Gujarat Board | Class 9Th | Science | Biology | Model Question Paper & Solution | Chapter – 5 The Fundamental Unit of Life (સજીવનો પાયાનો એકમ)
- કોષવિદ્યા (Cytology) : કોષ બધા જ સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. કોષોની રચના, તેના બંધારણ અને તેનાં કાર્યોના અભ્યાસને કોષવિદ્યા કહે છે.
- સજીવો એકકોષી [દા. ત., બૅક્ટેરિયા, અમીબા, પ્લાઝ્મોડિયમ, યીસ્ટ (ફૂગ), ક્લેમિડોમોનાસ (લીલ) વગેરે] કે બહુકોષી (દા. ત., આંબો, વડ, હાથી, માનવ વગેરે) હોઈ શકે છે.
- કોષવિદ્યાના અભ્યાસમાં રૉબર્ટ હૂક, લ્યુવૅનહૉક, રૉબર્ટ બ્રાઉન, પરિકન્હે, ફ્લેઇડન અને શ્યૉન, વિર્હોવ, કેમિલો ગોલ્ગી વગેરે વૈજ્ઞાનિકોનો ફાળો મહત્ત્વનો છે.
-
- કોષરચના (Cell Structure): કોષો આકાર, કદ અને કાર્યોમાં વિભિન્નતા દર્શાવે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષનો અભ્યાસ ત્રણ વિસ્તારમાં થાય છે : (1) કોષરસપટલ, (2) કોષકેન્દ્ર અને (3) કોષરસ.
- કોષીય અંગિકાઓ (Cell Organelles) : પ્રત્યેક કોષ સજીવના ઘટકરૂપે પાયાની જૈવિક ક્રિયાઓ કરે છે, જે સજીવના અસ્તિત્વ માટે આવશ્યક છે. વધુ જટિલ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ કોષમાં આવેલી વિવિધ કોષીય અંગિકાઓ દ્વારા થાય છે. કોષની અંગિકાઓની રચનાનો અભ્યાસ કરવા વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર(ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ)નો ઉપયોગ થાય છે.
- કોષરસપટલ (Plasma Membrane): વનસ્પતિકોષમાં કોષદીવાલની અંદરની બાજુએ અને પ્રાણીકોષમાં સૌથી બહારની બાજુએ કોષની ફરતે આવેલા કોષરસના આવરણને કોષરસપટલ કહે છે. તે કોષમાં પ્રવેશતાં કે કોષમાંથી બહાર નીકળતાં દ્રવ્યોનું નિયમન કરે છે.
- કોષદીવાલ (Cell Wall) : વનસ્પતિકોષમાં કોષરસપટલની બહારની બાજુએ સેલ્યુલોઝનું બનેલું સખત આવરણ કોષદીવાલ છે.
- અંતઃકોષરસજાળ (Endoplasmic Reticulum) : તે કોષના સમગ્ર કોષરસમાં પુટિકાઓ અને નલિકાઓની મોટી આરિત જાળીમય રચના ધરાવતી અંગિકા છે.
- રિબોઝોમ (Ribosome) : તે પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે.
- ગોલ્ગીપ્રસાધન (Golgi Apparatus) : તે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓયુક્ત અંગિકા છે. તે નીપજોનું પૅકેજિંગ કરી, તેમનું રૂપાંતરણ અને સંગ્રહ કરવામાં મદદરૂપ છે.
- લાયસોઝોમ (Lysosome) : તે પાચક ઉત્સેચકો (હાઇડ્રોલેઝિસ) ધરાવે છે. તેને આત્મઘાતી કોથળી (Suicidal bag) પણ કહે છે.
- કણાભસૂત્ર (Mitochondrion) : તે કોષીય શ્વસન માટેના ઉત્સેચકો ધરાવે છે. તે ઊર્જાનિર્માણની ક્રિયા માટે જવાબદાર છે. તેને ઊર્જાઘર (Power house) કહે છે.
- હરિતકણ (Chloroplast) : આ અંગિકા માત્ર લીલી વનસ્પતિના કોષમાં જ હોવા છતાં, દરેક સજીવને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઊર્જા માટે તેનો આધાર લેવો પડે છે. તે હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) ધરાવે છે. તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે.
- રસધાની (Vacuole): ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે.
- કોષના પ્રકાર : કોષકેન્દ્રની રચનાને આધારે કોષના બે પ્રકાર પાડવામાં આવે છે :
- આદિકોષકેન્દ્રી (Prokaryotic) કોષ : તેમાં કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનો અભાવ હોય છે. દા. ત., બૅક્ટેરિયા અને સામેનોબૅક્ટેરિયા.
- સુકોષકેન્દ્રી (Eukaryotic) કોષ : તેમાં સ્પષ્ટ કોષકેન્દ્રપટલ, કોષકેન્દ્રિકા અને રંગસૂત્રદ્રવ્ય સહિતનાં કોષકેન્દ્ર હોય છે. તેઓમાં પટલમય અંગિકાઓ હોય છે. દા. ત., લીલ, ફૂગ, ઉચ્ચ વનસ્પતિઓ અને બધાં જ પ્રાણીઓના કોષો.
નોંધ : કોષકેન્દ્રીય ક્લા, કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રસ્તરનો અર્થ એક જ છે.]
પ્રસ્તાવના
પ્રશ્ન 1. કોષ શબ્દનો અર્થ આપી, તેની શોધ વિશે માહિતી આપો. [2 ગુણ]
ઉત્તર : કોષ શબ્દ લૅટિન શબ્દ ‘સેલ્યુલા'(Cellula) માંથી મેળવ્યો છે, જેનો અર્થ નાનો ઓરડો (Small room) થાય છે.
રૉબર્ટ હૂક (1665) નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર(માઇક્રોસ્કોપ)માં બાટલીના બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતાં તેમાં તેમને મધપૂડાનાં ખાનાં જેવી રચના જોવા મળી. તેને કોષ (Cell) તરીકે ઓળખાવી.
આ ખૂબ જ નાની ઘટનાનું સ્થાન જીવવિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ અગત્યનું હતું. રૉબર્ટ હૂકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે. આ એકમો માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થાય છે.
5.1 સજીવો શાના બનેલા છે?
→ ડુંગળીની છાલના કોષોના હંગામી આસ્થાપન તૈયાર કરવાની રીત વર્ણવો અને આસ્થાપનનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપો :
હેતુ : ડુંગળીની છાલના કોષોનું હંગામી આસ્થાપન તૈયાર કરવું.
સાધનો : ચીપિયા, વૉચ ગ્લાસ, સ્લાઇડ, કવરસ્લિપ, પીંછી, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર
અભિરંજક : આયોડિન
પદાર્થ : ડુંગળીનું કંદ
આસ્થાપન તૈયાર કરવાની રીત :
→ ડુંગળીના કંદનો નાનો ટુકડો કરી, તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો.
→ આ પાતળા પડને પાણી ભરેલા વૉચ ગ્લાસમાં મૂકો.
→ કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી, તેના પર ડુંગળીના પાતળા પડનો નાનો ટુકડો મૂકો. પીંછી વડે આ પડને સીધું કરો.
→ ત્યારપછી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો.
→ તેના પર સોયની મદદથી વરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
→ તૈયાર થયેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા (10X) અને વધુ ક્ષમતાવાળા (45 X) વસ્તુકાચ હેઠળ અવલોકન કરો.
→ આ પ્રમાણે ડુંગળીના વિવિધ આકારવાળા પડ તેમજ વિવિધ આકારની ડુંગળીના પડ લઈ, તેની સ્લાઇડ બનાવી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
• સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે શું અવલોકન કર્યું?
ઉત્તર : સૂક્ષ્મદર્શક યંત્રમાં નાનાં-મોટાં ખાનાં સ્વરૂપે કોષોનું અવલોકન કર્યું.
• શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકનપત્ર પર દોરી શકશો?
ઉત્તર : હા.
• શું તમે દોરેલી આકૃતિ નીચે આપેલી આકૃતિ જેવી દેખાય છે?
ઉત્તર : હા.
• ડુંગળીના વિવિધ આકારવાળા પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં તમે શું અવલોકી શકો છો?
ઉત્તર : ડુંગળીના વિવિધ આકારવાળા પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડમાં પણ નાનાં-મોટાં ખાનાં સ્વરૂપે કોષરચના અવલોકી શકાય છે.
• શું તમે એકસરખી સંરચનાઓ અવલોકો છો? અથવા અલગ અલગ રચનાઓ અવલોકો છો?
ઉત્તર : બધી સંરચનાઓ એકસરખી જોવા મળે છે. આ બધી રચનાઓ મળીને ડુંગળીનું શલ્કી આવરણ રચે છે.
• વિવિધ આકારની ડુંગળીના પડનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરવાથી શું નક્કી કરી શકાય છે?
ઉત્તર : વિવિધ આકારની ડુંગળીના પડનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરતાં એકસરખી સંરચનાઓ જોવા મળે છે.
આ પરથી નક્કી કરી શકાય કે ડુંગળીના કોષો એકસમાન સંરચના ધરાવે છે. ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી.
પ્રશ્ન 2. નીચેના વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો :
[બે વૈજ્ઞાનિકો -2 ગુણ]
( 1 ) રૉબર્ટ હૂક ( 2 ) લ્યુવૅનહૉક (૩) રૉબર્ટ બ્રાઉન ( 4 ) પરકન્જે ( 5 ) ફ્લેઇડન અને શ્યૉન (6) વિર્શોવ (7) કેમેલો ગોલ્ગી
ઉત્તર :
- રૉબર્ટ હૂક (Robert Hooke) (1665) : આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી, તેમાં ઓકની છાલ(બૂચ)ના નિર્જીવ કોષો જોયા. બૂચની મધપૂડાનાં ખાનાઓ જેવી રચનાને તેમણે સૌપ્રથમ કોષ નામ આપ્યું.
- લ્યુવૅનહૉક (Leeuwenhoek) (1674) : આ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી, તેમાં સૌપ્રથમ વખત બૅક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો. તેમણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી કોષકેન્દ્રનું નિરીક્ષણ કર્યું.
- રૉબર્ટ બ્રાઉન (Robert Brown) (1831) : આ વૈજ્ઞાનિકે વનસ્પતિકોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષકેન્દ્ર તરીકે વર્ણવ્યું.
- પકિબ્જે (Purkinje) (1839): આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલાં જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝ્મ (જીવરસ) નામ આપ્યું.
- શ્લેઇડન અને વૉન (Schleiden and Schwann) (1838 અને 1839) ઃ તેમણે કોષવાદ રજૂ કર્યો. તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે.
- વિર્સોવ (Virchow) (1855) : આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે.
- કેમિલો . ગોલ્ગી (Camillo Golgi) (1890) : આ વૈજ્ઞાનિકે ગોલ્ગીપ્રસાધનનું સૌપ્રથમ અવલોકન અને વ્યવસ્થિત વર્ણન કર્યું.
[નોંધ : પાઠ્યપુસ્તકમાં વૈજ્ઞાનિકોની સમજૂતી વધારે જાણવા માટેના મુદ્દા તરીકે સમાવેશ કરાયો છે.]
પ્રશ્ન 3. એકકોષીય (Unicellular) અને બહુકોષીય (Multicellular) સજીવોની માહિતી આપો. [3 ગુણ)
અથવા
સમજાવો : બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે.
ઉત્તર : સૂક્ષ્મદર્શક યંત્રની શોધ પછી એવું જાણી શકાયું છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે.
દરેક સજીવમાં કોષવિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. આમ, બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે.
→ જુદા જુદા કદ ધરાવતા પર્ણના આવરણ (સ્તર), ડુંગળીના મૂલાગ્ર અને ડુંગળીના કંદના પડ લઈ, તેનું હંગામી આસ્થાપન તૈયાર કરો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
→ આસ્થાપન તૈયાર કરવાની રીત : જુઓ પ્રવૃત્તિ 5.1.
• નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે?
ઉત્તર : ના, વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષોના કદ અને આકાર જુદા જુદા હોય છે.
(b) શું બધા કોષોની સંરચના સમાન છે?
ઉત્તર : ના, બધા કોષોની સંરચનામાં માત્ર કોષદીવાલ અને કોષકેન્દ્રની હાજરી બાબતે સમાનતા છે.
(c) વનસ્પતિદેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે?
ઉત્તર : હા, વનસ્પતિદેહના વિભિન્ન ભાગોમાંના કોષો કદ, આકાર, રંગ, કાર્યમાં જુદા હોવાથી તેમના વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે.
(d) આપણને શું સમાનતા જોવા મળે છે?
ઉત્તર : આપણને બધા કોષોમાં સ્પષ્ટ કોષકેન્દ્ર, રસધાની અને સૌથી બહાર કોષદીવાલની હાજરી બાબતે સમાનતા જોવા મળે છે.
પ્રશ્ન 4. નીચે આપેલા માનવશરીરના વિવિધ આકારના કોષ ઓળખી, તેમનાં નામ આપો. [3 ગુણ]
ઉત્તર : (a) અંડકોષ, (b) અરેખિત સ્નાયુતંતુ, (c) ચેતાકોષ, (d) રુધિરકોષો, (૯) શુક્રકોષ, (1) અસ્થિકોષ અને (g) મેદકોષ.
પ્રશ્ન 5. સજીવોમાં શ્રમ(કાર્ય)ની વહેંચણી સમજાવો. [3 ગુણ]
અથવા
સમજાવો : ઉચ્ચ સજીવોની જેમ એકકોષી સજીવોમાં પણ શ્રમની વહેંચણી થયેલી હોય છે.
ઉત્તર : સજીવોનાં કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધારણ કરે છે. દા.ત., અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર સતત બદલાતો રહે છે. એકકોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી, અંગ, તંત્ર સ્વરૂપી આયોજન નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે. કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે.
બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમવિભાજન થયેલું હોય છે. દા. ત., મનુષ્યશરીરના જુદા જુદા ભાગો જુદાં જુદાં કાર્ય કરે છે. હૃદય રુધિરપરિવહનનું, જ્યારે જઠર ખોરાકના પાચનનું કાર્ય કરે છે. આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે. જેમ કે ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુકોષ.
આમ, એકકોષી સજીવોમાં અંગિકા સ્તરે જ્યારે બહુકોષી સજીવોમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ શ્રમવિભાજન થયેલું હોય છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 6. કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે? [2 ગુણ]
ઉત્તર : રૉબર્ટ હૂકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાનાં ખાનાઓ જેવી રચનાઓ જોઈ. આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા.
પ્રશ્ન 7. શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? [2 ગુણ]
ઉત્તર : એકકોષી સજીવો એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાનાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે.
ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ(ફલિતાંડ)થી થાય છે. બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશસંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે.
આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે.
5.2 કોષ શાનો બનેલો છે? કોષનું બંધારણીય આયોજન શું છે?
પ્રશ્ન 8. કોષનું આયોજન કેવી રીતે થાય છે? [2 ગુણ]
ઉત્તર : પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષરસપટલ, કોષકેન્દ્ર અને કોષરસ હોય છે.
કોષરસ કોષનાં વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે, તેને અંગિકાઓ કહે છે. દા. ત., કણાભસૂત્ર, અંતઃકોષરસજાળ, ગોલ્ગીપ્રસાધન, લાયસોઝોમ, રિબોઝોમ વગેરે.
આમ, વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ, કોષકેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસપટલ દ્વારા કોષનું આયોજન થાય છે.
આ આયોજનથી કોષની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે.
5.2.1 કોષરસપટલ અથવા કોષીય પટલ
પ્રશ્ન 9. કોષરસપટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો લખો. [3 ગુણ]
ઉત્તર : કોષરસપટલનું સ્થાન ઃ કોષરસપટલ એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણીકોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે, જ્યારે જીવાણુકોષ અને વનસ્પતિકોષમાં તે કોષદીવાલની અંદરની તરફ આવેલું છે.
લાક્ષણિકતા : કોષરસપટલ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ (કલા) છે.
કાર્યો : (1) તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. (2) તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. (3) તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતાં અને કોષમાંથી બહાર નીકળતાં દ્રવ્યોના નિયમનનું છે. (4) તેમાંથી O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા પસાર થાય છે. (5) તેમાંથી પાણીના અણુઓ આકૃતિ દ્વારા પસાર થાય છે.
પ્રશ્ન 10. પ્રસરણ એટલે શું? કોષના વાયુ-વિનિમય આધારે સમજાવો. [2 ગુણ)
ઉત્તર : કોઈ પણ દ્રવ્ય(પદાર્થ)ના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ (Diffusion) કહે છે.
જીવંત કોષોમાં વાયુ-વિનિમય ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. દા. ત., કોષની અંદર થતા શ્વસનને પરિણામે CO2 ઉત્પન્ન થાય છે. આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં CO2નો સંચય થતાં CO2ની સાંદ્રતા વધે છે. (CO2 ઉત્સર્ગ દ્રવ્ય છે. કોષ દ્વારા તેનો નિકાલ જરૂરી છે.) સાપેક્ષમાં કોષની બહારના પર્યાવરણમાં CO2 ની સાંદ્રતા ઓછી હોય છે. આમ થવાથી કોષની અંદરના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 બહારના ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે છે.
આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી O2 કોષમાં પ્રવેશ પામે છે.
આમ, પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાયુ(વાત)-વિનિમયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
પ્રશ્ન 11. પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણના પ્રકાર સમજાવો. [3 ગુણ]
અથવા
સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો.
ઉત્તર : પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણો ત્રણ પ્રકારનાં હોઈ શકે :
- સમસાંદ્ર દ્રાવણ (આઇસોટોનિક દ્રાવણ – Isotonic Solution) : બંને દ્રાવણોની સાંદ્રતા એકસરખી હોય કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય, તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે.
- અધોસાંદ્ર દ્રાવણ (હાઇપોટોનિક દ્રાવણ – Hypotonic Solution) : જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે.
- અધિસાંદ્ર દ્રાવણ (હાઇપરટોનિક દ્રાવણ – Hypertonic Solution) : જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે.
પ્રશ્ન 12. જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણીકોષ અને વનસ્પતિકોષ પર થતી અસરો સમજાવો. [3 ગુણ]
અથવા
સમજાવો : આકૃતિ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણનો વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે.
ઉત્તર : જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની કોષ પર થતી અસર:
( 1 ) જો કોષને હાઇપોટોનિક (કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની વધારે સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે. આમ, પાણીના શોષણથી કોષ ફૂલે છે અને કોષનું કદ વધે છે.
( 2 ) જો કોષને આઇસોટોનિક (કોષની અંદરના દ્રાવણ જેટલી જ પાણીની સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષકલામાંથી બંને દિશામાં પસાર થશે. જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એટલું જ પાણી કોષમાંથી બહાર નીકળે છે. આથી કોષના કદમાં કોઈ ફેરફાર થશે નહિ.
( 3 ) જો કોષને હાઇપરટોનિક (કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષકલામાંથી બે દિશામાં પ્રસરણ પામે છે. કોષમાંથી વધારે પાણી બહાર નીકળે છે અને અંતે કોષ સંકોચાઈ જાય છે. તેથી કોષનું કદ ઘટે છે.
આ ઘટના નીચેની આકૃતિઓ પરથી સમજી શકાય :
[આકૃતિ 5.3 (b) : જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની વનસ્પતિકોષ પર અસર]
પ્રશ્ન 13. આકૃતિ (Osmosis) એટલે શું? આકૃતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવી, આકૃતિ ક્રિયાનું મહત્ત્વ જણાવો. [૩ ગુણ]
ઉત્તર : આકૃતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે.
વ્યાખ્યા : બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આકૃતિ (રસાકર્ષણ) કહે છે.
આકૃતિ ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક (અધોસાંદ્ર) દ્રાવણમાંથી હાઇપરટોનિક (અધિસાંદ્ર) દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
આઇસોટોનિક (પાણીની સમાન સાંદ્રતા ધરાવતા) દ્રાવણો વચ્ચે આકૃતિ ક્રિયા થતી નથી.
ઉદાહરણ : સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતાં, થોડા સમય બાદ દ્રાક્ષ પાણી મેળવી ફૂલે છે. લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકતાં, થોડા સમય બાદ પાણી ગુમાવી ચીમળાઈ જાય છે.
મહત્ત્વ : મીઠા પાણીના એકકોષીય સજીવો અને મોટા ભાગના વનસ્પતિકોષો આકૃતિ દ્વારા પાણી મેળવે છે.
→ વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આકૃતિ દ્વારા થાય છે.
ઈંડા સાથે આકૃતિ :
(a) ઈંડાને મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ(HCl)માં મૂકતાં, કૅલ્શિયમ કાર્બોનેટ(CaCO3)નું બનેલું કવચ ઓગળી દૂર થાય છે.
→ ઈંડા ફરતે પાતળું ત્વચીય બાહ્ય આવરણ રહેલું છે.
→ કવચ દૂર કરેલા ઈંડાને શુદ્ધ પાણીમાં મૂકો.
→ પાંચ મિનિટ પછી અવલોકન કરો.
તમે શું અવલોકન કર્યું?
ઉત્તર : આકૃતિ દ્વારા પાણી ઈંડામાં પ્રવેશવાને કારણે ઈંડું ફૂલે છે.
(b) કવચવિહીન ઈંડાને ક્ષાર(NaCl)ના સાંદ્ર દ્રાવણમાં મૂકો.
→ પાંચ મિનિટ બાદ અવલોકન કરો.
ઈંડું સંકોચન પામે છે. શા માટે?
ઉત્તર : બહારના માધ્યમમાં ક્ષારનું દ્રાવણ વધુ સંકેન્દ્રિત હોવાથી ઈંડામાંથી પાણી બહારના દ્રાવણમાં આવે છે.
સૂકી દ્રાક્ષ કે જરદાળુમાં આકૃતિ :
→ સૂકી દ્રાક્ષ કે જરદાળુને શુદ્ધ પાણીમાં મૂકી, તેમને થોડો સમય રહેવા દો. અવલોકન કરો.
→ત્યારબાદ તેને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકો. તમારા અવલોક્નની નોંધ કરો.
અવલોકન :
( 1 ) સૂકી દ્રાક્ષ કે જરાળુને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે પાણી શોષી લે છે. તે અંતઃઆતિ દર્શાવે છે.
( 2 ) દ્રાક્ષ કે જરદાળુને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી ગુમાવે છે અને ચીમળાઈ જાય છે. તે બહિ:આકૃતિ સૂચવે છે.
પ્રશ્ન 14. કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો. [2 ગુણ]
ઉત્તર : કોષના જીવન માટે જરૂરી બાબતો :
(1) કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ-વિનિમય કરે છે.
(2) કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે.
(3) વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે.
પ્રશ્ન 15. કોષરસપટલની સંરચના જણાવી, અંતર્વહન(Endocytosis)ની સમજૂતી આપો. [2 ગુણ]
ઉત્તર : કોષરસપટલની સંરચનાનું અવલોકન વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર (ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ) વડે થઈ શકે છે.
કોષરસપટલ કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું છે.
અંતર્વહન : કોષરસપટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો ગ્રહણ કરે છે. આ ક્રિયાને અંતર્વહન કહે છે.
અમીબામાં ખોરાક અંતઃગ્રહણ અંતર્વહન ક્રિયા દ્વારા થાય છે.
→ શાળાના પુસ્તકાલય કે ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ વિશે માહિતી એકત્ર કરો. તેની ચર્ચા તમારા વિષય-શિક્ષક સાથે કરો.
→ અર્નેસ્ટ રસ્કા (Ernst Ruska) અને મૅક્સ નૉલ (Max Knoll) 1931માં ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપનું સંશોધન કર્યું.
→ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રૉમૅગ્નેટનો ઉપયોગ કરી અત્યંત ઝડપી ગતિનો વીજાણુપ્રવાહ વપરાય છે.
→ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની રચનામાં બે પ્રકારના વિદ્યુતચુંબક લેન્સ, વીજાણુપ્રવાહ સર્જી તેમને નલિકામાર્ગે વહેવા પ્રેરતું સાધન, નમૂના માટે આસ્થાપન અને વીજાણુ વિકિરણથી પ્રસ્ફુરિત પ્રતિબિંબ સર્જવાની ગોઠવણી હોય છે. આ માટે ઊંચા સ્તરની અવકાશ વ્યવસ્થા હોય છે.
ટ્રાન્સમિશન ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપી (TEM)
→ તે દ્વિપરિમાણ (2D) ઇમેજ સર્જે છે.
→ તેના દ્વારા કોષમાંની અંગિકાઓ, કેટલાક ઉત્સેચકોની તેમજ વિષાણુની હાજરી ચકાસી શકાય છે.
સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપી (SEM) :
→ તે ત્રિપરિમાણ (3D) ઇમેજ સર્જે છે.
→ તેના દ્વારા નમૂનાનો બાહ્ય રચનાનો અભ્યાસ તેમજ નમૂનાના ત્રિપરિમાણ સ્વરૂપની સમજ મેળવી શકાય છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 16. કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે? ચર્ચા કરો. [1 ગુણ]
ઉત્તર : CO2નું વહન કોષરસપટલ વડે પ્રસરણ દ્વારા જ્યારે પાણીનું વહન કોષરસપટલમાંથી આકૃતિ દ્વારા થાય છે.
CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે.
પ્રશ્ન 17. કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? [1 ગુણ]
ઉત્તર : કોષરસપટલ કેટલાંક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષ બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાંક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.
5.2.2 કોષદીવાલ
પ્રશ્ન 18. ટૂંક નોંધ લખો : કોષદીવાલ [2 ગુણ)
ઉત્તર : વનસ્પતિકોષમાં કોષરસપટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષદીવાલ કહે છે.
પ્રાણીકોષમાં કોષદીવાલનો અભાવ હોય છે.
વનસ્પતિકોષની કોષદીવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે. તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે.
કાર્યો: (1) તે કોષનો આકાર જાળવી રાખે છે. (2) તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે. (3) તે કોષને વધુ પડતા જલશોષણથી બચાવે છે. (4) તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
( a ) ટ્રેડેસ્કેન્શિયા (રીહો – Rheo) પર્ણની છાલના કોષોમાં રસસંકોચન :
→ રીહો પર્ણની છાલ(ઉપરિ અધિસ્તર)ને ઉખાડી, સ્લાઇડ પર આસ્થાપન કરો.
→ તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના હાઈપાવર નીચે તેનું અવલોકન કરો.
→ તેમાં લીલું રંજકદ્રવ્ય ક્લોરોફિલ ધરાવતી નાની લીલી કણિકાઓ તરીકે હરિતકણો જોવા મળે છે.
→ હવે, સ્લાઇડ પર મૂકેલા પર્ણ પર ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકો.
→ એક મિનિટ પછી, સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કરો.
• આપણે શું જોઈ શકીએ છીએ?
અવલોકન : અવલોકનમાં આપણે જીવંત કોષમાં આકૃતિ દ્વારા પાણી ગુમાવવાને કા૨ણે કોષરસનું સંકોચન અને તેથી કોષરસ કોષદીવાલથી દૂર થયેલો જોઈ શકીએ છીએ.
(b) થોડાં રીહો પર્ણોને ઉકાળેલા પાણીમાં થોડો સમય મૂકો.
→ ઊકળતું પાણી પર્ણોના કોષોનો નાશ કરે છે.
→ એક આવા પર્ણની છાલ(અધિસ્તર)ને સ્લાઇડ પર આસ્થાપિત કરો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
→ આસ્થાપિત પર્ણ પર શર્કરા કે મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકો.
→ એક મિનિટ બાદ તેનું ફરી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
• આપણને શું જોવા મળશે?
ઉત્તર : આપણને કોષરસની સ્થિતિમાં કોઈ ફરક જોવા મળતો નથી.
• શું રસસંકોચન થશે?
ઉત્તર : ના
• આ પ્રવૃત્તિથી આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે?
ઉત્તર : આ પ્રવૃત્તિથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે માત્ર જીવંત કોષોમાં આસૃતિ થાય છે. મૃત કોષો આકૃતિ દ્વારા પાણીનું શોષણ કરવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી.
પ્રશ્ન 19. વનસ્પતિકોષો તેમજ ફૂગ અને બૅક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતાં નથી. શા માટે? [2 ગુણ]
ઉત્તર : વનસ્પતિકોષ તેમજ ફૂગ અને બૅક્ટેરિયાના કોષ કોષદીવાલ ધરાવે છે. આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આકૃતિ દ્વારા કોષોમાં પાણી પ્રવેશ પામે છે. પરિણામે કોષો ફૂલે છે.
આકૃતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષરસ કોષદીવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષદીવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે.
કોષદીવાલને કારણે આ કોષો બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે છે. આમ, કોષદીવાલને કારણે વનસ્પતિકોષ તેમજ ફૂગ અને બૅક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતાં નથી.
5.2.3 કોષકેન્દ્ર
→ ડુંગળીના કંદના પડના હંગામી આસ્થાપન સંબંધિત નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
• ડુંગળીની છાલ પ૨ આયોડિન દ્રાવણનાં ટીપાં શા માટે મૂકવામાં આવે છે?
ઉત્તર : ડુંગળીની છાલ પર આયોડિન દ્રાવણનાં ટીપાં મૂકવામાં આવે છે, કારણ કે આયોડિન અભિરંજક હોવાથી કોષના ભિન્ન પ્રદેશોમાં તેમના રસાયણ બંધારણ અનુસાર ઘેરા-ઝાંખા રંગની ભિન્નતા જોઈ શકાય છે.
• જો ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો શું ?
ઉત્તર : ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો પ્રયોગશાળામાં સફેદ પ્રકાશ હેઠળ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના સફેદ પડના ભિન્ન પ્રદેશો અલગ જોઈ શકાતા નથી.
• આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત કરવા અન્ય કયા અભિરંજકનો ઉપયોગ કરી શકાય?
ઉત્તર : આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત કરવા સેફ્રેનિન કે મિથિલીન બ્લ્યૂના દ્રાવણનો અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય.
• ગાલની અંદરની સપાટીના અધિચ્છદીય કોષોનું આસ્થાપન :
→ કાચની સ્વચ્છ સ્લાઇડ લઈ તેના પર પાણીનું ટીપું મૂકો.
→ આઇસક્રીમના ચમચા વડે ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસો.
→ ચમચા પર મળતા દ્રવ્યને સોયની મદદથી સ્લાઇડ પર મૂકી વિસ્તૃત કરો.
→ તેના પર મિથિલીન બ્લ્યૂનું એક ટીપું મૂકો.
→ વરસ્લિપ એ રીતે ઢાંકો કે હવાના પરપોટા ન રહે.
→ તૈયાર થયેલ હંગામી આસ્થાપનનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
• આપણે શું અવલોકન કરીશું? આપણને કોષોનું કેવું સ્વરૂપ જોવા મળશે? તેને અવલોકનપત્ર પર દોરો.
ઉત્તર : પ્રાણીકોષના અવલોકનમાં કોષો કોષદીવાલ ધરાવતા નથી, પરંતુ મધ્યમાં કોષકેન્દ્ર ધરાવે છે. કોષોનો આકાર સાધારણ ગોળ કે અંડાકાર સ્વરૂપે જોવા મળે છે.
• શું તે ઘેરો રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર રચના છે?
ઉત્તર : હા.
• પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનાને શું કહે છે?
ઉત્તર : પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનાને કોષકેન્દ્ર કહે છે.
• શું આ કોષો ડુંગળીની છાલના કોષોની સંરચનાને સમાન રચના ધરાવે છે?
ઉત્તર : ના, આ કોષો ડુંગળીની છાલના કોષોની જેમ કોષદીવાલ અને રસધાની દર્શાવતા નથી. માત્ર કોષકેન્દ્ર અને કોષરસ બાબતે સમાન રચના ધરાવે છે.
પ્રશ્ન 20. સુકોષકેન્દ્રી કોષનું કોષકેન્દ્ર સમજાવો. [4 ગુણ] અથવા કોષકેન્દ્રપટલ અને રંગસૂત્રીય દ્રવ્ય સમજાવી, કોષકેન્દ્રનાં કાર્યો લખો.
ઉત્તર :
કોષકેન્દ્રનાં કાર્યો :
(1) તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે.
(2) તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે.
(3) કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા, કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષકેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે.
(4) રંગસૂત્રોમાં રહેલ DNA(જનીન)ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દા. ત., પિતામાંથી અનુગામી પેઢીના પુત્રમાં.
પ્રશ્ન 21. ટૂંક નોંધ લખો : રંગસૂત્ર [2 ગુણ)
ઉત્તર : જુઓ પ્રશ્ન 20ના ઉત્તરમાં રંગસૂત્રીય દ્રવ્યની સમજૂતી.
પ્રશ્ન 22. કોષકેન્દ્ર આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. [2 ગુણ]
ઉત્તર :
પ્રશ્ન 23. ટૂંકી માહિતી આપો : આદિકોષકેન્દ્રી કોષ [3 ગુણ] :
અથવા
સમજાવો : પ્રોકેરિયોટિક કોષ
ઉત્તર : પ્રાથમિક પ્રકારનું કોષકેન્દ્ર ધરાવતા કોષને આદિકોષકેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે. આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષકેન્દ્રી સજીવો કહે છે.
દા. ત., બૅક્ટેરિયા (જીવાણુ), સામેનોબૅક્ટેરિયા (નીલરિત લીલ).
તેમાં કોષકેન્દ્રપટલના અભાવને કારણે કોષનો કોષકેન્દ્રીય પ્રદેશ ઝોળો વિશ્વઝ પામેલો હોય છે. આ અવિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં માત્ર લિક એસિડ હોય છે, તેને ન્યુક્લિઇડ કહે છે.
વિવિધ પટલમય અંગિકાઓ કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીપ્રસાધન, અંતઃકોષરસજાળ વગેરેનો અભાવ હોય છે.
વિવિધ પટલમય અંગિકાઓના અભાવે અંગિકા દ્વારા થતાં ઘણાં કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે.
પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયા(આદિકોષકેન્દ્રી સજીવો)માં ક્લોરોફિલ કોષરસીયપટલની પુટિકા (કોથળી જેવી રચના)માં હોય છે.
[જાણકારી માટેઃ કોષમાં 70S (S–સ્વેડબર્ગ એકમ) પ્રકારના રિબોઝોમ આવેલા હોય છે.]
5.2.4 કોષરસ
પ્રશ્ન 24. ટૂંકી માહિતી આપો : કોષરસ [1 ગુણ]
ઉત્તર : કોષરસપટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે.
સુકોષકેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે.
પ્રશ્ન 25. વાઇરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્ત્વ સમજાવો. [2 ગુણ]
ઉત્તર : વાઇરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી.
વાઇરસ જ્યાં સુધી જીવંત શરીર(યજમાન કોષ)માં દાખલ થઈ કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા દર્શાવતા નથી.
આમ, જીવિતતા માટે પટલ મહત્ત્વનું છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 26. નીચે આદિકોષકેન્દ્રી કોષો અને સુકોષકેન્દ્રી કોષોના તફાવત આપેલા છે. તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો : [1 ગુણ]
ઉત્તર : 2. ઓછો વિકાસ પામેલો છે. આ અવિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિઇક ઍસિડ હોય છે તે ન્યુક્લિઑઇડ 4. પટલમય અંગિકાઓની હાજરી છે.
5.2.5 કોષીય અંગિકાઓ
પ્રશ્ન 27. કોષીય અંગિકાઓ એટલે શું? સુકોષકેન્દ્રી કોષો શા માટે પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓનાં નામ આપો. [3 ગુણ)
ઉત્તર : સુકોષકેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એક્બીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવિરત નાની રચનાઓ ધરાવે છે. તેમને કોષીય અંગિકાઓ કહે છે.
પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષકેન્દ્રી કોષને આદિકોષકેન્દ્રી કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષકેન્દ્રી કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એક્બીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષકેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે.
અગત્યની કોષીય અંગિકાઓ ઃ અંતઃકોષરસજાળ, ગોલ્ગીપ્રસાધન, લાયસોઝોમ, કણાભસૂત્ર, રંજકકણ અને રસધાની.
5.2.5 ( i ) અંતઃકોષરસજાળ
પ્રશ્ન 28. વર્ણવો : અંતઃકોષરસજાળ [4 ગુણ]
અથવા
આપો. અંતઃકોષરસજાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યોની સમજૂતી
ઉત્તર : અંતઃકોષરસજાળ : સ્થાન : સુકોષકેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે.
રચના : તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરિત જાળીમય સ્વરૂપ ધરાવે છે.
અંતઃકોષરસજાળની પટલીય સંરચના કોષરસપટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે.
વિભિન્ન કોષોમાં અંતઃકોષરસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે.
કાર્યો :
(1) કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે કે ોસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસજાવ વડેન માર્ગ તરીકે કાર્ય કરે છે.
(2) કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિનું નિર્માણ કરે છે. કેટલાંક પ્રોટીન અને લિપિડ કોપરના બંધારણમાં ઉપયોગી જ્યારે કેટલાંક ઉત્સેચક અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે.
(3) કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસજાળ કોષરસીય બંધારણીય સપાટી પુરી પાડે છે.
(4) પૃષ્ઠવંશી પ્રાણીઓના યક્તકોષોમાં લીસી અંતઃકોષરસજાવ (SER) ઘણાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
પ્રશ્ન 29. ટૂંકી સમજૂતી લખો : (પ્રત્યેકના 2 ગુ]
(1) રિબોઝોમ્સ
ઉત્તર : તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે.
→ તે આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે.
→ રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે.
→ સુકોષકેન્દ્રી કોષના કોષરસમાં, કણિકામય અંતઃકોષરસજાળ(RER)ની સપાટી પર, હરિતકણમાં, કણાભસૂત્રમાં જોવા મળે છે.
→ તે કોષમાં પ્રોટીનસંશ્લેષણ માટેનું સ્થાન છે.
(2) પટલનું જેવસંશ્લેષણ
ઉત્તર : કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાંક પ્રોટીન અને લીસી અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસપટલના બંધારણમાં મદદરૂપ છે.
→ આ ક્રિયા પટલના જૈવસંશ્લેષણ તરીકે ઓળખાય છે.
5.2.5 (ii) ગોલ્ગીપ્રસાધન
પ્રશ્ન 30, ટૂંકનોંધ લખો : ગોલ્ગીપ્રસાધન [3 ગુણ]
ઉત્તર : સંશોધન : કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગીપ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું.
સ્થાન : પ્રાણીકોષોમાં અને વનસ્પતિકોષોમાં
રચના : તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે.
ગોલ્ગીપ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે.
નોંધ : ગોલ્ગીપ્રસાધનનો ઉદ્ભવ લીસી અંતઃકોષરસજાળની કલા(પટલ)માંથી થાય છે.
[નોંધઃ આકૃતિ માત્ર સમજૂતી માટે છે.]
કાર્યો :
(1) અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગીપ્રસાધન દ્વારા પૅકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે.
(2) નીપજોનું પૅકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગીપ્રસાધનની પુટિકાઓમાં થાય છે.
(3) કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે.
(4) તે લાયસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે.
5.2.5 (111) લાયસોઝોમ્સ
પ્રશ્ન 31. ટૂંક નોંધ લખો : લાયસોઝોમ [3 ગુણ)
ઉત્તર : ઉત્પત્તિ : ગોલ્ગીપ્રસાધનમાંથી પુટિકાઓરૂપે લાયસોઝોમ ઉત્પન્ન થાય છે.
સંરચના : પાચક ઉત્સેચકો (હાઇડ્રોલેઝિસ) ધરાવતી આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે.
લાયસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામે છે.
મહત્ત્વ :
(1) લાયસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. કારણ કે, તે બધાં કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે.
(2) તે કોઈ પણ વિદેશી દ્રવ્ય (બહારથી કોષમાં પ્રવેશતા બૅક્ટેરિયા કે ખોરાક) તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી, કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આમ, લાયસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય(કચરા)ને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે છે.
હાનિકારક : કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાયસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે.
ઉદા., જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાયસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે.
આથી લાયસોઝોમને કોષની ‘આત્મઘાતી કોથળી’ કહે છે.
5.2.5 (iv) કણાભસૂત્રો
પ્રશ્ન 32. કણાભસૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. [3 ગુણ)
અથવા
માહિતીસભર નોંધ લખો : કોષનું શક્તિઘર
ઉત્તર : કણાભસૂત્ર : રચના : કણાભસૂત્ર બે આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણુંખરું છિદ્રિષ્ઠ હોય છે અને અંતઃઆવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે.
આ અંતઃપ્રવર્ધો ATP-નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ (ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન) માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે.
વિશિષ્ટતા : કણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનુ આગવું વલયાકાર DNA અને રિબોઝોમ્સ (70 S પ્રકાર) ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે.
કાર્ય : કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા ATP(એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ)ના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે.
ATP કોષના ઊર્જા (શક્તિ) ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્ર કોષના ઊર્જાઘર તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 33. ટૂંક નોંધ લખો : ATP [2 ગુણ]
ઉત્તર : ATP એડિનોસાઇન ટ્રાયફૉસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું ઊર્જાસભર સંયોજન છે.
કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. આ ઊર્જા ATP સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઊર્જા મુક્ત થાય છે. આ ઊર્જા ATP સ્વરૂપે હોય છે.
આમ, ATP કોષના ઊર્જા (શક્તિ) ચલણ તરીકે ઓળખાય છે. ATPમાં સંગૃહીત ઊર્જાનો ઉપયોગ શરીરમાં નવાં રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે કરવામાં આવે છે.
કણાભસૂત્રોમાં થતી ક્રિયાઓ દ્વારા ATPનું નિર્માણ થાય છે.
5.2.5 ( v ) રંજકકણો
પ્રશ્ન 34. માહિતીસભર નોંધ લખો ઃ રંજકકણો [3 ગુણ]
અથવા
રંજકકણોના પ્રકાર અને રચના સમજાવો.
ઉત્તર : રંજકકણો (પ્લાસ્ટિડ્સ) માત્ર વનસ્પતિકોષોમાં હોય છે.
→ ક્લોરોફિલ રંજકદ્રવ્ય ધરાવતા રંજકકણોને રિતકણ કહે છે. → તેઓ પ્રાથમિક અંગિકાઓ છે. કક્ષાની
→ હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કૅરોટિન રંજકદ્રવ્યો ધરાવે છે. → તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે.
→ હરિતકણ પ્રકાશસંશ્લેષણ માટે અગત્યના છે.
રંજકકણોની રચના : રંજકકણોની બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી છે. રંજકકણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. તેને આધારક (સ્ટ્રોમા) કહે છે.
રજકણો (રિતકણો) પોતાના આગવા વલયાકાર DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.
[નોંધઃ રંજકકણ ત્રણ પ્રકારના રંગણ, હરિતકણ અને રંગવિહીન કણ તરીકે હોય છે. રંગણ પુષ્પ, ફળ, બીજ વગેરેના રંગ માટે, જ્યારે હરિતકણ પર્ણના રંગ માટે અને રંગવિહીન કણ ખોરાકસંગ્રહી કણ તરીકે હોય છે. પરંતુ પાઠ્યપુસ્તકમાં રંજકકણના બે પ્રકાર રંગકણ અને રંગવિહીન કણ તેમજ હરિતકણને રંગકણ તરીકે જ સમાવાયા છે.
5.2.5 (vi) રસધાનીઓ
પ્રશ્ન 35. ટૂંકનોધ લખો : રસધાનીઓ [3 ગુણ]
અથવા
વનસ્પતિકોષ અને પ્રાણીકોષમાં જોવા મળતી રસધાની સમજાવો.
ઉત્તર : રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે.
વનસ્પતિકોષમાં રસધાની : વનસ્પતિકોષમાં રસધાની મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિકોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 – 90 % ભાગ રોકે છે.
વનસ્પતિકોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. ખાસ કરીને વનસ્પતિકોષનાં અગત્યનાં ઘણાં દ્રવ્યો જેવાં કે એમિનો ઍસિડ્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક ઍસિડ્સ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે.
તે વનસ્પતિકોષને આશૂનતા અને બરડતા આપે છે.
પ્રાણીકોષમાં રસધાની : પ્રાણીકોષમાં નાના કદની રસધાની હોય છે. અમીબા જેવા એકકોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષી પ્રજીવો (અમીબા, પેરામીશિયમ) વિશિષ્ટ પ્રકારની રસધાની (આંકુચક રસધાની) ધરાવે છે. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 36. તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓનાં નામ આપો કે જે તેમનું પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે. [1 ગુણ]
ઉત્તર : કણાભસૂત્ર અને હરિતકણ
પ્રશ્ન 37. જો કેટલાંક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો તેનું શું થશે? [1 ગુપ્ત)
ઉત્તર : કોષ જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાયસોઝોમ તેનું પાચન (વિઘટન) કરી નાખે.
પ્રશ્ન 38. લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? [1 ગુણ)
ઉત્તર : જ્યા૨ે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા કોષનું પાચન કરી નાખે છે. આથી લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 39. કોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં થાય છે? [1 ગુણ)
ઉત્તર : કોષમાં પ્રોટીનસંશ્લેષણ રિબોઝોમ્સ સપાટી પર થાય છે.
પ્રશ્ન 40, કોપ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે? આ આયોજન કોષોને શામાં મદદરૂપ થાય છે? [2 ગુણ)
ઉત્તર : પ્રત્યેક કોષ તેમના પટલના આયોજન અને વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ અંગિકાઓ વડે પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આથી કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે.
આ આયોજન કોષોને શ્વસન, પોષણ મેળવવું, નકામાં દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીનનું નિર્માણ કરવા જેવાં વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે.
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
(1) પ્રાણીકોષની સાથે વનસ્પતિકોષની તુલના કરો અને તેમના તફાવત લખો. [2 ગુણ]
ઉત્તર :
વનસ્પતિકોષ |
પ્રાણીકોષ |
1. તેમાં હરિતકણ હોય છે. |
1. તેમાં હરિતકણનો અભાવ હોય છે. |
2. તેમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે. |
2. તેમાં તારાકેન્દ્ર હોય છે. |
3. તેમાં કોષદીવાલ હોય છે. |
3. તેમાં કોષદીવાલનો અભાવ હોય છે. |
4. તેમાં રસધાની મોટા કદની હોય છે. |
4. તેમાં રસધાની નાના કદની હોય છે. |
(2) પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષથી કેવી રીતે ભિન્ન છે? [2 ગુણ]
ઉત્તર : પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના (1 – 10 um) ધરાવતા, કોષકેન્દ્રપટલની ગેરહાજરી,કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની ગેરહાજરી દર્શાવે છે.
યુકેરિયોટિક કોષ કદમાં મોટા (5 – 100 pm), કોષકેન્દ્રપટલની હાજરી, કોષકેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે.
અથવા
જુઓ ‘પ્રશ્નોત્તર વિભાગ’ના પ્રશ્ન 26નો ઉત્તર.
(3) જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? [1 ગુણ]
ઉત્તર : જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે અને કોષ તેનું અસ્તિત્વ ગુમાવે છે.
(4) જો ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય, તો કોષના જીવનનું શું થાય? [1 ગુણ]
ઉત્તર : ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય, તો કોષની નીપજોનું પૅકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય. આ દ્રવ્યોનો સંગ્રહ વધતો જતાં કોષ શિથિલ જીવન તરફ ધકેલાય છે.
(5) કઈ અંગિકાને કોષના ઊર્જાઘર / શક્તિઘર તરીકે ઓળખાય છે? શા માટે? [1 ગુણ]
ઉત્તર : કણાભસૂત્ર અંગિકા કોષના ઊર્જાઘર / શક્તિઘર તરીકે ઓળખાય છે. કારણ કે, જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા ATPના સ્વરૂપમાં કણાભસૂત્રમાં નિર્માણ કરવામાં આવે છે.
(6) કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? [1 ગુણ]
ઉત્તર : કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષરસજાળમાં થાય છે.
(7) અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? [1 ગુણ)
ઉત્તર : અમીબા તેનો ખોરાક કોષરસપટલ વડે થતી અંતર્વહન ક્રિયા દ્વારા મેળવે છે.
(8) આકૃતિ એટલે શું? [1 ગુણ]
ઉત્તર : બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ (હાઇપરટોનિક અને હાઇપોટોનિક) વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ(હાઇપોટોનિક)થી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ (હાઇપરટોનિક) તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આકૃતિ કહે છે.
(9) નીચેનો આકૃતિનો પ્રયોગ કરો : [3 ગુણ]
બટાટાને લઈને તેની છાલ સહિત ચાર ટુકડા કરો અને તેને .
ખોતરીને બટાટાના કપ્સ બનાવો. આમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો. પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકો.
(a) કપ Aને ખાલી રાખો
(b) કપ Bમાં એક ચમચી શર્કરા મૂકો.
(c) કપ Cમાં એક ચમચી મીઠું મૂકો.
(d) કપ D જે ઉકાળેલા કે બાફેલા બટાટાનો કપ છે, તેમાં એક ચમચી શર્કરા મૂકો.
આ ચારેય કપને બે કલાક માટે રહેવા દો. ત્યારબાદ આ ચારેય બટાટાના કપ્સને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :
(i) કપ B અને Cની ખાલી જગ્યામાં શા માટે પાણી એકઠું થાય છે? સમજાવો.
(ii) બટાટાનો કપ A શા માટે આ પ્રયોગ માટે આવશ્યક છે?
(iii) કપ A અને Dની ખાલી જગ્યામાં શા માટે પાણી એકઠું થતું નથી? સમજાવો.
ઉત્તર :
(i) કપ B અને Cની ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે. કારણ કે, બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાટાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે.
(ii) આ પ્રયોગ માટે બટાટાનો કપ A સરખામણી માટે જરૂરી છે. તે નિયંત્રણ નિદર્શન (Point) માટે છે.
(iii) કપ A અને Dની ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી. કારણ કે, કપ Aમાં સાંદ્રતા તફાવત સર્જાવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આકૃતિ માટે બે ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે, જ્યારે કપ D બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષો મૃત છે. તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધપ્રવેશશીલ પટલ નથી અને આકૃતિ ક્રિયા દર્શાવાતી નથી.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]
(1) ‘Cell’ કઈ ભાષાનો શબ્દ છે? તેનો અર્થ શું થાય છે?
ઉત્તર : ‘Cell’લૅટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ નાનો ઓરડો થાય છે.
(2) કોષ માટે પ્રસરણ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે?
ઉત્તર : કોષ અને તેના બાહ્ય પર્યાવરણ વચ્ચે વાયુ-વિનિમય માટે પ્રસરણ અગત્યની ભૂમિકા ભજવે છે.
(3) અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષનું નામ આપો.
ઉત્તર : અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષનું નામ : રોગના જીવાણુનું ભક્ષણ કરતા શ્વેતકણ
(4) અભિસરણ એટલે શું?
ઉત્તર : અભિસરણ એટલે પાણીના અણુઓની પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી ગતિ.
(5) ક્યાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે?
ઉત્તર : ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે.
(6) કઈ ક્રિયા વિશિષ્ટ કિસ્સામાં પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી પ્રસરણની ક્રિયા છે?
ઉત્તર : આકૃતિ વિશિષ્ટ કિસ્સામાં પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી પ્રસરણની ક્રિયા છે.
(7) કોષરસપટલ તથા કોષદીવાલ કયા કાર્બનિક અણુઓથી બનેલા છે?
ઉત્તર : કોષરસપટલ પ્રોટીન અને લિપિડ તથા કોષદીવાલ સેલ્યુલોઝ કાર્બનિક અણુઓથી બનેલા છે.
(8) કોષરસનું અંતર્વહન એટલે શું?
ઉત્તર : કોષરસનું અંતર્વહન એટલે કોષ૨સપટલની તરલતાને કારણે કોષ દ્વારા ખોરાક તેમજ અન્ય દ્રવ્યો બાહ્ય પર્યાવરણમાંથી ગ્રહણ કરવા.
(9) પ્લાઝ્મોલિસિસ (રસસંકોચન) એટલે શું?
ઉત્તર : જ્યા૨ે જીવંત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષ આકૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આથી કોષનાં તત્ત્વો સંકોચાઈને કોષદીવાલથી દૂર જાય છે. આ ઘટનાને પ્લાઝ્મોલિસિસ (રસસંકોચન) કહે છે.
(10) શાના કારણે પ્રાણીકોષ કરતાં વનસ્પતિકોષ બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના મોટા તફાવતનો સામનો કરી શકે છે?
ઉત્તર : કોષદીવાલના કારણે પ્રાણીકોષ કરતાં વનસ્પતિકોષ બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના મોટા તફાવતનો સામનો કરી શકે છે.
(11) રંગસૂત્રો શાનાં બનેલાં છે?
ઉત્તર : રંગસૂત્રો DNA અને પ્રોટીનનાં બનેલાં છે.
(12) DNAના અણુઓ કઈ માહિતી ધરાવે છે?
ઉત્તર : DNAના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે.
(13) જનીન એટલે શું?
ઉત્તર : જનીન એટલે DNAના કાર્યકારી ટુકડા.
(14) કોષીય પ્રજનન કોને કહે છે?
ઉત્તર : એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે તે ક્રિયાને કોષીય પ્રજનન કહે છે.
(15) કોષમાં ક્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે?
ઉત્તર : કોષ જ્યારે વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે.
(16) ન્યુક્લિઑઇડ એટલે શું?
ઉત્તર : ન્યુક્લિૉઇડ એટલે બૅક્ટેરિયા જેવા આદિકોષકેન્દ્રી સજીવમાં માત્ર ન્યુક્લિઇક ઍસિડ ધરાવતા ઓછા વિકસિત કોષકેન્દ્રીય પ્રદેશ.
(17) પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયામાં ક્લોરોફિલ કોની સાથે સંકળાયેલું હોય છે?
ઉત્તર : પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસપટલની પુટિકાઓ (કોથળી જેવી રચનાઓ) સાથે સંકળાયેલું હોય છે.
(18) કોણ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી? શા માટે?
ઉત્તર : વાઇરસ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી, કારણ કે તે કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી.
(19) કોણ કોષમાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે?
ઉત્તર : અંતઃકોષરસજાળ કોષમાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે.
(20) સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ ક્યાં જોવા મળે છે?
ઉત્તર : સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કોષરસમાં મુક્ત, કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર, હરિતકણમાં અને કણાભસૂત્રમાં જોવા મળે છે.
(21) યકૃતકોષોમાં લીસી અંતઃકોષરસજાળ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે?
ઉત્તર : યકૃતકોષોમાં લીસી અંતઃકોષરસજાળ વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષા૨ક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે.
(22) સિસ્ટર્ન કોને કહે છે?
ઉત્તર : ગોલ્ગીકાયમાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓયુક્ત રચના હોય છે. આવી પુટિકાને સિસ્ટર્ની કહે છે.
(23) કઈ અંગિકા સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે?
ઉત્તર : ગોલ્ગીપ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે.
(24) લાઇસોઝોમ કેવી રીતે કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે?
ઉત્તર : લાઇસોઝોમ ખોરાક, બૅક્ટેરિયા, નાશ થવાના આરે હોય તેવી જૂની અંગિકાઓનું વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે.
(25) લાઇસોઝોમ અંગિકાના પાચક ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે?
ઉત્તર : લાઇસોઝોમ અંગિકાના પાચક ઉત્સેચકોનું નિર્માણ કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા થાય છે.
(26) કણાભસૂત્ર અને રંજકકણમાં શું સમાનતા છે?
ઉત્તર : કણાભસૂત્ર અને રંજકકણ બંને પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.
(27) અમીબામાં કઈ બે વિશિષ્ટ રસધાની જોવા મળે છે?
ઉત્તર : અમીબામાં ખોરાકસંગ્રહ કરતી અન્નધાની અને વધારાના પાણી તેમજ ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરતી રસધાની જોવા મળે છે.
(28) કણાભસૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા શા માટે ધરાવે છે?
ઉત્તર : કણાભસૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તે પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1થી 10 શબ્દોની મર્યાદામાં) ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ)
(1) કોષની શોધ કોણે કરી?
(2) આદિકોષકેન્દ્રી કોષ(પ્રોકેરિયોટિક)ની કોઈ પણ એક લાક્ષણિકતા લખો.
(3) યુકેરિયોટિક કોષની કોઈ પણ બે મુખ્ય અંગિકાનાં નામ લખો.
(4) CO2 અને પાણી કોષમાંથી બહાર અને અંદર કેવી રીતે જાય છે?
(5) રંગસૂત્રો ક્યાં આવેલાં છે?
(6) કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે?
(7) કોષની કઈ અંગિકા લાયસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે?
ઉત્તર :
(1) રૉબર્ટ હૂકે
(2) આદિકોષકેન્દ્રી કોષમાં કોષકેન્દ્રીય ક્લાવિહીન પ્રાથમિક પ્રકારનું કોષકેન્દ્ર ન્યુક્લિઓપ્રોટીનપુંજ સ્વરૂપે હોય છે.
(3) યુકેરિયોટિક કોષની બે મુખ્ય અંગિકા સુવિકસિત કોષકેન્દ્ર અને કણાભસૂત્ર છે.
(4) CO2 અને પાણી જેવા પદાર્થો પ્રસરણ ક્રિયા દ્વારા કોષમાંથી બહાર અને અંદર જાય છે.
(5) કોષકેન્દ્રમાં
(6) લાયસોઝોમ
(7) ગોલ્ગીપ્રસાધન
પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો : [પ્રત્યેકનો 1 ગુણ) :
(1) ……. નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો હતો.
(2) …….. વાયુ-વિનિમય માટે અગત્યની ભૂમિકા ભજવે છે.
(3) …….. એ જીવંત, પાતળું અને પસંદગીમાન પ્રવેશશીલ કલા છે.
(4) વનસ્પતિકોષમાં કોષદીવાલ મોટા ભાગે ……… ની બનેલી છે.
(5) રંગસૂત્રોમાં રહેલા …….ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે.
(6) કોષકેન્દ્રપટલ અને કોષરસસ્તરને એક્બીજા સાથે સાંકળતી પટલમય રચના ……. છે.
(7) કણાભસૂત્ર …… સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે.
(8) વનસ્પતિકોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો ……….. % ભાગ રોકે છે.
(9) લાયસોઝોમમાં પાચન માટે જવાબદાર ઉત્સેચક ……. દ્વારા નિર્માણ પામે છે.
(10) અમીબામાં અન્નધાનીનું નિર્માણ …….. ક્રિયાના પરિણામે થાય છે.
(11) ……. નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું.
(12) કોષકેન્દ્રદ્રવ્ય અને કોષ૨સ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે જવાબદાર અંગિકા ……… છે.
(13) કેટલાક વિષદ્રવ્યો અને ઔષધની હાનિકારક અસર સામે કોષને રક્ષણ આપતી અંગિકા …….. છે.
(14) આદિકોષકેન્દ્રી કોષમાં માત્ર ન્યુક્લિઇક ઍસિડ ધરાવતો વિસ્તાર ………. થી ઓળખાય છે.
(15) ……… એકકોષીય સજીવ છે.
(16) વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. આ ………. ક્રિયાનું ઉદાહરણ છે.
(17) …….. પુટિકા અને નલિકાઓની મોટી આવિરત જાળીરૂપ રચના ધરાવે છે.
ઉત્તર :
(1) ફ્લેઇડન અને શ્યૉન
(2) પ્રસરણ
(3) કોષરસપટલ
(4) સેલ્યુલોઝ
(5) DNA
(6) અંતઃકોષ૨સજાળ
(7) ATP
(8) 50 – 90
(9) કણિકામય અંતઃકોષરસજાળ
(10) અંતર્વહન
(11) ૫૨કિન્હેં
(12) કોષકેન્દ્રપટલ
(13) અંતઃ૨સજાળ
(14) ન્યુક્લિઑઇડ
(15) ક્લેમિડોમોનાસ
(16) આકૃતિ
(17) અંતઃ૨સજાળ
પ્રશ્ન 4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો : [પ્રત્યેકનો 1 ગુણ]
(1) અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે.
(2) આકૃતિની ક્રિયા વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ ગણાય છે.
(3) વનસ્પતિકોષની કોષદીવાલના બંધારણમાં કુંતલમય સેલ્યુલોઝ આવેલ છે.
(4) વનસ્પતિકોષમાં જીવરસ જીવંત દ્રવ્ય છે.
(5) આકૃતિની ક્રિયામાં પાણીના અણુઓનું પ્રસરણ હાઇપરટોનિક દ્રાવણથી હાઇપોટોનિક દ્રાવણ તરફ થાય છે.
(6) વનસ્પતિના મૂળ ભૂમિમાંથી પાણીનું શોષણ આકૃતિ દ્વારા કરે છે.
(7) પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે.
(8) એકકોષીય મીઠા જળના સજીવો આકૃતિ દ્વારા પાણી મેળવે છે.
ઉત્તર :
(1) ખરું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
(5) ખોટું
(6) ખરું
(7) ખરું
(8) ખરું
પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : પ્રત્યેકનો 1 ગુણ) :
1. આકૃતિમાં દર્શાવેલો કોષ કર્યો છે?
A. યકૃતકોષ
B. ચેતાકોષ
C. સ્નાયુકોષ
D. મૂત્રપિંડકોષ
2. કોષ શબ્દ કોણે આપ્યો?
A. રૉબર્ટ હૂકે
B. રૉબર્ટ બ્રાઉને
C. વૉટ્સન અને ક્રિકે
D. ફ્લેમિંગે
3. કઈ અંગિકા કોષનું પાવરહાઉસ છે?
A. રંજક દ્રવ્યણ
B. કણાભસૂત્ર
C. ગોલ્ગીપ્રસાધન
D. કોષકેન્દ્ર
4. આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે?
A. સેન્ટ્રોઝોમ
B. મેસોઝોમ
C. લાયસોઝોમ
D. ક્રોમોઝોમ
5. સંરચનાકીય, આરિત પટલીય કોથળીઓ જેવી રચના …
A. કણાભસૂત્ર
B. રંજકકણ
C. કોષકેન્દ્ર
D. લાયસોઝોમ
6. કઈ અંગિકા વનસ્પતિકોષમાં, કોષનો 50 – 90 % હિસ્સો આવરી લે છે?
A. કોષકેન્દ્ર
B. કોષદીવાલ
C. રસધાની
D. રિતકણ
7. નીચેના પૈકી કયું અંગિકાયુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે?
A. કોષકેન્દ્ર – અંતઃરસજાળ
B. લાયસોઝોમ – ઑક્સિઝોમ
C. રિતકણ – કણાભસૂત્ર
D. આપેલ તમામ
8. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે?
A. DNA
B. RNA
C. એમિનો ઍસિડ
D. ATP
9. કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે?
A. ગોલ્ગીપ્રસાધન
B. ખરબચડી અંતઃકોષરસજાળ
C. લાયસોઝોમ
D. લીસી અંતઃકોષરસજાળ
10. કોષમાં કઈ અંગિકા અંતઃઆવરણમાં ઊંડા અંતઃપ્રવર્ધ ધરાવે છે?
A. કણાભસૂત્ર
B. ગોલ્ગીપ્રસાધન
C. હરિતકણ
D. તારાકેન્દ્ર
11. સામાન્ય પ્રાણીકોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકતાં શું થાય છે?
A. તે ફૂલે છે.
B. તે રસસંકોચન દર્શાવે છે.
C. તેની પર કોઈ અસર થતી નથી.
D. તે ચીમળાઈ જાય છે.
12. પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે?
A. કોષમાં પાણીના પ્રવેશ પામવાની
B. કોષ દ્વારા પાણી ગુમાવવાની
C. રસધાની દ્વારા જલનિયમનની
D. અન્નધાની દ્વારા પાચનની
13. કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે.
A. કણાભસૂત્ર
B. કોષકેન્દ્ર
C. હરિતકણ
D. રિબોઝોમ
14. સજીવો, જેમાં કોષકેન્દ્ર અને અંગિકાઓને ફરતે ક્લા આવેલી નથી.
A. આદિકોષકેન્દ્રી
B. સુકોષકેન્દ્રી
C. હૅપ્લૉઇડ
D. ડિપ્લૉઇડ
15. કોષની કઈ અંગિકા પ્રોટીનસંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે?
A. ગોલ્ગીપ્રસાધન
B. લાયસોઝોમ
C. રિબોઝોમ
D. પેરૉક્સિઝોમ
16. કોષકેન્દ્રદ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે?
A. કોષદીવાલ
B. કોષરસપટલ
C. કોષકેન્દ્રપટલ
D. કણાભસૂત્ર
17. રંગસૂત્રો ક્યાં આવેલાં હોય છે?
A. કોષકેન્દ્રમાં
B. કોષદીવાલમાં
C. કણાભસૂત્રમાં
D. રિબોઝોમમાં
18. નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે?
A. અમીબા
B. બૅક્ટેરિયા
C. પેરામીશિયમ
D. ફ્લેમિડોમોનાસ
19. કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે?
A. ગોલ્ગીપ્રસાધન
B. અંતઃકોષરસજાળ
C. કોષરસપટલ
D. કોષકેન્દ્રપટલ
ઉત્તર :
1. સ્નાયુકોષ
2. રૉબર્ટ હૂકે
3. કણાભસૂત્ર
4. લાયસોઝોમ
5. લાયસોઝોમ
6. રસધાની
7. હરિતકણ – કણાભસૂત્ર
8. ATP
9. લીસી અંતઃકોષરસજાળ
10. કણાભસૂત્ર
11. તે ફૂલે છે.
12. કોષ દ્વારા પાણી ગુમાવવાની
13. રિતકણ
14. આદિકોષકેન્દ્રી
15. રિબોઝોમ
16. કોષકેન્દ્રપટલ
17. કોષકેન્દ્રમાં
18. અમીબા
19. અંતઃકોષરસજાળ
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)
(1) રેસ્ટોરન્ટમાં ડાયનિંગ ટેબલ પર વેઇટર સલાડની ડિશ અને મીઠાની બૉટલ સર્વ કરે છે. સલાડ પર વેઇટર મીઠું (નમક) ભભરાવવાને બદલે, ગ્રાહકને સલાડ પોતાની ડિશમાં લઈ લીધા પછી મીઠું ભભરાવવાનો આગ્રહ કરે છે.
(a) જો પહેલેથી સલાડ પર મીઠું ભભરાવ્યું હોત તો શું થાય?
(b) સલાડ પર મીઠું ઉમેરવાથી કોષો શા માટે પાણી ગુમાવે છે?
(c) સલાડ ખાતી વખતે જ મીઠું શા માટે ઉમેરવું જોઈએ?
ઉત્તર :
(a) જો પહેલેથી સલાડ પર મીઠું ભભરાવ્યું હોત તો સલાડમાંથી પાણી દૂર થઈ જતાં તે ચીમળાઈ જાય છે.
(b ) સલાડની બહારની તરફ મીઠું અધિસાંદ્ર દ્રાવણ તરીકે વર્તે છે. સલાડના કોષો અધોસાંદ્ર દ્રાવણ તરીકે આકૃતિ દ્વારા પાણી ગુમાવે છે.
(c) સલાડ ખાતી વખતે જ મીઠું ભભરાવતાં, ગુમાવાતા પાણી સાથે મીઠું ઓગળતાં સલાડ સ્વાદિષ્ટ લાગે છે.
(2) પૉલ્ટ્રી ફાર્મમાં કારીગર કેટલાંક ઈંડાંને જાળવવા ઇન્ક્યુબેટરમાં રાખે છે. આ ઈંડાંમાં બગડેલાં અને સારાં ઈંડાંને અલગ કરવા તે પાણી ભરેલી ડોલનો ઉપયોગ કરે છે.
(a) પાણીનો ઉપયોગ કરી બગડેલાં અને સારાં ઈંડાંને કેવી રીતે અલગ પાડી શકાય?
(b ) ઈંડાંનું કવચ શાનું બનેલું છે?
(c) ઈંડાંને ગરમ પાણીમાં બાફવામાં આવે તો શું થાય?
ઉત્તર :
(a) પાણી ભરેલી ડોલમાં ઈંડાં મૂકતાં જે ઈંડાં બગડેલાં હશે તે તરતાં રહેશે અને સારાં ઈંડાં નીચે ડૂબી જશે. આ રીતે અલગ પાડી શકાય.
(b) ઈંડાંનું કવચ કૅલ્શિયમ કાર્બોનેટ(CaCO3)નું બનેલું છે.
(c) ઈંડાંને ગરમ પાણીમાં બાફવામાં આવે ત્યારે અંદરનું દ્રવ્ય ગરમીને કારણે ઘટ્ટ થઈ કવચથી સ્વતંત્ર થશે. આ કવચને તોડીને સરળતાથી દૂર કરી, અંદરના ઘટ્ટ ભાગનો ચોક્કસ વાનગી બનાવવા ઉપયોગ કરી શકાય.
(3) શાળાના પ્રવાસ દરમિયાન દરિયાકિનારે આવતાં હળવાં મોજાંમાં પગ પલાળી રહેલા વિદ્યાર્થીઓને શિક્ષક વધારે સમય આ ન કરવાનું કહે છે. તેમજ આ પાણી પીવાની ના પાડે છે.
(a) વધારે સ૨૫ દરિયાના પાણીમાં પગ પાળી રાખવામાં આવે તો શું થાય?
(b) દરિયાનું પાણી કયા પ્રકારના દ્રાવણ તરીકે ગણાય?
(c) વિદ્યાર્થીઓ આ પાણી પીવે તો શું થાય?
ઉત્તર :
(a) વધારે સમય દરિયાના પાણીમાં પગ પલાળી રાખતાં ધીમે ધીમે પગની ચામડી તરડાવા લાગે અને કોષો એકદમ શુષ્ક થાય.
(b) દરિયાનું પાણી અધિસાંદ્ર (હાઇપરટોનિક) દ્રાવણ તરીકે ગણાય.
(c) વિદ્યાર્થીઓ આ ક્ષારવાળું પાણી પીવે તો પાચનમાર્ગમાં આકૃતિને કારણે ડિહાઇડ્રેશન(નિર્જલીકરણ)ને કારણે ઝાડા-ઊલટીની શક્યતા ઊભી થાય.
(4) ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો (છૂંદો / અથાણાં) બનાવવા પહેલાં તેમાં ખાંડ-મીઠું ઉમેરી સૂર્યપ્રકાશની ગરમીમાં 7 – 10 દિવસ રાખવામાં આવે છે.
(a ) ગરમીમાં રાખતાં શું થાય છે?
(b) મુરબ્બો (છૂંદો) શા માટે વધારે રસાળ બને છે?
(c) મુરબ્બો (છૂંદો) સમગ્ર વર્ષ દરમિયાન શા માટે બગડતો નથી?
ઉત્તર :
(a) કાચી કેરીની છીણ ખાંડ-મીઠું ઉમેરી ગરમીમાં રાખતાં, ખાંડ ગરમીમાં ઓગળતાં, તેમાં મીઠું દ્રાવ્ય થતાં અધિસાંદ્ર દ્રાવણ તૈયાર થાય છે.
(b) ખાંડ-મીઠાના કારણે કેરીની છીણના કોષોની બહાર અધિસાંદ્ર દ્રાવણ થતાં કોષો આકૃતિ દ્વારા પાણી ગુમાવે છે. તેના કારણે મુરબ્બો (છૂંદો) વધારે રસાળ બને છે.
(c) મુરબ્બા(છૂંદા)માં અધિસાંદ્ર દ્રાવણ હોવાથી સૂક્ષ્મ જીવો (બૅક્ટેરિયા, ફૂગ) વૃદ્ધિ પામતા નથી. આથી મુરબ્બો સમગ્ર વર્ષ દરમિયાન બગડતો નથી.
પ્રાયોગિક કૌશલ્ય આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)
(1) સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનું અવલોકન કરી, તેના ભાગોની જાણકારી મેળવો અને નીચે આપેલ આકૃતિમાં નામનિર્દેશન કરો. ભાગ 4, 5, 6, 7, 9નો ઉપયોગ લખો.
ઉત્તર : 1. નેત્રકાચ 2. હાથો 3. પાયો 4. અરીસો 5. કનીનિકા 6. સ્ટૅજ 7. વસ્તુકાય 8. મુખ્ય નળી 9. સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ 10. સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રૂ
ઉપયોગ : 4. અરીસો – પ્રકાશને વસ્તુ કે આસ્થાપન તરફ પરાવર્તિત કરવા માટે
5. કનીનિકા – પ્રકાશની તીવ્રતામાં વધારો-ઘટાડો કરવા માટે
6. સ્ટેજ – અવલોકન માટેના આસ્થાપનને ગોઠવવા માટે
7. વસ્તુકાચ – 10 X કે 45 X ક્ષમતાવાળા વસ્તુકાચ વડે વસ્તુનું પ્રતિબિંબ 10 ગણું કે 45 ગણું મોટું પ્રાપ્ત કરવા માટે
9. સ્થૂળ સ્થળાંતર ૢ – વસ્તુકાચને આસ્થાપનની નજીક કે દૂર લઈ જવા માટે
(2) ડુંગળીના કોષની સ્લાઇડ તૈયાર કરી માઇક્રોસ્કોપમાં અવલોકન કરો. નીચેની આકૃતિમાં a, b, cનાં નામનિર્દેશન કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :
(I) સૂચિત ભાગ aમાં શું હોય છે? તે શામાં કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે?
(II) સૂચિત ભાગ òના બંધારણમાં કયો પદાર્થ હોય છે?
(III) સૂચિત ભાગ ૮ અભિરંજક વડે કેવો અભિરંજિત થાય છે?
ઉત્તર : a – – કોષકેન્દ્ર, b – કોષદીવાલ અને c – કોષરસ
(I) સૂચિત ભાગ a રંગસૂત્રો ધરાવે છે. આ ભાગ કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે.
(II) સૂચિત ભાગ bકોષદીવાલના બંધારણમાં સેલ્યુલોઝ પદાર્થ હોય છે.
(III) સૂચિત ભાગ ૮ કોષરસ અભિરંજક વડે આછો અભિરંજિત થાય છે.
(3) આકૃતિમાં દર્શાવેલ અમીબાના કોષમાં અને તેના બાહ્ય પર્યાવરણમાં વાયુ સંકેન્દ્રણની સ્થિતિમાં O2, CO2 અને H2O ના પ્રસરણની કઈ સ્થિતિ જોવા મળશે? તમારા ઉત્તર વિષય-શિક્ષક સાથે માઇક્રોસ્કોપમાં ચકાસો.
ઉત્તર : O2 બાહ્ય પર્યાવરણમાંથી કોષમાં જ્યારે CO2 કોષમાંથી બાહ્ય પર્યાવરણમાં પ્રસરણ પામે છે. આમ, કોષરસસ્તર દ્વારા પ્રસરણ ક્રિયા વાયુ-વિનિમયમાં અગત્યની છે.
અમીબાના કોષના બાહ્ય પર્યાવરણમાં હાઇપોટોનિક (અધોસાંદ્ર) દ્રાવણ હોવાથી આકૃતિ ક્રિયા દ્વારા પાણી કોષમાં પ્રવેશે છે.
(4) કાચની બે પેટ્રી ડિશ પૈકી Aમાં સૂકી દ્રાક્ષ અને Bમાં તાજી લીલી દ્રાક્ષ મૂકી અવલોકન કરો.
તમારા અવલોકનને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) પેટ્રી ડિશ A મૂકવામાં આવેલી દ્રાક્ષ શા માટે ફૂલે છે?
(b ) પેટ્રી ડિશ Bમાં મૂકેલી દ્રાક્ષના કોષોનું સ્લાઇડ પર આસ્થાપન કરતાં તેમાં કઈ ક્રિયાનું અવલોકન મળે છે? શા માટે?
ઉત્તર : (a) પેટ્રી ડિશ Aમાં શુદ્ધ પાણી ભરેલું છે. તે અધોસાંદ્ર દ્રાવણ તરીકે વર્તી, દ્રાક્ષના કોષોમાં આકૃતિ દ્વારા પ્રવેશતાં દ્રાક્ષ ફૂલે છે.
(b) પેટ્રી ડિશ Bમાં મૂકેલી દ્રાક્ષના કોષોનું સ્લાઇડ પર આસ્થાપન કરી, સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરતાં તેમાં રસસંકોચન ક્રિયા જોવા મળે છે. કારણ કે, ક્ષારના દ્રાવણને કારણે દ્રાક્ષના કોષોનો કોષરસ બહિ:આકૃતિ ક્રિયા દ્વારા પાણી ગુમાવે છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..