃષ્ણા
ઉત્તર : A. બ્રહ્મપુત્ર
19. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે?
A. કૃષ્ણા
B. કાવેરી
C. ગંગા
D. બ્રહ્મપુત્ર
ઉત્તર : C. ગંગા
20. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયાં સ્થળો વચ્ચે આવેલો છે?
A. ધૂમ્રી – સાદિયા
B. હલ્દિયા – અલાહાબાદ
C. ગોએનખલી – તાલચેર
D. કાકીનાડા – પુડુચેરી
ઉત્તર : B. હલ્દિયા – અલાહાબાદ
21. બ્રહ્મપુત્ર નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 કયાં સ્થળો વચ્ચે આવેલો છે?
A. ગોએનખલી – તાલચેર
B. હલ્દિયા – અલાહાબાદ
C. ધૂમ્રી – સાદિયા
D. કાકીનાડા – પુડુચેરી
ઉત્તર : C. ધૂમ્રી – સાદિયા
22. કયા કારણે ઇ-મેઇલ, ઇ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઝડપી બન્યાં છે?
A. કમ્પ્યૂટર
B. ઇન્ટરનેટ
C. ટેલિફોન
D. સ્માર્ટ ફોન
ઉત્તર : B. ઇન્ટરનેટ
23. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે?
A. નેપાળી
B. ભોટિયા
C. ભૈયાજી
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર : B. ભોટિયા
24. રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી કોની છે?
A. રાજ્ય સરકારની
B. કેન્દ્ર સરકારની
C. જિલ્લા પંચાયતની
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર : B. કેન્દ્ર સરકારની
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here