Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
પ્રક૨ણસાર
- કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી- હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને ‘શિલ્પ’ કહેવામાં આવે છે. આમ, આકાર બનાવવાની કલા ‘શિલ્પકલા’ કહેવાય છે.
- મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને ‘સ્થાપત્ય’ કહે છે.
- પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે : (1) શાસક અધિકારીઓનો ગઢ (સિટડલ), (2) અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને (3) સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર.
- મોહેં-જો-દડોનો અર્થ ‘મરેલાંનો ટેકરો’ એવો થાય છે. નદીઓનાં પૂર અને ભેજથી બચવા માટે મોહેં-જો-દડોનાં મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં; જ્યારે સામાન્ય વર્ગનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં.
- મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી. મોહેં-જો-દડો જેવી ગટર યોજના દુનિયામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં હતી.
- મોહેં-જો-દડોમાંથી મળી આવેલાં બે મકાનોનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટ કે રાજ્યના કોઠાર તરીકે થતો હોવાનું મનાય છે.
- ઈ. સ. 1921માં સર જ્હૉન માર્શલ અને કર્નલ મૅકેના નેતૃત્વ નીચે દયારામ સહાનીએ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી હતી. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા હતા. તેથી સિંધુખીણની સંસ્કૃતિને ‘હડપ્પીય સંસ્કૃતિ’ કહે છે.
- પ્રાચીન નગર ધોળાવીરા કચ્છમાં ભુજથી આશરે 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું છે.
- લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી આ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
- ‘સ્તૂપ’ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષો(કે એક અવશેષ)ને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઇમારત. સમ્રાટ અશોકના સમયના આ પાંચ સ્તૂપો જાણીતા છે : (1) સાંચીનો સ્તૂપ, (2) સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, (3) બેરતનો સ્તૂપ, (4) નંદનગઢનો સ્તૂપ અને (5) દેવની મોરીનો સ્તૂપ (સાબરકાંઠા).
- સ્થાપત્યક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફાવિહારો, ચૈત્યો (ઉપાસના ગૃહ) અને સ્તૂપોની ભેટ આપી છે.
- સ્તંભલેખ એક જ શિલામાંથી – પથ્થરમાંથી કોતરીને, ઘસીઘસીને ચળકાટ આપીને બનાવવામાં આવતા. મૌર્યસમ્રાટ અશોકની ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે. મૌર્યયુગ દરમિયાન સારનાથ, અંબાલા, મેરઠ, અલાહાબાદ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય ભારત), કાશી, પટના, બુદ્ધગયા (બોધિગયા) વગેરે સ્થળોએ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા.
- મૌર્યસમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે. સારનાથના સ્તંભની ટોચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંક્તિ કરવામાં આવ્યા છે. સારનાથના સ્તંભના ધર્મચક્રને પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં અને ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
- ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં – તળેટીમાં આવેલો છે.
- ગુપ્તયુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે કલાઓનો અપૂર્વ વિકાસ થયો હતો. આથી તે ભારતીય કલાનો ‘સુવર્ણયુગ’ કહેવાય છે.
- દ્રવિડ શૈલીના સ્તૂપો અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે. દ્રવિડ શૈલીના સ્તૂપો દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમયમાં બંધાયા હતા.
- સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે.
- ખાપરા-કોડિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી છે. ગુજરાતમાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે. ગુજરાતમાં ખંભાલીડા (ગોંડલ), ઢાંક (રાજકોટ) અને ઉપરકોટ (જૂનાગઢ) ખાતે ત્રણ ગુફાસમૂહો તેમજ તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે.
- કાંચીનું કૈલાસનાથનું રથમંદિર અને વેંકટપેરૂમલનું રથમંદિર કલા- સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. પલ્લવ રાજાઓએ બનાવેલ ‘મહાબલિપુરમ્’નો મંડપ (ગુફામંદિર) અને મહાબલિપુરમ્ના સાત રથનું મંદિર – આ બે રથમંદિરો વિશ્વવિખ્યાત છે. રથમંદિરોમાં સૌથી મોટું ધર્મરાજ(યુધિષ્ઠિર)નું અને સૌથી નાનું દ્રૌપદીનું છે.
- ગુપ્તકાલીન સ્થાપત્યકલાના વિશિષ્ટ નમૂનારૂપ દક્ષિણ ભારતમાં બિજાપુર જિલ્લામાં આવેલું લારખાનનું મંદિર અને મધ્ય પ્રદેશમાં જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવમંદિર પ્રસિદ્ધ છે.
- દક્ષિણ ભારતમાં ગંતુર જિલ્લામાં આવેલો નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના બે ઉત્તમ નમૂનાઓ છે.
- ગુપ્તકાલીન શિલ્પકલાની નાલંદા(સુલતાનગંજ)ની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ અને મથુરાના જૈનમંદિરની મૂર્તિ પ્રખ્યાત છે.
- ચોલવંશની રાજધાની થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. તે ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
- પાંડ્ય રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દીવાલો તેમજ ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા, જેને ‘ગોપુરમ્’ કહેવામાં આવે છે. કાંચી અને મદુરાનાં મંદિરો જોઈને કલારસિકો મંત્રમુગ્ધ બને છે. તાંજોરના બૃહદેશ્વર મંદિરને તેર માળનું ‘ગોપુરમ્’ છે.
- ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યાં હતાં.
- રાજગૃહ(બિહાર)માં આ પાંચ જૈનમંદિરો આવેલાં છે : 1. વૈભાર, 2. વિપુલાચલ, 3. રત્નગિરિ, 4. ઉદયગિરિ અને 5. શ્રમણગિરિ.
- રાજસ્થાનમાં માઉન્ટ આબુનાં દેલવાડા અને રાણકપુરનાં જૈન દેરાસરો શિલ્પ-સ્થાપત્યકલાની દૃષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. માઉન્ટ આબુ પર દેલવાડામાં સોલંકી યુગમાં ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાવેલ ‘વિમલ-વસહી’ અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ ‘લૂણ-વસહી’ નામનાં દેરાસરોની શિલ્પકલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.
- ગુજરાતમાં મોઢેરા (મહેસાણા) ખાતે આવેલું સૂર્યમંદિર સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયું હતું.
- દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ્-ઇસ્લામ’ અને અજમેરમાં ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી. મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદીના મસ્જિદ, જલાલુદ્દીન મુહમ્મદશાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયું હતું. અટાલા મસ્જિદ જૌનપુર(ઉત્તર પ્રદેશ)માં તુર્ક સુલતાનોએ બંધાવી હતી.
- ભારતમાં ગોળગુંબજનું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં બિજાપુર ખાતે આવેલું છે.
- અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ ઈ. સ. 1424માં અમદાવાદના સુલતાન અહમદશાહ પહેલાએ બંધાવી હતી. મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી – મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ (મસ્જિદે નગીના) વગેરે મસ્જિદોનું નિર્માણ થયું હતું.
- ગુજરાતમાં હઠીસિંગનાં જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગિરિ – શેત્રુંજયગિરિ પર આદેશ્વર ભગવાનનું મંદિર – પાલિતાણા વગેરે જૈન દેરાસરો (જૈનમંદિરો) શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ ઘણાં કલાત્મક છે.
- ગુજરાતમાં અડાલજની વાવ, દાદા હિરની વાવ (અમદાવાદ), રાણકી (રાણીની) વાવ (પાટણ), ડભોઈની વાવ (ડભોઈ) વગેરે ભવ્ય વાવો આવેલી છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.
ઉત્તર : મોહેં-જો-દડો નગરના રસ્તાઓ :
→ અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા.
→ નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા.
→ રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રિ- પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે.
→ રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા નહિ.
→ બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા.
→ ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા.
મોહેં-જો-દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર- આયોજનની આગવી વિશિષ્ટતા હતી.
→ પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.
→ નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
→ મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો.
→ ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું.
→ ગટરો ઉપર અમુક અંતરે પથ્થરનાં ઢાંકણાં હતાં. આ ઢાંકણાં ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી.
→ આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે.
→ ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દૃષ્ટિનો ઉત્તમ નમૂનો છે.
(2) મૌર્યયુગ દરમિયાન થયેલી સ્થાપત્યકલાના વિકાસની માહિતી આપો.
ઉત્તર : મૌર્યયુગ દરમિયાન ભારતમાં બૌદ્ધ ધર્મના સ્તૂપો, વિહારો, ચૈત્યો, સ્તંભલેખો અને શિલાલેખોની સ્થાપત્યકલાનો વિકાસ થયો હતો.
1. સ્તૂપ : ભગવાન બુદ્ધના શરીરના અગ્નિ-સંસ્કારને અંતે શેષ રહેલાં અસ્થિ, દાંત, રાખને પવિત્ર ધાતુપાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારત બાંધવામાં આવતી. આ પ્રકારના સ્મારકને ‘સ્તૂપ’ કહેવામાં આવતો.
→ સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ- સ્થાપત્યના વિકાસનો યુગ હતો. સમ્રાટ અશોકના સમયના આ પાંચ સ્તૂપો ખૂબ પ્રખ્યાત છે : (1) સાંચીનો સ્તૂપ, (2) સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, (૩) બેરતનો સ્તૂપ, (4) નંદનગઢનો સ્તૂપ અને (5) ગુજરાતમાં દેવની મોરી(સાબરકાંઠા)નો સ્તૂપ.
→ હાલના સ્તૂપ કરતાં અડધા કદના વિખ્યાત સાંચીના મૂળ સ્તૂપનું નિર્માણ મૌર્યયુગ દરમિયાન થયું હતું. તે મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલો છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. આ સ્તૂપ સ્થાપત્યકલાનો અમુલ્ય વારસો છે.
2. સ્તંભલેખો : ધર્મના પ્રચારાર્થે સમ્રાટ અશોકે ઊભા કરાવેલા શિલ્પકલાના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો સળંગ એક જ પથ્થરમાંથી કોતરીને, ઘસીઘસીને ચળકાટ આપીને બનાવેલા છે.
→ અંબાલા, મેરઠ, અલાહાબાદ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય પ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા (બોધિગયા) વગેરે સ્થળોએ આવેલા સ્તંભલેખો મુખ્ય છે.
→ આ સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે.
→ અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે.
→ આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર પીઠ ટેક્વીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.
→ સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ(ધર્મચક્રપ્રવર્તન)નું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહાકૃતિ નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, તેમાં હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ પણ છે.
→ 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે.
3. શિલાલેખો : સમ્રાટ અશોકે કાષ્ઠ અને પાષાણમાં ધર્માજ્ઞાઓ કોતરાવીને ઊભા કરાવેલા શિલાલેખો સ્થાપત્યક્લાના ઉત્તમ નમૂનાઓ છે.
→ આ શિલાલેખોની આજુબાજુ લાકડા અને પથ્થરની વાડ બનાવી તેમના દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યાં છે.
→ પેશાવર, દેહરાદુન, થાણા, મુંબઇ, ધૌલી અને જોગડા (ઓડિશા) તથા ચેન્નઈ વગેરે સ્થળોએ આવેલા શિલાલેખો મુખ્ય છે.
→ ગુજતરામાં જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં (તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે.
(3) ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો.
અથવા
ટૂંક નોંધ લખો : ગુજરાતની ગુફાઓ
ઉત્તર : ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે
- જૂનાગઢ ગુફાઓ : જુનાગઢમાં આ ત્રણ ગુફાસમૂહ આવેલા છે : (1) બાવાપ્યારાનો ગુફાસમૂહ : આ ગુફાઓ બાવાપ્યારાના મદ પાસે આવેલી છે. તે ત્રણ હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજી સાથે કાટખુણે જોડાયેલી છે. પહેલી હરોળમાં ચાર, બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ 16 ગુફાઓ છે. તે ઈ. સ.ની શરૂઆતની એક-બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે. (2) ઉપરકોટની ગુફાઓ : આ ગુફાઓ બે માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે. તે ઈ. સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે. (3) ખાપરા-કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઈ. સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.
- ખંભાલીડા ગુફાઓ : રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે ઈ. સ. 1959માં શોધાઈ હતી. તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશમાર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઊભેલા બોધિસત્ત્વ (ભગવાન બુદ્ધ) અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ – આ બધાં સ્થાપત્યો ઈ. સ.ની બીજી સદીનાં છે.
- તળાજા ગુફાઓ : ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તે ‘તાલધ્વજગિરિ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંનાં ‘એભલમંડપ (સભાખંડ) અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન છે. બૌદ્ધ ધર્મનાં સ્થાપત્યોની આ ગુફાઓ ઈ. સ.ની ત્રીજી સદીની છે.
- સાણા ગુફાઓ : આ ગુફાઓ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.
- ઢાંક ગુફાઓ : આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગિર નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે.
- ઝીંઝુરીઝર : ઢાંક ગામની પશ્ચિમે 7 ક્લિોમીટર દૂર સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈ.સ.ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે.
- કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ : આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈ. સ. 1967માં શ્રી કે. કા. શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી.
- કડિયાડુંગર ગુફા : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયાડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ ગુફાઓ સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે. સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે.
(4) મધ્યકાલીન ભારતીય સ્થાપત્યો વિશે માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : મધ્યકાલીન ભારતીય સ્થાપત્યો
ઉત્તર : મધ્યયુગ દરમિયાન ભારતમાં મસ્જિદો, મિનારા, શાહીમહેલો, પુલો, તળાવો, સરાઈ (ધર્મશાળા) વગેરે અનેક સ્થાપત્યોનું બાંધકામ થયેલું હતું.
- દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ્- ઇસ્લામ’ અને અજમેરમાં ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદો બંધાવી હતી. તેણે દિલ્લીમાં ‘કુતુબમિનાર’ નામનો પ્રખ્યાત મિનારો બંધાવ્યો હતો.
- બંગાળ : બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદીના મસ્જિદ, તાંતીપાડાની મસ્જિદ અને જલાલુદ્દીન મુહમ્મદશાહનો મકબરો વગેરે સ્થાપત્યો બંધાયાં હતાં. બંગાળ પ્રાંતમાં સ્થાપત્યની એક અલગ વિશિષ્ટ શૈલી વિકસી હતી.
- જૌનપુર : તુર્ક સુલતાનોએ જૌનપુરમાં અટાલા મસ્જિદ બંધાવી હતી. આ મસ્જિદના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે. મસ્જિદની દીવાલો અને છત પર કમળ વગેરે વિવિધ ભાતની આકૃતિઓ બનાવવામાં આવી છે.
- માળવા : સુલતાનોની સુરક્ષા હેઠળ માળવામાં વિશિષ્ટ શૈલીમાં અનેક મબરાઓનું નિર્માણ થયેલું છે. તેના વિશાળ, આકર્ષક ગુંબજો અને બારીઓ અત્યંત નકશીદાર છે. આરસપહાણથી બનાવેલો હોશંગાશાહનો મકબરો ભારતીય શૈલીનો છે.
- અન્ય પ્રાંતો : કશ્મીરમાં કંગૂર-બુરજ; બહમની સુલતાનોએ બંધાવેલી બીડર અને ગુલબર્ગની અનેક ઇમારતો તથા મહમૂદ ગાવાંની મદરેસા તેમજ વિજયનગર સામ્રાજ્યનાં સ્થાપત્યોમાં હમ્પીનાં વિઠ્ઠલસ્વામી અને હજારારામ મંદિરો તથા ગોપુરમ્ અને કલાત્મક નકશીકલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે.
(5) ગુજરાતની સ્થાપત્યકલાના વિકાસની માહિતી આપો. અથવા ગુજરાતની સ્થાપત્યકલાનો પરિચય આપો.
અથવા
ગુજરાતના સ્થાપત્યો વિશે વિવરણ કરો.
ઉત્તર : ગુજરાતનાં વિવિધ ધર્મનાં મંદિરો, મસ્જિદો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તૂપો, ગુફામંદિરો, જૈન દેરાસરો વગે૨ે સ્થાપત્યકલાના ઉત્કૃષ્ટ નમૂના છે. ગુજરાતમાં સમાજોપયોગી અનેક પ્રકારનાં બાંધકામો થયાં છે, જેવાં કે – રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ઘુમ્મટો, તોરણો, કૂવાઓ, વાવો, સરોવરો, તળાવો, પશુ-પક્ષીઓની આકૃતિઓ વગેરે સ્થાપત્યો સર્વાંગસુંદર અને અતિ ભવ્ય મનાય છે.
- મંદિરો : ગુજરાતમાં વિવિધ ધર્મનાં અનેક જાણીતાં મંદિરોની રચના થઈ છે. તેમાં અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર; ડાકોરમાં રણછોડરાયજી મંદિર, મોઢેરામાં સૂર્યમંદિર, વડનગરનું હાટકેશ્વર મંદિર, અંબાજીમાં અંબાજી મંદિર, દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિર, ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર, બહુચરાજીમાં બહુચરાજી મંદિર, પાવાગઢમાં મહાકાલી મંદિર, ખેડબ્રહ્મામાં બ્રહ્માજી મંદિર, ભાવનગરમાં ખોડિયાર માતાજી મંદિર, કચ્છમાં આશાપુરા માતાનો મઢ, સ્વામિનારાયણ મંદિરો વગેરે મંદિરોનો સમાવેશ થાય છે.
- મસ્જિદો : ઈ. સ. 1424માં સુલતાન અહમદશાહ પહેલાએ અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક 260 સ્તંભો અને 15 ગુંબજોવાળી જામા મસ્જિદ બંધાવી હતી. આ ઉપરાંત, અમદાવાદમાં બારીક કોતરણવાળી સીદી સૈયદની જાળી, મસ્જિદે નગીના’ના નામે ઓળખાતી રાણી સિપ્રીની મસ્જિદ, સારંગપુર દરવાજા પાસે ઝૂલતા મિનારા, સરખેજનો રોજો વગેરે મુસ્લિમ સ્થાપત્યો આવેલાં છે.
→ ચાંપાનેરમાં જામી મસ્જિદ આવેલી છે. આ ઉપરાંત, ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોમાં મસ્જિદો આવેલી છે.
- જૈનમંદિરો (દેરાસરો) : અમદાવાદમાં હઠીસિંગનાં દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વરનું પંચાસરા મંદિર, સિદ્ધગિરિ – શેત્રુંજયગિરિ પર ભગવાન આદેશ્વરનું મંદિર વગેરે મંદિરો શિલ્પ-સ્થાપત્ય અને કોતરણીની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ છે.
- વાવ : અડાલજની વાવ, દાદા હરિની વાવ (અમદાવાદ), પાટણની રાણકી (રાણીની) વાવ, ડભોઈની વાવ (ડભોઈ) વગેરે ભવ્ય વાવો આવેલી છે.
→ આ ઉપરાંત, ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, નગીનાવાડી અને કાંકરિયું તળાવ (અમદાવાદ), રુદ્રમહાલય (સિદ્ધપુર), સહસ્રલિંગ તળાવ (પાટણ), શામળશાની ચોરી, તાના-રીરી સમાધિ અને કીર્તિતોરણ (વડનગ૨), મુનસર તળાવ (વિરમગામ) મલાવ તળાવ (ધોળકા) વગેરે ગુજરાતની સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના છે.→ ગુજરાતની શિલ્પ-સ્થાપત્યકલાની કારીગરીએ આજે ગુજરાતને વિશ્વમાં ઘણું ઊંચું સ્થાન અને ગૌરવ અપાવ્યું છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) “મોહેં-જો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે.” આમ શાથી કહી શકાય?
ઉત્તર : પ્રાચીન સમયમાં મોહેં-જો-દડોની ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.
→ નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
→ મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો.
→ ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું.
→ ગટરો ઉપર અમુક અંતરે પથ્થરનાં ઢાંક્યાં હતાં. આ ઢાંક્યાં ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી.
→ આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે.
આથી કહી શકાય કે, મોહેં-જો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે.
(2) મોહેં-જો-દડોનાં મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી?
અથવા
મોહેં-જો-દડોનાં મકાનોનું વિગતવાર વર્ણન કરો.
ઉત્તર : નદીનાં પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાનાં મકાનો ઊંચી પ્લિંઘ (પીાિ) ઉપર બાંધતા.
→ શ્રીમંતોનાં માનો બે માળનાં અને પાંચ-સાત ઓરડાવાળાં હતાં; જ્યારે સામાન્ય વર્ગના લોકોનાં માનો એક માળનાં અને બે-ત્રણ ઓરડવાળાં હતાં.
→ ઊંચાણવાળા ભાગની ચારે બાજુ કિલ્લો તેમજ આખા નગરની ચારે બાજુ દીવાલ બાંધવામાં આવી હતી.
→ માનોના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ કોરી કે ગલીમાં પડ્યા.
→ માનમાં હવા-ઉજાસ માટે બારી-બારણાંની વ્યવસ્થા હતી.
→દરેક માનમાં ક્લેક્ટર, રસોડું અને સ્નાનગૃહ હોવાના અવશેષો મળ્યા હતા.
→ માનના ઉપલા માળે જવા માટે સાંકડાં અને ઊંચાં પગથિયાંવાળા ઘદરની જોગવાઈ હતી.
→ ખરેખર, મોહેં-જો-દડો નગર-આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું.
(3) પ્રાચીન ભારતનું નગર-આયોજન સમજાવો.
અથવા
મોહેં-જો-દડોની નગરરચના સમજાવો.
ઉત્તર : પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છેઃ (1) શાસક અધિકારીઓનો ગઢ (સિટડલ), (2) અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને (3) સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર.
પ્રાચીન ભારતનાં નગરોની વિશેષતાઓ :
→ શાસક અધિકારીઓનો ગઢ ઊઁચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે.
→ અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દીવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી બે-પાંચ ઓરડાવાળાં મકાનો મળી આવ્યાં છે.
→ સામાન્ય નગરજનોના નીચલા નગરનાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોનાં બનાવેલાં છે.
(4) મોહેં-જો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો.
ઉત્તરઃ હડપ્પીય સંસ્કૃતિના લોકોએ જાહેર સ્નાનાગાર બાંધેલાં હતું.
→ નાનાગારમાં સ્વચ્છ પાણી ઘખલ કરવા માટેની અને ગંઘ પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા હતી.
→ સ્નાનાગારમાં ગરમ પાણીની વ્યવસ્થા હોવાનું મનાય છે.
→ સ્નાનાગારની ચારે બાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ છે.
→ ધાર્મિક પ્રસંગો અને જાહેર ઉત્સવોએ લોકો સમૂહસ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગાર બાંધવામાં આવ્યું હશે, એમ માનવામાં આવે છે.
→ જાહેર ઉપયોગમાં આવે તેવાં ટાઉનહૉલ જેવાં બે વિશાળ મકાનો મોહેં-જો-દડો નગરમાંથી મળી આવ્યાં છે.
→ આ મકાનોનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે એવું માનવામાં આવે છે.
→ મોહેં-જો-દડોમાંથી 20 મકાનોની એક સળંગ સૈનિક બેક પણ મળી આવી છે.
(5) પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો.
ઉત્તર : ઈ. સ. 1921માં સર જ્હૉન માર્શલ અને કર્નક મૅકેના નેતૃત્વ હેઠળ દયારામ સહાની નામના ભારતીય પુરાતત્ત્વવિદને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર-સભ્યતાના અતિપ્રાચીન અવશેષો મળી આવ્યા હતા.
→ સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા. તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે.
→ હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાનાં ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવ્યાં છે. તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર-પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે.
→ હડપ્પીય સમયની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી.
→ અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે.
→ હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે, તેવા પુરાવા અહીંથી મળ્યા છે.
(6) ધોળાવીરા વિશે માહિતી આપો.
અથવા
પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો.
ઉત્તર : ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે.

→ તે હડપ્પાનગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે.
→ ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યારપછી ઈ. સ. 1990માં પુરાતત્ત્વવિદ રવીન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.
→ ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.
→ નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દૃષ્ટિએ રક્ષણાત્મક દીવાલોવાળી છે. આ દીવાલો બનાવવામાં પથ્થ૨, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે.
→ નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધીકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે.
આમ, ધોળાવીરાની નગરરચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે.
(7) ‘લોથલ તે સમયે ભારતનું અગત્યનું બંદર હતું.’’ સમજાવો.
અથવા
પ્રાચીન ભારતના એક નગર તરીકે લોથલનો પરિચય આપો.
ઉત્તર : લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
→ લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે.

→ લોથલનાં મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલનાં મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયાં હશે.
→ લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંઘરવા માટેનો એક મોટો ધક્કો – ગોદી (ડોકયાર્ડ) મળી આવ્યો છે. આ ધક્કામાં – ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા- ઉતારવામાં આવતો.
→ ગોદામોમાં – વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા.
→ આમ, લોથલમાંથી મળી આવેલ ધક્કો – ગોદી, વખારો – ગોદામો, દુકાનો, આયાત-નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.
(8) સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો. અથવા સ્તંભલેખોનો પરિચય આપો.
ઉત્તર : મૌર્યસમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ’ કોતરેલા, શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા.
→ આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે.
→ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા એ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા.
→ પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય !
→ સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો, જેથી ત્યાં લેખ કોતરી શકાય.
→ સમ્રાટ અશોક્ના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલાહાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય પ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે.
→ અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

→ આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને, એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.
→ સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ(ધર્મચક્રપ્રવર્તન)નું સૌપ્રથમ સ્થળ છે. તેથી એ સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરેલાં છે. આ ઉપરાંત, તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે.
→ 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે.
(9) ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણયુગ શાથી કહેવાય છે?
ઉત્તર : ગુપ્તયુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી.
→ ગુપ્તયુગ દરમિયાન હિંદુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય-મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું હતું.
→ જબલપુર(નિનાવા)નું પાર્વતી મંદિર અને ભૂમરા(નાગોડા)નું શિવમંદિર, એરણ(મધ્ય પ્રદેશ)નું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપમંદિર વગેરે ગુપ્તયુગની સ્થાપત્યકલાના પ્રસિદ્ધ મંદિરો છે.
→ આ ઉપરાંત, ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના છે.
→ સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગિરિની ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગે૨ે આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે.
→ આમ, ગુપ્તયુગ દરમિયાન ભારતમાં શિલ્પ-સ્થાપત્યકલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો. આથી ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે.
(10) ગુપ્તકાલીન ગુફા-સ્થાપત્યો વિશે માહિતી આપો.
ઉત્તર : ગુપ્તકાલીન ગુફા-સ્થાપત્યો મનુષ્ય બનાવેલાં સૌંદર્યધામો ગણાય છે.
→ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંતા-ઇલોરાની ગુફાઓ, મુંબઈમાં અરબ સાગર પાસે આવેલી ઍલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયિગિર, ખંડિગિર અને નીલગિરિની ગુફાઓ, બાઘની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન ગુફા-સ્થાપત્યના અજોડ અને પ્રસિદ્ધ નમૂનાઓ છે.
→ ગુજરાતમાં ખંભાલીડા (ગોંડલ), ઢાંક (રાજકોટ), ઉપરકોટ (જૂનાગઢ) ખાતે ગુફાઓ આવેલી છે. આ ઉપરાંત, તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવી છે.
→ અસમની દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફા એ પ્રખ્યાત ગુફા-સ્થાપત્ય છે.
→ અશોકના ગુફાલેખો બિહારમાં ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે. આ ગુફાલેખોમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલાં દાનકાર્યોની વિગતો દર્શાવી છે.
(11) રથમંદિરો વિશે માહિતી આપો.
ઉત્તર : પલ્લવ રાજાઓએ તેમના પાટનગર કાંચી અને મહાબલપુરમાં ઘણાં રથમંદિરો બંધાવ્યાં હતાં.
→ પલ્લવ રાજા પહેલાએ મહાબલિપુરમાં કેટલાંક રથમંદિરો અને ગુફામંદિરો (મંડપો) કોતરાવ્યાં હતાં.
→ રથ અને મંડપ એ શૈલાત્મક મંદિરોનાં બે સ્વરૂપો છે.
→ દરેક રથમંદિર એક પથ્થર કે ખડકને કોતરીને બનાવેલું છે.
→ મહાબલિપુરમ્નું સાત રથવાળું મંદિર વિશ્વવિખ્યાત છે.
→ એ રથમંદિરોનાં નામ મહાભારતનાં જાણીતાં પાત્રો – પાંડવોનાં નામ પરથી પાડવામાં આવ્યાં છે. જેમ કે; દ્રૌપદી રથ, અર્જુન રથ, ભીમ રથ, ધર્મરાજ રથ, સહદેવ ૨થ વગેરે.
→ ધર્મરાજનું રથમંદિર સૌથી મોટું છે, જ્યારે દ્રૌપદીનું રથમંદિર સૌથી નાનું છે.

→ મંડપ એ ડુંગરની અંદર ગુફાની જેમ કંડારેલું મંદિર છે. આવાં દસ મંડપો (ગુફામંદિરો) છે. તેમાં મહાબલિપુરમ્નો મંડપ વિશ્વ- વિખ્યાત છે.
→ રથમંદિરો વિશાળ અને ભવ્ય છે. તેમની સુંદરતા અને કલાત્મકતા આકર્ષક છે.
→ તેમનાં શિખરો અને છતો વિશિષ્ટ પ્રકારનાં છે.
→ આકાર અને પ્રકારમાં એકબીજાથી જુદાં પડતાં એ રથમંદિરો સ્થાપત્યકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.
→ તે ભારતીય સ્થાપત્યકલાનો અમૂલ્ય વારસો છે.
(12) ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય આપો.
ઉત્તર : ગુપ્તયુગ દરમિયાન મંદિરોનું નિર્માણ મુખ્યત્વે ઊંચી પીઠિકાઓ પર થયેલું છે.
→ તે સીડીઓવાળાં અને શિખરબદ્ધ છે. કેટલાંક મંદિરોનું નિર્માણ સપાટ થયેલું છે.
→ ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ રાખવામાં આવતો.
→ આ પ્રકારની સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના તરીકે જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવમંદિર અને દક્ષિણ ભારતમાં બિજાપુર જિલ્લામાં આવેલું લારખાનનું મંદિર ખૂબ જાણીતાં છે.
→ આ મંદિરોની સ્થાપત્યકલા ઉપરાંત ત્યાંની મૂર્તિઓની શિલ્પકલા પણ બેનમૂન છે.
→ મુખ્યત્વે નાલંદા(સુલતાનગંજ)ની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ અને મથુરાના જૈનમંદિરની પ્રતિમા ભારતીય શિલ્પકલા ક્ષેત્રે અજોડ છે.
→ આ સ્થાપત્યોની રચનામાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાંચીનાં મંદિરો સુપ્રસિદ્ધ છે.
→ ચોલવંશની રાજધાની થંજાવુરમાં રાજા રાજરાજ પ્રથમે બૃહદેશ્વર મંદિર બંધાવ્યું હતું. તે આશરે 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું તે એક અજોડ મંદિર છે.
(13) ટૂંક નોંધ લખો : ભારતનાં જૈન મંદિરો (દેરાસરો)
ઉત્તર : ભારતમાં અનેક સ્થળોએ જૈનમંદિરો આવેલાં છે.

→ બિહારના રાજગૃહ ખાતે વૈભાર, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ અને શ્રમણગિરિ નામનાં પાંચ જૈનમંદિરો છે.
→ બિહારમાં સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ છે. તે મધુવન કહેવાય છે.
→ અહીં ભગવાન આદિનાથ અને અન્ય 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીનાં મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધાર્યા હતા. આ સ્થળે કેટલાક મુનિઓ મોક્ષ પામ્યા હતા.
→ ગુજરાતમાં પાલિતાણામાં જૈનમંદિર છે તેમજ શંખેશ્વરમાં પંચાસરા મંદિર છે.
→ રાજસ્થાનમાં માઉન્ટ આબુ પર્વત પર દેલવાડાનાં જૈનમંદિરો ઉપરાંત, રાણકપુરનાં જૈનમંદિરો બાંધકામ, કોતરકામ, શિલ્પકામ, ક્લાકારીગરી વગેરેની દૃષ્ટિએ અદ્ભુત અને બેનમૂન છે.
→ ભારતનાં જૈનમંદિરો શિલ્પ-સ્થાપત્યકલાની દૃષ્ટિએ આંત૨રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
(14) દેલવાડાનાં જૈનમંદિરો વિશે માહિતી આપો.
ઉત્તર : દેલવાડાનાં જૈનમંદિરો રાજસ્થાનમાં આબુ પર્વત પર આવેલાં છે.

→ પશ્ચિમ ભારતનાં જૈનમંદિરોમાં આ મંદિરો કલાકારીગરીની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ મંદિરો આજે પણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
→ તેમાં ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાવેલું ‘વિમલ-વસહી’ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલું ‘લૂણ-વસહી’ મંદિરનો સમાવેશ થાય છે.
→ આ મંદિરોમાં વિમલ-વસહી’ અને ‘લૂણ-વસહી’નાં મંદિરો આરસપહાણની સૂક્ષ્મ કોતરણી અને શિલ્પકામથી ખૂબ સમૃદ્ધ છે.
→ દેલવાડાનાં જૈનમંદિરો શિલ્પ-સ્થાપત્યકલાની દૃષ્ટિએ જગતભરની સ્થાપત્યરચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે.
[વિશેષ : કલાવિવેચકો દેલવાડાનાં જૈનમંદિરોને ‘સંગેમરમર- (આરસ)માં કંડારેલાં કાવ્યો’ તરીકે ઓળખાવે છે.]
→ આ મંદિરો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને આપેલી ચિરસ્મરણીય અને અતુલ્ય ભેટ છે.
(15) મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો.
અથવા
મોઢેરાના સૂર્યમંદિર વિશે માહિતી આપો.
અથવા
ઉત્તર ગુજરાતસ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મંદિરનો પરિચય આપો.
ઉત્તર : ઉત્તર ગુજરાતસ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મોઢેરાનું સૂર્યમંદિર છે. મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે.

→ તે ઈ. સ. 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.
→ આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે.
→ આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.
→ આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે.
→ સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલાં છે. તેમાં સવાર-સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દૃશ્ય સર્જાય છે.
[વિશેષ : મોઢેરાનું સૂર્યમંદિર તેની કલાત્મક સ્થાપત્યરચના અને શિલ્પસમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.]
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) સ્થાપત્યકલા એટલે શું?
ઉત્તર : સ્થાપત્યકલા એટલે ભવનો કે ઇમારતો બાંધવાની ક્લા. પૂર્વ આયોજન કરી તે મુજબ રેતી, માટી, ચૂનો, પથ્થર, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરીને મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેનું બાંધકામ કરવું એટલે સ્થાપત્યકલા. સ્થાપત્યકલામાં સ્થપતિઓના કૌશલ્યનો ઉપયોગ થાય છે.
(2) પ્રાચીન ભારતના નગરોના કયા મુખ્ય ત્રણ વિભાગો જોવા મળે છે?
ઉત્તર : પ્રાચીન ભારતના નગરોના આ મુખ્ય ત્રણ વિભાગો જોવા મળે છે : (1) શાસક અધિકારીઓનો ગઢ (સિટલલ), (2) અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને (3) સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર.
(3) ભારતની પ્રાચીન નગર-સભ્યતાના અવશેષો ક્યારે અને કેવી રીતે મળી આવ્યા હતા?
ઉત્તર : ઈ. સ. 1922માં સર જ્હૉન માર્શલ અને કર્નલ મૅકેના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનરજી અને દયારામ સહાની નામના પુરાતત્ત્વવિદોએ સિંધ(હાલ પાકિસ્તાનમાં)ના લારખાના જિલ્લામાં મોહેં- જો-દડો ખાતે ખોદકામ કર્યું. ખોદકામ દરમિયાન મોહેં-જો-દડોમાંથી ભારતની પ્રાચીન નગર-સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા.
(4) ભારતનાં કયાં કયાં સ્થળોએથી સિંધુખીણની સભ્યતાના – સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે?
ઉત્તર : ભારતમાં પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા, હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલિબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર-શિકારપુર અને ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લિંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ (રોઝડી), મોરબી પાસે કુન્તાસી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુખીણની સભ્યતાના – સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.
(5) સિંધુખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તેમજ તામ્ર- પાષાણયુગની સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર : સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી મળ્યા હતા. તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવામાં આવે છે.
હડપ્પામાંથી પાષાણનાં અને તાંબાનાં ઓજારો તથા અન્ય ચીજવસ્તુઓ મળ્યાં હતાં. તેથી તેને તામ્ર-પાષાણયુગની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે.
(6) લોથલ ક્યાં આવેલું છે?
ઉત્તર : લોથલ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અહીં તે ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. તે ખંભાતના અખાતથી 18 ક્લિોમીટર દૂર છે.
(7) સમ્રાટ અશોકના સમયના ક્યા પાંચ સ્તૂપો જાણીતા છે?
ઉત્તર : સમ્રાટ અશોકના સમયના આ પાંચ સ્તૂપો જાણીતા છે : (1) સાંચીનો સ્તૂપ, (2) સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, (3) બેરતનો સ્તૂપ, (4) લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ અને (5) ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ.
(8) સાંચીના સ્તૂપ વિશે માહિતી આપો.
ઉત્તર : સાંચીનો સ્તૂપ મધ્ય પ્રદેશમાં ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલો છે. હાલના સ્તૂપ કરતાં અડધા કદના આ સ્તૂપનું નિર્માણ મૌર્યયુગ દરમિયાન થયું હતું. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે.
(9) સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં ક્યાં ક્યાં સ્થળોના સ્તંભલેખો મુખ્ય છે?
ઉત્તર : સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલાહાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય પ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભલેખો મુખ્ય છે.
(10) દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી ‘દ્રવિડ શૈલી’ તરીકે ઓળખાય છે.
→ સાતવાહન રાજાઓના સમય દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો બંધાયા હતા.
→ આ સ્તૂપો અર્ધગોળાકાર સ્વરૂપના છે.
→ તેમની ટોચ અંડાકાર કે ઘંટાકાર છે.
→ નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે.
→ ચૌલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.
(11) ગોપુરમ્ સ્થાપત્યનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર : ગોપુરમ્ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા મુખ્ય પ્રવેશદ્વાર.
→ દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યાં.
→ તેમણે મંદિરોની બહાર ઊંચી દીવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ‘ગોપુરમ્’ના નામે ઓળખાય છે.
→ ગોપુરમ્નું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે.
→ પાંડ્ય શૈલીનાં મંદિરો તેમનાં ભવ્ય ગોપુરમ્ માટે જાણીતાં છે.
→ ગોપુરમ્ એ દક્ષિણ ભારતીય મંદિરસ્થાપત્યની એક વિશિષ્ટતા છે.
→ મંદિરોને બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમ્ના નિર્માણનું મહત્ત્વ વધી ગયું.
→ આજે પણ કાંચી અને મદુરાઈનાં મંદિરોનાં ગોપુરમ્ દૂરથી જોઈને કલારસિકો મુગ્ધ બને છે.
(12) ધાર્મિકક્ષેત્રે ગુજરાતમાં કયાં કયાં મંદિરોની રચના થઈ છે?
ઉત્તર : ધાર્મિકક્ષેત્રે ગુજરાતમાં આ મંદિરોની રચના થઈ છે : (1) અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર અને જગન્નાથ મંદિર ; (2) ડાકોરમાં રણછોડરાયજી મંદિર ; (૩) મોઢેરામાં સૂર્યમંદિર ; (4) વડનગરમાં હાટકેશ્વર મંદિર ; (5) દ્વારકામાં જગત મંદિર; (6) પાવાગઢમાં મહાકાલી મંદિર; (7) ખેડબ્રહ્મામાં સ્વામિનારાયણ મંદિર અને બ્રહ્માજી મંદિર; (8) ભાવનગરમાં ખોડિયાર માતાજી મંદિર; (9) કચ્છમાં આશાપુરા માતાનો મઢ તેમજ (10) અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, બહુચરાજી મંદિર વગેરે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) શિલ્પ એટલે શું? અથવા શિલ્પકલા એટલે શું?
ઉત્તર : કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી-હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને ‘શિલ્પ’ કહેવામાં આવે છે. આમ, આકાર બનાવવાની કલા ‘શિલ્પકલા’ કહેવાય છે.
(2) સ્થાપત્ય એટલે શું?
ઉત્તર : મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારા, મંદિરો, મકબરાઓ, સ્મારકો, સ્તંભો વગેરેના બાંધકામને ‘સ્થાપત્ય’ કહે છે.
(3) પ્રાચીન ભારતનાં નગરોના કેટલા વિભાગો પડે છે?
ઉત્તર : પ્રાચીન ભારતનાં નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે : (1) શાસક અધિકારીઓનો ગઢ (સિટડલ), (2) અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગ૨ અને (3) સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર.
(4) મોહેં-જો-દડોનો અર્થ સમજાવી, તેના રસ્તાની માહિતી આપો.
ઉત્તર : મોહેં-જો-દડોનો અર્થ ‘મરેલાંનો ટેકરો’ એવો થાય છે.
[નોંધ : રસ્તાઓની માહિતી માટે જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (1)નો ઉત્તર.]
(5) મોહેં-જો-દડોનાં મકાનો શા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં?
ઉત્તર : નદીઓનાં પૂર અને ભેજથી બચવા માટે મોહેં-જો-દડોનાં મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં.
(6) મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોનાં તથા નીચલા વર્ગના લોકોનાં મકાનો કેવાં હતાં?
ઉત્તર : મોહેં-જો-દડોમાં શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં તથા નીચલા વર્ગના લોકોનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં.
(7) મોહેં-જો-દડો નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ કયું હતું ?
ઉત્તર : મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી.
(8) મોહેં-જો-દડો જેવી ગટર યોજના દુનિયામાં બીજા કયા સ્થળે હતી?
ઉત્તર : મોહેં-જો-દડો જેવી ગટર યોજના દુનિયામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં હતી.
(9) મોહેં-જો-દડોમાંથી મળી આવેલાં બે મકાનોનો શો ઉપયોગ થતો હોવાનું મનાય છે?
ઉત્તર : મોહેં-જો-દડોમાંથી મળી આવેલાં બે મકાનોનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટ કે રાજ્યના કોઠાર તરીકે થતો હોવાનું મનાય છે.
(10) હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કોણે કરી હતી?
ઉત્તર : ઈ. સ. 1921માં સર જ્હૉન માર્શલ અને કર્નલ મૅકેના નેતૃત્વ નીચે દયારામ સહાનીએ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી હતી.
(11) સિંધુખીણની સંસ્કૃતિ કોને કહેવાય છે?
ઉત્તર : પંજાબના સપ્તસિંધુના પ્રદેશમાં વિકસેલી સંસ્કૃતિ સિંધુ- ખીણની સંસ્કૃતિ કહેવાય છે.
(12) હડપ્પીય સંસ્કૃતિ કોને કહે છે?
ઉત્તર : સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા પાસેથી મળી આવ્યા હતા, તેથી સિંધુખીણની સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ કહે છે.
(13) પ્રાચીન નગર ધોળાવીરા ક્યાં આવેલું છે?
ઉત્તર : પ્રાચીન નગર ધોળાવીરા કચ્છમાં ભુજથી આશરે 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિમી દૂર આવેલું છે.
(14) લોથલ ક્યાં આવેલું છે?
ઉત્તર : લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી આ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
(15) સ્તૂપની સમજૂતી આપો. અથવા સ્તૂપ એટલે શું?
ઉત્તર : ‘સ્તૂપ’ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના અવશેષો(કે એક અવશેષ)ને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઇમારત.
(16) સમ્રાટ અશોકના સમયના કયા કયા સ્તૂપો જાણીતા છે?
ઉત્તર : સમ્રાટ અશોકના સમયના આ પાંચ સ્તૂપો જાણીતા છે : (1) સાંચીનો સ્તૂપ, (2) સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, (3) બેરતનો સ્તૂપ, (4) નંદનગઢનો સ્તૂપ અને (5) દેવની મોરીનો સ્તૂપ (ગુજરાત).
(17) સ્થાપત્યક્ષેત્રે બૌદ્ધ ધર્મે કઈ કઈ ભેટ આપી છે?
ઉત્તર : સ્થાપત્યક્ષેત્રે બૌદ્ધ ધર્મે ગુફાવિહારો, ચૈત્યો (ઉપાસના ગૃહ) અને સ્તૂપોની ભેટ આપી છે.
(18) સ્તંભલેખ કેવી રીતે બનાવવામાં આવતા?
ઉત્તર : સ્તંભલેખ એક જ શિલામાંથી – પથ્થરમાંથી કોતરીને, ઘસીઘસીને ચળકાટ આપીને બનાવવામાં આવતા.
(19) શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ કયા છે?
ઉત્તર : મૌર્યસમ્રાટ અશોકની ધર્મજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે.
(20) મૌર્યયુગ દરમિયાન કયાં કયાં સ્થળોએ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા?
ઉત્તર : મૌર્યયુગ દરમિયાન સારનાથ, અંબાલા, મેરઠ, અલાહાબાદ, લોરિયા અને નંદનગઢ (બિહાર), સાંચી (મધ્ય ભારત), કાશી, પટના, બુદ્ધગયા (બોધિગયા) વગેરે સ્થળોએ સ્તંભલેખો ઊભા કરવામાં આવ્યા હતા.
(21) ક્યો શિલાસ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે?
ઉત્તર : મૌર્યસમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે.
(22) સારનાથના સ્તંભની ટોચ ઉપર શું છે?
ઉત્તર : સારનાથના સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે.
(23) સારનાથના સ્તંભની ટોચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુ શું અંકિત કરવામાં આવ્યું છે?
ઉત્તર : સારનાથના સ્તંભની ટોચ પરની સિંહોની આકૃતિની નીચે ચારે બાજુ ધર્મચક્રો અંક્તિ કરવામાં આવ્યા છે.
(24) સારનાથના સ્તંભના ધર્મચક્ર અને ચાર સિંહોની આકૃતિને ક્યાં સ્થાન આપવામાં આવ્યાં છે?
ઉત્તર : સારનાથના સ્તંભના ધર્મચક્રને પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં અને ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
(25) સમ્રાટ અશોકના સમયના શિલાલેખો કયાં સ્થળેથી મળી આવ્યા છે?
ઉત્તર : સમ્રાટ અશોકના સમયના શિલાલેખો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધોલી અને જોગડા (ઓડિશા), ચેન્નઈ વગેરે સ્થળેથી મળી આવ્યા છે.
(26) ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ ક્યાં આવેલો છે?
ઉત્તર : ગુજરાતમાં સમ્રાટ અશોકના સમયનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં – તળેટીમાં આવેલો છે.
(27) દ્રવિડ શૈલીના સ્તૂપો કેવા આકારના છે?
ઉત્તર : દ્રવિડ શૈલીના સ્તૂપો અર્ધગોળાકાર અને અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા છે.
(28) કયા બે સ્તૂપો દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ છે?
ઉત્તર : દક્ષિણ ભારતમાં ગંતુર જિલ્લામાં આવેલો નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના બે ઉત્તમ નમૂનાઓ છે.
(29) ગુજરાતમાં કયાં સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે?
ઉત્તર : ગુજરાતમાં ખંભાલીડા (ગોંડલ), ઢાંક (રાજકોટ) અને જૂનાગઢ ખાતે ત્રણ ગુફાસમૂહો તેમજ તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવેલ છે.
(30) દ્રવિડ શૈલીના સ્તૂપો કયા વિસ્તારમાં, કયા રાજાઓના સમયમાં બંધાયા?
ઉત્તર : દ્રવિડ શૈલીના સ્તૂપો દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન રાજાઓના સમયમાં બંધાયા.
(31) સમ્રાટ અશોકના ગુફાલેખો કઈ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે?
ઉત્તર : સમ્રાટ અશોકના ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દીવાલો પર કોતરાયેલા છે.
(32) પ્રખ્યાત ગુફા-સ્થાપત્યનાં નામ આપો.
ઉત્તર : પ્રખ્યાત ગુફા-સ્થાપત્યનાં નામ : (1) અસમની ઘર્જિલિંગની ગુફા અને (2) બિહારની સુદામા ગુફા તથા સીતાની ગુફા.
(33) ગુજરાતમાં ખાપરા-કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે?
ઉત્તર : ગુજરાતમાં ખાપરા-કોડિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી છે.
(34) ગુજરાતમાં કિડયા ડુંગરની ત્રણ ગુફાઓ ક્યાં આવેલી છે?
ઉત્તર : ગુજરાતમાં કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે.
(35) કયાં રથમંદિરો કલા-સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?
ઉત્તર : કાંચીનું કૈલાસનાથનું રથમંદિર અને વેંકટપેરૂમલનું રથમંદિર કલા-સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
(36) પલ્લવ રાજાઓએ બનાવેલ કયાં રથમંદિરો વિશ્વ- વિખ્યાત છે?
ઉત્તર : પલ્લવ રાજાઓએ બનાવેલ ‘મહાબલિપુરમ્’નો મંડપ (ગુફામંદિર) અને મહાબલિપુરમ્ના સાત રથનું મંદિર, આ બે રથમંદિરો વિશ્વવિખ્યાત છે.
(37) મહાબલિપુરમનાં રથમંદિરોમાં સૌથી મોટું અને સૌથી નાનું મંદિર કોનું છે?
ઉત્તર : મહાબલપુરનાં રથમંદિરોમાં સૌથી મોટું ધર્મરાજ- (યુધિષ્ઠિર)નું અને સૌથી નાનું દ્રૌપદીનું મંદિર છે.
(38) ગુપ્તકાલીન સ્થાપત્યકલાના વિશિષ્ટ નમૂનારૂપ કયાં બે મંદિરો પ્રસિદ્ધ છે?
ઉત્તર : ગુપ્તકાલીન સ્થાપત્યકલાના વિશિષ્ટ નમૂનારૂપ દક્ષિણ ભારતમાં બિજાપુર જિલ્લામાં આવેલું લારખાનનું મંદિર અને મધ્ય પ્રદેશમાં જબલપુર પાસે આવેલું ભૂમરાનું શિવમંદિર પ્રસિદ્ધ છે.
(39) ગુપ્તકાલીન શિલ્પકલાની કઈ કઈ મૂર્તિઓ પ્રખ્યાત છે?
ઉત્તર : ગુપ્તકાલીન શિલ્પકલાની નાલંદા(સુલતાનગંજ)ની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ અને મથુરાના જૈનમંદિરની મૂર્તિ પ્રખ્યાત છે.
(40) બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું?
ઉત્તર : બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
(41) પ્રાચીન ભારતનું અજોડ મંદિર કયું છે ?
ઉત્તર : ચોલવંશની રાજધાની થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે.
(42) ગોપુરમ્ એટલે શું?
ઉત્તર : પાંડ્ય રાજાઓ દ્વારા નિર્મિત મંદિરોની બહાર ઊંચી દીવાલો તેમજ ઊંચા અને સુશોભિત દરવાજાઓ બાંધવામાં આવ્યા હતા, જેને ‘ગોપુરમ્’ કહેવામાં આવે છે.
(43) કયાં મંદિરો જોઈને કલારસિકો મંત્રમુગ્ધ બને છે?
ઉત્તર : કાંચી અને મદુરાનાં મંદિરો જોઈને લારસિકો મંત્રમુગ્ધ બને છે.
(44) કયા મંદિરને તેર માળનું ‘ગોપુરમ્’ છે?
ઉત્તર : તાંજોરના બૃહદેશ્વર મંદિરને તેર માળનું ‘ગોપુરમ્’ છે.
(45) ખજૂરાહોનાં મંદિરો કોણે બંધાવ્યાં હતાં?
ઉત્તર : ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યાં હતાં.
(46) રાજગૃહ(બિહાર)માં કયાં પાંચ મંદિરો આવેલાં છે?
ઉત્તર : રાજગૃહ(બિહાર)માં આ પાંચ મંદિરો આવેલાં છે : (1) વૈભાર, (2) વિપુલાચલ, (3) રત્નગિરિ, (4) ઉદયગિરિ અને (5) શ્રમણગિરિ.
(47) રાજસ્થાનનાં કયાં જૈન દેરાસરો શિલ્પ-સ્થાપત્યકલાની દૃષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે?
ઉત્તર : રાજસ્થાનમાં માઉન્ટ આબુનાં દેલવાડા અને રાણકપુરનાં જૈન દેરાસરો શિલ્પ-સ્થાપત્યકલાની દૃષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે.
(48) કયાં દેરાસરોની શિલ્પકલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે?
ઉત્તર : માઉન્ટ આબુ ૫૨ દેલવાડામાં ગુજરાતના મંત્રી વિમલ- શાહે બંધાવેલ ‘વિમલ-વસહી’ અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલ ‘લૂણ-વસહી’ નામનાં દેરાસરોની શિલ્પકલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.
(49) ગુજરાતમાં મોઢેરા (પાટણ) ખાતે આવેલું સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું?
ઉત્તર : ગુજરાતમાં મોઢેરા (પાટણ) ખાતે આવેલું સૂર્યમંદિર સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બંધાયું હતું.
(50) દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે કઈ બે મસ્જિદો બંધાવી હતી?
ઉત્તર : દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્લીની ‘કુવ્વત- ઉલ્-ઇસ્લામ’ નામની મસ્જિદ અને અજમેરની ‘ઢાઇ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.
(51) મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
ઉત્તર : મધ્યકાલીન ભારતમાં બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદીના મસ્જિદ, જલાલુદ્દીન મુહમ્મદશાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયું હતું.
(52) અટાલા મસ્જિદ ક્યાં, કોણે બંધાવી હતી?
ઉત્તર : અટાલા મસ્જિદ જોનપુર(ઉત્તર પ્રદેશ)માં તુર્ક સુલતાનોએ બંધાવી હતી.
(53) ભારતમાં ગોળગુંબજનું સ્થાપત્ય ક્યાં આવેલું છે?
ઉત્તર : ભારતમાં ગોળગુંબજનું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં બિજાપુર ખાતે આવેલું છે.
(54) અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? ક્યારે?
ઉત્તર : અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ ઈ. સ. 1424માં અમદાવાદના સુલતાન અહમદશાહ પહેલાએ બંધાવી હતી.
(55) મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં કઈ કઈ મસ્જિદોનું નિર્માણ થયું હતું?
ઉત્તર : મધ્યકાલીન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી – મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ (મસ્જિદે નગીના) વગે૨ે મસ્જિદોનું નિર્માણ થયું હતું. –
(56) ગુજરાતમાં ક્યાં જૈન દેરાસરો (જૈનમંદિરો) શિલ્પ-સ્થાપત્ય અને કોતરણીની દૃષ્ટિએ ઘણાં કલાત્મક છે ?
ઉત્તર : ગુજરાતમાં હઠીસિંગનાં જૈન દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વરનું પારસનાથ ભગવાનનું મંદિર, સિદ્ધગિરિ – શેત્રુંજયગિર પર આદેશ્વર ભગવાનનું મંદિર – પાલિતાણા વગેરે જૈન દેરાસરો (જૈન- મંદિરો) શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ ઘણાં કલાત્મક છે.
(57) ગુજરાતમાં કઈ કઈ ભવ્ય વાવો આવેલી છે?
ઉત્તર : ગુજરાતમાં અડાલજની વાવ, દાદા હરિની વાવ (અમદાવાદ), રાણકી (રાણીની) વાવ (પાટણ), ડભોઈની વાવ (ડભોઈ) વગેરે ભવ્ય વાવો આવેલી છે.
(58) સિંધુખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ સમૃદ્ધ બંદર હોવાનું શાથી મનાય છે?
ઉત્તર : લોથલમાંથી વહાણ લાંગરવા માટે મોટો ધક્કો-ગોદી (ડોકયાર્ડ), વખારો, દુકાનો તેમજ આયાત-નિકાસના પુરાવા મળ્યા છે. તેથી સિંધુખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ સમૃદ્ધ બંદર હોવાનું મનાય છે.
(59) ગુપ્તયુગ ભારતીય કલાનો ‘સુવર્ણયુગ’ શાથી કહેવાય છે?
ઉત્તર : ગુપ્તયુગ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે કલાઓનો અપૂર્વ વિકાસ થયો હતો, તેથી ગુપ્તયુગ ભારતીય કલાનો ‘સુવર્ણયુગ’ કહેવાય છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
(1) ભારતનું પ્રાચીન ……. નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.
A. મધ્યકાલીન
B. પ્રાચીન
C. સિંધુકાલીન
ઉત્તર : C. સિંધુકાલીન
(2) સ્થાપત્યનો સરળ અર્થ ……. એવો થાય છે.
A. વાસ્તુ
B. શિલ્પ
C. બાંધકામ
ઉત્તર : C. બાંધકામ
(3) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ……. શબ્દ વપરાય છે.
A. વાસ્તુ
B. કિલ્લાઓ
C. બાંધકામ
ઉત્તર : A. વાસ્તુ
(4) સ્થાપત્યકલામાં ‘………’નું કૌશલ્ય પ્રયોજાય છે.
A. કારીગર
B. સ્થપતિ
C. આયોજન
ઉત્તર : B. સ્થપતિ
(5 ) ભારત પ્રાચીન સમયથી ……માં નિપુણતા ધરાવે છે.
A. ક્લેિબંધી
B. બાંધકામ
C. નગર-આયોજન
ઉત્તર : C. નગર-આયોજન
(6) મોહેં-જો-દડોનો અર્થ …….. એવો થાય છે.
A. મરેલાંનો ટેકરો
B. મરેલાંના અવશેષો
C. મરેલાંનાં શરીરો
ઉત્તર : A. મરેલાંનો ટેકરો
(7) ઈ. સ. …….. માં મોહેં-જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર-સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.
A. 1919
B. 1908
C. 1922
ઉત્તર : C. 1922
(8) …….. નગર-આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું.
A. મોહેં-જો-દડો
B. ધોળાવીરા
C. લોથલ
ઉત્તર : A. મોહેં-જો-દડો
(9) મોહેં-જો-દડોમાં …….. નાં મકાનો બે માળવાળાં અને પાંચ કે સાત ઓરડાવાળાં હતાં.
A. મધ્યમ વર્ગ
B. શ્રીમંતો
C. નીચલા વર્ગ
ઉત્તર : B. શ્રીમંતો
(10) મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની …….. છે.
A. ગટર યોજના
B. સ્નાનાગાર
C. કિલ્લેબંધી
ઉત્તર : A. ગટર યોજના
(11) મોહેં-જો-દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના …….. ના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી.
A. ક્રીટ
B. સેંટ પોલ
C. પ્રિન્સ એડવર્ડ
ઉત્તર : A. ક્રીટ
(12) મોહેં-જો-દડોના દરેક મકાનમાં એક …….. હતો.
A. બેઠકખંડ
B. ખાળકૂવો
C. હીંચકો
ઉત્તર : B. ખાળકૂવો
(13) મોહેં-જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવાં …….. મકાનો મળ્યાં છે.
A. બે
B. ત્રણ
C. ચાર
ઉત્તર : A. બે
(14) ઈ. સ. …….. માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ- પ્રાચીન અવશેષોની શોધ કરી.
A. 1932
B. 1928
C. 1921
ઉત્તર : C. 1921
(15) ઈ. સ. 1921માં ……… હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી.
A. રખાલદાસ બેનરજીએ
B. રવીન્દ્રસિંહ બિસ્તે
C. દયારામ સહાનીએ
ઉત્તર : C. દયારામ સહાનીએ
(16) ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં …….. ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
A. આલમગીરપુર
B. કાલિબંગન
C. લોથલ
ઉત્તર : A. આલમગીરપુર
(17) રાજસ્થાનમાં ……… ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
A. લોથલ
B. કાલિબંગન
C. ધોળાવીરા
ઉત્તર : B. કાલિબંગન
(18) ……… નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે.
A. દક્ષિણ ભારતની
B. સૌરાષ્ટ્રની
C. સપ્તસિંધુ
ઉત્તર : C. સપ્તસિંધુ
(19) સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે ……. ની સંસ્કૃતિ કહેવાય છે.
A. હડપ્પા
B. સિંધુખીણ
C. પાષાણયુગ
ઉત્તર : B. સિંધુખીણ
(20) સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને ……… સંસ્કૃતિ કહે છે.
A. હડપ્પીય
B. સપ્તસિંધુ
C. ભારતીય
ઉત્તર : A. હડપ્પીય
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ‘સ્થપતિ’ શબ્દ વપરાય છે.
(2) ભારત પ્રાચીન સમયથી નગર-આયોજનમાં નિપુણતા ધરાવે છે.
(3) ધોળાવીરા નગર-આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું.
(4) મોહેં-જો-દડો નગરના રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા.
(5) મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે.
(6) ગંગા-યમુના નદીઓનો પ્રદેશ એ ભારતની સંસ્કૃતિનો પ્રદેશ છે.
(7) સિંધુખીણની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે.
(8) ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે.
(9) લોથલ ખંભાતના અખાતથી 52 કિલોમીટર દૂર છે.
(10) લોથલમાંથી માનવ-વસાહતના પાંચ થર મળ્યા છે.
(11) લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હતું.
(12) સમ્રાટ અશોકના સમયમાં આઠ સ્તૂપો જાણીતા છે.
(13) સમ્રાટ અશોકના સમયમાં ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ હતો.
(14) સાંચીનો સ્તૂપ ગુજરાતમાં આવેલ છે.
(15) સાંચીનો અસલ સ્તૂપ આરસનો બનાવેલો હતો.
(16) સારનાથનો સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો છે.
(17) સમ્રાટ અશોકના સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે.
(18) સારનાથનો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે.
(19) સારનાથના સ્તંભની ટોચ ઉપર ત્રણ સિંહોની આકૃતિ છે.
(20) સારનાથના સ્તંભની સિંહાકૃતિને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે.
(21) ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં (તળેટીમાં) આવેલો છે.
(22) અમરાવતીનો સ્તૂપ મથુરા શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે.
(23) પાંડ્ય રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.
(24) ગુપ્તયુગ કલાનો ‘સુવર્ણયુગ’ કહેવાય છે.
(25) અશોકના ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા બર્બરના પહાડની ચાર દીવાલો પર કોતરાયેલા છે.
(26) ખંભાલીડા ગુફાઓમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે.
(27) તળાજાનો ડુંગર ‘તાલધ્વજગિરિ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે.
(28) ગિરસોમનાથ જિલ્લામાં સાણા ડુંગર ઉપર મધપૂડાની જેમ 52 જેટલી ગુફાઓ પથરાયેલી છે.
(29) કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ કે. કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી.
(30) કડિયા ડુંગર ગુફાના એક સિંહસ્તંભના શિરો ભાગે એક શરીરવાળી અને બે મુખવાળી સિંહાકૃતિ છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
(5) ખરું
(6) ખોટું
(7) ખરું
(8) ખરું
(9) ખોટું
(10) ખોટું
(11) ખરું
(12) ખોટું
(13) ખરું
(14) ખોટું
(15) ખોટું
(16) ખોટું
(17) ખરું
(18) ખરું
(19) ખોટું
(20) ખોટું
(21) ખરું
(22) ખોટું
(23) ખોટું
(24) ખરું
(25) ખોટું
(26) ખરું
(27) ખરું
(28) ખોટું
(29) ખરું
(30) ખોટું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?
ઉત્તર : વાસ્તુ
(2) મોહેં-જો-દડોનો શો અર્થ થાય છે?
ઉત્તર : મરેલાંનો ટેકરો
(3) આયોજનની દૃષ્ટિએ મોહેં-જો-દડોમાં શું શ્રેષ્ઠ હતું?
ઉત્તર : નગર-આયોજન
(4) મોહેં-જો-દડો નગરના રસ્તાઓ કેટલા પહોળા હતા?
ઉત્તર : 9.75 મીટર
(5) મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ શું હતું?
ઉત્તર : ગટર યોજના
(6) સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં ખીલેલી સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ કહેવાય છે?
ઉત્તર : સિંધુખીણની સંસ્કૃતિ
(7) સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા, તેથી તે કઈ સંસ્કૃતિ કહેવાય છે?
ઉત્તર : હડપ્પીય સંસ્કૃતિ
(8) ધોળાવીરાની કઈ વ્યવસ્થા અદ્ભુત હતી?
ઉત્તર : પાણીના શુદ્ધીકરણની
(9) લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?
ઉત્તર : ધક્કો
(10) સમ્રાટ અશોકના સમયનો ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?
ઉત્તર : દેવની મોરીનો
(11) મૌર્યયુગમાં બનેલો સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે?
ઉત્તર : મધ્ય પ્રદેશમાં
(12) કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો છે?
ઉત્તર : સાંચીનો સ્તૂપ
(13) સમ્રાટ અશોકના સ્તંભલેખો કઈ લિપિમાં કોતરેલા છે?
ઉત્તર : બ્રાહ્મી લિપિમાં
(14) કયો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે?
ઉત્તર : સારનાથનો સ્તંભ
(15) સારનાથ કોના ઉપદેશનું સ્થળ હતું?
ઉત્તર : ભગવાન બુદ્ધના
(16) ધર્મચક્રને ક્યાં સ્થાન આપવામાં આવ્યું છે?
ઉત્તર : ભારતના રાષ્ટ્રધ્વજમાં
(17) કઈ આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે?
ઉત્તર : ચાર સિંહોની
(18) ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?
ઉત્તર : ગિરનારની તળેટીમાં
(19) દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને કયા રાજાઓએ ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી?
ઉત્તર : ચૌલ રાજાઓએ
(20) કયો યુગ કલાનો ‘સુવર્ણયુગ’ કહેવાય છે?
ઉત્તર : ગુપ્તયુગ
(21) મનુષ્યકૃત સૌંદર્યધામો કયાં છે?
ઉત્તર : ભારતનાં ગુફા-સ્થાપત્યો
(22) તળાજાનો ડુંગર કયા તીર્થધામ તરીકે પ્રખ્યાત છે?
ઉત્તર : ‘તાલધ્વજગિરિ’
(23) કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ કોણે શોધી હતી?
ઉત્તર : કે. કા. શાસ્ત્રીએ
(24) દક્ષિણ ભારતના પલ્લવ યુગની આગવી ઓળખ કઈ છે?
ઉત્તર : જગવિખ્યાત રથમંદિરો
(25) કયાં રથમંદિરો વિશ્વવિખ્યાત છે?
ઉત્તર : મહાબલિપુરમ્નાં
(26) ચોલવંશના રાજા રાજરાજ પ્રથમે થંજાવુરમાં કયું મંદિર બંધાવ્યું હતું ?
ઉત્તર : બૃહદેશ્વરનું મંદિર
(27) ‘ગોપુરમ્’ એટલે શું?
ઉત્તર : મંદિરનું પ્રવેશદ્વાર
(28) કયાં મંદિરોનાં ‘ગોપુરમ્’ દૂરથી જોઈને આજે પણ કલારસિકો મંત્રમુગ્ધ બની જાય છે?
ઉત્તર : કાંચી અને મદુરાઈનાં
(29) ઓડિશામાં કયું મંદિર આવેલું છે?
ઉત્તર : કોણાર્કનું સૂર્યમંદિર
(30) તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને કેટલા માળનું ગોપુરમ્ છે?
ઉત્તર : તેર
(31) મદુરાઈમાં ભારતનું કયું ભવ્ય મંદિર આવેલું છે?
ઉત્તર : મીનાક્ષી મંદિર
(32) મીનાક્ષી મંદિરને મુખ્ય કેટલાં ગોપુરમ્ છે?
ઉત્તર : ચાર
(33) સમેત શિખરજી (બિહાર) સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામને શું કહે છે?
ઉત્તર : મધુવન
(34) દેલવાડાનાં દેરાં ક્યાં આવેલાં છે?
ઉત્તર : માઉન્ટ આબુ ઉપર
(35) મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં આવેલું છે?
ઉત્તર : પૂર્વ
(36) મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ છે?
ઉત્તર : 12
(37) મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે?
ઉત્તર : ઈરાની
(38) કુતબુદ્દીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદ બંધાવી હતી?
ઉત્તર : કુવ્વત-ઉલ્-ઇસ્લામ
(39) કુતબુદ્દીન ઐબકે અજમે૨માં કઈ મસ્જિદ બંધાવી હતી?
ઉત્તર : ઢાઈ દિન કા ઝોંપડા
(40) જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી?
ઉત્તર : અટાલા મસ્જિદ
(41) અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે?
ઉત્તર : જામા મસ્જિદ
(42) અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?
ઉત્તર : સુલતાન અહમદશાહ પહેલાએ
(43) કઈ મસ્જિદ ‘મસ્જિદે નગીના’ના નામે ઓળખાય છે?
ઉત્તર : રાણી સિપ્રીની મસ્જિદ
(44) મસ્જિદની અંદર આવવા-જવાનો રસ્તો કયા નામે ઓળખાય છે?
ઉત્તર : ગલિયારા
(45) મસ્જિદમાં બિલા (દીવાલ) હંમેશાં કોની દિશામાં જ બનાવવામાં આવે છે?
ઉત્તર : મક્કાના કાબાની
(46) મસ્જિદમાં સ્તંભોવાળા ઓરડાને શું કહે છે?
ઉત્તર : લિવાન
(47) મસ્જિદના બિલા(દીવાલ)ના અંતના ભાગને શું કહે છે?
ઉત્તર : મકસુરા
(48) મસ્જિદનું પ્રાંગણ શું કહેવાય છે?
ઉત્તર : સહન
(49) મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા (પશ્ચિમ દિશા) કોણ બતાવે છે?
ઉત્તર : મહેરાબ
(50) સ્થાપત્યનો સરળ અર્થ શો થાય છે?
ઉત્તર : બાંધકામ
(51) મોહેં-જો-દડોની નગ૨૨ચનાનાં બે વિશિષ્ટ લક્ષણો કયાં હતાં?
ઉત્તર : રસ્તાઓ અને ગટર યોજના
(52) સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા?
ઉત્તર : હડપ્પા
(53) કયા સમ્રાટના સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે?
ઉત્તર : સમ્રાટ અશોકના
(54) સ્તંભલેખો કેટલી શિલાઓમાંથી બનાવેલા હતા?
ઉત્તર : એક જ શિલામાંથી
(55) સમ્રાટ અશોકના શિલાલેખોમાં કયા શિલાલેખો અગત્યના છે?
ઉત્તર : ધર્માજ્ઞાઓ કોતરેલા
(56) અમદાવાદના કયા જૈન દેરાસરમાં શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે?
ઉત્તર : હઠીસિંહના
(57) કયા યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત, નૃત્ય વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો?
ઉત્તર : ગુપ્તયુગમાં
(58) ગુજરાતમાં જામનગરનું કયું મંદિર ગુપ્તયુગની કલાનો નમૂનો છે ?
ઉત્તર : ગોપમંદિર
(59) ઔરંગાબાદ પાસે આવેલી કઈ ગુફાઓ ગુપ્તકાલીન ગુફાસ્થાપત્યનો પ્રસિદ્ધ નમૂનો છે?
ઉત્તર : અજંતા-ઇલોરાની ગુફાઓ
(60) અસમની કઈ ગુફા પ્રખ્યાત ગુફાસ્થાપત્ય છે?
ઉત્તર : દાર્જિલિંગની ગુફા
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?
A. વાસ્તુ
C. મંદિર
B. કોતરણી
D. ખંડેર
ઉત્તર : A. વાસ્તુ
2. સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું?
A. હડપ્પાનું
B. મોહેં-જો-દડોનું
C. લોથલનું
D. સુરકોટડાનું
ઉત્તર : B. મોહેં-જો-દડોનું
3. મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?
A. રસ્તાઓ
B. ભૂગર્ભ ગટર યોજના
C. જાહેર સ્નાનાગર
D. જાહેર મકાનો
ઉત્તર : B. ભૂગર્ભ ગટર યોજના
4. મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે?
A. ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં
B. અરબ સાગરના લક્ષદ્વીપ ટાપુમાં
C. ઍટલૅન્ટિક મહાસાગરના બર્મ્યુડા ટાપુઓમાં
D. બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં
ઉત્તર : A. ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં
5. ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?
A. બેરતનો
B. ઉપરકોટનો
C. નંદનગઢનો
D. દેવની મોરીનો
ઉત્તર : D. દેવની મોરીનો
6. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે?
A. મહેરાબ
B. હર્મિકા
C. મેધિ
D. તોરણ
ઉત્તર : B. હર્મિકા
7. સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?
A. હર્મિકા
B. મેધિ
C. તોરણ
D. મહેરાબ
ઉત્તર : B. મેધિ
8. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?
A. હિન્દી
B. બ્રાહ્મી
C. ઉર્દૂ
D. ઉડીયા
ઉત્તર : B. બ્રાહ્મી
9. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનાંમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?
A. ચાર સિંહોની આકૃતિને
B. ચાર વૃષભની આકૃતિને
C. શિવની આકૃતિને
D. બે ઘોડાની આકૃતિને
ઉત્તર : A. ચાર સિંહોની આકૃતિને
10. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે?
A. ચોલયુગ
B. મૌર્યયુગ
C. પડ્યયુગ
D. ગુપ્તયુગ
ઉત્તર : D. ગુપ્તયુગ
11. ઉદયગિરિ, ખંડિગિર, નીલિંગિર અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે?
A. ભુવનેશ્વર
B. મુંબઈ
C. ઔરંગાબાદ
D. જૂનાગઢ
ઉત્તર : A. ભુવનેશ્વર
12. ભારતનાં કર્યા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે?
A, મંદિર સ્થાપત્યો
B. ગુફા-સ્થાપત્યો
C. વિહાર સ્થાપત્યો
D. ચૈત્ય સ્થાપત્યો
ઉત્તર : B. ગુફા-સ્થાપત્યો
13. એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?
A. સાતવાહન
B. પાંચ
C. પલ્લવ
D. ચૌલ
ઉત્તર : C. પલ્લવ
14. ગોપુરમ્ એટલે શું?
A. મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે તે ભાગ
B. સ્તંભો પર રચાયેલ મોટો હૉલ
C. બૌદ્ધ સાધુઓના વિહાર માટેનાં સ્થળો
D. મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ
ઉત્તર : D. મંદિરોની બહાર ઊંચી દીવાલો અને સુશોભિત દરવાજાઓ
15. વર્ગમાં ગુજરાતનાં જાણીતાં શિલ્પ-સ્થાપત્યો અંગેની એક ચર્ચાસભામાં વિદ્યાર્થીઓએ જુદાં જુદાં મંતવ્યો વ્યક્ત કર્યા :
અનિલ : મોઢેરાના સૂર્યમંદિરમાં પૂર્વ દિશાના પ્રવેશદ્વારમાંથી આવતું સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સૂર્યપ્રતિમાના મુકુટ પર પડતું હતું.
ભરત : મોઢેરાનું આ મંદિર સંગેમરમરમાં કંડારેલ કાવ્ય તરીકે ક્લાવિવેચકોમાં જાણીતું છે.
રેખા : મોઢેરાનું મંદિર ઈરાની શૈલીમાં બાંધવામાં આવેલ છે.
મમતા : મોઢેરાના મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં 108 જેટલાં મંદિરો આવેલા છે.
કોણ સાચું છે?
A. અનિલ, ભરત અને રેખા
B. માત્ર અનિલ અને મમતા
C. અનિલ, રેખા અને મમતા
D. માત્ર ભરત અને મમતા
ઉત્તર : C. અનિલ, રેખા અને મમતા
16. ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?
A. ખજૂરાહોમાં
B. બંડીપુરમાં
C. મદુરાઈમાં
D. મલ્લપુરમાં
ઉત્તર : C. મદુરાઈમાં
17. દેલવાડાનાં જૈનમંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?
A. મહારાષ્ટ્રમાં
B. ગુજરાતમાં
C. રાજસ્થાનમાં
D. મધ્ય પ્રદેશમાં
ઉત્તર : C. રાજસ્થાનમાં
18. ગુજરાતના ……… ખાતે સૂર્યમંદિર આવેલું છે.
A. મોઢેરા
B. વડનગર
C. ખેરાલુ
D. વિજાપુર
ઉત્તર : A. મોઢેરા
19. દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ-ઇસ્લામ’ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી?
A. સિકંદર બુતશિકને
B. ફીરોઝશાહ તઘલખે
C. કુતબુદીન ઐબકે
D. ઇલ્તુત્મિશે
ઉત્તર : C. કુતબુદીન ઐબકે
20. અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?
A. નગીના મસ્જિદ
B. અટાલા મસ્જિદ
C. દરિયાખાનનો ઘુમ્મટ
D. સીદી સૈયદની જાળી
ઉત્તર : D. સીદી સૈયદની જાળી
21. અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?
A. જામા મસ્જિદ
B. જુમ્મા મસ્જિદ
C. સિપ્રીની મસ્જિદ
D. મસ્જિદે નગીના
ઉત્તર : A. જામા મસ્જિદ
22. લોથલમાં વહાણ લાંઘરવા માટે શું બાંધવામાં આવતું હતું?
A. ખીલો
B. થાંભલો
C. ધક્કો
D. જાળી
ઉત્તર : C. ધક્કો
23. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી ! આ વર્ણન કયા મંદિરનું છે?
A. કોણાર્કના સૂર્યમંદિરનું
B. મોઢેરાના સૂર્યમંદિરનું
C. ખજૂરાહોના સૂર્યમંદિરનું
D. મદુરાઈના મીનાક્ષી મંદિરનું
ઉત્તર : B. મોઢેરાના સૂર્યમંદિરનું
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here