Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 2 ભારતનો સાંસ્કૃતિક વારસોઃ ૫રં૫રાઓઃ હસ્ત અને લલિત કલા
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 2 ભારતનો સાંસ્કૃતિક વારસોઃ ૫રં૫રાઓઃ હસ્ત અને લલિત કલા
પ્રકરણસાર
- માતા-પિતા તરફથી મળતો શારીરિક અને માનસિક લક્ષણોવાળો વારસો જૈવિક વારસો’ કહેવાય.
- માતા-પિતા તરફથી મળતો ઘરબાર, જમીન-જાયદાદ કે સ્થાવર- જંગમનો વારસો ‘ભૌતિક વારસો’ કહેવાય.
- પ્રાચીન સમયમાં ભારત હસ્તકલા-કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા વગેરે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો.
- ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ : (1) માટીકામ, (2) વણાટકામ, (3) ધાતુકામ, (4) ભરતગૂંથણ, (5) ચર્મઉદ્યોગ, (6) મોતીકામ, (7) જરીકામ, (8) અકીકકામ અને (9) કાષ્ઠકલા વગેરે.
- કુંભારનો ચાકડો પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર મનાય છે.
- પ્રાચીન સમયમાં માટીમાંથી ઈંટો, રમકડાં, માટલી, ઘડો, કોડિયાં, કુલડીઓ, ફૂલો; ઘી, તેલ, દૂધ અને દહીં માટેનાં પાત્રો, રસોઈનાં સાધનો, અનાજનો સંગ્રહ કરવા માટે નાની-મોટી કોઠીઓ, દેવ- દેવીઓની સ્થાપના માટેના તાકાઓ વગેરે બનાવવામાં આવતાં.
- રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને ‘કાંતણ’ કહે છે.
- ઢાકા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો.
- કશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણનાં પટોળાં, કાંજીવરમ તથા બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે.
- પ્રાચીન સમયમાં આપણો દેશ પાટણનું પટોળું, રાજસ્થાની બાંધણી, કાંજીવરમની સાડીઓ અને ઢાકાની મલમલ માટે જાણીતો હતો.
- પાટણમાં બનાવવામાં આવતા રેશમના વસ્ત્ર(બેવડ-ઇક્ત)ને ‘પાટણનાં પટોળાં’ કહેવાય છે. બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલાં રેસામાંથી બનાવેલું કાપડ. આમ, બેવડ-ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી, કે જેમાં સાડીની બંને બાજુએ એક જ આકાર દેખાય છે.
- ચંદરવા, શાખ તોરણ, ચાકળા, ઓછાડ, તયિા, પારણાં, ઓશીકાં, કેડીયાં વગેરે વસ્રો ૫૨ ભરતગૂંથણ કરવાની કારીગરી આજે પણ પ્રખ્યાત છે. કચ્છના બન્ની વિસ્તારની ‘જત’ કોમના ભરતગૂંથણના નમૂના ગુજરાતની ગૂંથણકળાની અદ્ભુત સિદ્ધિ ગણાય છે.
- પ્રાચીન સમયમાં ચર્મકારો મૃત પ્રાણીઓનાં ચામડાંમાંથી પખાલ- મશકો, ધમણો, પગરખાં, કોશ, જીન, ઢોલ, નગારાં, તબલાં, ઢોલક, ઢાલ, પલાણ, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતાં સાધનો વગેરે બનાવતા.
- આભૂષણો બનાવવામાં હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ, પોખરાજ વગેરે રત્નોનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં તોરણો, પછીત, બારી, ચાકળા, લગ્નનાં નારિયેળ અને મોડિયા, ઘોડિયાં, ઘૂઘરા, ઈંઢોણી, કળશ, બળદ માટેના મોડિયા અને તેનાં શીંગડાંની ઝૂલ, પંખા વગેરે વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે.
- પ્રાચીન સમયમાં ભારતમાં તાંબું, કાંસું, પિત્તળ વગેરે ધાતુઓમાંથી પાણી ભરવાના ઘડા, વાસણો, વિવિધ પાત્રો, મૂર્તિઓ વગેરે બનાવવામાં આવતાં.
- વીંટી, હાર, દામણી, નેકલેસ, ચૂની, નથણી, એરિંગ, કાપ વગે૨ે સોનાના અલંકારોમાં હીરા જેવા કીમતી પથ્થરો અને સાચાં મોતી જડવાની કલા ‘જડતરકામ’ કહેવાય છે.
- નદીઓના ખીણપ્રદેશમાંથી મળી આવતો કૅલ્સિડોનિક (સિલિકા- મિશ્રિત) ભૂરા કે સફેદ રંગનો પથ્થર – સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે, જેને ‘અકીક’ કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે. અકીક પર પહેલ પાડી તેમાંથી વિવિધ પ્રકારનાં ઘરેણાં બનાવવામાં આવે છે.
- કલાઓમાં ચિત્રકલાનું સ્થાન સૌથી મોખરે છે. ચિત્રકલાની વિશેષતા એ છે કે તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. રંગ અને રેખા વડે પ્રકૃતિનાં જડ તથા ચેતન તત્ત્વોનું અનુકરણ કરી આપણા મનની ઊર્મિઓને અભિવ્યક્ત કરવી તે ચિત્રકલાનો મુખ્ય હેતુ છે.
- પાષાણયુગનાં પશુ-પંખીઓનાં આલેખનો આદિમાનવનાં ગુફા- ચિત્રોમાં જોવા મળે છે.
- ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકાર છે : (1) શાસ્ત્રીય સંગીત અને (2) લોકસંગીત.
- ભારતીય સંગીતના કુલ પાંચ રાગો છે : (1) શ્રી, (2) દીપક, (3) હીંડોળ, (4) મેઘ અને (5) ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
- આર્યોનો ‘સામવેદ’ નામનો ગ્રંથ ‘સંગીતનો વેદ’ ગણાય છે.
- પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ‘સંગીત રત્નાકર’ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
- સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં ‘તુતી-એ-હિંદ’(હિંદના પોપટ)ના નામે પ્રસિદ્ધ છે.
- નૃત્યકલાનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. નૃત્યકલાના આદિદેવ ભગવાન શંકર ‘નટરાજ’ મનાય છે.
- ભરતનાટ્યમ્, કૂચીપુડી, કથકલી, કથક અને મણિપુરી – એ ભારતનાં શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.
- પંડિત અહોબલે વિવિધ રાગોનું મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે.
- નાટ્યક્લામાં બધી ક્લાઓનો સંયોગ છે. એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.” મહાકવિ ભાસ, મહાકવિ કાલિદાસ અને મહાકવિ ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના મહાન નાટ્યકારો છે.
- શાસ્ત્રકારોએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે. પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાઘ સાથે સંગીતપ્રધાન નાટકો અને વિવિધ વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની વિશેષતાઓ છે.
- ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્ય-પ્રસંગો ભજવવામાં આવે છે.
- ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અને મેળાઓમાં નૃત્યો કરતા હોય છે. તેઓ મુખ્યત્વે વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં નૃત્યો કરે છે.
- ભીલ અને કોળી જાતિઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. આ નૃત્યમાં તેઓ જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરે છે.
- ગરબો શબ્દ ગર્ભ-દીપ’ પરથી બન્યો છે કોરાવેલા ઘડામાં દીવો મૂકી તેની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે કરવામાં આવતા નૃત્યને ‘ગરબો’ કહે છે. ગુજરાતમાં ગરબા નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 (ક્યાંક સુદ દસમ કે શરદપૂનમ) દરમિયાન ગરબા રમાય છે.
- રાસ એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે. ગુજરાતમાં મોટે ભાગે રાસ જન્માષ્ટમી અને નવરાત્રીના તહેવારો દરમિયાન રમાય છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પોશાક પહેરે છે.
- ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં રહેતા સીદી લોકોનું નૃત્ય છે.
- બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાંનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરાયો નૃત્ય કહે છે.
- પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.
- કોળી નૃત્યમાં સૌરાષ્ટ્રના કોળીઓ માથે મધરાસિયો (માથે બાંધવાનું રંગીન કપડું), આંટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલાં ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.
અથવા
ભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ભારતની માટીકામની કલા
અથવા
માનવજીવન અને માટી વચ્ચેનો સહસંબંધ સમજાવો.
અથવા
“માનવજીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર : પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા.
→ એ સમયે રમકડાં, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ફૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતાં.
→ અનાજનો સંગ્રહ કરવાની નાની-મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી.
→ ઘી, તેલ, દૂધ, દહીં, છાસ વગેરેનાં પાત્રો તેમજ રસોઈનાં વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતાં.
→ ગામડાંનાં બધાં જ ઘરોની દીવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી.
→ ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી(ટેરાકૉટા)નાં વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલાં માટીનાં વાસણોના જૂના અવશેષો પરથી મળે છે.
→ લોથલ, મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલાં લાલ રંગના પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યાં છે.
→ કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે.
→ આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો (કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે.) જોવા મળે છે.
(2) ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીના- કારીગરી વિશે જણાવો.
અથવા
ભારતની એક કલા તરીકે મોતીકામ અને મીનાકારીગરીનો પરિચય આપો.
અથવા
પ્રાચીન ભારતની એક કલા તરીકે મોતી અને મીનાકારીગરી’ વિશે માહિતી આપો.
ઉત્તર : ભારત આશરે 7517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે. તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે.
→ ભારતના કારીગરોએ બનાવેલાં હીરાડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે.
→ કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા.
→ ભારતના લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે. પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, અમી૨-ઉમરાવો, શ્રીમંતો,
→ શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવાં કીમતી રત્નોનો ઉપયોગ કરતા.
→ પ્રાચીન સમયના રાજા-મહારાજાઓ અને બાદશાહો તેમનાં સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા.
→ વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે.
→ કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નનાં નાળિયેર, ઈંઢોણી, હાથપંખા, બળદ માટેના મોડિયાં, શીંગડાં, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે.
→ વિશ્વના દેશોમાં માત્ર ભારતદેશ જ સોના-ચાંદીની મીનાકારીની કલામાં મોખરાના સ્થાને છે.
→ મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝૂમખો વગેરે સોના-ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે.
→ ભારતમાં જયપુર, લખનઉ, દિલ્લી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે.
(3) પ્રાચીન ભારતના કલાવારસામાં સંગીતક્ષેત્રનું પ્રદાન જણાવો.
ઉત્તર : સ્વર, તાલ અને લયની દૃષ્ટિએ ભારતીય સંગીત જગતના અન્ય દેશોના સંગીતથી જુદું સ્વરૂપ ધરાવે છે. ભારતીય સંગીતમાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે.
→ સા, રે, ગ, મ, પ, ધ, ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.
→ ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકારો છે : (1) શાસ્ત્રીય સંગીત અને (2) લોકસંગીત.
→ ભારતીય સંગીતના કુલ પાંચ રાગો છે : (1) શ્રી, (2) દીપક, (3) હીંડોળ, (4) મેઘ અને (5) ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
→ આર્યોનો સામવેદ નામનો ગ્રંથ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે.
→ પ્રાચીન ભારતમાં સંગીતના અનેક ગ્રંથો લખાયા છે. તેમાં આ ત્રણ ગ્રંથો મુખ્ય છે : (1) સંગીત મકરંદ, (2) સંગીત રત્નાકર અને (૩) સંગીત પારિજાત.

→ ઈ. સ. 900ની આસપાસ પંડિત નારદ નામના સંગીતશાસ્ત્રીએ ‘સંગીત મકરંદ’ની રચના કરી છે. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવ્યા છે.
→ પંડિત સારંગદેવે ‘સંગીત રત્નાકર’ની રચના કરી છે. પંડિત વિષ્ણુ- નારાયણ ભાતખંડે ‘સંગીત રત્નાકર’ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતનાં બધાં અંગોને સંપૂર્ણપણે સમજવા માટે ‘સંગીત રત્નાકર’ અનન્ય ગ્રંથ મનાય છે.
→ ઈ. સ. 1665માં પંડિત અહોબલે ઉત્તર હિંદુસ્તાની સંગીત માટે ‘સંગીત પારિજાત’ ગ્રંથ લખ્યો હતો. તેમણે વિવિધ રાગોનું એક મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે, બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે સંગીતના 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
→ અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો સર્વતોમુખી પ્રતિભા ધરાવતા મહાન સંગીતકાર હતા.
→ સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે તેઓ ભારતીય ઇતિહાસમાં ‘તુતી-એ-હિંદ’ (હિંદના પોપટ) તરીકે પ્રખ્યાત થયા છે.
→ 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન દરમિયાન સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરેનાં ભજનો અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.
→ ભારતમાં 15મી સદીના સંગીતકારોમાં સ્વામી (બાબા) હરિદાસનું નામ પ્રખ્યાત હતું. સંગીતકાર બૈજુ બાવરા (બૈજનાથ) તથા સંગીત સમ્રાટ તાનસેન તેમના મુખ્ય શિષ્યો હતા. આ બંને સંગીતનાં અણમોલ રત્નો ગણાય છે. સંગીતક્ષેત્રે ગુજરાતની સંગીત બેલડી તાના અને રીરીનું નામ પણ જાણીતું છે.
(4) નૃત્યકલાક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો.
અથવા
નૃત્યકલાક્ષેત્રમાં ભારતમાં થયેલ પ્રગતિ સમજાવો.
ઉત્તર : નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ ‘નૃત્’ (નૃત્ય કરવું) પરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે.
→ નૃત્યના આદિદેવ ભગવાન શંકર ‘નટરાજ’ કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે.
→ ભારતમાં (1) ભરતનાટ્યમ્, (2) કૂચીપુડી, (3) કથકલી, (4) કથક, (5) મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે.
1. ‘ભરતનાટ્યમ્’ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે. તેનું ઉદ્ભવસ્થાન તાંજોર જિલ્લો ગણાય છે.
→ ભરતનાટ્યમ્નો મુખ્ય આધાર-સ્રોત ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વ૨રચિત ‘અભિનવ દર્પણ’ નામના ગ્રંથો છે.

→ ભરતનાટ્યમ્ના ખ્યાતનામ કલાકારોમાં મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમામાલિની વગેરે મુખ્ય છે.
2. ‘કૂચીપુડી’ નૃત્ય આંધ્ર પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે.
→ તે મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરે છે.
→ કૂચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે.
→ ગુરુ પ્રહ્લાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની ૨ેડ્ડી, શોભા નાયડુ વગે૨ે જાણીતા નર્તકોએ કૂચીપુડી નૃત્યશૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે.
3. કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
→ આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.
→ આ નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ(મુખાકૃતિ)ને સમજવું પડે છે.
→ કેરલના કવિ વલ્લભથોળ, કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવા૨મન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે.
4. ‘કથક’ ના નામમાં કથા રહેલી છે. ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે.
→ કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેનાં નૃત્યોની કથાઓ પર આધારિત છે.
→ વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
→ પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યકલાને જીવંત રાખી છે.
5. મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે.

→ આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
→ મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.
→ આ નૃત્યમાં નર્તક ‘કુમીન’ તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો બાંધે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારતની એક કલા તરીકે હાથવણાટ કલાનો પરિચય આપો.
ઉત્તર : પ્રાચીન સમયથી ભારત હાથવણાટની વસ્ત્ર-વિદ્યાક્ષેત્રે જાણીતું છે.
→ ભારતના કુશળ કારીગરો દ્વારા ઢાકામાં બનતું મલમલ તેની બારીકાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. એ મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો તેમજ મલમલની સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હતી.
→ કશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા, પાટણ શહેરનું પટોળું, કાંજીવરમની સાડીઓ, બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણી વગેરેની હાથવણાટની બેનમૂન હુન્નર માટે ભારત જગતભરમાં જાણીતું છે.
→ ગુજરાતના સોલંકીયુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરો(સાળવીઓ)એ બનાવેલાં પટોળાં જગતભરમાં પ્રખ્યાત છે.
→ પટોળાંની આ હાથવણાટની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર ‘બેવડ-ઇક્ત’(બેવડ વણાટ)ને ‘પાટણનાં પટોળાં’ કહેવામાં આવે છે. પટોળાંમાં બેવડું વણાટ હોય છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણનાં પટોળાં તેના ટકાઉ વણાટકામ અને પાકા રંગો માટે વિશ્વમાં પ્રખ્યાત છે. તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ’.
(2) ભારતની એક કલા તરીકે ભરતગૂંથણ કલાનો પરિચય આપો.
ઉત્તર : પ્રાચીન સમયમાં ભારત ભરતગૂંથણની કલામાં મોટી નામના ધરાવતો હતો.
→ હડપ્પા અને મોહેં-જો-દડોના ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાંનાં વસ્ત્રો પર ભરતગૂંથણ કામ જોવા મળ્યું હતું. તેથી પુરવાર થાય છે કે ભારતમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનાં વસ્ત્રો પર ભરતગૂંથણ કરવાની કલા ઘણી પ્રાચીન છે.
→ સિંધુખીણની સંસ્કૃતિ દરમિયાન સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છનાં સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ થયેલું જોવા મળ્યું છે.
→ દેશ-વિદેશમાં કશ્મી૨નું કશ્મીરી ભરત ખૂબ પ્રખ્યાત છે.
→ ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ, માંડવી વગેરે વિસ્તારો પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરેની મનોહર ડિઝાઇનોવાળી બાંધણી માટે જાણીતા છે.
→ ફુરસદના સમયમાં કાપડ પર છપાઈ કરવી તેમજ ભરતગૂંથણ કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહઉદ્યોગ છે.
→ ચંદરવા, શાખ, તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, ઓશીકાં, પારણાં, કેડીયાં વગેરે પર ભરતગૂંથણ કરવાની કલા આજે પણ પ્રચલિત છે. આ ઉપરાંત, ધાબળા અને રજાઈ પર ભૌમિતિક તેમજ વિવિધ આકૃતિઓનું ભરતકામ કરીને તેને સુશોભિત બનાવવામાં આવે છે.
→ કચ્છના બન્ની વિસ્તારની ‘જત’ કોમની ભરતકલા આગવું સ્થાન ધરાવે છે.
→ રેશમ ભરત, આરી ભરત, આભલા ભરત વગેરે ભરતગૂંથણના પ્રકારો છે.
(3) ‘ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.” તેની સ્પષ્ટતા કરો.
અથવા
ભારતની એક કલા તરીકે ચર્મઉદ્યોગનો પરિચય આપો.
ઉત્તર : પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલાં પશુઓનાં ચામડાંનો ચર્મઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો.
→ ચામડાંને જૂની પદ્ધતિઓથી કમાવવામાં (Process) આવતાં.
→ ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલો; ઢોલ, નગારાં, ઢોલક, તબલાં જેવાં સંગીતનાં સાધનો, લુહારની ધમણો, પગરખાં, પાલતુ પ્રાણીઓને બાંધવાનાં સાધનો; યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવ૨ વગેરે ચામડામાંથી બનાવવામાં આવતાં.
→ આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાનાં પાકીટ, પટ્ટા તેમજ ઊંટ-ઘોડાનાં સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવાં સાધનો ચર્મઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે.
→ પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ, ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે.
(4) ભારતની એક કલા તરીકે કાષ્ઠકલાનો પરિચય આપો.
અથવા
ભારતીય કાષ્ઠકલાનો ટૂંકમાં પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ભારતીય કાષ્ઠકલા
અથવા
“માનવજીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે.’ આ વિધાન સમજાવો.
ઉત્તર : શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો છે.
→ ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેનાં રમકડાં, સોગઠાં, થાંભલીઓ, બારીબારણાં, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા વિકસતી ગઈ.
→ લાકડા પરનું કોતરકામ એ ભારતની ક્લાકારીગરીની એક વિશેષતા છે.
→ ગુજરાતમાં સોમનાથ (પ્રભાસપાટણ) ખાતેથી આશરે 350 વર્ષ પૂર્વે થયેલું લાકડાનું કોતરકામ પ્રાપ્ત થયું છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલા વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે તે થયેલું છે.
→ ગુજરાતમાં સંખેડામાં લાકડામાંથી પારણાં, માંચીઓ, બાજઠ, પલંગ, હિંડોળા, કબાટ તેમજ વિવિધ પ્રકારનું મનોહર ફર્નિચર બને છે. ઈડર રમકડાંની બનાવટ માટે જાણીતું છે.
(5) ભારતની એક કલા તરીકે અકીકકામનો પરિચય આપો.
ઉત્તર : અકીક ભારતની કેટલીક નદીઓના ખીણપ્રદેશોમાંથી મળી આવતો કીમતી પથ્થર છે.
→ નદીઓના ખીણપ્રદેશોમાંથી મળી આવતા ચકમક, કાર્મેનિયન (અર્ધપારદર્શક – સુંદર રાતો પથ્થર) વગેરે પથ્થરોમાં અકીક મુખ્ય છે.
→ અકીક એટલે મુખ્યત્વે સિલિકામિશ્રિત (કૅલ્સિડોનિક) ભૂરા કે સફેદ રંગનો પથ્થર.
→ સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે.
→ ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત (નાની નરોલી) પાસેથી વિવિધ આકારના નાના-મોટા અકીક મળે છે.
→ અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પર પહેલ પાડી તેમજ તેની પર અન્ય પ્રક્રિયા કરી તેને વિવિધ અલંકારોમાં જડવાપાત્ર બનાવે છે.
→ તેઓ અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે.
(6) ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો.
ઉત્તર : કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે.
→ ચિત્રકલામાં રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિનાં જડ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે.
→ આશરે 5000 વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે.
→ પુરાતત્ત્વ ખાતા દ્વારા વખતોવખત કરાતાં ઉત્ખનનોમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે.
→ પાષાણયુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુપંખીઓનાં ચિત્રો દોર્યાં હતાં.
→ તેના સૌથી પ્રાચીન નમૂના મધ્ય પ્રદેશમાં ભીમબેટકામાંથી મળી આવ્યા છે; જેમાં હાથી, ગેંડો, હરણ વગેરેનાં ચિત્રોનું આલેખન નોંધપાત્ર છે.
→ હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીનાં વાસણો પર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકનો અને ફૂલછોડની ભાત પાડતા.
→ અજંતા-ઇલોરાની ગુફાઓનાં ચિત્રો ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણાય છે.
→ ભારતમાં પારંપરિક રીતે મંગલ પ્રસંગોએ સ્વસ્તિક, કલશ, ગણેશજી વગેરેનાં ચિત્રો દોરવાની તેમજ કેટલાક વિસ્તારોમાં ચિત્રાત્મક રંગોળી પૂરવાની પ્રથા ઘણી જૂની છે.
(7) ભારતીય નાટ્યકલાનો પરિચય આપો.
ઉત્તર : ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે.
→ નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેનાં નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ બની છે.
→ ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ નાટ્યકલાક્ષેત્રે અતિ પ્રચલિત છે.
→ ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે.
→ નાટ્યકલા એ રંગમંચ પર દૃશ્ય-શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન તથા લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે.
→ નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે. એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.”
→ ભરતમુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ દેવાસુર સંગ્રામ’ હતું.
→ મહાકવિ ભાસે મહાભારત આધારિત ‘કર્ણભાર’, ‘ઊરુભંગ’ અને ‘દૂતવાક્યમ્’ જેવાં નાટકોનો વારસો આપણને આપ્યો છે.
→ મહાકવિ કાલિદાસનાં ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘વિક્રમોવર્શીયમ્’ અને ‘માલવિકાગ્નિમિત્રમ્’ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે.
(8) ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ભવાઈ
અથવા
રંગલો અને રંગલી જેવાં પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુને સમજાવે છે, તે કલાનો પરિચય આપો.
ઉત્તર : રંગલો અને રંગલી જેવાં પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુને સમજાવે છે, તે કલા ‘ભવાઈ’ છે.
→ ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.
→ શાસ્ત્રકારોએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.
→ ભવાઈની શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી.
→ ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકીયુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું.
→ મોટે ભાગે પડદા વગર ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેનાં સંગીતપ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે.
→ ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે.
→ ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.
→ ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલીનાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો ભજવવામાં આવે છે.
(9) ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.
ઉત્તર : ગરબો શબ્દ ‘ગર્ભ-દીપ’ પરથી બન્યો છે.
→ કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું, તેને ‘ગરબો’ કહેવામાં આવે છે.
→ સમગ્ર ગુજરાતમાં નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 (ક્યાંક સુદ દસમ કે શરદપૂનમ) દરમિયાન ગરબા રમાય છે.
→ નવરાત્રી એ આદ્યશક્તિ મા જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે.
→ સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી, તેની વર્તુળાકારે ફરતાં ફરતાં તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે.
→ આ ઉપરાંત, ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારાં સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતાં હોય છે.
→ ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્તકવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે.
(10) ગુજરાતનાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ગુજરાતનાં આદિવાસી નૃત્યો
ઉત્તર : ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને રિઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબનાં નૃત્યો કરે છે.
→ તેમનાં મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે થતાં હોય છે.

→ તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે.
→ આવાં નૃત્યોમાં ‘ચાળો’ નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવાં પક્ષીઓની નકલ કરે છે.
→ ડાંગના આદિવાસીઓ ‘માળીનો ચાળો’ તેમજ ‘ઠાકર્યા ચાળો’ જેવાં નૃત્યો કરે છે.
→ ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ આપો.
અથવા
આપણો દેશ કલાઓથી સમૃદ્ધ છે એમ શાથી કહી શકાય?
ઉત્તર : ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ આ પ્રમાણે છે : (1) માટીકામ, (2) વણાટકામ, (3) ધાતુકામ, (4) ભરતગૂંથણ, (5) ચર્મઉદ્યોગ, (6) મોતીકામ, (7) જરીકામ, (8) અકીકકામ, (9) કાષ્ઠકલા વગેરે.
ઉપર્યુક્ત કલાઓને કારણે આપણો દેશ કલાઓથી સમૃદ્ધ છે એમ કહી શકાય.
(2) બેવડ-ઇક્ત એટલે શું?
ઉત્તર : બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ.
→ આમ, બેવડ-ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ ભાત દેખાય છે.
→ તેથી પટોળું બંને બાજુ પહેરી શકાય છે.
→ પાટણમાં બનતાં પટોળાંમાં બેવડું ઇક્ત હોય છે. તેથી તે બેવડ- ઇક્ત કહેવાય છે.
→ પાટણનાં પટોળાં તેના પાકા રંગો અને ટકાઉ વણાટ માટે વિશ્વમાં પ્રખ્યાત છે.
(3) હડપ્પાના લોકો માટીમાંથી કઈ કઈ સામગ્રી બનાવતા હતા?
ઉત્તર : હડપ્પાના લોકો માટીમાંથી રમકડાં, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ફૂલો, ઈંટો વગેરે; અનાજનો સંગ્રહ કરવાની નાની-મોટી કોઠીઓ; ઘી, તેલ, દૂધ, દહીં, છાસ વગેરેનાં પાત્રો તેમજ રસોઈનાં વાસણો બનાવતા હતા.
(4) લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે?
ઉત્તર : લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડાં, શાડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવાં ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત, તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેનાં અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા.
(5) અકીક એટલે શું? સમજાવો.
ઉત્તર : નદીઓના ખીણપ્રદેશોમાંથી મળી આવતો કૅલ્સિડોનિક (સિલિકામિશ્રિત) ભૂરા કે સફેદ રંગનો પથ્થર – સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે, જેને ‘અકીક’ કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે.
(6) ભારતની એક કલા તરીકે જડતરકલાનો પરિચય આપો.
ઉત્તર : જડતરકામ ભારતની એક પ્રાચીન કલા છે.
→ તે મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે.
→ ભારતના સમ્રાટો, રાજાઓ, અન્ય શાસકો તેમજ શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી અને માણેક જેવાં કિંમતી રત્નોને હાર, બાજુબંધ, કડાં, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા.
→ વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ-કારીગરો જડતરકલામાં પ્રવીણ હતા.
→ અલંકારોના જડતરકામ માટે ભારતમાં રાજસ્થાનનું બીકાનેર શહેર સુપ્રસિદ્ધ છે.
(7) ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવો. તેનાં ઉદ્ભવસ્થળો વિશે જણાવો.
ઉત્તર : ભરતનાટ્યમ્, કૂચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.
ભરતનાટ્યમ્નું ઉદ્ભવસ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય છે. કૂચીપુડીનું ઉદ્ભવસ્થાન આંધ્ર પ્રદેશ રાજ્ય છે. કથકલીનું ઉદ્ભવસ્થાન કેરલ રાજ્ય છે. કથકનું ઉદ્ભવસ્થાન ઉત્તર ભારત છે, જ્યારે મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે.
(8) “નાટ્યકલા સમાજજીવનને પ્રતિબિંબિત કરે છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર : ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે. ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ નાટ્યકલાક્ષેત્રે અતિ પ્રચલિત છે. આ ક્લામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. તે જીવન અને જગતનું દર્પણ છે. તેમાં જ્ઞાન અને ગમ્મત સમાયેલાં છે. નાટ્યકલાની કથાવસ્તુ સામાજિક બાબતો ૫૨ આધારિત હોય છે. સમાજની પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, રૂઢિઓ વગેરે નાટકો દ્વારા રજૂ થતાં હોય છે. આમ, નાટ્યકલા સમાજજીવનને પ્રતિબિંબિત કરે છે.
(9) સંગીત મકરંદનો પરિચય આપો.
ઉત્તર : સંગીત મકરંદ પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.
→ ઈ. સ. 900ની આસપાસ પંડિત નારદ નામના સંગીતશાસ્ત્રીએ તેની રચના કરી છે.
→ તેમણે આ ગ્રંથમાં જાતિ ગાયન અને વિવિધ રાગ-રાગિણીનું વિવેચન કર્યું છે.
→ સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણાઓ તથા 101 પ્રકારના તાલ જણાવ્યા છે, જે હાલના સમયમાં પણ ઉપયોગી સાબિત થયા છે.
(10) ભારતીય સંગીતકલાની માહિતી આપો.
ઉત્તર : સ્વર, તાલ અને લયની દૃષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોના સંગીતથી અલગ છે.
→ સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે.
→ સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતમાં વહેંચી શકાય.
→ સા, રે, ગ, મ, ૫, ધ, ની – એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.
→ ભારતીય સંગીતમાં શ્રી, દીપક, હીંડોળ, મેઘ અને ભૈરવી એવા પાંચ રાગો છે. આ રાગો ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયેલા મનાય છે.
(11) સંગીત રત્નાકરનો પરિચય આપો.
ઉત્તર : સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.
→ સંગીત શાસ્ત્રના તજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે.
→ તેઓ દેવગિરિ(દોલતાબાદ)માં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા.
→ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
→ સંગીતનાં અંગો સંપૂર્ણપણે સમજવા-સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે.
(12) સંગીત પારિજાતનો પરિચય આપો.
ઉત્તર : બધા સંગીત-ગ્રંથોમાં ‘સંગીત પારિજાત’ નામનો ગ્રંથ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
→ ઈ. સ. 1665માં પંડિત અહોબલે ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો.
→ તેમણે વિવિધ રાગોનું એક મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે.
→ તેમણે સ્વરોના કુલ 29 પ્રકારો ગણાવ્યા છે.
→ સંગીતક્ષેત્રે પંડિત અહોબલનું આ નોંધપાત્ર પ્રદાન છે.
(13) નૃત્યકલાનો પરિચય આપો.
ઉત્તર : લલિત કલાના કુટુંબમાં નૃત્ય રૂપપ્રદ કલા છે.
→ નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ ‘વૃત્ત’ (નૃત્ય કરવું) પરથી થઈ છે.
→ તેનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે.
→ નૃત્યકલાના આદિદેવ ભગવાન શંકર ‘નટરાજ’ મનાય છે.
→ મનુષ્યલોકના માનવોને નૃત્ય શીખવવા સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા.
→ નૃત્યમાં અભિનય માટે શરીરનાં વિવિધ અંગોનો ઉપયોગ થાય છે.
→ ભરતનાટ્યમ્, કૂચીપુડી, કથકલી, કથક, ઓડિશી અને મણિપુરી – એ ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.
(14) ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તર : ભારતની પ્રચલિત નૃત્યશૈલીઓમાં ભરતનાટ્યમ્ સૌથી પ્રાચીન છે.
→ તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ‘ભરતનાટ્યમ્’ નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન મનાય છે.
→ ભરતનાટ્યમ્નો મુખ્ય આધાર ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નન્દિકેશ્વરરચિત ‘અભિનય દર્પણ’ નામના ગ્રંથો છે.
→ મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમામાલિની ભરતનાટ્યમ્ નૃત્ય- શૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય ગણાય છે.
(15) કૂચીપુડી નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તર : કૂચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં થઈ છે.
→ આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત છે.
→ આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે.
→ આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે.
→ તે આંધ્ર પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેને ‘અષ્ટભાગવતમ્’ પણ કહેવામાં આવે છે.
→ કૂચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં ગુરુ પ્રહ્લાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે મુખ્ય છે.
(16) કથકલી નૃત્ય વિશે સમજ આપો.
અથવા
કથકલી નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તર : કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
→ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયાં.
→ આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.
→ તેનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ- (મુખાકૃતિ)ને સમજવું પડે છે.
→ કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે.
→ એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકનાં પાત્રોને સજીવ કરે છે.
→ ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ (સ્થાપિત કલામંડળમાં કથકલી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.
(17) થક નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તર : કથકના નામમાં કથા રહેલી છે. ક્થન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે.
→ કથાનું તત્ત્વ એ કથક નૃત્યનું હાર્દ છે.
→ કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેનાં નૃત્યોની કથાઓ પર આધારિત છે.
→ વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
→ તેમાં એક પગ પર ગોળ ગોળ ફરતાં ફરતાં નૃત્યના પ્રસંગો દર્શાવવામાં આવે છે.
→ કથક નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.
→ પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યશૈલીને જીવંત રાખી છે.
(18) મણિપુરી નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તર : મણિપુરી નૃત્યશૈલીનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. તેથી તે ‘મણિપુરી નૃત્ય’ કહેવાય છે.
→ મણિપુરના લોકો દરેક ઉત્સવના પ્રસંગે આ નૃત્ય કરે છે.
→ આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
→ મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.
→ આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘કુમીન’ કહેવાય છે.
→ કબજો રેશમનો હોય છે અને તેની ઉપર ‘વાંગોઈ’ નામનો કમરપટ્ટો બાંધવામાં આવે છે.
→ ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવામાં ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ, ગુરુ શ્રી બિપિન સિંહા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરેનો ફાળો અનન્ય છે.
(19) નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતાં ભરતમુનિએ શું કહ્યું છે?
ઉત્તર : નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.”
(20) રાસનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : રાસ
ઉત્તર : રાસ એટલે વર્તુળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે,
→ શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી, એવો એક પ્રસંગ ખૂબ જાણીતો છે.
→ ગુજરાતમાં મુખ્યત્વે નવરાત્રી અને જન્માષ્ટમીના તહેવારોમાં લોકો રાસ રમે છે.
→ દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. કેટલાક લોકો માથે ગાગર કે હાંડો મૂકીને પણ રાસ રમતા હોય છે.
→ સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર થતાં રાસ વધારે લોકપ્રિય બન્યા છે.
→ રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયાં-ધોતીનો પોશાક પહેરે છે.
(21) ગોફ ગૂંથન નૃત્યનો પરિચય આપો.
ઉત્તર : ગોફ ગૂંથન નૃત્યમાં લોકો ઢોલના તાલે નૃત્ય કરે છે.
→ તેમાં માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધવામાં આવે છે.
→ આ નૃત્યમાં નાચનારા લોકો એક હાથમાં દોરીના છેડાને પકડે છે અને બીજા હાથમાં દાંડિયો પકડે છે.
→ એ પછી તેઓ વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે.
(22) સીદીઓના ધમાલ નૃત્યનો પરિચય આપો.
ઉત્તર : ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું નૃત્ય છે.
→ આ નૃત્યમાં સીદીઓ નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી, તેના પર કપડું બાંધીને બનાવેલા મશીરાને ખવડાવતાં ખવડાવતાં મોરપીંછનું ઝૂંડ અને નાનાં ઢોલકાં સાથે ગોળાકારે ફરીને નૃત્ય કરે છે.
→ હો-હો અવાજના આરોહ-અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડઘા પડતા હોય એવું લાગે છે.
→ સીદીઓ આ નૃત્યમાં પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતાં કરતાં સમૂહમાં નૃત્ય કરે છે.
(23) મેરાયો, પઢાર અને કોળી નૃત્યનો પરિચય આપો.
ઉત્તર : મેરાયો નૃત્ય બનાસકાંઠા વાવ વિસ્તારના લોકોનું નૃત્ય છે.
→ સરખડ કે ઝંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાંનો મેરાયો ગૂંથવામાં આવે છે.
→ મેરાયોને હાથમાં પકડીને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરવામાં આવે છે, જેને ‘મેરાયો’ નૃત્ય કહેવામાં આવે છે.
→ પઢાર નૃત્ય સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકોનું નૃત્ય છે.
→ આ નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.
→ પઢાર નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે.
→ કોળી સૌરાષ્ટ્રના કોળી લોકોનું નૃત્ય છે. નૃત્ય
→ તેમાં તેઓ માથે મધરાસિયો (માથે બાંધવાનું રંગીન કપડું) અને આંટીઆળી ગોળ પાઘડી પહેરે છે અને તેને છેડે આભલાં ભરેલું લીલા રંગના પટ્ટાનું બાંધણું બાંધે છે, તેમજ કેડ પર રંગીન ભેટ પહેરે છે અને નૃત્ય કરે છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) પ્રાચીન સમયમાં ભારત કઈ કઈ કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો?
ઉત્તર : પ્રાચીન સમયમાં ભારત હસ્તકલા-કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા વગે૨ે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો.
(2) ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ આપો.
ઉત્તર : ભારતની મુખ્ય હસ્તક્લા-કારીગરીનાં નામ : (1) માટીકામ, (2) વણાટકામ, (૩) ધાતુકામ, (4) ભરતગૂંથણ, (5) ચર્મઉદ્યોગ (6) મોતીકામ, (7) જરીકામ, (8) અકીકકામ, (9) કાષ્ઠકલા ગેરે.
(3) પ્રાચીન સમયમાં માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી?
ઉત્તર : પ્રાચીન સમયમાં માટીમાંથી ઈંટો, રમકડાં, માટલી, ઘડો, કોડિયાં, કુલડીઓ, ફૂલો; ઘી, તેલ, દૂધ અને દહીં માટેનાં પાત્રો, રસોઈનાં સાધનો, અનાજના સંગ્રહ કરવા માટે નાની-મોટી કોઠીઓ, દેવદેવીઓની સ્થાપના માટેના તાકાઓ વગેરે બનાવવામાં આવતાં.
(4) માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે તે કયા આધારે કહી શકાય?
ઉત્તર : માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે, તે દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતનાં લાંઘણજ(મહેસાણા જિલ્લો)માંથી મળી આવેલા માટીનાં વાસણોના જૂના અવશેષોના આધારે કહી શકાય.
(5) ‘કાંતણ’ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
ઉત્તર : ‘કાંતણ’ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે.
(6) ઢાકાની મલમલના તાકાની વિશેષતા શી હતી?
ઉત્તર : ઢાકા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેડીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો. એ તેની વિશેષતા હતી.
(7) હાથવણાટના બેનમૂન હુન્નરના કયા કયા નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે?
ઉત્તર : કશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણનાં પટોળાં, કાંજીવરમ તથા બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે.
(8) બેવડ-ઇક્ત એટલે શું?
ઉત્તર : બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલાં રેસામાંથી બનાવેલું કાપડ. આમ, બેવડ-ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ આકાર દેખાય છે.
(9) પાટણનાં પટોળાં વિશે કઈ કહેવત પ્રચલિત થઈ છે?
ઉત્તર : પાટણનાં પટોળાં વિશે આ કહેવત પ્રચલિત થઈ છે : ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ’.
(10) ગુજરાતની સ્ત્રીઓ ભરતગૂંથણનો કયો ગૃહઉદ્યોગ કરે છે?
ઉત્તર : ગુજરાતની સ્ત્રીઓ કપડાં પર છપાઈ કરવી અને કપડાં પર વિવિધ પ્રકારનું ભરતગૂંથણ કરવું એ ગૃહઉદ્યોગ કરે છે.
(11) પ્રાચીન સમયમાં ચર્મકારો કઈ કઈ વસ્તુઓ બનાવતા?
ઉત્તર : પ્રાચીન સમયમાં ચર્મકારો પખાલ-મશકો, ધમણો, પગરખાં, કોશ, જીન, ઢોલ, નગારાં, તબલાં, ઢોલક, ઢાલ, પલાણ, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતાં સાધનો વગેરે બનાવતા.
(12) ગુજરાતમાં કઈ કઈ વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે?
ઉત્તર : ગુજરાતમાં તોરણો, પછીત, બારી, ચાકળા, લગ્નનાં નારિયેળ અને મોડિયા, ઘોડિયાં, ઘૂઘરા, ઈંઢોણી, કળશ, બળદ માટેના મોડિયા અને તેનાં શીંગડાંની ઝૂલ, પંખા વગેરે વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે.
(13) પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ ધાતુઓમાંથી, કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી?
ઉત્તર : પ્રાચીન સમયમાં ભારતમાં તાંબું, કાંસું, પિત્તળ વગેરે ધાતુઓમાંથી પાણી ભરવાના ઘડા, વાસણો, વિવિધ પાત્રો, મૂર્તિઓ વગેરે વસ્તુઓ બનાવવામાં આવતી.
(14) લાકડાની કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે?
ઉત્તર : લાકડાની મૂર્તિઓ, રમકડાં, સોગઠાં, થાંભલીઓ, બારી- બારણાં, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.
(15) જડતરકામ એટલે શું?
ઉત્તર : વીંટી, હાર, દામણી, નેકલેસ, ચૂની, નથણી, એરિંગ, કાપ વગેરે સોનાના અલંકારોમાં હીરા જેવા કીમતી પથ્થરો અને સાચાં મોતી જડવાની કલા ‘જડતરકામ’ કહેવાય છે.
(16) હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા?
ઉત્તર : હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.
(17) ભારતીય સંગીતના કેટલા રાગો છે? કયા કયા?
ઉત્તર : ભારતીય સંગીતના કુલ પાંચ રાગો છે : (1) શ્રી, (2) દીપક, (3) હીંડોળ, (4) મેઘ અને (5) ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હતા એમ મનાય છે.
(18) ભારતીય સંગીતના મુખ્ય કેટલા સ્વર છે? કયા કયા?
ઉત્તર : ભારતીય સંગીતના મુખ્ય સાત સ્વર છે : સા, રે, ગ, મ, ૫, ધ અને ની.
(19) પંડિત અહોબલે વિવિધ રાગોનું કયું મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે?
ઉત્તર : પંડિત અહોબલે વિવિધ રાગોનું આ મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે.
(20) ‘સંગીત રત્નાકર’ અને ‘સંગીત પારિજાત’ ગ્રંથોની રચના કરનાર પંડિતોનાં નામ જણાવો.
ઉત્તર : પંડિત સારંગદેવ ‘સંગીત રત્નાકર’ ગ્રંથના અને પંડિત અહોબલ ‘સંગીત પારિજાત’ ગ્રંથના રચિયતા છે.
(21) અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં કયા નામે પ્રસિદ્ધ છે? શા માટે?
ઉત્તર : સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં ‘તુતી-એ-હિંદ'(હિંદના પોપટ)ના નામે પ્રસિદ્ધ છે.
(22) ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો કયા કયા છે?
ઉત્તર : ભરતનાટ્યમ્, કૂચીપુડી, કથકલી, કથક, ઓડિસી અને મણિપુરી એ ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.
(23) ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના આધારભૂત ગ્રંથો કયા કયા છે?
ઉત્તર : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના આ બે આધારભૂત ગ્રંથો છેઃ ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નન્દિકેશ્વરરચિત ‘અભિનય દર્પણ’.
(24) ભરતનાટ્યમ્ના ખ્યાતનામ નૃત્યકારોનાં નામ આપો.
ઉત્તર : ભરતનાટ્યના ખ્યાતનામ નૃત્યકારો : મૃણાલિની સારાભાઈ, મલ્લિકા સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમામાલિની વગેરે.
(25) કૂચીપુડી નૃત્યના જાણીતા નર્તકો કોણ કોણ છે ?
ઉત્તર : કૂચીપુડી નૃત્યના જાણીતા નર્તકો : ગુરુ પ્રહ્લાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે.
(26) મણિપુરી નૃત્ય કરતી વખતે ક્યાં વસ્ત્રો પહેરવામાં આવે છે?
ઉત્તર : મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તેમજ નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘કુમીન’ પહેરવામાં આવે છે.
(27) કયા કયા નૃતકોએ મણિપુરી નૃત્યને દેશ-પરદેશમાં નામના અપાવી છે?
ઉત્તર : ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે નર્તકોએ મણિપુરી નૃત્યને દેશ- વિદેશમાં નામના અપાવી છે.
(28) નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતાં ભરતમુનિએ શું કહ્યું છે?
ઉત્તર : નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે ‘એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.”
(29) કવિ કાલિદાસની નાટ્યકૃતિઓનાં નામ આપો.
અથવા
મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિઓ કઈ કઈ છે?
ઉત્તર : ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘વિક્રમોવર્શીયમ્’ અને ‘માલવિકાગ્નિમિત્રમ્’ – આ ત્રણ મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્ય- કૃતિઓ છે.
(30) ભવાઈની વિશેષતા કઈ છે?
ઉત્તર : પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથે સંગીતપ્રધાન નાટકો અને વિવિધ વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની વિશેષતા છે.
(31) ગુજરાતમાં કયા કાર્યક્રમો માટે ભવાઈ નાટ્યપ્રયોગો થાય છે?
ઉત્તર : ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો થાય છે.
(32) ગુજરાતના આદિવાસીઓ ક્યારે નૃત્યો કરતા હોય છે?
ઉત્તર : ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અને મેળાઓમાં નૃત્યો કરતા હોય છે.
(33) ગુજરાતના આદિવાસીઓ કેવી રીતે નૃત્યો કરે છે?
ઉત્તર : ગુજરાતના આદિવાસીઓ મુખ્યત્વે વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં નૃત્યો કરે છે.
(34) ભીલ અને કોળી જાતિઓ કયું નૃત્ય કરે છે? કેવી રીતે?
ઉત્તર : ભીલ અને કોળી જાતિઓ શ્રમહારી ટીપ્પણી નૃત્ય કરે છે. આ નૃત્યમાં તેઓ જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરે છે.
(35) ગરબો કોને કહે છે ?
ઉત્તર : ગરબો શબ્દ ‘ગર્ભ-દીપ’ પરથી બન્યો છે. કોરાવેલા ઘડામાં દીવો મૂકી તેની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે કરવામાં આવતા નૃત્યને ‘ગરબો’ કહે છે.
(36) મેરાયો નૃત્ય કોને કહે છે?
ઉત્તર : બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાંનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરાયો નૃત્ય કહે છે.
(37) પઢાર નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર : પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શ૨ી૨ને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.
(38) કોળી નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર : કોળી નૃત્યમાં સૌરાષ્ટ્રના કોળીઓ માથે મધરાસિયો (માથે બાંધવાનું રંગીન કપડું), આંટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલાં ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે.
(39) કયા જગવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા?
ઉત્તર : કોહિનૂર અને ગ્રેટ મુઘલ નામના જગવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :
(1) ભારત સમૃદ્ધ ……. વારસો ધરાવતો દેશ છે.
A. પૌરાણિક
B. સાંસ્કૃતિક
C. સામાજિક
ઉત્તર : B. સાંસ્કૃતિક
(2) પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે …….. કલાઓ પ્રવર્તતી હતી.
A. 64
B. 68
C. 54
ઉત્તર : A. 64
(3) આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન …….. વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે.
A. રસાયણ
B. વાસ્તુ
C. યોગ
ઉત્તર : C. યોગ
(4) આજે સમગ્ર વિશ્વ ………ના દિવસને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે મનાવે છે.
A. 5 જૂન
B. 21 જૂન
C. 5 સપ્ટેમ્બર
ઉત્તર : B. 21 જૂન
(5 ) માનવજીવન અને ……. વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે.
A. માટી
B. વૃક્ષો
C. હસ્તકલા
ઉત્તર : A. માટી
(6) કુંભારનો ચાકડો …….. માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય.
A. લુહારકામ
B. સુથારકામ
C. માટીકામ
ઉત્તર : C. માટીકામ
(7) કાચી માટીમાંથી પકવેલાં …….. વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે.
A. ટેરાકૉટા
B. ડેરાકૉટા
C. જેમાકૉટા
ઉત્તર : A. ટેરાકૉટા
(8) દક્ષિણ ભારતમાં ……… ‘માંથી હાથથી બનાવેલાં માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.
A. મદુરાઈ
B. કાંચીપુરમ્
C . નાગાર્જુન કોંડા
ઉત્તર : C . નાગાર્જુન કોંડા
(9) ગુજરાતમાં ……. ‘માંથી હાથથી બનાવેલા માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.
A. મોઢેરા
B. લાંઘણજ
C. ગોઝારિયા
ઉત્તર : B. લાંઘણજ
(10) વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ………. સાથે જોડાયેલી રહે છે.
A. અકીક
B. પથ્થર
C. માટી
ઉત્તર : C. માટી
(11) મહાત્મા ગાંધીએ …….. ના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું.
A. હાથવણાટ
B. કાંતણવણાટ
C. હસ્તકલા
ઉત્તર : B. કાંતણવણાટ
(12) પ્રાચીન સમયથી ભારત …….. ક્ષેત્રે જાણીતું છે.
A. વસ્ત્રવિદ્યા
B. ધાતુવિદ્યા
C. રસાયણવિદ્યા
ઉત્તર : A. વસ્ત્રવિદ્યા
(13) …….. ની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો હતો.
A. કોલકાતા
B. બનારસ
C. ઢાકા
ઉત્તર : C. ઢાકા
(14) ઢાકાની સાડી ……… માંથી પસાર થઈ જતી હતી.
A. ભૂંગળ
B. વીંટી
C. કળશ
ઉત્તર : B. વીંટી
(15) ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન તે વખતના ………. ‘માં અનેક કારીગરો (સાળવીઓ) આવીને વસ્યા હતા.
A. પાટણ
B. અમદાવાદ
C. વિસનગર
ઉત્તર : A. પાટણ
(16) પાટણનાં ……… નો હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે.
A. ઘરેણાં
B. પટોળાં
C. રમકડાં
ઉત્તર : B. પટોળાં
(17) પાટણમાં બનતાં રેશમી વસ્ત્ર ……… ‘ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે.
A. બેવડ–યુક્ત
B. બેવડ-પક્ત
C. બેવડ-ઇક્ત
ઉત્તર : C. બેવડ-ઇક્ત
(18) હડપ્પા અને મોંહે-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી ……… પર પણ ભરતગૂંથણ કામ જોવા મળ્યું છે.
A. મૂર્તિઓ
B. પૂતળીઓ
C. ઈંઢોળીઓ
ઉત્તર : A. મૂર્તિઓ
(19) સિંધુખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને …….. નાં સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે.
A. રાજસ્થાન
B. કચ્છ
C. પંજાબ
ઉત્તર : B. કચ્છ
(20) ગુજરાતના …….. , જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના પરની મનોહર ડિઝાઇનો માટે જાણીતા છે.
A. જોનપુર
B. પાલનપુર
C. જામનગર
ઉત્તર : C. જામનગર
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ધાતુ સાથે જોડાયેલી રહે છે.
(2) કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય.
(3) પાટણની બનારસી સાડીઓ બનાવવાનો હુન્નર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે.
(4) પાટણમાં બનતાં રેશમી વસ્ત્ર ‘બેવડ-ઇક્ત’ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે.
(5) કચ્છના બન્ની વિસ્તારમાં ‘જત’ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે.
(6) ભારતના દરિયાકિનારાની કુલ લંબાઈ 8525 કિલોમીટર છે.
(7) વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ ઇન્ડિયન નામના હીરા ભારતમાંથી મળી આવ્યા હતા.
(8) ભારતમાં જરીકામના હુન્નર માટે સુરત જાણીતું છે.
(9) રાજસ્થાનનું જયપુર શહેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે.
(10) અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે.
(11) ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે.
(12) અજંતા-ઇલોરાનાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે.
(13) ઋગ્વેદ એ સંગીતનો વેદ ગણાય છે.
(14) સંગીતના મુખ્ય 9 સ્વર છે.
(15) શ્રી, દીપક, હીંડોળ, મેઘ અને ભૈરવી આ ભારતીય સંગીતના 5 રાગો છે.
(16) સંગીત પારિજાતમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે.
(17) પંડિત સારંગદેવે ‘સંગીત રત્નાકર’ ગ્રંથની રચના કરી હતી.
(18) પંડિત અહોબલે ‘સંગીત મકરંદ’ ગ્રંથની રચના કરી હતી.
(19) પંડિત અહોબલે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
(20) અબુલ ફઝલ ‘તુતી-એ-હિંદ’ તરીકે વિખ્યાત હતા.
(21) બૈજુ બાવરા અને તાનસેન સ્વામી રામદાસના શિષ્યો હતા.
(22) તાના અને રીરી ગુજરાતની સંગીત બેલડી હતી.
(23) સંગીતમાં ગાયન, વાદન અને નૃત્યનો સમાવેશ થાય છે.
(24) નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ-નટરાજ મનાય છે.
(25) કૂચીપુડી નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે.
(26) કૂચીપુડી નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે.
(27) વૈજયંતીમાલા અને હેમામાલિની કથક નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે.
(28) કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
(29) કથક નૃત્યનો વિકાસ ઉત્તર ભારતમાં થયો છે.
(30) મણિપુરી નૃત્યશૈલી મુખ્યત્વે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે જોડાયેલી છે.
(31) મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
(32) કથકલી નૃત્ય વખતે ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘કુમીન’ પહેરવામાં આવે છે.
(33) ભરતમુનિએ રચેલું ‘નાટ્યશાસ્ત્ર’ કલાક્ષેત્રે પ્રચલિત છે.
(34) જયશંકર સુંદરીએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.
(35) ગરબો શબ્દ ‘ગર્ભ-દીપ’ ઉપરથી બન્યો છે.
(36) વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 એપ્રિલે ઊજવવામાં આવે છે.
(37) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ આફ્રિકાના હતા.
(38) અભિજ્ઞાનશાકુન્તલમ્ નામની રચના મહાકવિ કાલિદાસની છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
(5) ખરું
(6) ખોટું
(7) ખોટું
(8) ખરું
(9) ખોટું
(10) ખરું
(11) ખરું
(12) ખરું
(13) ખોટું
(14) ખોટું
(15) ખરું
(16) ખોટું
(17) ખરું
(18) ખોટું
(19) ખરું
(20) ખોટું
(21) ખોટું
(22) ખરું
(23) ખોટું
(24) ખરું
(25) ખો
(26) ખરું
(27) ખોટું
(28) ખરું
(29) ખરું
(30) ખોટું
(31) ખરું
(32) ખોટું
(33) ખરું
(34) ખોટું
(35) ખરું
(36) ખોટું
(37) ખરું
(38) ખરું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઊજવવામાં આવે છે?
ઉત્તર : 21 જૂન
(2) પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?
ઉત્તર : કુંભારના ચાકડાને
(3) કાચી માટીમાંથી પકવેલાં વાસણોના અવશેષો દક્ષિણ ભારતના કયા સ્થળેથી મળી આવ્યા હતા?
ઉત્તર : નાગાર્જુન કોંડા
(4) આઝાદીના આંદોલન દરમિયાન કાંતણ વણાટના ગૃહઉદ્યોગને કોણે મહત્ત્વ આપ્યું હતું ?
ઉત્તર : મહાત્મા ગાંધીએ
(5) પાટણમાં બનતાં પટોળાંને કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર : બેવડ-ઇક્સ
(6) કચ્છના બન્ની વિસ્તારોમાં કઈ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે?
ઉત્તર : ‘જત’ કોમની
(7) ભારતમાં જરીકામના હુન્નર માટે કયું શહેર જાણીતું છે?
ઉત્તર : સુરત
(8) પાષાણયુગ પછીના યુગમાં કઈ વિદ્યા વિકસી ?
ઉત્તર : ધાતુવિદ્યા
(9) ગુજરાતમાં લાકડાનું ફર્નિચર અને લાકડાના હીંચકા કયા સ્થળના જાણીતા છે?
ઉત્તર : સંખેડાના
(10) ગુજરાતમાં કયા સ્થળનાં લાકડાનાં રમકડાં જાણીતાં છે?
ઉત્તર : ઈડરનાં
(11) રાજસ્થાનનું કયું શહેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે?
ઉત્તર : બિકાનેર
(12) ગુજરાતના કયા વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે?
ઉત્તર : સુરત અને રાણપુરના
(13) અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે?
ઉત્તર : ખંભાત
(14) પાષાણયુગના આદિમાનવનાં ગુફાચિત્રોમાં શાનાં આલેખનો જોવા મળે છે?
ઉત્તર : પશુ-પક્ષીઓનાં
(15) કોનાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે?
ઉત્તર : અજંતા-ઇલોરાનાં
(16) કયો વેદ સંગીતનો વેદ ગણાય છે?
ઉત્તર : સામવેદ
(17) સંગીતમાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?
ઉત્તર : ગાયન અને વાદનનો
(18) ભારતીય સંગીતના 5 રાગો કોના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે?
ઉત્તર : ભગવાન શંકરના
(19) કયા ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે?
ઉત્તર : સંગીત મકરંદમાં
(20) સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ કોણ ગણાવે છે?
ઉત્તર : પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે
(21) ઈ. સ. 1665માં કોણે ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી?
ઉત્તર : પંડિત અહોબલે
(22) કોણે સંગીતના 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે?
ઉત્તર : પંડિત અહોબલે
(23) અમીર ખુશરો કયા નામે પ્રખ્યાત થયા હતા?
ઉત્તર : તુતી-એ-હિંદ
(24) નૃત્યકલાના આદિદેવ કોણ મનાય છે?
ઉત્તર : ભગવાન શિવ-નટરાજ
(25) તમિલનાડુ રાજ્યનો કયો જિલ્લો ભરતનાટ્યમ્નું ઉદ્ભવસ્થાન ગણાય છે?
ઉત્તર : તાંજોર
(26) કયા બે ગ્રંથો ભરતનાટ્યમ્ના આધાર-સ્રોત ગણાય છે?
ઉત્તર : નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ
(27) કઈ બે અભિનેત્રીઓએ ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનો વારસો જાળવ્યો છે?
ઉત્તર : વૈજયંતીમાલા અને હેમામાલિનીએ
(28) કઈ નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે?
ઉત્તર : કૂચીપુડી
(29) કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય કયું છે?
ઉત્તર : કથકલી
(30) કઈ નૃત્યશૈલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે?
ઉત્તર : કથકલી
(31) ‘કથન કરે સો કથક કહાવે’ વાક્ય પરથી કયું નૃત્ય ઉતરી આવ્યું છે?
ઉત્તર : કથક
(32) કયા નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે?
ઉત્તર : કથક
(33) કઈ નૃત્યશૈલીમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે?
ઉત્તર : કથક નૃત્યશૈલીમાં
(34) કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે?
ઉત્તર : કથક નૃત્યમાં ,
(35) કઈ નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની રાસલીલા અને બાળલીલા પર આધારિત છે?
ઉત્તર : મણિપુરી નૃત્યશૈલી
(36) મણિપુરી નૃત્યના કયા કયા બે પ્રકાર છે?
ઉત્તર : લાસ્ય અને તાંડવ
(37) ભરતમુનિરચિત પ્રથમ નાટકનું કથાનક શું હતું?
ઉત્તર : દેવાસુર સંગ્રામ
(38) ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરાનું છે?
ઉત્તર : જયશંકર સુંદરીનું
(39) શાસ્ત્રકારોએ ભવાઈને કેવાં નાટકો કહ્યાં છે?
ઉત્તર : ભાવપ્રધાન નાટકો
(40) ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય ?
ઉત્તર : આદિવાસીઓનું નૃત્ય
(41) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
ઉત્તર : આફ્રિકાના
(42) વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા કોની સાથે જોડાયેલી રહે છે?
ઉત્તર : માટી સાથે
(43) ગુજરાતમાં કયા યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં સાળવીઓ આવીને વસ્યા હતા ?
ઉત્તર : સોલંકી
(44) પાટણમાં પટોળાં કોણ બનાવતું હતું?
ઉત્તર : સાળવીઓ
(45) પાટણનો કયો હુન્નર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે?
ઉત્તર : પટોળાં બનાવવાનો
(46) ગુજરાતનું કયું શહેર પટોળાંના હુન્નર માટે જાણીતું છે?
ઉત્તર : પાટણ
(47) કશ્મીરનું કયું ભરત જાણીતું છે?
ઉત્તર : કશ્મીરી
(48) માનવજીવનનો સંબંધ શરૂઆતથી જ કોની સાથે જોડાયેલો છે?
ઉત્તર : વૃક્ષ અને વનરાજી સાથે
(49) અકીકના પથ્થરોની માળા કે મણકા કોણ તૈયાર કરે છે?
ઉત્તર : ખંભાતના કારીગરો
(50) સંગીતનાં અંગો સમજવા માટે કયો ગ્રંથ બેજોડ ગણાય છે?
ઉત્તર : સંગીત રત્નાકર
(51) ગુજરાતની સંગીત બેલડી કન્યાઓનાં નામ જણાવો.
ઉત્તર : તાના અને રીરી
પ્રશ્ન 5. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. ‘વિશ્વ યોગ દિવસ’ કઈ તારીખે ઊજવવામાં આવે છે?
A. 21 જૂને
B. 1 મેએ
C. 21 એપ્રિલે
D. 5 સપ્ટેમ્બરે
ઉત્તર : A. 21 જૂને
2. આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું?
A. લોકમાન્ય ટિળકે
B. ગોપાલકૃષ્ણ ગોખલેએ
C. જવાહરલાલ નેહરુએ
D. ગાંધીજીએ
ઉત્તર : D. ગાંધીજીએ
3. ક્યા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો?
A. ઢાકામાં
B. આગરામાં
C. કાનપુરમાં
D. બેંગલૂરુમાં
ઉત્તર : A. ઢાકામાં
4. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?
A. બનારસી
B. બાંધણી
C. કાંજીવરમ
D. પટોળું
ઉત્તર : D. પટોળું
5. ઇક્ત એટલે …
A. છપાઈ
B. વણાટ
C. ગૂંથણ
D. ભરત
ઉત્તર : B. વણાટ
6. કચ્છના બન્ની વિસ્તારના ‘જત’ લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે?
A. માટીકામ
B. વણાટકામ
C. ભરતગૂંથણ કલા
D. મીનાકામ
ઉત્તર : C. ભરતગૂંથણ કલા
7. નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવાં પ્રાણીઓ માટે પ્રચલિત નથી ?
A. પલાણ
B. લગામ
C. સાજ
D. પટ્ટા
ઉત્તર : D. પટ્ટા
8. બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે?
A. નૃત્યકલા
B. નાટ્યકલા
C. સંગીતકલા
D. ચિત્રકલા
ઉત્તર : D. ચિત્રકલા
9. ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?
A. ઋગ્વેદ
B. સામવેદ
C. યજુર્વેદ
D. અથર્વવેદ
ઉત્તર : B. સામવેદ
10. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી?
A. મેઘ
B. દીપક
C. શ્રી
D. જ્યોત
ઉત્તર : D. જ્યોત
11. ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિંદ’ (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું?
A. તાનસેન
B. તુલસીદાસ
C. કબીર
D. અમીર ખુશરો
ઉત્તર : D. અમીર ખુશરો
12. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે?
A. નાટ્યકલા
B. નૃત્યકલા
C. ચિત્રકલા
D. સંગીતકલા
ઉત્તર : નૃત્યકલા
13. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન ગણાય છે?
A. કથકલી
B. કૂચીપુડી
C. ભરતનાટ્યમ્
D. મણિપુરી
ઉત્તર : C. ભરતનાટ્યમ્
14. કૂચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે?
A. ઓડિશા (ઓરિસ્સા)
B. કેરલ
C. આંધ્ર પ્રદેશ
D. અસમ
ઉત્તર : C. આંધ્ર પ્રદેશ
15. કયા નૃત્યનાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે?
A. કથક
B. મણિપુરી
C . કૂચીપુડી
D. કથકલી
ઉત્તર : D. કથકલી
16. ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે?
A. કથક
B. ભરતનાટ્યમ્
C. મણિપુરી
D. કથકલી
ઉત્તર : A. કથક
17. કઈ ક્લામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે?
A. સંગીતક્લા
B. નાટ્યકલા
C. ચિત્રકલા
D. નૃત્યકલા
ઉત્તર : B. નાટ્યકલા
18. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?
A. ભવભૂતિએ
C. મહાકવિ કાલિદાસે
B. યાજ્ઞવલ્ક્ય મુનિએ
D. ભરતમુનિએ
ઉત્તર : D. ભરતમુનિએ
19. બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે?
A. સંગીતકલામાં
B. નૃત્યકલામાં
C. નાટ્યકલામાં
D. ચિત્રકલામાં
ઉત્તર : C. નાટ્યકલામાં
20. નૃત્યના આદિદેવ કોણ હતા?
A. શિવ-નટરાજ
B. નારદ
C. વિષ્ણુ
D. બ્રહ્મા
ઉત્તર : A. શિવ-નટરાજ
21. ટેરાકૉટા એટલે શું?
A. મરેલાઓનો ટેકરો
B. કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન
C. પાણી લાવવા-લઈ જવા માટે વપરાતી પખાલ
D. દીવાસળીની પેટીમાં સમાઈ શકતો કાપડનો તાકો
ઉત્તર : B. કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન
22. કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ શું છે?
A. બાંધણી
B. પટોળું
C. કાંજીવરમ
D. જરદોશી
ઉત્તર : B. પટોળું
23. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
A. રાજસ્થાન
B. અંદમાન
C. આફ્રિકા
D. થાઇલૅન્ડ
ઉત્તર : C. આફ્રિકા
24. ‘ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય?
A. આદિવાસીઓનું નૃત્ય
B. ભરવાડોનું નૃત્ય
C. કોળીઓનું નૃત્ય
D. પઢારોનું નૃત્ય
ઉત્તર : A. આદિવાસીઓનું નૃત્ય
25. કયું નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે?
A. ગોફ ગૂંથન
B. ધમાલ
C. મેરાયો
D. પઢાર
ઉત્તર : D. પઢાર
26. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?
A. ઊરુભંગ
B. કર્ણભાર
C. મેઘદૂતમ્
D. દૂતવાક્યમ્
ઉત્તર : C. મેઘદૂતમ્
27. વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?
A. મણિપુરી
B. કૂચીપુડી
C. કથકલી
D. ભરતનાટ્યમ્
ઉત્તર : D. ભરતનાટ્યમ્
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here