Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 21 સામાજિક પરિવર્તન
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 21 સામાજિક પરિવર્તન
પ્રકરણસાર
- સામાજિક પરિવર્તન એટલે સમાજના રચનાતંત્રમાં, સામાજિક સંગઠનમાં, સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં આવતું પરિવર્તન.
- પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને લીધે ભારતીય સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યાં છે.
- સમાજમાં આવેલાં ભૌતિક પરિવર્તનોથી લોકોનાં જીવનધોરણમાં સુધારો થયો છે.
- સાક્ષરતાનો દર ઘણો નીચો હોવાથી આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી છે.
- કાયદાની જાણકારીના અભાવે આપણે કાયદાનો ભંગ કરીએ છીએ. કાયદાના ભંગ બદલ થયેલી સજા કે દંડ માફ થઈ શકતો નથી.
- માનવ-અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્રો(UN)એ માનવહકોના ઘોષણાપત્ર(Charter of Rights)માં નાગરિકોના અધિકારોની રજૂઆત કરી છે.
- નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓને મૂળભૂત અધિકારો કહે છે.
- પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકને બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે.
- ઈ. સ. 1992માં સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ બાળકોના અધિકારોની ઘોષણા કરી છે.
- બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે. બાળકો પર જાણીબૂઝીને માનસિક કે શારીરિક પીડા પહોંચાડવી એ બાળ અત્યાચાર છે.
- 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કહેવાય છે. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ભારતમાં છે.
- બાળકોની બાળમજૂરી પાછળનાં કારણોમાં તેના કુટુંબની ગરીબી, માતાપિતાની નિરક્ષરતા, મોટું કુટુંબ, અનાથ કે નિરાધારતા વગેરે મુખ્ય છે.
- બાળમજૂરી કે બાળશોષણ કે અત્યાચારોને રોકવા માટે સ૨કા૨ે કેટલીક બંધારણીય જોગવાઈઓ અને કાયદાઓ ઘડીને તેનો અમલ કરાવીને તથા બાળસુરક્ષા, બાળકલ્યાણ-વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને સહાય કરી છે.
- ભારતમાં વૃદ્ધોની વધતી જતી વસ્તીએ અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલા વધારાએ વૃદ્ધો માટે સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્માવી છે.
- વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવેદનાહીન કે લાગણીશૂન્ય વર્તનવ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ઘરડાંઘર(વૃદ્ધાશ્રમ)માં રહેવાની ફરજ પડે છે.
- સંયુક્ત રાષ્ટ્રો(UN)એ ઈ. સ. 1999ના વર્ષને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે તેમજ 1 ઑક્ટોબરના દિવસને ‘વિશ્વ વૃદ્ધદિન’ તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું.
- ભારત સરકારે ઈ. સ. 1999માં વૃદ્ધો માટે ‘રાષ્ટ્રીય નીતિ’ (નૅશનલ પૉલિસી ફૉર ઓલ્ડ પરસન) જાહેર કરી છે.
- સમાજ અને કાયદા દ્વારા જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એવી વ્યક્તિ કે સમૂહની પ્રવૃત્તિને અસામાજિક પ્રવૃત્તિ કહેવાય.
- ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે. વિશ્વબૅન્કે ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે ‘સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર.’ ભારતમાં કેટલાંક જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપક સ્વરૂપે જોવા મળે છે.
- ઈ. સ. 1964માં સ્થપાયેલ કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરોનું મુખ્ય કાર્ય સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું અને એ આરોપો સાચા જણાય તો ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવવાનું છે. ગુજરાતમાં આ સંસ્થાની કચેરી શાહીબાગ, અમદાવાદમાં આવેલી છે.
- ભારત સરકારનો ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ – 1988 બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે.
- કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ (RTI) 15 જૂન, 2005ના રોજ બહાર પાડ્યો છે. તે ભારતનાં જમ્મુ-કશ્મીર સિવાયનાં બધાં રાજ્યોને લાગુ પડે છે. ગુજરાત સરકારે પણ આ અધિનિયમની જોગવાઈઓને આધીન ‘ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો – 2005′ 5 ઑક્ટોબર, 2005ના રોજ બહાર પાડ્યા છે.
- કેન્દ્ર સરકારે ઈ. સ. 2009માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો – 2009’(RTE – 2009) અમલમાં મૂક્યો, જે કાયદા અનુસાર ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012′ જાહેર કર્યા છે.
- ભારતીય બંધારણના 86મા સુધારા મુજબ 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
- ભારતીય બંધારણના અનુચ્છેદ 47માં કરેલી જોગવાઈ મુજબ રાજ્ય દેશના લોકોના પોષણક્ષમ આહારના સ્તરને અને જીવનધોરણને ઊંચું લાવવા તેમજ જનસુખાકારી અને લોકકલ્યાણમાં સુધારો કરવા ભારત સરકારે 5 જુલાઈ, 2013ના રોજ ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – 2013′ (RTF-2013) અમલમાં મૂક્યો છે.
- ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના કાયદા મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં અત્યોદય કુટુંબોને, ગરીબીરેખાથી નીચે જીવન જીવતાં કુટુંબોને તથા મધ્યમ વર્ગનો જરૂરિયાતમંદ ગરીબ કુટુંબોને રાહતદરે અનાજ તથા અન્ય કેટલીક જરૂરિયાતો પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા ‘મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
અથવા
સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ બાળ અધિકારોમાં કયા કયા અધિકારોનો સમાવેશ કર્યો છે?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ બાળ અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે :
→ જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.
→ માતાપિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેનાં માતાપિતાથી અલગ કરી શકાય નહિ.
→ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.
→ દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે.
→ બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે.
→ દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે.
→ દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્તિ કરવાનો, મંડળો રચવાનો અને તેના સભ્ય બનવાનો અધિકાર છે. દા. ત., બાળસંસદ.
→ દરેક બાળકને કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક હિંસા, શોષણ અને યાતના સામે તેમજ નશીલી દવાઓના ઉપયોગ સામે તથા શિક્ષા કે દંડ સામે રક્ષણ તેમજ સલામતી મેળવવાનો અધિકાર છે.
→ દરેક બાળકને પોતાના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનસ્તર મેળવવાનો અધિકાર છે.
(2) વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ- સંબંધી જોગવાઈઓ વર્ણવો.
અથવા
નીચેનું ચિત્ર જોઈને જણાવો કે વૃદ્ધોની સમસ્યા શી છે? સરકારે તેમની સલામતી માટે કયાં કયાં પગલાં લીધાં છે તે જણાવો.

ઉત્તર : વૃદ્ધોની સમસ્યાઓ : પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભૌતિકવાદની અસરો તેમજ વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાને કારણે આજનાં સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવમૂલ્યો ભૂલી ગયાં છે.
→ પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિઃસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે.
→ સંયુક્ત કુટુંબોમાં રહેતા વૃદ્ધોની સારસંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે.
→ સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતાં જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે.
→ સંતાનોની વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણીશૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ‘ઘરડાંઘરો’(વૃદ્ધાશ્રમો)માં રહેવા જવાની ફરજ પડે છે.
→ આમ, ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિઃસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.
વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ – સલામતી માટે સરકારે લીધેલાં પગલાં નીચે પ્રમાણે છે :
→ કેન્દ્ર સરકારે ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 1999′ અમલમાં મૂકી છે. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શનરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે.
→ સીનિયર સિટિઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બૅન્ક અને પોસ્ટ- ઑફિસમાં મૂકેલી ડિપૉઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે.
→ બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી-પુરુષોને ટિકિટના દરમાં 30થી 50 % સુધીની રાહત આપવામાં આવે છે.
→ રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ‘ઘરડાંઘર’ (વૃદ્ધાશ્રમ) ખોલ્યું છે.
→ વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
→ શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે.
→ ઘરેલું હિંસા, શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે ‘માતાપિતા અને સીનિયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણસંબંધી કાયદો 2007′ અમલમાં મૂક્યો છે. આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતાં તેમનાં સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
→ વૃદ્ધોની સારસંભાળની કાયદેસર જવાબદારી તેમનાં કુટુંબીજનો અને સગાંઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમનાં સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર બન્યા છે.
→ કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.
(3) ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.
અથવા
ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે?
ઉત્તર : ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો નીચે પ્રમાણે છે :
→ ભારત સરકારે ઈ. સ. 1964માં ‘કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરો’ની સ્થાપના કરી છે. આ બ્યૂરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે છે. જો આરોપો સાચા જણાય તો તે ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવે છે.
→ ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 2334 4444 પર ફરિયાદ કરી શકે છે.
→ ભારત સરકારે ઈ. સ. 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ’ (કાયદો) અમલમાં મૂક્યો છે. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે.
→ આ અધિનિયમ અનુસાર લાંચરુશવત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે.
→ કેન્દ્ર સરકારે ‘માહિતી અધિકાર – 2005′ અને ‘નાગરિક અધિકારપત્ર’ નામના કાયદા અમલી બનાવ્યા છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીએ પોતાને સોંપાયેલાં વહીવટી કાર્યો નિયત સમયમર્યાદામાં પૂરાં કરવાની બાંહેધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સ૨ળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે.
→ કેન્દ્ર સ૨કા૨ે તાજેત૨માં ‘બ્લૅક મની ઍક્ટ – 2005′ નામનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે.
→ આ ઉપરાંત, સરકારે ‘ફોરેન એક્સચેઇન્જ મૅનેજમેન્ટ ઍક્ટ’ – ફેમા- (FEMA)ના કાયદામાં મની લૅન્ડરિંગ ઍક્ટ’માં અને ‘કસ્ટમ ઍક્ટની ધારા – 132’માં સુધારા કર્યા છે.
→ લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે.
(4) એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપો.
ઉત્તર : ભ્રષ્ટાચાર એ વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે.
→ તે આમપ્રજાના બેઇમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે.
→ પદ અને સત્તાના કરાતા દુરુપયોગમાંથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે છે.
→ વિશ્વબૅન્કે આપેલી વ્યાખ્યા મુજબ ‘સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર’.
→ ભ્રષ્ટાચારમાં ભેટસોગાદ, છેતરપિંડી, પક્ષપાતી વલણ વગેરેનો સમાવેશ થાય છે.
→ ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે. તે જાણે શિષ્ટાચાર હોય એમ સમાજમાં દરેક ક્ષેત્રે અને સ્તરે જોવા મળે છે.
→ સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક બન્યો હોવાથી તે એક જટિલ સમસ્યા બની છે.
→ ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે.
→ તે લોકશાહીના પાયાને નિર્બળ બનાવે છે.
→ તે સામાજિક અને નૈતિક મૂલ્યોનો ાસ કરે છે.
→ ભ્રષ્ટાચારથી કાયદાની અને સત્તાની સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા ઓછી થાય છે.
→ ભ્રષ્ટાચાર માનવ-અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે.
→ તે એક રાષ્ટ્રવિરોધી કૃત્ય છે. ભ્રષ્ટાચારીને રાષ્ટ્રદ્રોહી ગણીને શિક્ષા થવી જોઈએ.
(5) માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી, માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.
ઉત્તર : માહિતી મેળવવાના અધિકારના હેતુઓ : બધાં સ૨કા૨ી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી ‘માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005′ બનાવવામાં આવ્યો છે.
માહિતી મેળવવાની પ્રક્રિયા : માહિતી મેળવવાના અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં, નિર્ધારિત ફીની રકમ ₹ 20 રોકડા અથવા પોસ્ટલ ઑર્ડર કે પે-ઑર્ડર કે નૉન-જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ અરજી સાથે મોકલવાના હોય છે.
→ અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઇપ કરેલ કાગળમાં કે ઇ-મેઇલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે. ગરીબીરેખા હેઠળ(BPL)ના અરજદારે ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયાં કારણોસર માહિતી માગવામાં આવી છે, તેનાં કારણો જણાવવાનાં હોતાં નથી.
→ અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે-તે મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIO) એ નમૂના પર અરજીનો ક્રમાંક (ID નંબર) લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્રવ્યવહારનો ID ક્રમાંક પણ લખવાનો હોય છે.
→ માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી(APIO)એ અરજીનો નિકાલ કરવાનો હોય છે. અરજદારે કોઈ નકલ કે નમૂના માગ્યા હોય, તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય, અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો એ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે.
→ જે-તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇન્કાર કરે, તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે.
(6) બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.
ઉત્તર : કેન્દ્ર સરકારે ઈ. સ. 2009માં 6થી 14 વર્ષની વય- જૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો – 2012′ અમલમાં મૂક્યા હતા.
→ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે :
→ 6થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇન્કાર થઈ શકશે નહિ.
→ 14 વર્ષ પૂરાં થયાં હોય તોપણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું.
→ શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હૉસ્પિટલનો રેકર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતાપિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે.
→ કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો.
→ પ્રવેશ માટે બાળકના માતાપિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપૉઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ લઈ શકાશે નહિ.
→ બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતાપિતાનો ઇન્ટરવ્યૂ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહિ.
→ 3થી 5 વર્ષની વયજૂથનાં બાળકોના શિક્ષણ માટે પ્રિ-સ્કૂલ(નર્સરી કે બાળમંદિર)નું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.
→ સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકારમાન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25 %ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે.
→ શાળાના શિક્ષકો ખાનગી ટ્યૂશનની પ્રવૃત્તિ કરી શકશે નહિ.
→ શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે.
→ બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહિ.
→ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં નબળા વર્ગોનાં પછાત વર્ગોનાં અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે.
→ આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા માટે સ૨કા૨ે એક અલગ વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યૂનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે.
→ આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.
(7) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણસંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચો.
અથવા
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની ધારાકીય જોગવાઈઓ જણાવો.
ઉત્તર : કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા (RTF) કાયદો પસાર કર્યો. આ કાયદાની અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણસંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ નીચે પ્રમાણે છે :
→ આ કાયદા મુજબ તથા ‘મા અન્નપૂર્ણા યોજના’ મુજબ રાજ્યનાં શહેર કે ગ્રામ્ય વિસ્તારનાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. તદુપરાંત, રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે.
→ આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹ 2 પ્રતિકિલો, ચોખા ₹ 3 પ્રતિકિલો અને જાડું અનાજ ₹ 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
→ આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૃતિ સહાયરૂપે ₹ 6,000 આપવામાં આવશે.
→ આ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં ‘અન્ન સુરક્ષા ભથ્થું’ મેળવવા હકદાર બનાવી શકાય છે.
→ આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ, આયોડાઇઝ મીઠુ અને કેરોસીન તથા વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહતદરે વાજબી ભાવની દુકાનો દ્વારા આપવામાં આવે છે.
→ આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રિમ કુટુંબોની યાદીઓ સુધારીને અદ્યતન બનાવશે. એ યાદીનાં નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામપંચાયતોની ગ્રામસભાઓમાં, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વૉર્ડસભાઓમાં, ઇ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીઓમાં અને પુરવઠાની વેબ સાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે.
→ જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ‘બાયોમેટ્રિક ઓળખ’, ‘એપીક કાર્ડ’, ‘બારકોડેડ રેશનકાર્ડ’, ‘અન્ન કૂપન’ અને ‘વેબકમેરાથી ઇમેજ’ વગે૨ે પગલાં ભરવામાં આવ્યાં છે.
→ આ કાયદા મુજબ રાજ્યમાં ‘આંતરિક ફરિયાદ નિવારક તંત્ર’ ઊભું કરવું અને ફરિયાદોના નિકાલ માટે નોડેલ અધિકારી’ની નિમણૂક કરવામાં આવશે.
→ રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા ‘રાજ્ય અન્ન આયોગ’ની રચના તેમજ ‘ફૂડ કમિશનર’ની નિમણૂક કરવામાં આવશે.
(8) ‘મા અન્નપૂર્ણા યોજના’ની મહત્ત્વની જોગવાઈઓ જણાવો.
અથવા
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – 2013(RTF – 2013) અન્વયે ‘મા અન્નપૂર્ણા યોજના’ની જોગવાઈઓ જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો : ‘મા અન્નપૂર્ણા યોજના’
ઉત્તર : ભારત સરકારે 5 જુલાઈ, 2013માં ‘રાષ્ટ્રીય અન્ન સલામતી’નો કાયદો પસાર કર્યો.
→ અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ,’
→ આ કાયદા અન્વયે ગુજરાત સરકારે “મા અન્નપૂર્ણા યોજના’ શરૂ કરી છે.
→ આ યોજના હેઠળ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારનાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મત આપવામાં આવે છે.
→ આ યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ, વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹ 2 પ્રતિકિલો, ચોખા ₹ 3 પ્રતિકિલો અને જાડું અનાજ ₹ 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.
→ આ યોજના અન્વયે ગુજરાતના લગભગ 3.62 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહતદરે અનાજ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષી છે.
→ આ યોજનાનો લાભ મેળવતાં કુટુંબોની બચતો વધશે, જેથી તેઓ અન્ય વપરાશી ચીજવસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ સારું બનાવી શકશે.
(9) ભારતમાં બાળશ્રમિકોની માંગ વધુ હોવાનાં કારણો જણાવી, તેને અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તર : ભારતમાં બાળશ્રમિકોની માંગનું પ્રમાણ વધુ હોવાનાં કારણો નીચે મુજબ છેઃ
→ બાળક એ શ્રમનું સૌથી સસ્તું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળશ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કામ કરાવી શકાય છે.
→ સંગઠનના અભાવે તેઓ પોતાને રોજગારીએ રાખનાર માલિકનો વિરોધ કરી શકતા નથી. તેથી બાળશ્રમિકોનું સરળતાથી, તેમને ખબર ન પડે તે રીતે, વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે.
→ કઠિન કે જોખમી કામોમાં પણ ઓછા વેતને અને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળશ્રમિકો પાસેથી ડરાવીને, ધમકાવીને અને લાલચ આપીને કામ કરાવી શકાય છે.
→ બાળશ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યામાં મળી રહે છે.
→ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી. તેથી માતાપિતા બાળકોને ભણવાની ઉંમરે કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ કરવા તેમને મજૂરી કરવા ધકેલી દે છે.
બાળશ્રમિકોની માંગ અટકાવવાના બંધારણીય ઉપાયો નીચે મુજબ છે :
→ 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં કે કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહિ. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે.
→ બંધારણનો અમલ શરૂ થયે 10 વર્ષની અંદર દરેક રાજ્ય સરકારે 14 વર્ષની ઉંમર સુધીનાં બધાં જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પૂરું પાડવું. આ જોગવાઈ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6થી 14 વર્ષની વયજૂથનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકારસંબંધી કાયદો – 2009 અમલમાં મૂક્યો છે.
→ બાળપણ અને કિશોરઅવસ્થા દરમિયાન શોષણથી બચાવવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુખસુવિધાઓથી વંચિત રાખવા નહિ.
(10) દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણવો.
અથવા
દિવ્યાંગજન અધિકાર અધિનિયમ –2016 અંતર્ગત સરકારશ્રીએ શાળાઓને દિવ્યાંગ બાળકોને કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ કરેલો છે?
ઉત્તર : દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ૨કા૨ તરફથી નીચે મુજબની સુવિધાઓ મળે છે. અથવા દિવ્યાંગજન અધિકાર અધિનિયમ – 2016 અંતર્ગત સરકારશ્રીએ શાળાઓને દિવ્યાંગ બાળકોને નીચે પ્રમાણેની સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ કરેલો છે:
→ દિવ્યાંગ બાળકોને શાળાઓમાં પ્રવેશ, અભ્યાસ, અભ્યાસેતર રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં સમાન તક આપવામાં આવે. કોઈ પણ પ્રકારના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે બેસવા દેવા તેમજ વાણી, વર્તન અને વ્યવહારમાં દિવ્યાંગ સાથે ભેદભાવ રાખવા નહિ. આ અંગે વિશેષ કાળજી રાખવી.
→ દિવ્યાંગ બાળકો શાળાઓની ભૌતિક સુવિધાઓનો સરળતાથી ઉપયોગ કરી શકે, તે રીતે પૂરી પાડવી. દા. ત., ઢાળવાળો રૅમ્પ બનાવવો, અવર-જવર અંગેની અડચણો દૂર કરવી, બેસવાની ખુરશી અને બેન્ચની વ્યવસ્થા, સંડાસ, બાથરૂમ વગેરે સુવિધાઓ પૂરી પાડવી.
→ દિવ્યાંગ બાળકોની શૈક્ષણિક કારકિર્દી સારી બને તેમજ તેમનો સામાજિક વિકાસ સતત અને સર્વગ્રાહી રીતે થાય તેવું વાતાવરણ તેમને પૂરું પાડવું.
→ દૃષ્ટિક્ષતિ, શ્રવણક્ષતિ અથવા ધિરાંધતા હોય તેવાં દિવ્યાંગ બાળકો યોગ્ય ભાષા અથવા સંજ્ઞાઓની લિપિ વગેરે દ્વારા તેઓ સમજી શકે તે રીતે યોગ્ય શિક્ષણ આપવું.
→ દિવ્યાંગ બાળકોમાં અભ્યાસને લગતી વિશિષ્ટ મર્યાદાઓ ઓળખી કાઢવી અને એ મર્યાદાઓ – ખામીઓ દૂર થઈ શકે તેવાં અભ્યાસક્રમલક્ષી જરૂરી પગલાં ભરવાં.
→ દિવ્યાંગ બાળકોની સતત અને સર્વગ્રાહી પ્રગતિનું નિરીક્ષણ કરવું.
→ દિવ્યાંગ બાળકોને તેમની શારીરિક મર્યાદાઓ મુજબ વાહનની સગવડ પૂરી પાડવી અથવા તેમને મદદ કરનાર વ્યક્તિઓને વાહન આપવાની કાર્યવાહી કરવી.
→ દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળાએ જતાં બાળકોનું દર 5 વર્ષે સરવે કરી અનુકાર્ય કરવું.
→ દિવ્યાંગ બાળકોને તેમની શાળાકીય અભ્યાસ પ્રવૃત્તિઓમાં મદદરૂપ થાય તેવા સંસાધન કેન્દ્ર (Resource Centre) ઊભું કરવું.
→ વિશિષ્ટ દિવ્યાંગતાવાળા (Benchmark Disability) વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા અનુસાર શિષ્યવૃત્તિ આપવી.
→ દિવ્યાંગ બાળકોને અડચણ વિના સરળતાથી પરીક્ષા આપી શકે તેવી સુવિધા તેમને પૂરી પાડવી.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોઈ અપશબ્દો ન બોલે, તેમનો તિરસ્કાર ન કરે કે માર ન મારે, તેમનું શોષણ કે રેગિંગ ન કરે તેવી વ્યવસ્થા કરવી. આ માટે શાળામાં ખાસ સમિતિ બનાવીને દિવ્યાંગ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બચાવ, મદદ, રક્ષણ, પુનઃસ્થાપન જેવી કામગીરી કરવી. આવા વિદ્યાર્થીઓ જો ચાલુ અભ્યાસ દરમિયાન શાળા છોડી જાય તો તેનાં કારણો તપાસી તેમને પુનઃસ્થાપનમાં મદદ કરવી.
→ દિવ્યાંગ બાળકો માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના બધા વર્ગોમાં જાગૃતિ અને સહાનુભૂતિની લાગણી પેદા કરવી.
→ વિશિષ્ટ દિવ્યાંગતાવાળાં (Benchmark Disability) બાળકોને તેમના રહેઠાણની નજીક તેમની પસંદગીની શાળામાં અથવા ખાસ શાળામાં પ્રવેશનો અધિકાર રહેશે. આ પ્રકારનું દરેક બાળક 18 વર્ષની વયનું થાય ત્યાં સુધી તેને યોગ્ય વાતાવરણમાં મફત શિક્ષણ અને વિનામૂલ્યે વિશિષ્ટ સાધનોનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
(11) સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત દિવ્યાંગજનો માટે કઈ કઈ સુવિધાઓ ઊભી કરવાનું ઠરાવ્યું છે?
ઉત્તર : દિવ્યાંગજનો સાર્વજનિક સ્થળોએ તેમજ સમાજમાં સામાન્ય માણસોની જેમ સરળતાનો અનુભવ કરે તેમજ તેમને સમાન તકો મળે એ હેતુથી સુગમ્ય ભારત અંતર્ગત નીચે પ્રમાણે સુવિધાઓ ઊભી કરવાનું ઠરાવ્યું છે :
→ દિવ્યાંગજનોને સરકારી અને જાહેર સંસ્થાઓમાં રૅમ્પ(ભોંયતળિયાને જોડનારો ઢાળિયો રસ્તો)ની, બ્રેઇલ લિપિમાં સાઇન બોર્ડ અને ઍસ્કેલેટરની સુવિધા પૂરી પાડવી.
→ દિવ્યાંગ બાળકોને ટેકનિકલ શિક્ષણ આપી તેમને કૌશલ્યવર્ધક બનાવવા પર ભાર મૂકવો.
→ દિવ્યાંગજનોને જીવનવીમો, સ્વાસ્થ્યવર્ધક સંસાધનો, પેન્શન વગેરેની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત, તેમને જરૂર હોય તેવાં વિશિષ્ટ સહાયક ઉપકરણો – સાધનો પૂરાં પાડવાં.
→ દિવ્યાંગજનોને સોંપાયેલા કામને પૃથક્કરણ દ્વારા વિશ્લેષણ કરીને તે અંગેનું શિક્ષણ આપવું.
→ દિવ્યાંગજનોને જાહેર કે સાર્વજનિક સ્થળોએ અલગ ટોઇલેટ કે બાથરૂમની સગવડ પૂરી પાડવી.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મોબાઇલ ઍપથી તેમજ થીમબેઝ દ્વારા શિક્ષણ મળી રહે તેવી સુવિધા પૂરી પાડવી.
→ દિવ્યાંગો માટે સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 4% નાકેરીઓ અનામત રાખવાની કાયદાકીય જોગવાઈ છે. આ જોગવાઈનો ચુસ્તપણે અમલ કરવો.
→ દિવ્યાંગોને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ તેમજ મુસાફરી માટે એસ.ટી. બસ-પાસ અને રેલવે-પાસમાં કન્સેશન વગેરેના લાભો સરકારશ્રી તરફથી આપવામાં આવે છે, તો તેનો ચુસ્તપણે અમલ કરવો.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સહાયક સાધનસામગ્રી તરીકે એબૅકસ, ગણિતપાટી, કેલિપર્સ, ક્રચીસ, ઑડિયો સીડી, બ્રેઇલ ટેક્સ્ટ બુક, લાર્જ પ્રિન્ટેડ મટીરિયલ્સ, શ્રવણયંત્ર, સ્ટિક, વ્હીલચેર, કૃત્રિમ હાથ- પગ વગેરે પૂરાં પાડવાં.
→ દિવ્યાંગો ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી.
→ દિવ્યાંગજનો માટે સુગમ્ય પુસ્તકાલયોની સુવિધા ઊભી કરવી.
→ પ્રતિવર્ષે 3 ડિસેમ્બરના દિવસને ‘વિશ્વ-દિવ્યાંગજનદિન’ તરીકે ઊજવવો.
→ ચૂંટણી સમયે દિવ્યાંગ નાગરિકો મતદાન કરી શકે તે માટે તેમના રહેઠાણની નજીકના વિસ્તારમાં હોય તે મતદાનમથકે મતદાન-કુટિર સુધી જવા માટે વાહનની વ્યવસ્થા કરવી તેમજ દૃષ્ટિહીન દિવ્યાંગ નાગરિકોને ચૂંટણી ઓળખપત્ર અને બેલેટ પેપર (મતપત્ર) બ્રેઇલ લિપિમાં પૂરા પાડવાં.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો.
અથવા
સામાજિક પરિવર્તન એટલે શું? સામાજિક પરિવર્તન વિશે માહિતી આપો.
ઉત્તર : સામાજિક પરિવર્તન : સામાજિક માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં તેમજ સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન ‘સામાજિક પરિવર્તન’ કહેવાય છે.
સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો : પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણને કારણે સામાજિક સંબંધો, કુટુંબવ્યવસ્થા, લગ્નપ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિતકલા વગેરેમાં પરિવર્તનો આવ્યાં છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે.
→ ભૌતિક ચીજવસ્તુઓ, મોજશોખનાં ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતાં વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યાં છે.
→ રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે.
→ આમ, મુખ્યત્વે શહેરીકરણ; સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવાં પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે.
(2) કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે?
અથવા
કાયદાની જાણકારી શા માટે આવશ્યક છે ?
અથવા
કાયદાની જાણકારીની આવશ્યકતા જણાવો.
ઉત્તર : કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેનાં કારણોસર જરૂરી છે :
→ જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ, તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકીએ.
→ શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવાં કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ.
→ ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય, તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ.
→ નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ.
→ સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી, વફાદારી વ્યક્ત કરી શકીએ.
→ બંધારણે આપેલા મૂળભૂત અધિકારો-હકો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા કરી શકીએ.
→ કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે છે.
→ આપણા દેશમાં કાયદાનું શાસન છે. તેથી દરેક નાગરિકને ઓછા- વત્તા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે.
(3) બાળ અત્યાચાર કોને કહે છે? અત્યાચારનો ભોગ બનેલ બાળકો પ્રત્યે આપણી ફરજો કઈ કઈ છે?
ઉત્તર : બાળકને ઇરાદાપૂર્વક કે દુર્ઘટના સ્વરૂપે ઈજા પહોંચાડવી, તેને શારીરિક શિક્ષા કરવી કે ધમકીઓ આપવી, અસહ્ય હદે તેને મારપીટ કરવી, આકરા શબ્દો કે અપશબ્દો બોલીને તેને જાહેરમાં અપમાનિત કરવું વગેરે શારીરિક અને માનસિક ત્રાસ કે હિંસાને બાળ અત્યાચાર કહે છે.
→ જ્યારે આપણને પીડિત બાળકનાં વર્તન-વ્યવહાર કે શારીરિક ઈજાનાં ચિહ્નોની ખબર પડે કે તરત જ તેને દાક્તરી સારવાર કરાવવામાં મદદ કરવી.
→ શોષણ પીડિત બાળક મોટા ભાગે ભય, ધમકી કે શરમ-સંકોચને કા૨ણે કે સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ભયને કારણે પોતાના ૫૨ થયેલા અત્યાચારની જાણ માતાપિતાને કરતાં સંકોચ કે ખચકાટ અનુભવીને માહિતી છુપાવે છે અને અત્યાચાર સહન કર્યા કરે છે. આ પરિસ્થિતિમાં આપણે બાળકને વિશ્વાસમાં લઈને સત્ય હકીકતોને આધારે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જવાબદારોને સજા કરાવવા સત્વરે કાનૂની પગલાં ભરવાં જોઈએ.
→ કુટુંબીજનોએ કે મિત્રોએ અત્યાચારનો ભોગ બનેલ બાળક પ્રત્યે ધૃણા કે તિરસ્કાર દાખવ્યા વિના તેના પ્રત્યે હૂંફ, પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવવાં જોઈએ.
(4) ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર કઈ અસરો થાય છે?
ઉત્તર : ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર થતી અસરો નીચે પ્રમાણે છે :
→ ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે.
→ ભ્રષ્ટાચારથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે, જેનાથી બજારમાં ખરીદશક્તિનો વધારો થાય છે. પરિણામે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે.
→ સામાજિક નીતિનિયમોનું ધોરણ કથળે છે અને નૈતિક મૂલ્યોનો હ્રાસ થાય છે. રાષ્ટ્રીય ચારિત્ર્ય જોખમાય છે.
→ ભ્રષ્ટાચારથી કાયદાની, ન્યાયપ્રણાલીની, સત્તા અને વહીવટી તંત્રની સર્વોચ્ચતા તથા વિશ્વસનીયતા ઓછી થાય છે.
→ પ્રામાણિક વ્યક્તિઓ હતાશા અને નિરાશા અનુભવે છે.
→ ભ્રષ્ટાચાર માનવ-અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે.
→ સમાજમાં આવકની અસમાનતા સર્જાય છે. સમય જતાં વર્ગવિગ્રહ પેદા થાય છે.
(5) માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005 (Right to Information- RTI) વિશે માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005
ઉત્તર : કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 15 જૂન, 2005ના રોજ બહાર પાડ્યો હતો. તે જમ્મુ- કશ્મીર રાજ્ય સિવાય ભારતનાં બધાં રાજ્યોને લાગુ પડે છે.

→ આ કાયદો દેશની ગુપ્તચર સંસ્થા; રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી, એકતા અને અખંડિતતા અંગે કામ કરતી સંસ્થાઓ તેમજ વિદેશી એલચીઓની કચેરીઓના અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે.
→ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના અધિનિયમની જોગવાઈઓને આધીન ‘ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો – 2005’ને 5 ઑક્ટોબર, 2005ના રોજ બહાર પાડ્યા હતા.
[વિશેષ : ગુજરાત સ૨કા૨ે ‘ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો’ 22 માર્ચ, 2005ના જાહેરનામાથી રદ કરીને નવા નિયમો ‘ગુજરાત માહિતી અધિકાર નિયમો – 2010′ પ્રસિદ્ધ કર્યા છે. તે એ જ તારીખથી અમલમાં મૂકવામાં આવ્યા છે.]
→ બધાં સ૨કા૨ી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી આ અધિનિયમ અને નિયમો બનાવવામાં આવ્યા છે.
(6) અન્ન સલામતી વિધેયકના હેતુઓ વર્ણવો.
અથવા
અન્ન સુરક્ષા એટલે શું? રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTF) કોણે, ક્યારે અમલમાં મૂક્યો? આ કાયદાના હેતુઓ જણાવો.
ઉત્તર : અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (Right to Food – RTF) કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ અમલમાં મુક્યો.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે :
→ દેશની વધતી જતી જનસંખ્યાની અનાજની માંગ સંતોષવી તેમજ દરેક સમયે સસ્તા દરે પુરતા પ્રમાણમાં ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું.
→ બાળકોમાં કુપોપણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો તેમજ પોષણયુક્ત આહારના કુલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું.
→ અનાજ વહેંચણીની ‘જાહેર વિતરણ પ્રણાલી’(PDS)ને વધુ સંગીન, પારદર્શક અને સરળ બનાવવી.
→ અંત્યોદય કુટુંબોને અને ગરીબીરેખા હેઠળ (BPL) જીવતાં કુટુંબોને પોષણક્ષમ આહારરૂપે રાહતદરે પુરતા પ્રમાણમાં અનાજ અને જીવનજરૂરિયાતોની અન્ય વસ્તુઓ પૂરી પાડવી.
→ ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ(ધાત્રી માતાઓ)ને પોષણક્ષમ આહારની જરૂરિયાત પૂરી પાડવી.
(7) ભારતમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના લોકો રહે છે. તેમની વચ્ચે સુમેળ અને સંપ જળવાઈ રહે તે માટે તમારાં સૂચનો જણાવો.
ઉત્તર : ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ધર્મની દૃષ્ટિએ ભારત વિશ્વના મુખ્ય ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે. તેથી આપણે દરેક ધર્મનું સમ્માન કરવું જોઈએ. શાળાના અભ્યાસક્રમમાં દરેક ધર્મનાં સારતત્ત્વો – સારી બાબતો દર્શાવવી જોઈએ.
→ દરેક ધર્મના ઉત્સવો લોકોએ એકબીજા સાથે હળીમળીને ઊજવવા જોઈએ.
→ ચુંટણીમાં ધર્મપોષક પક્ષને પ્રજાએ જાકારો આપવો જોઈએ.
→ રેડિયો અને ટેલિવિઝનના માધ્યમથી પ્રજામાં કોમી એકતા જળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
→ બધા ધર્મોના લોકોએ સહઅસ્તિત્વની ભાવનાથી જીવન જીવવું જોઈએ.
(8) દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો.
અથવા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને કઈ કઈ વિશિષ્ટ સવલતો આપવામાં આવે છે? જણાવો.
ઉત્તર : દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા-ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ વિષય-પસંદગીમાં પણ છૂટછાટ આપવામાં આવે છે.
→ દૃષ્ટિહીન ઉમેદવારોને આકૃતિવાળા પ્રશ્નોમાંથી મુક્તિ આપવામાં આવે છે.
→ ભાષાકીય જોડણીમાં છૂટછાટ આપવામાં આવે છે.
→ ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં 30 મિનિટનો સમય વધારે આપવામાં આવે છે.
→ પરીક્ષામાં પ્રશ્નોના ઉત્તરો લખવા માટે લહિયાની સગવડ પૂરી પાડવામાં આવે છે.
→ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટેના 100 ગુણમાંથી ઓછામાં ઓછા 20 ગુણે ઉત્તીર્ણ ગણવામાં આવે છે. (પાસિંગ ધોરણ 20 %).
→ પરીક્ષાકેન્દ્રમાં ભોંયતળિયે બેઠક-વ્યવસ્થા કરવામાં આવે છે. ફર્નિચર સુવિધા પૂરી પાડવામાં આવે
→ દિવ્યાંગ પરીક્ષાર્થીને અનુરૂપ છે તેમજ તેને વિશિષ્ટ સાધનસામગ્રીનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે.
→ દૃષ્ટિહીન પરીક્ષાર્થીઓને બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્રની સુવિધાઓ આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યશ્રી પાસેથી માર્ગદર્શન મેળવવું તેમજ www.disabilityaffairs.gov.in પરથી વિશેષ માહિતી મેળવી શકાશે.
→ દિવ્યાંગજનોના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે 5 % જગ્યાઓ અનામત રાખવી તેમજ પ્રવેશ માટેની વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવી.
(9) દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ – 2016 પ્રસિદ્ધ કરેલ છે. શા માટે?
ઉત્તર : દિવ્યાંગ બાળકો સમાજનું અવિભાજ્ય અંગ છે. તેઓને પૂરતી અને સમાન તકો, સવલતો અને પ્રશિક્ષણ મળે તો તેમની દિવ્યાંગતા તેમને અને સમાજને બાધક બનતી નથી.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓની ક્ષમતાઓ વિકસાવવા માટે ખાસ શૈક્ષણિક અને સામાજિક સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે.
→ તેઓ માત્ર દિવ્યાંગ હોવાથી પૂર્વગ્રહ પ્રેરિત અન્યાયનો ભોગ ન બને તેમજ તેઓ લઘુતાનો અનુભવ ન કરે તે માટે તેમને પ્રોત્સાહનભર્યું અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવું અનિવાર્ય છે.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ શૈક્ષણિક અને સામાજિક એકરૂપતાનો અનુભવ કરે, તો તેમનો વિકાસ – પ્રગતિ થઈ શકે છે.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓને જન્મજાત ગૌરવ મળે, તેમના પ્રત્યે આદરભાવ દાખવામાં આવે તેમજ મૈત્રીભાવ સાથે તેમને સૌની માફક એકસરખી તકો મળે, તો તેમનો નિઃશંક ઉત્કર્ષ થઈ શકે.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં ન આવે. એટલું જ નહિ, શૈક્ષણિક સંસ્થાઓ અને સાર્વજનિક સ્થળોએ તેમને માટે વિશિષ્ટ સવલતો પૂરી પાડવામાં આવે તો તેઓ સમાજમાં સમ્માનભર્યું જીવન જીવી શકે.
→ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં નાગરિકો બને ત્યારે પોતાની વિકાસશીલ શક્તિઓ વડે સમાજના દરેક ક્ષેત્રમાં સહભાગીદારી દાખવી ગૌરવશીલ જીવન જીવી શકે છે.
આમ, દિવ્યાંગ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સ૨કા૨શ્રીએ દિવ્યાંગજન અધિકાર અધિનિયમ – 2016 પ્રસિદ્ધ કરેલ છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો.
અથવા
ભારતના બંધારણે દેશના નાગરિકોને કયા કયા મૂળભૂત અધિકારો આપ્યા છે?
ઉત્તર : ભારતના બંધારણે દેશના નાગરિકોને નીચેના છ મૂળભૂત અધિકારો – હકો આપ્યા છે ઃ
→ સમાનતાનો અધિકાર,
→ સ્વતંત્રતાનો અધિકાર,
→ શોષણવિરોધી અધિકાર,
→ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર,
→ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને
→ બંધારણીય ઇલાજોનો અધિકાર.
[ઈ. સ. 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કર્યો છે. મિલકતના અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.]
(2) બંધારણીય ઇલાજોના અધિકારનું શું મહત્ત્વ છે?
ઉત્તર : પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકને બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે.
→ ડૉ. આંબેડકરના મતે આ અધિકાર ભારતના બંધારણના આત્મા સમાન છે.
→ કોઈ પણ મૂળભૂત અધિકારનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ વડી અદાલત (હાઈકોર્ટ) કે સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) પાસે દાદ માગી શકે છે.
→ નાગરિકના અધિકારોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજ છે. તેથી વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત નાગરિકની ફરિયાદ સાંભળીને તેના મૂળભૂત અધિકારનું રક્ષણ કરે છે.
આમ, મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોના અધિકારનું અનન્ય મહત્ત્વ છે.
(3) બાળકોને મળતા ચાર અધિકારો જણાવો.
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ બાળકોને મળતા અધિકારોમાં નીચેના અધિકારોનો સમાવેશ કર્યો છે :
→ જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે.
→ માતાપિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેનાં માતાપિતાથી અલગ કરી શકાય નહિ.
→ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.
→ દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો અધિકાર છે.
→ બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ આનંદી જીવન જીવવાનો અધિકાર છે.
(4) બાળમજૂરીનાં વિવિધ સ્વરૂપો વર્ણવો.
ઉત્તર : ભારતીય અર્થતંત્રનાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં બાળશ્રમિકો કામ કરતા જોવા મળે છે. જેવાં કે, હોટલો, ફૅક્ટરીઓ, બાંધકામનાં સ્થળો, ફટાકડા ફૅક્ટરીઓ, ઈંટોના ભઠ્ઠા, ખેતરો, પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ વગેરેમાં બાળશ્રમિકો કામ કરે છે. તદુપરાંત, ઘરનોકર તરીકે, ચાની લારીઓ, હોટલો કે ઢાબામાં, ગૅરેજોમાં, લારી ખેંચવી, અખબાર વેચાણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વીણવો, ભીખ માગવી, રસ્તા પર સાફસૂફી વગેરે કામોમાં બાળમજૂરો કામ કરતા જોવા મળે છે.
(5) બાળમજૂરીનાં કારણો જણાવો :
ઉત્તર : બાળમજૂરીનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે :
→ ગરીબી બાળમજૂરીનું મુખ્ય કારણ છે.
આ ઉપરાંત,
→ બાળકનાં માતાપિતાની નિરક્ષરતા,
→ કુટુંબનું મોટું કદ,
→ ગરીબ કુટુંબની આવકમાં બાળમજૂરી કરીને પરિવારને મદદરૂપ થવું,
→ કુટુંબના પુખ્ત વયના સભ્યોની બેરોજગારી,
→ ઘેરથી ભાગીને શહેરમાં આવેલાં બાળકો આશ્રયના અભાવે ગુજરાન ચલાવવા,
→ અનાથ કે નિરાધાર બનેલાં બાળકોને આશ્રય આપનારાઓ તરફથી આશ્રય અને ભોજનના બદલામાં મજૂરી કરવાનું દબાણ.
(6) ભારતમાં કયાં પરિબળોએ વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યાઓ સર્જી છે?
ઉત્તર : ભારતમાં આરોગ્યસંબંધી સેવાઓ, અઘતન તબીબી સારવાર, ઔષધીય સગવડો, સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વગેરે કારણોને લીધે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં સરેરાશ 4.3 વર્ષનો વધારો થયો છે.
→ ઈ. સ. 2001થી 2005ના સમયગાળામાં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 63.2 વર્ષનું હતું, તે વધીને ઈ. સ. 2015માં 67.5 વર્ષનું થયું છે.
→ ભારતમાં ઈ. સ. 2001 – 2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે.
→ ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ ભારતમાં વૃદ્ધ પુરુષોની સંખ્યા 5.11 કરોડ હતી, જ્યારે વૃદ્ધ સ્ત્રીઓની સંખ્યા 5.28 કરોડ હતી.
→ દેશમાં વૃદ્ધોની વધેલી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો – આ બંને પરિબળોએ વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યાઓ સર્જી છે.
(7) વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત શાથી ઊભી થઈ છે?
ઉત્તર : ભારતમાં ઈ. સ. 2001 – 2011ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે.
→ ઈ. સ. 2015માં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 67.5 વર્ષનું થયું છે.
→ આમ, ભારતમાં વૃદ્ધોની વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો – આ બે બાબતોએ વૃદ્ધોની શારીરિક અને સામાજિક સમસ્યાઓ જન્માવી છે.
→ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરોએ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાએ આજનાં સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની નૈતિક ફરજો અને માનવમૂલ્યો ભૂલી ગયાં છે.
→ વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંતાનોની સંવેદનાહીન અને લાગણીશૂન્ય વર્તનવ્યવહારથી મજબૂર બનીને તેમને ‘ઘરડાંઘરો’(વૃદ્ધાશ્રમો)માં રહેવાની ફરજ પડે છે.
→ આ સંજોગોમાં વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
(8) વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્રો(UN)એ શું કર્યું?
ઉત્તર : વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્રો(UN)એ ઈ. સ. 1999ના વર્ષને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 1 ઑક્ટોબરના દિવસને ‘વિશ્વ વૃદ્ધદિન’ તરીકે ઊજવવાનું જાહેર કર્યું હતું.
(9) અસામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય?
અથવા
અસામાજિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપો.
ઉત્તર : સમાજમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય તેવી વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે.
→ ખૂન, ચોરી, અપહરણ, લૂંટફાટ, છેતરપિંડી, બળાત્કાર, સ્ત્રી – બાલિકાઓનો અનૈતિક વેપાર, સાઇબર ક્રાઇમ વગે૨ે અસામાજિક અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ બ્લ્યૂ કૉલર ક્રાઇમ કહેવાય છે; જ્યારે લાંચરુશવત, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળાબજા૨, દાણચોરી, બિનઅધિકૃત જમીન પર દબાણો વગેરે અસામાજિક પ્રવૃત્તિઓ વ્હાઇટ કૉલર ક્રાઇમ કહેવાય છે.
(10) ભ્રષ્ટાચાર શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
અથવા
ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો.
અથવા
ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી, કયા કયા સ્વરૂપે જોવા મળે છે તે જણાવો.
ઉત્તર : વિશ્વબૅન્કે ભ્રષ્ટાચારની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે : ‘ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો તે.’
→ ભ્રષ્ટાચારનું આચરણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. જેમ કે, રોકડ લેવડ- દેવડ કરવી, ભેટ-સોગાદો લેવી, કિંમતી આભૂષણો કે ચીજવસ્તુઓ લેવી, વિદેશ પ્રવાસ કરવો, પક્ષપાતી વલણ દાખવવું, નિર્ણય લેવામાં લાગવગ, સગાંવાદ કે હિતાર્થીઓની તરફેણ કરવી વગેરે.
(11) ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે. શા માટે?
ઉત્તર : ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે. એ નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. પરિણામે ખરીદશક્તિ વધે છે.
→ ખરીદશક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. આની સામે ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી.
→ બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા ઊભી થાય છે.
→ આમ, અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ પુરવઠા કરતાં તેમની કુલ માંગ સતત વધે છે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં એકસાથે ઊંચા દરે વધારો થાય છે, જેથી ભાવસપાટી ઊંચે જાય છે.
→ આથી કહી શકાય કે, ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે.
(12) કોઈ પણ મૂળભૂત અધિકારનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો નાગરિક શું કરી શકે છે?
ઉત્તર : કોઈ પણ મૂળભૂત અધિકારનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર અન્વયે વડી અદાલત (હાઈકોર્ટ) કે સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) પાસે દાદ માગી શકે છે.
(13) નાગરિકોના અધિકારોની ઘોષણા કોણે કરી છે? તેણે શી અપેક્ષા રાખી છે?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રો(UN)એ તેના માનવહકોના ઘોષણાપત્ર- (Charter of Human Rights)માં નાગરિકોના અધિકારોની ઘોષણા કરી છે. વિશ્વનાં બધાં રાષ્ટ્રો પોતાના નાગરિકોને એ અધિકારો આપે એવી તેણે અપેક્ષા રાખી છે.
(14) બાળકોના અધિકારોની ઘોષણા કોણે, ક્યારે કરી છે? તેણે શી અપેક્ષા રાખી છે?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રો(UN)એ ઈ. સ. 1992માં તેના અધિકારોના ઘોષણાપત્ર(Charter of Human Rights)માં બાળકોના કલ્યાણ અને વિકાસ માટે કેટલાક બાળ-અધિકારોની ઘોષણા કરી છે. સંયુક્ત રાષ્ટ્રો(UN)નાં બધાં સભ્યરાષ્ટ્રો એ અધિકારોને પોતાના બંધારણમાં સ્થાન આપે અને વ્યવહારમાં ચરિતાર્થ કરે એવી અપેક્ષા તેણે રાખી છે.
(15) ઈ. સ. 1964માં સ્થપાયેલ કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરોનું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તર : ઈ. સ. 1964માં સ્થપાયેલ કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરોનું મુખ્ય કાર્ય સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું અને એ આરોપો સાચા જણાય તો ગુનેગારોને અદાલતી શિક્ષા કરાવવાનું છે.
(17) ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ – 1988નો મુખ્ય ઉદ્દેશ શો છે?
ઉત્તર : ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ – 1988નો મુખ્ય ઉદ્દેશ ભારતના સાર્વજનિક જીવનને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનો છે. આ અધિનિયમ અનુસાર લાંચરુશવત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે અને દોષિત ગુનેગાર આ કાનૂન અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે.
(18) ભારત સરકારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ક્યારે, શા માટે પસાર કર્યો?
ઉત્તર : ભારત સરકારે પ્રજાના પોષણક્ષમ આહારના સ્તરને અને જીવનધોરણને ઊંચું લાવવા તેમજ જનસુખાકારી અને લોકકલ્યાણમાં સુધારો કરવા 5 જુલાઈ, 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – 2013 (RTF – 2013) પસાર કર્યો.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :
(1) ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ ……… છે.
A. પશ્ચિમીકરણ
B. રૂઢિઓ
C. સાક્ષરતા
ઉત્તર : A. પશ્ચિમીકરણ
(2) માનવ-અધિકારો એ ……… નું અનિવાર્ય લક્ષણ છે.
A. નાગરિકતા
B. બંધારણ
C. સંસ્કૃતિ
ઉત્તર : A. નાગરિકતા
(3) ……. માનવકોનું ઘોષણાપત્ર ઘોષિત કર્યું હતું.
A. વિશ્વબૅન્કે
B. ગ્રેટ બ્રિટને
C. સંયુક્ત રાષ્ટ્રોએ
ઉત્તર : C. સંયુક્ત રાષ્ટ્રોએ
(4) ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના ……… મૂળભૂત અધિકારો આપ્યા છે.
A. પાંચ
B. છ
C. સાત
ઉત્તર : B. છ
(5) ‘……… ‘ને બંધારણનો આત્મા કહે છે.
A. સ્વતંત્રતાના અધિકાર
B. સમાનતાના અધિકાર
C. બંધારણીય ઇલાજોના અધિકાર
ઉત્તર : C. બંધારણીય ઇલાજોના અધિકાર
(6) આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ ……… નો છે.
A. બાળકો
B. સ્ત્રીઓ
C. વૃદ્ધો
ઉત્તર : A. બાળકો
(7) સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ. ………..માં માનવહકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.
A. 1980
B. 1985
C. 1992
ઉત્તર : C. 1992
(8) બાળમજૂરી એ ………. સમસ્યા છે.
A. વૈશ્વિક
B. રાષ્ટ્રીય
C. પ્રાદેશિક
ઉત્તર : A. વૈશ્વિક
(9) …….. વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળશ્રમિક કહેવાય છે.
A. 16
B. 14
C. 18
ઉત્તર : B. 14
(10) યુનિસેફના અહેવાલ મુજબ, બાળમજૂરોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધારે ……. માં છે.
A. ભારત
B. ચીન
C. અમેરિકા
ઉત્તર : A. ભારત
(11) બાળશ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું ……. નું સાધન છે.
A. ઉત્પાદન
B. વેપાર
C. ખેતી
ઉત્તર : A. ઉત્પાદન
(12) રાજ્ય સરકારોએ …….. ની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો – 2009 અમલમાં મૂક્યો છે.
A. 8થી 16
B. 5થી 12
C. 6થી 14
ઉત્તર : C. 6થી 14
(13) વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન ……… છે.
A. રાષ્ટ્રવ્યાપી
B. વિશ્વવ્યાપી
C. પ્રાદેશિક
ઉત્તર : B. વિશ્વવ્યાપી
(14) ભારતમાં આરોગ્યવિષયક સેવાઓને કારણે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં ……… વર્ષનો વધારો થયો છે.
A. 4.3
B. 7.5
C. 8.2
ઉત્તર : A. 4.3
(15) ભારતમાં ઈ. સ. 2015માં પ્રજાનું સરેરાશ આયુષ્ય ……. વર્ષનું થયું છે.
A. 63.2
B. 67.5
C. 72.8
ઉત્તર : B. 67.5
(16) ભારતમાં ઈ. સ. 2001 – 11ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં …….. કરોડનો વધારો થયો છે.
A. 2.75
B. 6.5
C. 1.75
ઉત્તર : A. 2.75
(17) ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા ……… કરોડ હતી.
A. 6.28
B. 5.11
C. 5.28
ઉત્તર : C. 5.28
(18) ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ પુરુષોની સંખ્યા ……. કરોડ હતી.
A. 5.28
B. 6.28
C. 5.11
ઉત્તર : C. 5.11
(19) ભારતની વૃદ્ધોની સૌથી વધારે વસ્તી ……… માં છે.
A. કેરલ
B. મહારાષ્ટ્ર
C . અરુણાચલ પ્રદેશ
ઉત્તર : A. કેરલ
(20) ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે …….. લાખથી વધારે છે.
A. 42
B. 35
C. 38
ઉત્તર : B. 35
(21) સંયુક્ત રાષ્ટ્રો(UN)એ ઈ. સ. 1999ના વર્ષને ……. તરીકે ઘોષિત કર્યું હતું.
A. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
B. આંતરરાષ્ટ્રીય પુરુષ વર્ષ
C. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ
ઉત્તર : A. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
(22) આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે ……..ના દિવસને ‘વિશ્વ વૃદ્ધ- દિન’ તરીકે ઊજવવામાં આવે છે.
A. 1 ઑક્ટોબર
B. 12 માર્ચ
C. 10 ડિસેમ્બર
ઉત્તર : A. 1 ઑક્ટોબર
(23) ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ’ ……… કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી છે.
A. 2001
B. 1980
C. 1999
ઉત્તર : C. 1999
(24) ભ્રષ્ટાચાર એ ……… દૂષણ છે.
A. પ્રાદેશિક
B. રાષ્ટ્રીય
C. વૈશ્વિક
ઉત્તર : C. વૈશ્વિક
(25) ભારતમાં ઈ. સ. ……..માં ‘કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરો’ની સ્થાપના કરી છે.
A. 1952
B. 1964
C. 1972
ઉત્તર : B. 1964
(26) કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ ………., 2005ના રોજ બહાર પાડ્યો છે.
A. 15 જૂન
B. 5 માર્ચ
C. 2 ઑક્ટોબર
ઉત્તર : A. 15 જૂન
(27) ગુજરાત સરકારે ‘ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો- 2005′ …….., 2005 ના રોજ બહાર પાડ્યા અને અમલીકૃત 2005′ કર્યા છે.
A. 5 ઑક્ટોબર
B. 15 જૂન
C. 20 માર્ચ
ઉત્તર : A. 5 ઑક્ટોબર
(28) કેન્દ્ર સરકારે ઈ. સ. …… માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે.
A. 2012
B. 2002
C. 2009
ઉત્તર : C. 2009
(29) ગુજરાત સરકારે …… 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012′ જાહેર કર્યા છે.
A. 21 નવેમ્બર
B. 18 ફેબ્રુઆરી
C. 10 જૂન
ઉત્તર : B. 18 ફેબ્રુઆરી
(30) કેન્દ્ર સરકારે ……… , 2013ના રોજ ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો’ અમલમાં મૂક્યો છે.
A. 5 જુલાઈ
B. 10 જૂન
C. 1 ડિસેમ્બર
ઉત્તર : A. 5 જુલાઈ
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ઊંચું હોવાથી લોકોને કાયદાનું સામાન્ય જ્ઞાન ઓછું જોવા મળે છે.
(2) સાક્ષરતા એ ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ છે.
(3) માનવ-અધિકારો એ માનવતાનું અનિવાર્ય લક્ષણ છે.
(4) માનવહકોનું ધોષણાપત્ર સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ જાહેર કર્યું છે.
(5) ભારતના બંધારણે દરેક નાગરિકને પાંચ મૂળભૂત અધિકારો આપ્યા છે.
(6) બંધારણીય ઇલાજોના અધિકારને ‘બંધારણને આત્મા’ કહે છે.
(7) આપણા સમાજમાં સૌથી વધુ સુરક્ષિત વર્ગ બાળકોનો છે.
(8) સંયુક્ત રાષ્ટ્રોના ‘અધિકારોના ઘોષણાપત્ર’માં કેટલાક બાળ- અધિકારો જાહેર કર્યા છે.
(9) બાળક ખૂબ જ સંવેદનશીલ હોય છે.
(10) બાળમજૂરી એ જે-તે રાષ્ટ્રની સમસ્યા છે.
(11) 18 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળશ્રમિક કહેવાય છે.
(12) બાળમજૂરોની વિશ્વમાં સૌથી વધુ સંખ્યા ભારતમાં છે.
(13) બાળશ્રમિક એ શ્રમનું મોંઘામાં મોંઘું ઉત્પાદનનું સાધન છે.
(14) વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન વિશ્વવ્યાપી છે.
(15) વૃદ્ધાવસ્થા એ કુદરતી ક્રમ છે.
(16) ઈ. સ. 2015માં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 72 વર્ષનું થયું છે.
(17) ભારતમાં વૃદ્ધોની સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં છે.
(18) ભારતમાં ઈ. સ. 2001 – 2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે.
(19) ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે 35 લાખથી વધારે છે.
(20) સંયુક્ત રાષ્ટ્રોએ સન 1999ના વર્ષને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે ઘોષિત કર્યું હતું.
(21) દર વર્ષે 1 ઑક્ટોબરના દિવસને ‘વિશ્વ વૃદ્ધદિન’ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવવામાં આવે છે.
(22) કેન્દ્ર સરકાર દ્વારા ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 2005′ અમલમાં આવી છે.
(23) સરકારે ‘માતા-પિતા અને સિનિયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણસંબંધી કાયદો – 2007′ અમલમાં મૂક્યો છે.
(24) ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે.
(25) ભ્રષ્ટાચારની વ્યાખ્યા સંયુક્ત રાષ્ટ્રોએ આપી છે.
(26) ભારતમાં સરકારે ઈ. સ. 1980માં ‘કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરો’ની સ્થાપના કરી છે.
(27) ભારત સરકારે ભ્રષ્ટાચારને અટકાવવા ‘ભ્રષ્ટાચાર વિરોધી નિયમો – 1988 બનાવ્યા છે.
(28) કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 15 જૂન, 2008માં બહાર પાડ્યો છે.
(29) ગુજરાત સરકારે 5 ઑક્ટોબર, 2005ના રોજ ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો બહાર પાડ્યા છે.
(30) કેન્દ્ર સરકારે ઈ. સ. 2011માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂકયો છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખોટું
(3) ખોટું
(4) ખરું
(5) ખોટું
(6) ખરું
(7) ખોટું
(8) ખરું
(9) ખરું
(10) ખોટું
(11) ખોટું
(12) ખરું
(13) ખોટું
(14) ખરું
(15) ખરું
(16) ખોટું
(17) ખોટું
(18) ખરું
(19) ખરું
(20) ખરું
(21) ખરું
(22) ખોટું
(23) ખરું
(24) ખરું
(25) ખોટું
(26) ખોટું
(27) ખરું
(28) ખોટું
(29) ખરું
(30) ખોટું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની ઓછી જાણકારી હોવાનું કારણ કયું છે?
ઉત્તર : સાક્ષરતાનો નીચો દર
(2) અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
ઉત્તર : નાગરિકતાનું
(3) આપણા અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણે કયો અધિકાર આપ્યો છે?
ઉત્તર : બંધારણીય ઇલાજોનો અધિકાર
(4) વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઈ અદાલતમાં દાદ માગી શકે છે?
ઉત્તર : વડી અદાલતમાં
(5) કયો મૂળભૂત હક ‘બંધારણનો આત્મા’ કહેવાય છે?
ઉત્તર : બંધારણીય ઇલાજોનો હક
(6) ભારતના બંધારણે કોની સ્થાપના માટે નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે?
ઉત્તર : લોકતંત્રની
(7) નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે?
ઉત્તર : ન્યાયતંત્રની
(8) બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી ઘોષણા કોના તરફથી કરવામાં આવી છે?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રો તરફથી
(9) રાષ્ટ્રની સંપત્તિ કોણ ગણાય છે?
ઉત્તર : બાળકો
(10) માનવકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રોએ
(11) નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે?
ઉત્તર : અધિકારો
(12) આપણા સમાજમાં કયો વર્ગ સૌથી વધુ અસુરક્ષિત છે?
ઉત્તર : બાળકો
(13) વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
ઉત્તર : ભારતમાં
(14) સામાજિક વિકાસની પૂર્વશરત કઈ છે?
ઉત્તર : બાળવિકાસ
(15) વિશ્વમાં બાળ-અધિકારો કોણે જાહેર કર્યા છે?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રોએ
(16) બાળમજૂરી એ કેવી સમસ્યા છે?
ઉત્તર : વૈશ્વિક
(17) શ્રમનું સૌથી સસ્તું સાધન કયું છે?
ઉત્તર : બાળકો
(18) બાળમજૂરીનું મુખ્ય કારણ કયું છે?
ઉત્તર : ગરીબી
(19) ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?
ઉત્તર : કેરલ
(20) ભારતમાં સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?
ઉત્તર : અરુણાચલ પ્રદેશમાં
(21) ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ની ઘોષણા કોણે કરી હતી?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રોએ
(22) ભારત સરકારે વૃદ્ધજનો માટે કઈ નીતિ જાહેર કરી છે?
ઉત્તર : રાષ્ટ્રીય નીતિ
(23) વૃદ્ધોની સમસ્યા કેવી છે?
ઉત્તર : વ્યક્તિગત છે.
(24) ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?
ઉત્તર : વિશ્વબૅન્કે
(25) ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?
ઉત્તર : સમાજવિરોધી
(26) ભ્રષ્ટાચાર કોને હણી નાખી અન્યાય પેદા કરે છે?
ઉત્તર : માનવ-અધિકારને
(27) વિભક્ત કુટુંબોને કારણે ઘણા વૃદ્ધોને ક્યાં રહેવાની ફરજ પડે છે?
ઉત્તર : ઘરડાંઘરમાં
(28) દિવ્યાંગોને કયો અધિકાર આપવામાં આવ્યો છે?
ઉત્તર : શૈક્ષણિક અધિકાર
(29) શારીરિક, માનસિક, સાંવેગિક કે સામાજિક લાક્ષણિકતાઓમાં અન્યથી જુદાં પડતાં હોય તેવાં બાળકોને કેવાં બાળકો કહેવામાં આવે છે?
ઉત્તર : દિવ્યાંગ બાળકો
(30) ભારત સરકારે દિવ્યાંગજનો માટે ઈ. સ. 2016માં કયો અધિનિયમ પ્રસિદ્ધ કર્યો છે?
ઉત્તર : દિવ્યાંગજન અધિકાર અધિનિયમ
(31) અંધત્વ કે સંપૂર્ણ દૃષ્ટિહીન દિવ્યાંગતાને અંગ્રેજીમાં શું કહેવાય?
ઉત્તર : Blindness
(32) અલ્પ દૃષ્ટિની દિવ્યાંગતાને અંગ્રેજીમાં શું કહેવાય?
ઉત્તર : Low Vision
(33) માનસિક બીમારીને અંગ્રેજીમાં શું કહેવાય?
ઉત્તર : Mental Illness
(34) દિવ્યાંગ વિદ્યાર્થીને જાહેર પરીક્ષામાં પ્રશ્નપત્રના ઉત્તરો લખવા માટે શાની સુવિધા પૂરી પાડવામાં આવે છે?
ઉત્તર : લહિયાની સુવિધા
(35) પ્રતિવર્ષે 3 ડિસેમ્બરના દિવસને કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
ઉત્તર : ‘વિશ્વ-દિવ્યાંગજન દિવસ’
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે?
A. પરંપરાવાદી માનસ
B. આરામપ્રિયતા
C. રિવાજોને મહત્ત્વ
D. સાક્ષરતાનો નીચો દર
ઉત્તર : D. સાક્ષરતાનો નીચો દર
2. અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
A. અધિકારીઓનું
B. રાજકારણનું
C. ચૂંટણીઓનું
D. નાગરિકતાનું
ઉત્તર : D. નાગરિકતાનું
3. આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે?
A. ‘ચાર્ટર ઑફ મૅનકાઇન્ડ’માંથી
B. ‘ચાર્ટર ઑફ ઍટલૅન્ટિક’માંથી
C. ‘ચાર્ટર ઑફ રાઇટ્સ’માંથી
D. ‘ચાર્ટર ઑફ ફ્રીડમ’માંથી
ઉત્તર : C. ‘ચાર્ટર ઑફ રાઇટ્સ’માંથી
4. કયો મૂળભૂત હક ‘બંધારણનો આત્મા’ કહેવાય છે?
A. બંધારણીય ઇલાજોનો અધિકાર
B. સ્વતંત્રતાનો અધિકાર
C. સમાનતાનો અધિકાર
D. શોષણવિરોધી અધિકાર
ઉત્તર : A. બંધારણીય ઇલાજોનો અધિકાર
5. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે?
A. રાષ્ટ્રપ્રમુખની
B. વડા પ્રધાનની
C. કેન્દ્ર સરકારની
D. ન્યાયતંત્રની
ઉત્તર : D. ન્યાયતંત્રની
6. માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું?
A. ગ્રેટ બ્રિટને
B. સંયુક્ત રાષ્ટ્રોએ
C . યુનેસ્કોએ
D. વિશ્વબૅન્કે
ઉત્તર : B. સંયુક્ત રાષ્ટ્રોએ
7. નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે?
A. સાંપ્રદાયિકતા
B. અધિકારો
C. અસમાનતા
D. ફરજ
ઉત્તર : B. અધિકારો
8. કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?
A. 17 વર્ષ
B. 21 વર્ષ
C. 18 વર્ષ
D. 14 વર્ષ
ઉત્તર : D. 14 વર્ષ
9. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
A. ચીનમાં
B. ભારતમાં
C. રશિયામાં
D. બ્રાઝિલમાં
ઉત્તર : B. ભારતમાં
10. બાળમજૂરીએ કેવી સમસ્યા છે?
A. પ્રાદેશિક
B. વૈશ્વિક
C. રાષ્ટ્રીય
D. વ્યક્તિગત
ઉત્તર : B. વૈશ્વિક
11. શ્રમનું સૌથી સસ્તું ઉત્પાદનનું સાધન કયું છે?
A. વૃદ્ધ
B. બાળક શ્રમિક
C. સ્ત્રી
D. યુવાન
ઉત્તર : B. બાળક શ્રમિક
12. ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા ક્યા રાજ્યમાં છે?
A. પશ્ચિમ બંગાળમાં
B. કેરલમાં
C. અરુણાચલ પ્રદેશમાં
D. ઉત્તર પ્રદેશમાં
ઉત્તર : B. કેરલમાં
13. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે?
A. રૂઢિઓ-પરંપરાઓ
B. લોકમત
C. પશ્ચિમીકરણ
D. સાક્ષરતા
ઉત્તર : C. પશ્ચિમીકરણ
14. ‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે?
A. 8 માર્ચે
B. 1 ઑક્ટોબરે
C. 1 એપ્રિલે
D. 15 જૂને
ઉત્તર : B. 1 ઑક્ટોબરે
15. ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ની ઘોષણા કોણે કરી હતી?
A. વિશ્વબન્યું
B. યુનેસ્કોએ
C. વિશ્વ-આરોગ્ય સંસ્થાએ
D. સંયુક્ત રાષ્ટ્રોએ
ઉત્તર : D. સંયુક્ત રાષ્ટ્રોએ
16. સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે ઘોષિત કર્યું હતું?
A. ઈ. સ. 1999ને
B. ઈ. સ. 1992ને
C. ઈ. સ. 1980ને
D. ઈ. સ. 1978ને
ઉત્તર : A. ઈ. સ. 1999ને
17. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?
A. વિશ્વબૅન્કે
B. સંયુક્ત રાષ્ટ્રોએ
C. ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલે
D. એશિયન ડેવલપમેન્ટ બૅન્કે
ઉત્તર : A. વિશ્વબૅન્કે
18. નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે?
A. ચૂંટણીપંચની
B. સરકારી યોજનાઓની
C. ન્યાયિક ચુકાદાની
D. રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતોની
ઉત્તર : D. રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતોની
19. મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે?
A. જન્મના દાખલા વગર પ્રવેશ
B. ખાસ તાલીમની સુવિધા
C. પ્રવેશ કસોટી વિના પ્રવેશ
D. પ્રવેશ સમયે કેપિટેશન ફી
ઉત્તર : D. પ્રવેશ સમયે કેપિટેશન ફી
20. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતને અમલમાં મૂકી છે?
A. બારકોડેડ પરસનલ કાર્ડ
B. એ.ટી.એમ. કાર્ડ
C. બાયોમૅટ્રિક ઓળખ
D. ચૂંટણીનું ઓળખપત્ર
ઉત્તર : C. બાયોમૅટ્રિક ઓળખ
21. ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?
A. પ્રાંતવિરોધી
B. સમાજવિરોધી
C. મહિલાવિરોધી
D. રાષ્ટ્રવિરોધી
ઉત્તર : B. સમાજવિરોધી
22. ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે?
A. રાજમહેલ રોડ – વડોદરા
B. જિલ્લા પંચાયત – રાજકોટ
C. ઉદ્યોગ ભવન – ગાંધીનગર
D. શાહીબાગ – અમદાવાદ
ઉત્તર : B. જિલ્લા પંચાયત – રાજકોટ
23. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTF) ક્યારે અમલમાં આવ્યો?
A. 5 જુલાઈ, 2013ના રોજ
B. 10 ઑગસ્ટ, 2015ના રોજ
C. 26 જાન્યુઆરી, 2010ના રોજ
D. 21 માર્ચ, 2012ના રોજ
ઉત્તર : A. 5 જુલાઈ, 2013ના રોજ
24. માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005 (RTI – 2005) ક્યા રાજ્યને લાગુ પડતો નથી?
A. સિક્કિમને
B. અરુણાચલ પ્રદેશને
C. કેરલને
D. જમ્મુ-કશ્મીરને
ઉત્તર : D. જમ્મુ-કશ્મીરને
25. ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે?
A. પાંચ
B. છ
C. સાત
D. આઠ
ઉત્તર : B. છ
26. આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?
A. સ્ત્રીઓ
B. વૃદ્ધો
C. બાળકો
D. યુવાનો
ઉત્તર : C. બાળકો
27. ઈ. સ. 2015માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલાં વર્ષનું થયું છે?
A. 67.5 વર્ષનું
B. 70.5 વર્ષનું
C. 72.4 વર્ષનું
D. 75 વર્ષનું
ઉત્તર : A. 67.5 વર્ષનું
28. ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે કેટલી છે?
A. 40 લાખથી વધુ
B. 42 લાખથી વધુ
C. 45 લાખથી વધુ
D. 35 લાખથી વધુ
ઉત્તર : D. 35 લાખથી વધુ
29. કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે?
A. ઈ. સ. 1992માં
B. ઈ. સ. 1999માં
C. ઈ. સ. 1985માં
D. ઈ. સ. 1981માં
ઉત્તર : B. ઈ. સ. 1999માં
30. ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?
A. સરકારી
B. વ્યક્તિગત
C. રાષ્ટ્રીય
D. વૈશ્વિક
ઉત્તર : D. વૈશ્વિક
31. એક વર્ગખંડમાં શિક્ષક વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓનાં રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલાં પગલાંનાં મંતવ્યો આપે છે. તેમાં કોણ ખોટું છે તે જણાવો.
જૅક : વૃદ્ધોને બૅન્ક કે પોસ્ટઑફિસમાં મૂકેલ ડિપૉઝિટ પર વધુ વ્યાજ અપાય છે.
જીલ : દરેક જિલ્લામાં સુવિધાયુક્ત ‘ઘરડાંઘરો’ ખોલ્યાં છે.
ડેવિડ : ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 1899′ હેઠળ વૃદ્ધોને પેન્શન કે આર્થિક સહાય અપાય છે.
જૉન : બસ, રેલવે, હવાઈ મુસાફરીમાં પુરુષો અને સ્ત્રીઓને ટિકિટના દરમાં 50 ટકા સુધીની રાહત અપાય છે.
A. જૅક
B. ડેવિડ
C. જૉન
D. જીલ
ઉત્તર : B. ડેવિડ
32. દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી તેને મફત શિક્ષણ આપવામાં આવે છે?
A. 15 વર્ષની
B. 16 વર્ષની
C. 17 વર્ષની
D. 18 વર્ષની
ઉત્તર : D. 18 વર્ષની
33. ભારત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ક્યા વર્ષે પ્રસિદ્ધ કર્યો?
A. ઈ. સ. 2014માં
B. ઈ. સ. 2015માં
C. ઈ. સ. 2016માં
D. ઈ. સ. 2017માં
ઉત્તર : C. ઈ. સ. 2016માં
34. પ્રતિવર્ષે ‘વિશ્વ-દિવ્યાંગજનદિન’ કયા દિવસે ઊજવવામાં આવે છે?
A. 3 ડિસેમ્બરના દિવસે
B. 3 જૂનના દિવસે
C. 10 જાન્યુઆરીના દિવસે
D. 20 ડિસેમ્બરના દિવસે
ઉત્તર : A. 3 ડિસેમ્બરના દિવસે
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here