Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો
પ્રકરણસાર
- અજંતાની ગુફાઓ : આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તેના બે ભાગ છે : (1) ચિત્રકલા(ભીંતચિત્રો) આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ, ભીંતચિત્રો આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓનાં ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાનાં છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર છે : (1) ચૈત્ય અને (2) વિહાર. અજંતાની ગુફાઓમાં ગુફા નંબર 9, 10, 19, 26 અને 29 – આ પાંચ ગુફાઓ ચૈત્ય છે. ઈ. સ. 1819માં અંગ્રેજ કપ્ટન જ્હૉન સ્મિથે અજંતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રકલા અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.
- ઇલોરાની ગુફાઓ : આ ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની ગુફાઓ કુલ 34 છે, જેમાં 1થી 12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13થી 29 નંબરની ગુફાઓ હિંદુ ધર્મની અને 30થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મની છે. ઇલોરાની ગુફાઓમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ થયેલો છે. કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. તે 50 મીટર લાંબું, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે.
- ઍલિફન્ટાની ગુફાઓ મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયાની ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં એક નાના ટાપુ પર આવેલી છે. અરબ સાગરમાં આવેલી ગુફાઓ પાસે પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિ જોઈને પોર્ટુગીઝોએ એ ગુફાઓને ‘ઍલિફન્ટા’ નામ આપ્યું. ઍલિફન્ટાની ગુફા નંબર 1માં ભગવાન શિવનાં ત્રણ સ્વરૂપો દર્શાવતી ‘ત્રિમૂર્તિ’ છે.
- મહાબલિપુરમ્ શહેર તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. આ શહેર તેનાં ભવ્ય મંદિરો અને સાગરિકનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલિપુરમ્ રાખવામાં આવ્યું છે.
- પટ્ટદકલ શહેર કર્ણાટક રાજ્યમાં બાદામીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. પટ્ટદકલનાં મંદિરોના નિર્માણમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલી નામની બે સ્થાપત્ય શૈલીઓનો ઉપયોગ થયો છે.
- ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યાં હતાં. તે ગ્રેનાઇટ પથ્થરમાંથી નાગર શૈલીમાં બંધાયેલાં છે.
- કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી (જગન્નાથપુરી) જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. તેનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું. તે દિવ્ય, સાંસારિક અને સજાવટી – આ ત્રણ પ્રકારનાં શિલ્પોમાં થયેલું છે.
- બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર(થંજાવુર)માં આવેલું છે. આ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. બૃહદેશ્વર મંદિરની લંબાઈ 500 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ લગભગ 200 ફૂટ છે.
- કુતુબમિનારનું નિર્માણકાર્ય દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યું હતું અને તેના જમાઈ તથા ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશે પૂરું કરાવ્યું હતું.
- હમ્પી નગર કર્ણાટકના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. વિજયનગર રાજ્યના રાજા કૃષ્ણદેવરાયના સમયમાં હમ્પીમાં સ્થાપત્યોનો વિકાસ થયો હતો. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા ભવ્ય, ઊંચા અને ક્લાત્મક સ્તંભ એ વિજયનગરની સ્થાપત્યકલાની મુખ્ય વિશેષતા છે. હમ્પીના કૃષ્ણદેવરાયના સમયનાં વિઠ્ઠલ મંદિર, હજારા રામમંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણનું મંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે મંદિરો સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.
- હુમાયુના મકબરાનું નિર્માણ હુમાયુના અવસાન પછી તેની પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.
- આગરાનો (લાલ) કિલ્લો ઈ. સ. 1565માં યમુના નદીના કિનારે મુઘલ બાદશાહ અકબરે બંધાવ્યો હતો. તેનું નિર્માણ હિંદુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આગરાના કિલ્લાની અંદરના ‘જહાંગીર મહેલ’માં બંગાળી અને ગુજરાતી શૈલીની અસર જણાય છે. શાહજહાંએ જિંદગીના છેલ્લા દિવસો આગરાના (લાલ) કિલ્લામાં ગુજાર્યા હતા.
- મુસ્લિમ સ્થાપત્યો પૈકી તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યું છે. શાહજહાંએ પોતાની પ્યારી બેગમ મુમતાજ મહલ- (અર્જુમંદબાનુ)ની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો. તાજમહાલના એક મહેરાબ પર આ ઉક્તિ કંડારેલી છે : “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
- લાલ કિલ્લો દિલ્લીમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ઈ. સ. 1638માં બંધાવ્યો હતો. લાલ કિલ્લા(દિલ્લી)માં દીવાન-એ-આમ, દીવાન- એ-ખાસ, મુમતાજનો શીશમહલ, રંગમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજો વગેરે ઇમારતોનો સમાવેશ થાય છે. ઈરાનનો નાદીરશાહ લાલ કિલ્લાની ‘મયૂરાસન’ નામની ક્લાત્મક વસ્તુ ઈરાન લઈ ગયો હતો. દર વર્ષે 15મી ઑગસ્ટ – સ્વાતંત્ર્યદિને અહીં ધ્વજવંદન કરવામાં આવે છે.
- મુઘલ બાદશાહ અક્બરે ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર ‘ફતેહપુર સિકરી’ નામની નવી રાજધાની બનાવી હતી. અક્બરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામના નવા શહેરનું નિર્માણ કર્યું હતું. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો 50 મીટર ઊંચો અને 41 મીટર પહોળો છે. તે દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે.
- ગોવામાં બેસાલીકા ઑફ બોમ જીસસ (બેસાલીકા ઑફ ગુડ જીસસ) દેવળ આવેલું છે. અહીં સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયરનો પાર્થિવ દેહ સાચવીને રાખવામાં આવ્યો છે. ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે જાણીતું છે.
- ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઈ. સ. 2004માં યુનેસ્કોએ ચાંપાનેર વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે.
- ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. તે તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.
- લોથલ પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ધમધમતું અને અનેક સગવડોવાળું, હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું.
- જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા-કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈનમંદિરો, ઘોદર કુંડ, અડીકડીની વાવ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વઝીરની ક્ચર વગેરે જોવાલાયક સ્થળો છે. મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.
- અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગર હતું. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, ઝૂલતા મિનારા, હઠીસિંગના દેરાં, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થળો છે.
- પાટણમાં રાણીની વાવ પાટણના ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે બંધાવી હતી. પાટણમાં ઈ. સ. 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
- શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન યાત્રાસ્થળ છે.
- ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.
- ગુજરાતમાં બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.
- ગુજરાતમાં તારંગા તીર્થ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે.
- ભારતમાં ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ્ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપુરી(ઓડિશા)નો સમાવેશ થાય છે. ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે.
- યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં 32 જેટલાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોને સમાવિષ્ટ કર્યાં છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) અજંતાની ગુફાઓ વિશે માહિતી આપો.
ઉત્તર : અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે વાઘેરા નદીના કાંઠે અર્ધગોળાકારે ઊભેલા સહ્યાદ્રિ પર્વતના એક ભાગને કોતરીને ઘોડાની નાળ આકારે બનાવવામાં આવી છે.
→ હાલમાં અજંતામાં 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે.
→ ઈ. સ. 1819માં અંગ્રેજ કૅપ્ટન જ્હૉન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી.
→ વાસ્તુકલાની દૃષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે. ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય છે : (1) ચિત્રકલા
→ અજંતાની આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ.
→ ચિત્રકલા આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓનાં ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાનાં છે. આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે.
→ અજંતાની ગુફાઓના બે પ્રકાર છે: (1) ચૈત્ય અને (2) વિહાર.
→ 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકીની વિહાર ગુફાઓ છે.
→ અજંતાની ગુફાઓ શરૂઆતની બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે.
→ માનવીના હસ્તક્ષેપને કારણે તેમજ સમયની અસરને લીધે ઘણાં ચિત્રો ક્ષતિગ્રસ્ત બન્યાં છે.
→ આ ગુફાઓ તેની આગવી કલાસમૃદ્ધિને કારણે ભારતમાં અને જગતભરમાં પ્રખ્યાત છે.
→ આ ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાનો સુભગ સમન્વય થયેલો છે. આ ગુફાઓના અપૂર્વ કલાસર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવાન્વિત કરી છે.
[ વિશેષ : ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહે છે અને અધ્યયન કરે છે.]
(2) હમ્પી નગરની સ્થાપત્યકલાનો પરિચય આપો.
ઉત્તર : હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે.
→ 14મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું.
→ વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ દરમિયાન વિજયનગ૨ રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી.
→ કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
→ વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશિષ્ટતા છે.
→ સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં સુંદર અને ક્લાત્મક શિલ્પો કંડારવામાં આવ્યાં છે.
→ કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ થયું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિર મુખ્ય છે.
→ વિજયનગરના શાસકોએ બંધાવેલાં વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણનું મંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પી નગરની સ્થાપત્યકલાનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.
(3) તાજમહાલની સ્થાપત્યકલાનો પરિચય આપો.
અથવા
ભારતનાં સ્મારકો પૈકી તાજમહાલની વિશેષતાઓ જણાવો.
અથવા
ભારતનાં સ્મારકો પૈકી તાજમહાલ વિશે માહિતી આપો.
અથવા
“સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન ભારતના કયા રાષ્ટ્રીય સ્મારક પર અંકિત થયેલું છે? તેની વિશેષતાઓ જણાવો.
અથવા
તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક અજાયબી છે. શાથી?
અથવા
નીચે દર્શાવેલ ચિત્રને ઓળખી, તેના વિશે ટૂંકમાં માહિતી આપો.

ઉત્તર : પ્રશ્નની નીચે આપેલ ચિત્ર તાજમહાલનું છે. તેની માહિતી નીચે પ્રમાણે છે :
પ્રશ્નમાં આપેલું વિધાન તાજમહાલની એક મહેરાબ (દીવાલ) પર અંકિત થયેલું છે.
→ ઈ. સ. 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલ(અર્જુમંદબાનુ)ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહાલ બંધાવ્યો.
→ તે આગરામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે.
→ ઈ. સ. 1631માં તાજમહાલનું બાંધકામ શરૂ થયું હતું તે 22 વર્ષ પછી ઈ. સ. 1653માં પૂર્ણ થયું.
→ શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું.
→ દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે.
→ એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો.
તાજમહાલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે
→ તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે.
→ તાજમહાલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે.
→ તાજમહાલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે.
→ તાજમહાલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે. તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘુમ્મટ છે.
→ તાજમહાલની મધ્યમાં મુમતાજની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે.
→ તાજમહાલની એક મહેરાબ (દીવાલ) પર આ વિધાન અંકિત થયેલું છે : “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
→ અદ્ભુત સૌંદર્યનો ખજાનો ધરાવતો તાજમહાલ ભારતની સ્થાપત્યકલાના વારસાનું ગૌરવ છે.
→ તાજમહાલ દેશ-વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે.
[વિશેષ : વિવેચકો તાજમહાલને ‘સંગેમરમરમાં કંડારેલું પ્રેમકાવ્ય’ કહે છે.]
(4) દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો.
અથવા
ટૂંક નોંધ લખો ઃ લાલ કિલ્લો (દિલ્લી)
અથવા
સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે, તેનો પરિચય આપો.
ઉત્તર : સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે, તે દિલ્લીમાં આવેલા લાલ કિલ્લાનું છે. મુઘલ બાદશાહ શાહજહાંએ ઈ. સ. 1638માં દિલ્લીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો.
→ મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે.
→ તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

→ લાલ કિલ્લાને કમાન આકારનાં બે પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે.
→ શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું.
→ તેમાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીનાબજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.
→ દીવાન-એ-ખાસની ઇમારતને સોના-ચાંદી અને કીમતી પથ્થરોથી સજાવવામાં આવી છે.
→ અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે.
→ શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક ‘મયૂરાસન’ બનાવડાવ્યું હતું.
→ ઈરાનના નાદિરશાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયૂરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો.
→ દિલ્લીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે.
→ દર વર્ષે 15 ઑગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
(5) ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો વિશે નોંધ લખો.
ઉત્તર : ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો નીચે પ્રમાણે છે :
1. ધોળાવીરા અને લોથલ : આ બંને સ્થળો સિંધુખીણની સભ્યતાનાં નગરો હતાં.
→ ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે.
→ તે તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર- વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.
→ આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાનાં કારખાનાં હતાં.
→ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, અમદાવાદ – ભાવનગર હાઇ-વે નજીક આવેલું પુરાતત્ત્વીય સ્થળ છે.
→ તે પ્રાચીન સમયમાં વેપા૨-વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું.
2. જૂનાગઢ : જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા- કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈનમંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વઝીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાનાં જોવાલાયક સ્થળો છે.
→ દર વર્ષે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.
3. અમદાવાદ : અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગર હતું.
→ અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતિની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ (હોજે- કુતુબ), ઝૂલતા મિનારા, હઠીસિંગનાં દેરાં, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.
→ ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર-ગોમતીપુરમાં આવેલા છે. તે તેની ધ્રુજારીના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે.
→ સીદી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે.
4. પાટણ : સહસ્રલિંગ તળાવ અને રાણીની (રાણકી) વાવ પાટણનાં પ્રખ્યાત સ્થાપત્યો છે.
→ ઈ. સ. 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
→ ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતિએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની (રાણકી) વાવના નામે પ્રસિદ્ધ છે. ઈ. સ. 2014માં યુનેસ્કોએ રાણીની (રાણકી) વાવને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કરી છે.
5. સિદ્ધપુર : પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્રમહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે. આજે જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે.
સાંસ્કૃતિક વારસાનાં અન્ય સ્થળો :
→ વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવાલાયક સ્થાપત્યો છે.
→ અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે.
→ જૂનાગઢ જિલ્લામાં બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિ૨ના૨માં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે.
→ બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.
→ ગાંધીનગર પાસે અડાલજની વાવ, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદા હિરેની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ તેમજ નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી (મહીસાગર જિલ્લો) વગેરે સ્થળોએ વાવો આવેલી છે.
→ ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલાં છે. તેમાંનાં કેટલાંક દેરાસરોનું નિર્માણ 11મી સદીમાં થયેલું છે.
→ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારામાતાનું મંદિર આવેલાં છે.
→ ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલાં છે. આ બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ઇલોરાની ગુફાઓની ટૂંકમાં માહિતી આપો.
અથવા
ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ જણાવો.
ઉત્તર : ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે :
→ ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈ. સ. 600થી ઈ. સ. 1000 દરમિયાન થયેલું છે.
→ તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે.
→ ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની, 18થી 29 ગુફાઓ હિંદુ ધર્મની અને 30થી 34 ગુફાઓ જૈન ધર્મની છે.
→ હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે.
→ અહીં બૌદ્ધો, જેનો અને હિંદુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે.
→ ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે.
→ ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલાસર્જનથી શોભાયમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે.
→ ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે.
→ તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે.
→ કૈલાસ મંદિર તેના દરવાજા, ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે. એ શોભા અવર્ણનીય છે.
(2) ઍલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : ઍલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.
→ પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ (ઍલિફન્ટાની ગુફાઓ) ૫૨ સૌપ્રથમ આવ્યા ત્યારે ત્યાં હાથીની પથ્થરનિર્મિત એક વિશાળ આકૃતિ હતી.
→ એ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ ‘ઍલિફન્ટા’ આપ્યું.
→ અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી’ કહે છે.
→ ઍલિફન્ટાની 7 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે.
→ તેમાં ભગવાન શિવનાં ત્રણ સ્વરૂપો દર્શાવતી ભવ્ય ‘ત્રિમૂર્તિ’ છે. તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.

→ ઍલિફન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પરચનાઓ છે. તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ની સંસ્થા યુનેસ્કોએ ઈ. સ. 1987માં વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ઍલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે.
(3) ટૂંક નોંધ લખો : મહાબલિપુરમ્
અથવા
મહાબલિપુરમ્નો પિરચય આપો.
ઉત્તર : મહાબલિપુરમ્ તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે.
→ તે તેનાં ભવ્ય મંદિર-સ્થાપત્યો અને દરિયાકિનારા માટે પ્રસિદ્ધ છે.
→ દક્ષિણ ભારતના પલ્લવ રાજવી નરસિંહવર્મન પ્રથમનું ઉપનામ ‘મહામલ્લ’ હતું. તેણે પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ ‘મહાબલિપુરમ્’ રાખ્યું હતું.
→ રાજવી નરસિંહવમન પ્રથમે મહાબલિપુરમ્માં કુલ સાત રથમંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેમાંથી આજે અહીં પાંચ રથમંદિરો હયાત છે. બે રથમંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયાં છે.
→ અહીં, આજુબાજુના ખડકોમાંથી બનાવેલાં અન્ય મંદિરો પણ છે. તેમાં હાસ્યમુદ્રામાં વિષ્ણુની મૂર્તિ મૂર્તિશિલ્પકલાના અદ્ભુત નમૂનારૂપ છે.
→ અહીં, મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની મૂર્તિ પણ જોવાલાયક છે.
→ વિશ્વભરમાં ખડકશિલ્પનાં બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલિપુરમ્ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું.
(4) પટ્ટદકલ સ્મારક વિશે માહિતી આપો.
ઉત્તર : પટ્ટદકલ દખ્ખણના બદામીના ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું.
→ તે કર્ણાટક રાજ્યના બદામીથી આશરે 16 કિમી દૂર છે.
→ પટ્ટદકલ ચાલુક્ય શૈલીનાં સુંદર મંદિરોને લીધે જાણીતું છે.
→ ઈસુની સાતમી-આઠમી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓના સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયું હતું.
→ અહીંનાં મંદિરોના બાંધકામમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયો છે.
→ આ બંને સ્થાપત્ય શૈલીઓ અહીંનાં મંદિરોની રચનામાં એકબીજીને પ્રભાવિત કરે છે.
→ પટ્ટદકલનાં મંદિરો પૈકી વિરૂપાક્ષ(શિવ)નું મંદિર સૌથી વિશાળ છે.
(5) ખજૂરાહોનાં મંદિરોનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ખજૂરાહોનાં મંદિરો
ઉત્તર : ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજૂરાહો નામના સ્થળે (ગામમાં) આવેલાં છે.
→ ખજૂરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.
→ ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે.
→ આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે.
→ તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્રસમૂહોમાં વિભાજિત થયેલાં છે.
→ આ મંદિરોમાં મોટા ભાગનાં શૈવ મંદિરો છે. કેટલાંક મંદિરો વૈષ્ણવ છે, જ્યારે કેટલાંક જૈનમંદિરો છે.
→ બધાં મંદિરોની રચનાપદ્ધતિ અને શિલ્પવિધાન લગભગ એકસમાન છે.
→ શરૂઆતના સમયનાં બધાં જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોનાં બનાવેલાં છે.
→ તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે.
→ આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી ક્લાકારીગરીનું ઉત્તમ દૃષ્ટાંત છે.
→ દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોનાં મંદિરોમાં મૂર્ત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાનાં શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
[વિશેષ ઃ અહીંનાં કામાસન શિલ્પો માટે ખજૂરાહો જગપ્રસિદ્ધ છે.]
(6) કોણાર્કના સૂર્યમંદિર વિશે નોંધ લખો.
ઉત્તર : કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયાકિનારે આવેલું છે.
→ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું.
→તે કાળા પથ્થરનું બનાવેલું હોવાથી ‘કાળા પેગોડા’ના નામે ઓળખાય છે.
→ સમગ્ર મંદિરને સાત અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

→ આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતાં 12 મોટાં પૈડાં છે. તે વર્ષના બાર મહિનાનાં પ્રતીકો છે. દરેક પૈડાને આઠ આરા છે. તે દિવસના આઠ પ્રહર દર્શાવે છે.
→ રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દૃષ્ટિએ કોણાર્કનું સૂર્યમંદિર અજોડ અને અનુપમ છે.
→ મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનાં દર્શન થાય છે.
→ શિલ્પકલાની દૃષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
(7) બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો.
ઉત્તર : બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યનાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે.
→ આ મંદિર ઈ. સ. 1003થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
→ આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને ‘રાજરાજેશ્વર મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે.
→ આ મંદિર દેવાધિદેવ શિવનું છે.
→ શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને ‘બૃહદેશ્વરનું મંદિર’ કહે છે.

→ આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે.
→ આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી.
→ ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્યકલાનો અદ્વિતીય વારસો ધરાવે છે.
→ બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતનાં ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.
(8) કુતુબમિનાર વિશે નોંધ લખો.
અથવા
કુતુબમિનારનો પરિચય આપો.
અથવા
ભારતના પ્રસિદ્ધ સ્મારક કુતુબમિનારની વિગતે માહિતી લખો.
ઉત્તર : કુતુબમિનાર દિલ્લીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે.
→ 12મી સદીના અંત ભાગમાં દિલ્લીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતબુદ્દીન ઐબકે કુતુમિનારનું બાંધકામ શરૂ કર્યું હતું.
→ કુતબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુત્મિશે તેનું બાંધકામ ઈ. સ. 1210માં પૂર્ણ કરાવ્યું હતું.

→ કુતુબમિનાર પાંચ માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે.
→ તે ભારતનો સૌથી ઊંચો મિનારો (સ્તંભ) છે.
→ આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસપહાણનો ઉપયોગ થયેલો છે.
→ તેનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે, ઊંચાઈ પર જતાં તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે.
→ તેની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.
→ કુતુબમિનાર તેના રચના-કૌશલને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યો છે.
(9) હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? તેના વિશે ટૂંકમાં પરિચય આપો.
અથવા
હુમાયુના મકબરાનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : હુમાયુનો મકબરો (કબર) દિલ્લીમાં આવેલો છે. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.
→ તે ઈ. સ. 1565માં બાંધવામાં આવ્યો હતો.
→ ઈ. સ. 1556માં હુમાયુનું આકસ્મિક અવસાન થયું. એ સમયે હુમાયુની બેગમ હમીદાએ પોતાના પતિની યાદમાં આ ભવ્ય મકબરો બંધાવ્યો.
→ આ મકબરાનું નિર્માણ ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. તેમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે.
→ મુઘલ સમ્રાટોના મકબરાઓમાં હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય ગણાય છે.
[વિશેષ : ઇતિહાસકારોના મતે હુમાયુના મકબરામાંથી પ્રેરણા લઈને જ તાજમહાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.]
(10) આગરાના કિલ્લા વિશે માહિતી આપો.
ઉત્તર : ઈ. સ. 1565માં મુઘલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગરા શહેરમાં યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો હતો.
→ તે લાલ પથ્થરોનો બનેલો છે. તેથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે.
→ આગરાના કિલ્લાનું નિર્માણ હિંદુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે.
→ આ કિલ્લાની દીવાલો 70 ફૂટ ઊંચી છે. કિલ્લાનો ઘેરાવો લગભગ દોઢ માઈલનો છે.
→ આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરોને ખૂબ જ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા, જેથી તેની દીવાલોમાં ક્યાંય તિરાડો દેખાતી નથી.
→ આ કિલ્લામાં સમ્રાટ અકબરે જહાંગીરી મહેલ બંધાવ્યો હતો.
→ આ મહેલ ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે.
→ મુઘલ શહેનશાહ શાહજહાંએ જિંદગીના આખરી દિવસો આગરાના કિલ્લામાં ગુજાર્યા હતા.
(11) ફતેહપુર સિકરી વિશે નોંધ લખો.
અથવા
ફતેહપુર સિકરીનો પરિચય આપો.
ઉત્તર : મુઘલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર ‘ફતેહપુર સિકરી’ નામનું નવું નગર વસાવ્યું હતું.
→ તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી.
→ સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો, તત્ત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો.
→ ઈ. સ. 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. ઈ. સ. 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી.
→ અહીંની ઇમારતોમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે.

→ બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે.
→ તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે.
→ અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો (કબર), દીવાન-એ-આમ, દીવાન- એ-ખાસ, જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે.
[વિશેષ : આ નગરનું મૂળ નામ સિકરી હતું. ઈ. સ. 1572માં અકબરે ગુજરાતના માળવા પર વિજય મેળવ્યો હતો. એ પછી તેણે સિકરીની આગળ ફતેહપુર નામ જોડ્યું હતું. ફતેહપુરનો અર્થ ‘વિજયનું નગર’ એવો થાય છે.]
(12) ગોવાનાં દેવળો વિશે નોંધ લખો.
અથવા
ગોવાનાં દેવળોનો પરિચય આપો.
ઉત્તર : 16મી સદી દરમિયાન પોર્ટુગીઝો(ફિરંગીઓ)એ ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ગોવામાં સ્થાપી હતી. તેમણે ગોવાને પોતાની રાજધાની બનાવી હતી.
→ પોર્ટુગીઝોની સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા.
→ તેથી ગોવામાં નાનાં-મોટાં અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયાં.
→ પોર્ટુગીઝોના શાસન દરમિયાન કૅથેલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા. તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું વડું મથક બનાવ્યું હતું.

→ ભારતમાં તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ આ દેવળમાં શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. ઘણાં વર્ષો પછી પણ તેમનું શબ વિકૃત થયું નથી.
→ જૂના ગોવામાં બેસાલીકા ઑફ બોમ જીસસ (બેસાલીકા ઑફ ગુડ જીસસ) નામનું દેવળ આવેલું છે.
→ ગોવાનો દરિયાકિનારો રમણીય છે, તેથી તે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વિશેષ : ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવામાં અને દીનદુખિયાંની સેવા કરવામાં સંત ફ્રાન્સિસનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. મુંબઈ, અમદાવાદ વગેરે શહેરોમાં ચાલતી સેંટ ઝેવિયર્સ શાળાઓ અને કૉલેજો સંત ફ્રાન્સિસની યાદ આપે છે. ]
(13) ચાંપાનેરનો પરિચય આપો.
ઉત્તર : ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે.
→ ઈ. સ. 1484માં સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેર જીતી લીધું.
→ તેણે થોડા સમય માટે ચાંપાનેરને રાજધાનીનો દરજ્જો આપી તેને ‘મુહમ્મદાબાદ’ નામ આપ્યું.
→ અહીં મહમૂદ બેગડાએ બંધાવેલાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો (નગરકોટ) આવેલાં છે.

→ ચાંપાનેરની સ્થાપકીય ઇમારતો તેમજ કિલ્લો ભારતીય સ્થાપત્ય ક્ષેત્રે આગવું પ્રદાન દર્શાવે છે.
→ ચાંપાનેરની સ્થાપત્યકલા અને તેના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં
લઈ ઈ. સ. 2004માં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે.
વિશેષ : જૂના સમયમાં વનરાજ ચાવડાએ પોતાના બાણાવળી સાથી અને કુશળ સેનાપતિ ચાંપાના નામ પરથી આ નગરી વસાવી હોવાનું મનાય છે.]
(14) અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની યાદી બનાવો.
અથવા
અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય? શા માટે?
ઉત્તર : હા, અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય એ માટેનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબ છે :

(1) ભદ્રનો કિલ્લો, (2) જામા મસ્જિદ, (૩) રાણી સિપ્રીની મસ્જિદ (મસ્જિદ-એ-નગીના), (4) સરખેજનો રોજો, (5) કાંકરિયું તળાવ (હોજે-કુતુબ), (6) સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા, (7) સીદી સૈયદની જાળી (લાલ દરવાજા), (8) હઠીસિંગનાં દેરાં (દિલ્લી દરવાજા), (9) રાણી રૂપમતીની મસ્જિદ, (10) દાદા હિરની વાવ, (11) સૂફી સંત શાહઆલમનો રોજો, (12) દરિયાખાનનો ઘુમ્મટ, (13) ગાયકવાડની હવેલી, (14) બાદશાહનો હજીરો, (15) રાણીનો હજીરો,(16) આઝમખાનનો રોજો, (17) ઝકરિયા મસ્જિદ અને (18) અહમદશાહની મસ્જિદ.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે.
→ કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું.
→ એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે. તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે.
→ તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ ૩૩ મીટર અને ઊંચાઈ 30 મીટર છે.
→ દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે.
→ કેટલાક કલાવિવેચકો કૈલાસ મંદિરને ‘પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય’ કહે છે.
(2) ફતેહપુર સિકરીમાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે?
ઉત્તર : ફતેહપુર સિકરીમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, જ્યોતિષ મહેલ વગેરે ઇમારતો આવેલી છે.
(3) પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. સ્પષ્ટ કરો.
અથવા
ભારતમાં આવેલ તીર્થસ્થાનોનો પરિચય આપો. (કોઈ પણ છ વિશે)
ઉત્તર : પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં ચાર ધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્ત્વની ગણાય છે.
→ ચાર મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ્ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપુરી (ઓડિશા) આ પવિત્ર તીર્થસ્થાનોનો સમાવેશ થાય છે.
→ આ ઉપરાંત, 51 શક્તિપીઠોની અને જમ્મુ-કશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્ત્વની મનાય છે.
→ ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.
→ આમ, ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોને સમાવિષ્ટ કર્યો છે.
આથી કહી શકાય કે, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) અજંતાની ગુફાઓના કેટલા ભાગ છે? કયા કયા?
ઉત્તર : અજંતાની ગુફાઓના બે ભાગ છે : (1) ચિત્રકલા (ભીંતચિત્રો) આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ.
(2) અજંતાની ગુફાઓને ક્યારે, કોણે પુનઃસંશોધિત કરી હતી? .
ઉત્તર : ઈ. સ. 1819માં અંગ્રેજ કૅપ્ટન જ્હૉન સ્મિથે અજંતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી.
(3) ઇલોરાની કુલ કેટલી ગુફાઓ છે? કઈ કઈ?
ઉત્તર : ઇલોરાની કુલ 34 ગુફાઓ છે, જેમાં 1થી 12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13થી 29 નંબરની ગુફાઓ હિંદુ ધર્મની અને 30થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મની છે.
(4) ઍલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે?
ઉત્તર : ઍલિફન્ટાની ગુફાઓ મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયાની ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં એક નાના ટાપુ પર આવેલી છે.
(5) અરબ સાગરમાં આવેલી ગુફાઓને ‘ઍલિફન્ટા’ નામ કોણે, કઈ રીતે આપ્યું?
ઉત્તર : અરબ સાગરમાં આવેલી ગુફાઓ પાસે પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિ જોઈને પોર્ટુગીઝોએ એ ગુફાઓને ‘ઍલિફન્ટા’ નામ આપ્યું.
(6) કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે?
ઉત્તર : કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના પુરી (જગન્નાથપુરી) જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે.
(7) કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ક્યારે, કોના સમયમાં થયું હતું?
ઉત્તર : કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું.
(8) કોણાર્કનું સૂર્યમંદિર ક્યા ત્રણ પ્રકારનાં શિલ્પોમાં થયેલું છે?
ઉત્તર : કોણાર્કનું સૂર્યમંદિર દિવ્ય, સાંસારિક અને સજાવટી – આ ત્રણ પ્રકારનાં શિલ્પોમાં થયેલું છે.
(9) કુતુબમિનારનું નિર્માણકાર્ય કોણે શરૂ કરાવ્યું હતું અને કોણે પૂરું કરાવ્યું હતું?
ઉત્તર : કુતુબમિનારનું નિર્માણકાર્ય દિલ્લીના સુલતાન કુતબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યું હતું અને તેના જમાઈ તથા ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશે પૂરું કરાવ્યું હતું.
(10) હમ્પીના કૃષ્ણદેવરાયના સમયનાં કયાં મંદિરો સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે ?
ઉત્તર : હમ્પીના કૃષ્ણદેવરાયના સમયનાં વિઠ્ઠલ મંદિર, હજારા રામમંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણનું મંદિર, અચ્યુતરાયનું મંદિર વગેરે મંદિરો સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.
(11) મુસ્લિમ સ્થાપત્યમાંનું કયું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યું છે?
ઉત્તર : મુસ્લિમ સ્થાપત્યો પૈકી તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યું છે.
(12) શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો?
ઉત્તર : શાહજહાંએ પોતાની પ્યારી બેગમ મુમતાજ મહલ- (અર્જુમંદબાનુ)ની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો.
(13) તાજમહાલના એક મહેરાબ પર કઈ ઉક્તિ કંડારેલી છે?
ઉત્તર : તાજમહાલના એક મહેરાબ પર આ ઉક્તિ કંડારેલી છે : ‘‘સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’’
(14) લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે?
ઉત્તર : લાલ કિલ્લા(દિલ્લી)માં દીવાન-એ-આમ, દીવાન-એ- ખાસ, મુમતાજનો શીશમહલ, રંગમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજો વગેરે ઇમારતોનો સમાવેશ થાય છે.
(15) ધોળાવીરા શાને માટે જાણીતું છે?
ઉત્તર : ધોળાવીરા તેની આદર્શ નગરરચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.
(16) લોથલનો પરિચય આપો.
ઉત્તર : લોથલ પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ધમધમતું અને અનેક સગવડોવાળું હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું.
(17) જૂનાગઢમાં જોવાલાયક સ્થળો કયાં કયાં છે ?
ઉત્તર : જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા-કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉ૫૨કોટ, જૈનમંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વઝીરની કબર વગેરે જોવાલાયક સ્થળો છે.
(18) ગુજરાતમાં કયાં કયાં સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે?
ઉત્તર : ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.
(19) ગુજરાતમાં કયાં કયાં સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે?
ઉત્તર : ગુજરાતમાં બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર વગે૨ે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.
(20) ગુજરાતમાં કઈ પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે?
ઉત્તર : ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે.
(21) ચાર ધામ યાત્રામાં કયાં કયાં પવિત્ર તીર્થસ્થળોનો સમાવેશ થાય છે?
ઉત્તર : ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ્ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપુરી(ઓડિશા)નો સમાવેશ થાય છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :
(1) અજંતાની ગુફાઓ ……… રાજ્યમાં આવેલી છે.
A. રાજસ્થાન
B. મધ્ય પ્રદેશ
C. મહારાષ્ટ્ર
ઉત્તર : C. મહારાષ્ટ્ર
(2) અજંતાની ગુફાઓની કુલ સંખ્યા …….. છે.
A. 29
B. 34
C. 18
ઉત્તર : A. 29
(3) અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય …….. ધર્મ છે.
A. બૌદ્ધ
B. જૈન
C. હિંદુ
ઉત્તર : A. બૌદ્ધ
(4) …….. ની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય- કલાનો સુમેળ થયેલો છે.
A. ઍલિફન્ટા
B. ઇલોરા
C. અજંતા
ઉત્તર : C. અજંતા
(5) ઇલોરાની ગુફાઓ …….. રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે.
A. મહારાષ્ટ્ર
B. મધ્ય પ્રદેશ
C. કર્ણાટક
ઉત્તર : A. મહારાષ્ટ્ર
(6) ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા ……… છે.
A. 14
B. 24
C. 34
ઉત્તર : C. 34
(7) ઇલોરાની ……… નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે.
A. 13
B. 16
C. 18
ઉત્તર : B. 16
(8) ઍલિફન્ટાની ગુફાઓ ……… રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.
A. મહારાષ્ટ્ર
B. કર્ણાટક
C. કેરલ
ઉત્તર : A. મહારાષ્ટ્ર
(9) ઍલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા ………. છે.
A. 3
B. 12
C. 7
ઉત્તર : C. 7
(10) ઍલિફન્ટાની ગુફાઓમાં આવેલી ……… શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.
A. સૂર્યમંદિર
B. ત્રિમૂર્તિ
C. ધારાપુરી
ઉત્તર : B. ત્રિમૂર્તિ
(11) ઈ. સ. 1987માં યુનેસ્કોએ ……… ને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપ્યું છે.
A. ઇલોરા
B. અજંતા
C. ઍલિફન્ટા
ઉત્તર : C. ઍલિફન્ટા
(12) સ્થાનિક માછીમારો ઍલિફન્ટાને …….. તરીકે ઓળખે છે.
A. પાવાપુરી
B. ધારાપુરી
C. દેવપુરી
ઉત્તર : B. ધારાપુરી
(13) મહાબલિપુરમ્ …….. રાજ્યમાં ચેન્નઈથી 60 કિમી દૂર આવેલું છે.
A. તમિલનાડુ
B. કર્ણાટક
C. આંધ્ર પ્રદેશ
ઉત્તર : A. તમિલનાડુ
(14) પટ્ટદકલ ……… રાજ્યમાં બદામીથી 10 કિમી દૂર આવેલું છે.
A. આંધ્ર પ્રદેશ
B. તમિલનાડુ
C. કર્ણાટક
ઉત્તર : C. કર્ણાટક
(15) પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ……… મંદિર છે.
A. વિરૂપાક્ષનું
B. બૃહદેશ્વરનું
C. મીનાક્ષી
ઉત્તર : A. વિરૂપાક્ષનું
(16) ખજૂરાહોનાં મંદિરો ……… રાજ્યમાં આવેલાં છે.
A. મધ્ય પ્રદેશ
B. રાજસ્થાન
C. મહારાષ્ટ્ર
ઉત્તર : A. મધ્ય પ્રદેશ
(17) ખજૂરાહોનાં મંદિરો ………. શૈલીમાં નિર્માણ થયાં છે.
A. નાગર
B. મથુરા
C. દ્રવિડ
ઉત્તર : A. નાગર
(18) કોણાર્કનું સૂર્યમંદિર ……… રાજ્યમાં આવેલું છે.
A. મધ્ય પ્રદેશ
B. બિહાર
C. ઓડિશા
ઉત્તર : C. ઓડિશા
(19) કોણાર્કનું સૂર્યમંદિર ……… તરીકે પણ ઓળખાય છે.
A. લાલ પેગોડા
B. કાળા પેગોડા
C. સફેદ પેગોડા
ઉત્તર : B. કાળા પેગોડા
(20) બૃહદેશ્વરનું મંદિર ……… રાજ્યમાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે.
A. તમિલનાડુ
B. કર્ણાટક
C. આંધ્ર પ્રદેશ
ઉત્તર : A. તમિલનાડુ
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
(1) અજંતાની ગુફાઓ કર્ણાટક રાજ્યમાં આવેલી છે.
(2) વાસ્તુકળાની દૃષ્ટિએ ઇલોરાની ગુફાઓ મહત્ત્વની છે.
(3) અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે.
(4) ઈ. સ. 1819માં અંગ્રેજ કૅપ્ટન જ્હૉન સ્મિથે અજંતાની ગુફાઓને પુનઃસંશોધિત કરી હતી.
(5) અજંતાની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાનો અપૂર્વ સુમેળ થયેલો છે.
(6) ઇલોરાની ગુફાઓમાં થયેલા કલાસર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.
(7) ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે.
(8) અજંતાની ગુફાઓની કુલ સંખ્યા 29 છે.
(9) ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા 34 છે.
(10) અજંતાનાં ગુફા-મંદિરોના એકબીજાથી અલગ ત્રણ સમૂહો છે.
(11) ચૈત્ય એટલે બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ અને અધ્યયન કરવા માટેનું સ્થળ.
(12) વિહાર એટલે બૌદ્ધ મઠ.
(13) વિહાર એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ.
(14) ઇલોરાની ગુફાઓમાં 1થી 12 નંબરની ગુફાઓ હિંદુ ધર્મને લગતી ગુફાઓ છે.
(15) ઇલારાની ગુફાઓમાં 30થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મને લગતી ગુફાઓ છે.
(16) ઇલોરાની ગુફાઓમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે.
(17) ઍલિફન્ટાની ગુફાઓ અરબ સાગરમાં આવેલી છે.
(18) ઍલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 9 છે.
(19) ઍલિફન્ટાની ગુફાઓમાં આવેલી ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.
(20) ઈ. સ. 1987માં યુનિસેફ દ્વારા ઍલિફન્ટાને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
(21) સ્થાનિક માછીમારો ઍલિફન્ટાને પાવાપુરી તરીકે ઓળખે છે.
(22) મહાલિપુરમ્ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.
(23) વિશ્વભરમાં મહાબલિપુરમ્ ખડક શિલ્પનાં બેનમૂન સ્થાપત્યો ધરાવે છે.
(24) પટ્ટદકલ કેરલ રાજ્યમાં આવેલું છે.
(25) પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું.
(26) વિરૂપાક્ષ(શિવ)નું મંદિર એ તાંજોરનું સૌથી મોટું મંદિર છે.
(27) ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલાં છે.
(28) ખજૂરાહોનાં મંદિરોમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે.
(29) ખજૂરાહોનાં મંદિરો ઈરાની શૈલીમાં નિર્માણ થયેલાં છે.
(30) ચોસઠ યાગિનીનું મંદિર તેના શિખરની આલંકારિક શૈલી માટે જાણીતું છે.
(31) દેશ-વિદેશના પ્રવાસીઓ ખજૂરાહોનાં મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલાને જોઈને મંત્રમુગ્ધ બને છે.
(32) કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે.
(33) કોણાર્કનું સૂર્યમંદિર નવ અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે.
(34) કોણાર્કના સૂર્યમંદિર – રથમંદિરને 12 વિશાળ પૈડાં છે.
(35) ખજૂરાહોનાં મંદિરો આરસપહાણમાંથી બનાવવામાં આવ્યાં છે.
(36) કોણાર્કના સૂર્યમંદિરને ‘કાળા પેગોડા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
(37) બૃહદેશ્વરનું મંદિર કર્ણાટક રાજ્યમાં આવેલું છે.
(38) બૃહદેશ્વરનું મંદિર મહાદેવ શિવનું મંદિર છે.
(39) બૃહદેશ્વર મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે.
(40) બૃહદેશ્વર મંદિરનું શિખર જમીનથી લગભગ 300 ફૂટ ઊંચું છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખોટું
(3) ખરું
(4) ખરું
(5) ખરું
(6) ખોટું
(7) ખરું
(8) ખરું
(9) ખરું
(10) ખોટું
(11) ખોટું
(12) ખરું
(13) ખોટું
(14) ખોટું
(15) ખરું
(16) ખરું
(17) ખરું
(18) ખોટું
(19) ખરું
(20) ખોટું
(21) ખોટું
(22) ખરું
(23) ખરું
(24) ખોટું
(25) ખરું
(26) ખોટું
(27) ખરું
(28) ખરું
(29) ખોટું
(30) ખોટું
(31) ખરું
(32) ખરું
(33) ખોટું
(34) ખરું
(35) ખોટું
(36) ખરું
(37) ખોટું
(38) ખરું
(39) ખરું
(40) ખોટું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) કઈ ષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે?
ઉત્તર : વાસ્તુકળાની
(2) અજંતાની ગુફાઓના કયા બે પ્રકારો છે?
ઉત્તર : ચૈત્ય અને વિહાર
(3) અજંતાની ગુફાઓને કોણે પુનઃસંશોધિત કરી હતી?
ઉત્તર : જ્હૉન સ્મિથે
(4) ઇલોરાની 16 નંબરની ગુફામાં કયું મંદિર આવેલું છે?
ઉત્તર : કૈલાસ મંદિર
(5) મહારાષ્ટ્રમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં કઈ ગુફાઓ આવેલી છે?
ઉત્તર : ઍલિફન્ટાની
(6) સ્થાનિક માછીમારો ક્યા સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે?
ઉત્તર : ઍલિફન્ટાને
(7) તમિલનાડુનું કયું શહેર તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે?
ઉત્તર : મહાબલીપુરમ્
(8) વિરૂપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે?
ઉત્તર : પટ્ટદકલ શહેરમાં
(9) મધ્ય પ્રદેશનાં કયાં મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બને છે?
ઉત્તર : ખજૂરાહોનાં મંદિરો
(10) ખજૂરાહોનાં મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયાં છે?
ઉત્તર : નાગર
(11) રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં કયું મંદિર અદ્વિતીય છે?
ઉત્તર : કોણાર્કનું સૂર્યમંદિર
(12) કયું મંદિર ‘કાળા પેગોડા’ તરીકે પણ ઓળખાય છે?
ઉત્તર : કોણાર્કનું સૂર્યમંદિર
(13) કયા મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે?
ઉત્તર : બૃહદેશ્વર મંદિરનું
(14) કયા મિનાર પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે?
ઉત્તર : કુતુબમિનાર
(15) કયા નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલમંદિર અને હજારા રામમંદિરનું નિર્માણ થયું હતું ?
ઉત્તર : હમ્પી
(16) કયા મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે?
ઉત્તર : હુમાયુના મકબરામાં
(17) કયા કિલ્લા ૫૨ હિંદુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે?
ઉત્તર : આગરાના કિલ્લા પર
(18) શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા હતા?
ઉત્તર : આગરાના કિલ્લામાં
(19) ભારતનું સ્થાપત્ય વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે?
ઉત્તર : તાજમહાલ
(20) તાજમહાલની મધ્યમાં કોની કબર છે?
ઉત્તર : મુમતાજ મહલની
(21) કયા કિલ્લામાં શાહજહાંએ શાહજહાંના બાદ વસાવ્યું હતું?
ઉત્તર : દિલ્લીના લાલ કિલ્લામાં
(22) કયા કિલ્લામાં શાહજહાંએ દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી ઇમારતો બંધાવી હતી?
ઉત્તર : દિલ્લીના લાલ કિલ્લામાં
(23) દર વર્ષે 15 ઑગસ્ટના દિવસે કયા કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે?
ઉત્તર : દિલ્લીના લાલ કિલ્લા પરથી
(24) અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં કયું નગર વસાવ્યું હતું?
ઉત્તર : ફતેહપુર સિકરી
(25) ફતેહપુર સિકરી શહેરની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર : અકબરે
(26) ચાંપાનેર ગામ ક્યાં આવેલું છે?
ઉત્તર : પાવાગઢની તળેટીમાં
(27) સિંધુ સભ્યતાનાં ક્યાં બે નગરો ગુજરાતમાં આવેલાં હતાં?
ઉત્તર : ધોળાવીરા અને લોથલ
(28) હડપ્પીયન સંસ્કૃતિનું બંદર કયું હતું?
ઉત્તર : લોથલ
(29) ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ક્યારે ભરાય છે?
ઉત્તર : મહાશિવરાત્રિએ
(30) અમદાવાદની ઓળખ કઈ નગરી તરીકે કરી શકાય?
ઉત્તર : ઐતિહાસિક
(31) અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાને કારણે કઈ જાળી પ્રખ્યાત છે?
ઉત્તર : સીદી સૈયદની જાળી
(32) પાટણમાં રાણીની વાવ કોણે બંધાવી હતી?
ઉત્તર : રાણી ઉદયમતિએ
(33) પાટણમાં સહસ્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું?
ઉત્તર : સિદ્ધરાજ જયસિંહે
(34) અડાલજની વાવ ક્યાં આવેલી છે?
ઉત્તર : ગાંધીનગર પાસે
(35) ભારતનાં 32 જેટલાં વારસાનાં સ્થળોને કોણે વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સમાવિષ્ટ કર્યાં છે?
ઉત્તર : યુનેસ્કોએ
(36) કઈ ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે?
ઉત્તર : અજંતાની ગુફાઓ
(37) કોના સમયમાં ઇલોરાની ગુફાઓમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું?
ઉત્તર : રાષ્ટ્રકૂટ
(38) ઍલિફન્ટાની ગુફાઓની જગ્યાને ઍલિફન્ટા નામ કોણે આપ્યું હતું ?
ઉત્તર : પોર્ટુગીઝોએ
(39) પલ્લવ વંશના કયા રાજાના સમયમાં મહાબલીપુરમાં સાત મંદિરોનું નિર્માણ થયું હતું ?
ઉત્તર : નરસિંહવર્મન પ્રથમના
(40) ખજૂરાહો એ બુંદેલખંડના કયા રાજાઓની રાજધાનીનું સ્થળ હતું ?
ઉત્તર : ચંદેલ
(41) પ્રાચીન સમયનાં ખજૂરાહોનાં બધાં મંદિરો શામાંથી બનાવવામાં આવેલ છે?
ઉત્તર : ગ્રેનાઇટ પથ્થરોમાંથી
(42) કયા મંદિરનું નિર્માણ ઈ. સ. 1003થી ઈ. સ. 1010ના સમયગાળામાં થયું હતું?
ઉત્તર : બૃહદેશ્વર મંદિર
(43) બૃહદેશ્વર મંદિર ચોલ વંશના કયા રાજાએ બંધાવ્યું હતું?
ઉત્તર : રાજરાજ પ્રથમે
(44) હુમાયુના મૃત્યુ પછી તેના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
ઉત્તર : તેનાં પત્ની હમીદા બેગમે
(45) દિલ્લીમાં આવેલો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો ?
ઉત્તર : શાહજહાંએ
(46) શાહજહાંએ બનાવડાવેલું કલાત્મક મયૂરાસન પોતાની સાથે ઈરાન કોણ લઈ ગયું હતું?
ઉત્તર : નાદીરશાહ
(47) ફતેહપુર સિકરીનો કયો દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે?
ઉત્તર : બુલંદ દરવાજો
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?
A. મધ્ય પ્રદેશ
B. મહારાષ્ટ્ર
C. ઓડિશા
D. ગુજરાત
ઉત્તર : B. મહારાષ્ટ્ર
2. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે?
A. ઇલોરાની
B. ઍલિફન્ટાની
C. બાઘની
D. અજંતાની
ઉત્તર : A. ઇલોરાની
3. તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે, તો એ મંદિર કયું છે?
A. કૈલાસ
B. વિરૂપાક્ષ
C. બૃહદેશ્વર
D. વિષ્ણુ
ઉત્તર : A. કૈલાસ
4. ‘મહાબલિપુરમ્’ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે?
A. પલ્લવ રાજવી નરસિંહવર્મનનું
B, ચોલ રાજવી કરિકાલનું
C. પાંડ્ય રાજવી પેરુવલુદીનું
D. પલ્લવ રાજવી ગોન્ડોર્નિસનું
ઉત્તર : A. પલ્લવ રાજવી નરસિંહવર્મનનું
5. દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ કયા મંદિરનાં શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલા શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે?
A. ખજૂરાહોનાં
B. હમ્પીનાં
C. કોણાર્કના સૂર્યમંદિરનાં
D. મોઢેરાના સૂર્યમંદિરનાં
ઉત્તર : A. ખજૂરાહોનાં
6. કયું મંદિર ‘કાળા પેગોડા’ના નામથી ઓળખાય છે?
A. બૃહદેશ્વર
B. ખજૂરાહો
C. કોણાર્કનું સૂર્યમંદિર
D. વિરૂપાક્ષ
ઉત્તર : C. કોણાર્કનું સૂર્યમંદિર
7. શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા?
A. આગરાના કિલ્લામાં
B. શાહી કિલ્લામાં
C. દિલ્લીના લાલ કિલ્લામાં
D. લાહોરી લ્લિામાં
ઉત્તર : A. આગરાના કિલ્લામાં
8. કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?
A. ખજૂરાહોનાં મંદિરો
B. તાજમહાલ
C. આગરાનો લાલ કિલ્લો
D. ઇલોરાનું કૈલાસ મંદિર
ઉત્તર : B. તાજમહાલ
9. “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે?
A. ફતેહપુર સિકરી
B. લાહોરી દરવાજા
C. તાજમહાલ
D. શીશમહલ
ઉત્તર : C. તાજમહાલ
10. દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો ક્યો છે?
A. સંત સલીમ ચિશ્તીનો દરવાજો
B. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો
C. બિજાપુરનો ગુંબજ દરવાજો
D. મુંબઈનો ગેટવે ઑફ ઇન્ડિયા
ઉત્તર : B. ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો
11. તાજમહાલની એક મહેરાબ ઉપર ક્યું વિધાન અંકિત થયેલું છે?
A. ‘‘તાજના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’’
B. ‘“સ્વર્ગના બગીચામાં પવિત્ર લોકોનું સ્વાગત છે.’’
C. ‘‘સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
D. ‘‘સ્વર્ગના બગીચામાં આવનાર સૌ કોઈનું સ્વાગત છે.”
ઉત્તર : C. ‘‘સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.”
12. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી?
A. હુમાયુએ
B. શાહજહાંએ
C. બાબરે
D. અક્બરે
ઉત્તર : D. અક્બરે
13. નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?
A. ઇલોરાની ગુફાઓને
B. ગોવાનાં દેવળોને
C. ચાંપાનેરને
D. હમ્પીને
ઉત્તર : C. ચાંપાનેરને
14. ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?
A. નર્મદા, ગિરનાર, શેત્રુંજય
B. તાપી, ચોટીલા, દ્વારકા
C. પાલીતાણા, મહીસાગર, પાવાગઢ
D. ડાકોર, અંબાજી, સાપુતારા
ઉત્તર : A. નર્મદા, ગિરનાર, શેત્રુંજય
15. ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા : ……. નું સૂર્યમંદિર
A. પટ્ટદકલ
B. ખજૂરાહો
C. કોણાર્ક
D. બૃહદેશ્વર
ઉત્તર : C. કોણાર્ક
16. દિલ્લીનો કુતુબમિનાર : કુતબુદીન ઐબક / આગરાનો કિલ્લો : ……..
A. બાબર
B. અકબર
C. શાહજહાં
D. જહાંગીર
ઉત્તર : B. અકબર
17. નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?
A. ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે.
B. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે.
C. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.
D. ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.
ઉત્તર : D. ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.
18. કૌસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો :
(સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ)
A. ગોવાનાં દેવળ, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ
B. ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ
C. સહસ્રલિંગ તળાવ, ગોવાનાં દેવળ, સાંચીનો સ્તૂપ, તાજમહાલ, ધોળાવીરા નગર
D. તાજમહાલ, સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગ૨, સહસ્રલિંગ તળાવ, ગોવાનાં દેવળ
ઉત્તર : B. ધોળાવીરા નગર, સાંચીનો સ્તૂપ, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ
19. ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કયો ક્રમ સાચો ગણાય?
A. તાજમહાલ, ખજૂરાહોનાં મંદિ, બૃહદેશ્વર મંદિર, ઇલોરાની ગુફાઓ
B. ઇલોરાની ગુફાઓ, તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર
C. તાજમહાલ, બૃહદેશ્વર મંદિર, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ
D. તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર
ઉત્તર : D. તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર
20. તાજમહાલ : શાહજહાં /હુમાયુનો મકબરો :………
A. જહાંગીર
B. હુમાયુ
C . હમીદા બેગમ
D. શાહજહાં
ઉત્તર : C . હમીદા બેગમ
21. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?
A. નંદા
B. ભદ્રા
C. તદા
D. વિજયા
ઉત્તર : C. તદા
22. નીચે આપેલું ચિત્ર ક્યા સ્થાપત્યનું છે?

A. ત્રિમૂર્તિનું
B. તાજમહાલનું
C. બૃહદેશ્વર મંદિરનું
D. રથમંદિરનું
ઉત્તર : A. ત્રિમૂર્તિનું
23. નીચે આપેલું ચિત્ર ક્યા સ્થાપત્યનું છે?

A. કોણાર્કના સૂર્યમંદિરનું
B. રથમંદિરનું
C. મોઢેરાના સૂર્યમંદિરનું
D. બૃહદેશ્વર મંદિરનું
ઉત્તર : D. બૃહદેશ્વર મંદિરનું
24. નીચે આપેલું ચિત્ર ક્યા સ્થાપત્યનું છે?

A. તાજમહાલનું
B. લાલ કિલ્લાનું
C. બુલંદ દરવાજાનું
D. વડનગરના કીર્તિતોરણનું
ઉત્તર : B. લાલ કિલ્લાનું
25. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

A. લાલ કિલ્લાનું
B. રાણી સિપ્રીની મસ્જિદનું
C. બુલંદ દરવાજાનું
D. સરખેજના રોજાનું
ઉત્તર : C. બુલંદ દરવાજાનું
26. નીચે આપેલું ચિત્ર ક્યા સ્થાપત્યનું છે?

A. સીદી સૈયદની જાળીનું
B. જામા મસ્જિદની જાળીનું
C. રાણી સિપ્રીની જાળીનું
D. સરખેજના રોજાની જાળીનું
ઉત્તર : A. સીદી સૈયદની જાળીનું
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here