Gujarat Board | Class 9Th | Science | Biology | Model Question Paper & Solution | Chapter – 6 Tissues (પેશીઓ)
પ્રશ્નોત્તર
પ્રસ્તાવના
પ્રશ્ન 1. એકકોષીય અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે? સમજાવો. [2 ગુણ]
ઉત્તર : એકકોષીય સજીવોમાં એક જ કોષ પાયાનાં બધાં જ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે, અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતઃગ્રહણ અને શ્વસનવાયુઓનો વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવાં કાર્યો થાય છે.
બહુકોષીય સજીવોમાં લાખો-કરોડોની સંખ્યામાં કોષો હોય છે. તેમાં પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે. આ કોષસમૂહ નિયત કાર્ય પૂર્ણ ક્ષમતાથી કરે છે. ઉદાહરણ તરીકે, મનુષ્યમાં સ્નાયુકોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન દર્શાવે છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા શ્વસનવાયુઓ, ખોરાક, અંતઃસ્રાવો અને નકામાં દ્રવ્યોનું વહન થાય છે.
વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે.
આથી બહુકોષી સજીવોમાં શ્રમવિભાજન (કાર્ય વહેંચણી) માટે પેશી-અંગ-અંગતંત્રો ઉદ્વિકાસ પામે છે.
પ્રશ્ન 2. પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે? પેશીનાં ઉદાહરણ લખો. [2 ગુણ]
ઉત્તર : પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષસમૂહ.
પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે.
પેશીનાં ઉદાહરણ : રુધિર, અન્નવાહક, સ્નાયુ વગેરે.
6.1 શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓનાં બનેલાં છે?
પ્રશ્ન 3. વનસ્પતિઓ અને પ્રાણીઓનાં કાર્યો અને પેશી આયોજનની તુલના કરો. [3 ગુણ]
ઉત્તર :
વનસ્પતિઓ |
પ્રાણીઓ |
→ વનસ્પતિઓ ગતિ કરતી નથી. તેઓ એક સ્થાને સ્થાપિત હોય છે. |
→ પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરે છે. |
→ તેમની મોટા ભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. |
→ તેમની મોટા ભાગની પેશી જીવંત હોય છે. |
→ પ્રાણીઓની તુલનામાં ઓછી ઊર્જા વાપરે છે. |
→ વનસ્પતિઓની તુલનામાં તેઓ વધુ ઊર્જા વાપરે છે. |
→ વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. |
→ પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય છે. |
→ વનસ્પતિઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે.
|
→ પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. |
→ વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યક્તા નથી. |
→ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. |
પ્રશ્ન 4. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા જોવા મળે છે. સમજાવો. [2 ગુણ]
ઉત્તર : વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. જ્યારે પ્રાણીઓમાં આવી પ્રદેશોની સીમિતતા હોતી નથી.
વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવનપર્યંત વિભાજન પામતી રહે છે. આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વિભાજનક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન રીતે થાય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી.
આમ, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 5. પેશી એટલે શું? [1 ગુણ]
ઉત્તર : શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષસમૂહને પેશી કહે છે.
પ્રશ્ન 6. બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? [2 ગુણ]
ઉત્તર : બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે. દા. ત., સ્નાયુકોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન, રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન, વનસ્પતિમાં અન્નવાહક ખોરાકનું વહન દર્શાવે છે.
આમ, બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમવિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે.
6.2 વનસ્પતિ પેશીઓ
6.2.1 વર્ધનશીલ કે વર્ધમાન પેશી
→ કાચના બે બીકર (જાર) લઈ તેમાં પાણી ભરો. ડુંગળી(Onion)ના બે કંદ લઈ તેને પાણી ભરેલા બીકરમાં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો, જેથી ડુંગળીના મૂળ અને પ્રકાંડ પાણીમાં ડૂબેલા રહે. બીકરને A અને B લેબલ કરી તેમાં થોડા દિવસો પછી બંને બીકરમાં ડુંગળીના બંને કંદના મૂળની લંબાઈ પ્રથમ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે માપો.
→ ચોથા દિવસે બીકર Bમાં ડુંગળીના કંદના મૂળની ટોચનો લગભગ 1 સેમી ભાગ કાપી, ફરીથી બીકરમાં ગોઠવો અને તેને થોડા વધારે દિવસ બીકરમાં રાખો, ડુંગળીના કંદોના મૂળની લંબાઈનું પાંચ દિવસ પછી અવલોકન કરી પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપની કોષ્ટકમાં નોંધ કરો.
→ ઉપર્યુક્ત નિરીક્ષણોને અનુલક્ષીને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :
• કયા બીકર(જાર)માં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે? શા માટે?
ઉત્તર : બીકર (જાર) Aમાં રાખેલી ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે. કારણ કે, મૂળની ટોચ કપાયા વગરની હોવાથી મૂળની લંબાઈમાં વૃદ્ધિ ચાલુ રહે છે.
• મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે?
ઉત્તર : મૂળની ટોચના ભાગને આપણે કાપી નાખ્યા પછી બીકર (જાર) Bમાં મૂળની લંબાઈમાં વૃદ્ધિ થતી નથી.
• જ્યારે આપણે બીકર (જાર) Bમાં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્ર ભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? શા માટે?
ઉત્તર : હા, જ્યારે આપણે બીકર (જાર) Bમાં રાખેલી ડુંગળીના કંદના મૂળના અગ્ર ભાગને કાપી નાખીએ છીએ ત્યારે મૂળની ટોચ વૃદ્ધિ કરવાનું બંધ કરે છે. કારણ કે, મૂળની ટોચને કાપતાં આ ભાગે વૃદ્ધિમાં મદદરૂપ વર્ધનશીલ પેશી દૂર થઈ જાય છે.
પ્રશ્ન 7. વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિદેહમાં વર્ધનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો. [3 ગુણ)
ઉત્તર : વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન કરે.
વનસ્પતિદેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો / પ્રદેશોમાં જ થાય છે. આ સ્થાને વર્ધનશીલ (વર્ધમાન) પેશી આવેલી છે.
પ્રશ્ન 8. વર્ધનશીલ પેશીનાં લક્ષણો જણાવો. [2 ગુણ]
ઉત્તર : વર્ધનશીલ પેશીનાં લક્ષણો : (1) આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. (2) કોષો સ્પષ્ટ કોષકેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે. (3) કોષો સેલ્યુલોઝયુક્ત પાતળી કોષદીવાલ ધરાવે છે. (4) કોષો રસધાની ધરાવતા નથી.
પ્રશ્ન 9. વર્ધનશીલ પેશી એટલે શું? તેના દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય છે? [2 ગુણ]
ઉત્તર : વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. :
વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે. તેનાં લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભેદિત થાય છે.
પ્રશ્ન 10. શા માટે વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી? [1 ગુણ]
ઉત્તર : વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી, કારણ કે વર્ધનશીલ કોષો ખૂબ સક્રિય કોષો છે અને વિભાજનશીલ હોય છે. તેઓ અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી. તેથી તેમના સંગ્રહ માટે રસધાનીની જરૂર નથી. સામાન્ય રીતે રસધાની પરિપક્વ વનસ્પતિકોષોમાં હોય છે, જે વિભાજનશીલ હોતા નથી.
6.2.2 સ્થાયી પેશી
પ્રશ્ન 11. સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે? [1 ગુણ]
અથવા
વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે?
ઉત્તર : સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે.
વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે. આમ, વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે.
• વનસ્પતિના અંગ(પ્રકાંડ)ના છેદને અભિરંજિત કરી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવું.
હેતુ : વનસ્પતિના અંગના છેદમાં વિવિધ પ્રકારના કોષોની ગોઠવણીનો અભ્યાસ કરવો.
સાધનો : વૉચ ગ્લાસ, સ્લાઇડ, કવરસ્લિપ
નમૂનો : વનસ્પતિના પ્રકાંડનો ટુકડો
અભિરંજક : સેફ્રેનિન
આસ્થાપન તૈયાર કરવાની રીત :
→ વૉચ ગ્લાસમાં સેફ્રેનિન અભિરંજકનાં બે-ત્રણ ટીપાં લઈ તેમાં પાણી ઉમેરી મંદ દ્રાવણ તૈયાર કરો.
→ તમારા શિક્ષકની મદદથી વનસ્પતિના પ્રકાંડના ટુકડાના શક્ય એટલા પાતળા છેદ લો.
→ પાતળા છેદને વૉચ ગ્લાસમાં સેફ્રેનિન અભિરંજકના મંદ દ્રાવણમાં અભિરંજિત કરો.
→ એક પાતળા છેદને કાચની સ્લાઇડ પર આસ્થાપિત કરી તેના પર ગ્લિસરિનનું એક ટીપું મૂકો.
→ તેના પર કવરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
→ તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
→ અવલોકનમાં વિવિધ પ્રકારના કોષોના સ્વરૂપ, ગોઠવણીનો અભ્યાસ કરો અને આકૃતિ 6.3 સાથે તુલના કરો.
આ પ્રમાણે આ જ વનસ્પતિના મૂળના છેદ તેમજ અન્ય વનસ્પતિના મૂળ અને પ્રકાંડના છેદ લઈ તેનો અભ્યાસ કરો.
• શું બધા જ કોષોની સંરચના સમાન છે?
ઉત્તર : ના, બધા કોષોની સંરચના સમાન નથી. કારણ કે, અવલોકનમાં વિવિધ કદ અને આકારમાં ભિન્નતા ધરાવતા કોષો જોવા મળે છે.
• કેટલા પ્રકારના કોષો જોવા મળે છે?
ઉત્તર : 10 વિવિધ પ્રકારના કોષો સ્લાઇડમાં જોવા મળે છે.
• શું આપણે તેનાં કારણો પર વિચારી શકીએ છીએ કે કોષોના આટલા પ્રકારો શા માટે છે?
ઉત્તર : હા, કોષોના વિવિધ પ્રકારો વનસ્પતિના અંગમાં ચોક્કસ કાર્ય સાથે સંકળાઈને અંગમાં શ્રમવિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારે છે.
6.2.2 (i) સરળ સ્થાયી પેશી
પ્રશ્ન 12. મૃદૂતક પેશી કોને કહે છે? તેનાં લક્ષણો અને પ્રકાર સમજાવો. [3 ગુણ)
અથવા
વનસ્પતિમાં આધારોતક કાર્ય કરતી સરળ સ્થાયી પેશી વર્ણવો.
ઉત્તર : મૃદૂતક પેશી : વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદૂતક પેશી કહે છે.
તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે.
લક્ષણો : (1) કોષો જીવંત હોય છે. (2) મૃદૂતક પેશી પાતળી કોષદીવાલવાળા સરળ કૌષોની બનેલી છે. (૩) કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. (4) કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. (5) કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે.
પ્રકાર : મૃદૂતકના કોષો હરિતદ્રવ્ય(Chlorophyll)યુક્ત હરિતકણ ધરાવતા હોય, તો તેને હરિતકણોતક (Chlorenchyma) કહે છે. તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવાકોટો (વિશાળ વાયુકોટો) ધરાવતી મૃદૂતક પેશી આવેલી છે. આ પ્રકારની મૃદૂતકને વાયુતક (Aerenchyma) પેશી કહે છે. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે.
પ્રશ્ન 13. મૃદૂતક પેશીનાં કાર્યો જણાવો. [3 ગુણ]
ઉત્તર : મૃદૂતક પેશી નીચેનાં કાર્યો કરે છે :
(1) તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન (પ્રકાશસંશ્લેષણ) કરવાનું કાર્ય કરે છે.
(2) તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે.
(3) તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે.
(4) તે વનસ્પતિનાં અંગોનું આધારોતક રચે છે.
(5) તે જલીય વનસ્પતિઅંગોને તારક ક્ષમતા બક્ષે છે.
(6) તે જીવરસના ઘટકોનું સંયોજન ક૨ે છે.
પ્રશ્ન 14. સ્થૂલકોણક પેશીની રચના અને કાર્યો જણાવો. [2 ગુણ]
અથવા
વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સ્થાયી પેશી વર્ણવો.
ઉત્તર : સ્થૂલકોણક પેશી : વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહે છે.
સ્થાન : વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે [નોંધ : સ્થૂલકોણક પેશી દ્વિદળી વનસ્પતિનાં હવાઈ અંગોમાં જોવા મળે છે. ભૂગર્ભીય અંગ મૂળમાં ક્યારેય હોતી નથી.]
લક્ષણો : (1) આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય (ખૂણા) બાજુ અનિયમિત મોટા હોય છે.
(2) કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે.
(3) કોષોની પ્રાથમિક દીવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે.
કાર્યો : (1) વનસ્પતિનાં અંગો(પ્રકાંડ, પર્ણ)ને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે.
(2) વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે.
પ્રશ્ન 15. દઢોતક પેશી(Sclerenchyma)ની રચના અને કાર્ય સમજાવો. [3 ગુણ)
અથવા
દઢોતક પેશીનાં લક્ષણો અને કાર્ય વર્ણવો.
અથવા
વિસ્તૃતમાં વર્ણવો : મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી
ઉત્તર : મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દઢોતક પેશી કહે છે.
સ્થાન : પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે.
નાળિયેરની રેસાયુક્ત છાલ દઢોતક પેશીની બનેલી છે.
લક્ષણો (રચના) : (1) આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. (2) કોષોની પ્રાથમિક દીવાલ પર લિગ્નિનનું સ્થૂલન (જમાવટ) હોય છે. (૩) કોષોની દીવાલ જાડી હોય છે. (4) કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. (5) કોષો મૃત હોય છે.
કાર્ય : વનસ્પતિના ભાગોને દઢતા (સખતતા) અને મજબૂતાઈ આપે છે.
હેતુ : રીહો(ટ્રેડેડૅન્શિયા)ના પર્ણના આસ્થાપનમાં અધિસ્તર અને વાયુરંધ્રોનું અવલોકન કરવું.
સાધનો : પેટ્રી ડિશ, સ્લાઇડ, વરસ્લિપ
અભિરંજક : સેફ્રેનિન
નમૂનો : રીહો(ટ્રેડેઍન્શિયા)નાં તાજાં પર્ણ
સ્લાઇડ તૈયાર કરવાની રીત ઃ રીહો(ટ્રેકૅન્શિયા)નાં તાજાં પર્ણ લો.
→ પર્ણ ૫૨ દબાણ આપી એવી રીતે તોડો કે જેથી પર્ણની છાલ અલગ નીકળે.
→ અલગ કરેલી આ છાલને પાણી ભરેલી પેટ્રી ડિશમાં મૂકો.
→ તેમાં સેફ્રેનિન અભિરંજકનાં ટીપાં ઉમેરો.
→ બે-ત્રણ મિનિટ પછી છાલને સ્વચ્છ સ્લાઇડ પર મૂકો. તેના પર કલરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
• તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
• અવલોકન આધારે આકૃતિ દોરી, નોંધ કરો.
અવલોકન : આકૃતિ 6.7માં દર્શાવ્યા મુજબ છૂટાછવાયા વાયુરંધ્રો જોવા મળે છે. વાયુરંધ્રની રચના કરતા રક્ષક કોષો અને તેને ઘેરીને અધિસ્તરીય કોષો આવેલા હોય છે. રક્ષક કોષો લીલા રંગના જોવા મળે છે. રક્ષક કોષો મૂત્રપિંડ આકારના હોય છે.
પ્રશ્ન 16. ટૂંક નોંધ લખો : અધિસ્તર [3 ગુણ]
અથવા
અધિસ્તર એટલે શું? તેની રચના અને કાર્યોની નોંધ કરો.
ઉત્તર : વનસ્પતિનાં અંગોના સૌથી બહારના એક સ્તરને અધિસ્તર કહે છે.
રચના : અધિસ્તરના કોષો મૃદૂતક પેશીના બનેલા, એક સ્તરમાં ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવે છે.
મોટા ભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે અને તેમની બાહ્ય તથા પાર્થ દીવાલ આંતરિક કોષદીવાલ કરતાં જાડી હોય છે.
વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણ(ક્યુટિન)ના સ્રાવથી આવિરત હોય છે.
કાર્યો : (1) અધિસ્તર વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપે છે.
(2) અધિસ્તર પર મીણયુક્ત (ક્યુટિન) આવરણ વનસ્પતિને પાણીના વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે.
(3) શુષ્ક વસવાટમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે.
(4) મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે.
પ્રશ્ન 17. ટૂંક નોંધ લખો : વાયુરંધ્રો [2 ગુણ]
અથવા
વાયુરંધ્ર એટલે શું? તેની રચના અને કાર્યો જણાવો.
ઉત્તર : વાયુરંધ્રો એટલે પર્ણના અધિસ્તરમાં આવેલાં નાનાં છિદ્રો.
રચના : વાયુરંધ્રો વૃક્કાકાર (મૂત્રપિંડ આકારના) બે રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રમય રચના છે.
કાર્યો : ( 1 ) બાષ્પોત્સર્જન(ઉસ્વંદન-બાષ્યરૂપે પાણી ગુમાવવાની) ક્રિયા વાયુરંધ્રો વડે થાય છે.
( 2 ) વાતાવરણ સાથે વાયુ વિનિમય માટે વાયુરંધ્રો આવશ્યક છે.
પ્રશ્ન 18. મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો શાના કારણે થાય છે? [1 ગુણ]
ઉત્તર : મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે.
કેટલાક અધિસ્તરીય કોષો વાળ જેવા લાંબા પ્રવર્ધરૂપે વૃદ્ધિ પામે છે. આ પ્રવર્ધોથી શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધે છે. આ કારણથી મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
પ્રશ્ન 19. મરુનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરની બાહ્ય સપાટી પર ક્યુટિન(ક્યુટિકલ)નું લેપન થયેલું હોય છે. શું આપણે તેનું કારણ વિચારી શકીએ છીએ? [2 ગુણ]
ઉત્તર : હા, મરુનિવાસી વનસ્પતિઓ રણપ્રદેશમાં ઊગતી હોવાથી પાણીની પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવે છે. આ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર નીચો રાખવો જરૂરી છે.
ક્યુટિન (ક્યુટિકલ) જલ અવરોધક મીણ જેવો રાસાયણિક પદાર્થ છે. અધિસ્તરની બાહ્ય સપાટી પર તેના લેપનથી પાણીનો વ્યય ઘટાડી, મરુનિવાસી વનસ્પતિઓ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખી શકે.
પ્રશ્ન 20. તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતાં વૃક્ષની શાખાનું બાહ્યસ્તર કેવી રીતે જુદું હોય છે? [1 ગુણ]
ઉત્તર : તરુણ પ્રકાંડનું બાહ્ય સ્તર પાતળું, લીલું હોય છે. જ્યારે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર જાડું, સખત, મજબૂત અને નિર્જીવ કોષોથી બનેલી છાલ સ્વરૂપે હોય છે.
પ્રશ્ન 21. વૃક્ષની છાલનું નિર્માણ અને તેની વિશિષ્ટતાઓ જણાવો. [3 ગુણ)
ઉત્તર : વૃક્ષની છાલનું નિર્માણ ઃ વૃક્ષની ઉંમર વધવાની સાથે તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાંક પરિવર્તન થાય છે.
દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ કરે છે.
છાલની વિશિષ્ટતાઓ : ( 1 ) છાલના કોષો મૃત હોય છે.
( 2 ) છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે.
( 3 ) કોષોની દીવાલ પર સુબેરિન રસાયણનું સ્થૂલન હોય છે.
( 4 ) છાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ હોય છે.
6.2.2 ( ii ) જટિલ સ્થાયી પેશી
પ્રશ્ન 22. જટિલ સ્થાયી પેશી કોને કહે છે? તેનાં ઉદાહરણ આપી જણાવો કે શા માટે તેમને સંવહન પેશી કહે છે? [2 ગુણ]
ઉત્તર : એક કરતાં વધારે પ્રકારના કોષો સાથે મળીને સામાન્ય કાર્ય કરે તેવી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે.
ઉદાહરણ : જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે અને અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે છે. આમ, જટિલ સ્થાયી પેશી મુખ્યત્વે વહન કાર્ય સાથે સંકળાયેલી હોવાથી તેને સંવહન પેશી (વાહક પેશી) કહે છે.
પ્રશ્ન 23. જલવાહક પેશી(Xylem)ની રચના અને કાર્યો વર્ણવો. [3 ગુણ]
અથવા
ટૂંક નોંધ લખો : જલવાહક પેશી
ઉત્તર : વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે.
રચના : જલવાહક પેશીના બંધારણમાં ચાર ઘટકોનો સમાવેશ થાય છે : (1) જલવાહિનિકી, (2) જલવાહિની, (3) જલવાહક મૃદૂતક અને (4) જલવાહક તંતુઓ (દઢોતક).
જલવાહિનિકી અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે. આ કોષોની કોષદીવાલ જાડી હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઊર્ધ્વ તરફ સ્થળાંતર કરે છે.
જલવાહક મૃદૂતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીના સંવહન કરવામાં મદદરૂપ થાય છે.
જલવાહક તંતુઓ મુખ્યત્વે મજબૂતાઈ અને આધારોતકના કાર્યમાં મદદરૂપ છે.
પ્રશ્ન 24. અન્નવાહક પેશી(Phloem)ની રચના અને કાર્ય વર્ણવો. [3 ગુણ]
અથવા
ટૂંક નોંધ લખો : અન્નવાહક પેશી
ઉત્તર : વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનાં કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે.
રચના : અન્નવાહક પેશી ચાર પ્રકારના એકમો : (1) ચાલનીનલિકાઓ, (2) સાથીકોષો, (3) અન્નવાહક મૃદૂતક અને (4) અન્નવાહક તંતુઓની બનેલી છે.
ચાલનીનલિકા છિદ્રિષ્ઠ કોષદીવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષકેન્દ્રવિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે.
અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે.
કાર્ય : તે ખોરાકના વહનનું કાર્ય કરે છે. અન્નવાહક પેશીમાં પદાર્થોનું વહન બંને દિશાઓમાં થઈ શકે છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 25. સરળ પેશીઓના કેટલા પ્રકારો છે? [1 ગુણ]
ઉત્તર : સરળ પેશીઓના ત્રણ પ્રકારો છે : (1) મૃદૂતક, (2) સ્થૂલકોણક અને (3) દઢોતક.
પ્રશ્ન 26. અગ્રસ્થ વર્ધનશીલ પેશી શેમાં મળી આવે છે? [1 ગુણ]
ઉત્તર : અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળની ટોચ અને પ્રકાંડની ટોચમાં મળી આવે છે.
પ્રશ્ન 27. નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે? [1 ગુણ]
ઉત્તર : નાળિયેરના રેસાઓ દઢોતક પેશીના બનેલા હોય છે.
પ્રશ્ન 28. અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે? [1 ગુણ]
ઉત્તર : અન્નવાહક પેશીના ચાર ઘટકો કે એકમો : (1) ચાલનીનલિકા, (2) સાથીકોષ, (3) અન્નવાહક મૃદૂતક અને (4) અન્નવાહક તંતુઓ છે.
6.3 પ્રાણીપેશીઓ
પ્રશ્ન 29. કોષોને O2ની જરૂરિયાત શા માટે હોય છે ? આ જરૂરિયાત કેવી રીતે સંતોષાય છે? [2 ગુણ] :
ઉત્તર : કોષોમાં કણાભસૂત્ર અંગિકામાં પોષક દ્રવ્યોના દહન દ્વારા ATP સ્વરૂપે ઊર્જા મુક્ત કરવા O2 ની જરૂરિયાત હોય છે.
કોષોને O2 જરૂરિયાત પૂરી પાડવા સ્નાયુકોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે.
શ્વાસક્રિયા દરમિયાન લેવાતો O2 ફેફસાંમાં અવશોષિત થઈ રુધિર દ્વારા શરીરના બધા કોષોમાં O2 પહોંચાડવામાં આવે છે.
6.3.1 અધિચ્છદીય પેશી
પ્રશ્ન 30, અધિચ્છદ પેશીનાં સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્ય જણાવો. [3 કે 4 ગુણ]
ઉત્તર : પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદ પેશી તરીકે ઓળખાય છે. તે શરીરની અંદર રહેલાં મોટા ભાગનાં અંગો અને તેમનાં પોલાણોને ઢાંકે છે.
સામાન્ય લક્ષણો : ( 1 ) અધિચ્છદ પેશીના કોષો એક્બીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે.
( 2 ) બધી જ અધિચ્છદની નીચે બાહ્ય રેસામય આધાર આપતી આધારક્લા હોય છે, જે અન્ય પેશીથી તેને અલગ કરે છે.
( 3 ) અધિચ્છદ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે.
( 4 ) મોટા ભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે.
સ્થાન : ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાંના વાયુકોષ્ઠો, મૂત્રપિંડનલિકા વગેરે અધિચ્છદ પેશીના બનેલા છે.
કાર્ય : અધિચ્છદ પેશી વિવિધ શારીરિક તંત્રોને એક્બીજાથી અલગ કરવા અવરોધ(અંતરાલ)નું નિર્માણ કરતી હોવાથી જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના સ્તર(પટલ)માંથી પસાર થાય છે.
આથી વિવિધ પ્રકારની અધિચ્છદ પેશીના કોષો વચ્ચેની પારગમ્યતા, બાહ્ય વાતાવરણ અને શરીર તેમજ શરીરનાં વિવિધ અંગો વચ્ચે પદાર્થોની આપ-લેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પ્રશ્ન 31. લાદીસમ અધિચ્છદ પેશીના પ્રકાર, શરીરમાં ગોઠવણી અને કાર્ય જણાવો. [3 ગુણ]
ઉત્તર :
પ્રશ્ન 32. ટૂંક નોંધ લખો : [પ્રત્યેકના 2 ગુણ]
( 1 ) સ્તંભીય (સ્તંભાકાર) અધિચ્છદ
ઉત્તર : સ્તંભીય (સ્તંભાકાર) અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો છે. તેમની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે.
આ પેશી આંતરડાનું અંદરનું સ્તર (અસ્તર) બનાવે છે અને અભિશોષણ તેમજ સ્રાવ ક્રિયામાં મદદરૂપ છે.
પક્ષ્મલ અધિચ્છદ પેશી એ રૂપાંતરિત સ્તંભાકાર અધિચ્છદ પેશી છે. સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચનાઓ રૂપે પક્ષો આવેલા છે.
શ્વાસનળીમાં પદ્મલ અધિચ્છદના પક્ષોની ગતિ શ્લેષ્મને બહારની સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે.
(2) ઘનાકાર અધિચ્છદ
ઉત્તર : ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે.
આ પેશી મૂત્રપિંડનલિકા અને લાળગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે.
આ અધિચ્છદ કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી ૫૨ દ્રવ્યોનો સ્રાવ કરી ગ્રંથિકોષો તરીકે કાર્ય કરે છે.
કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. તેને ગ્રંથિય અધિચ્છદ કહે છે.
6.3.2 સંયોજક પેશી
પ્રશ્ન 33. સંયોજક પેશી એટલે શું? તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને પ્રકારની માહિતી આપો. [3 ગુણ]
ઉત્તર : સંયોજક પેશી એટલે બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી, આધાર આપતી પ્રાણીપેશી.
લક્ષણ : પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધા૨ક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે.
આંતરકોષીય આધારક દ્રવ્ય : તે જેલી જેવું, પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે.
કાર્ય : O2 – CO2 શ્વસનવાયુઓ, શરીરમાં પચેલા ખોરાક, અંતઃસ્રાવો અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરે છે.
(2) અસ્થિ : શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશી છે.
કૅલ્શિયમ તથા ફૉસ્ફરસના બનેલા આંતરકોષીય આધા૨ક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે.
કાર્ય : તે શરીરનાં મુખ્ય અંગોને આધાર આપે છે. તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે.
(3) અસ્થિબંધ અને સ્નાયુબંધ : અસ્થિબંધ (Ligament) બે નજીકના કે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે.
સ્નાયુબંધ (Tendon) સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે.
(4) કાસ્થિ : કાસ્થિ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્થિકોષો છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે.
કાસ્થિ નાક, કાન, ગળામાં અને શ્વાસનળીમાં આવેલી હોય છે. તે જે-તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે. તેથી આપણા કાનનો બાહ્ય ભાગ (કર્ણપલ્લવ) વાળી શકાય છે.
કાચવત કાસ્થિ એક પ્રકારની કાસ્થિ કાલ પૈશી છે, કાસ્થિ પેશી સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે,
(5) તંતુઘટક પેશી : સ્થાન : ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે, રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિમજ્જામાં આવેલી છે,
રચના : આંતરકોષીય આધારકાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા છે. આધારકાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, બૃહદ્દ કોષ, માસ્ટ કોષ જોવા મળે છે.
કાર્ય : તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે, આંતરિક અંગોને આધાર આપે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે.
(6) મેદપૂર્ણ પેશી : આ પેશી ત્વચાની નીચે, આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે.
આ પેશી ચરબી(મેદ)નો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે.
કાર્ય : તે ઉષ્માનિયમનનું કાર્ય કરે છે.
6.3.3 સ્નાયુ પેશી
પ્રશ્ન 35, સ્નાયુ પેશીનાં સામાન્ય લક્ષણો જણાવી, સ્નાયુ પેશીના પ્રકાર લખો. [2 ગુણ]
ઉત્તર : સ્નાયુ પેશીનાં સામાન્ય લક્ષણો : સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે. તેને સ્નાયુતંતુ કહે છે,
સ્નાયુતંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન (ઍક્ટિન અને માયોસીન) આવેલું હોય છે. તેના કારણે સંકોચન અને શિથિલનની ગતિ મળે છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે.
સ્નાયુ પેશીના પ્રકાર ઃ (1) રેખિત સ્નાયુ પેશી, (2) અરેખિત સ્નાયુ પેશી અને (3) હ્રદ્ સ્નાયુ પેશી.
પ્રશ્ન 36. રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો. [3 ગુણ]
અથવા
વર્ણવો : કંકાલ સ્નાયુ પેશી
અથવા
આકૃતિ દોરી ઐચ્છિક સ્નાયુ પેશી વર્ણવો.
ઉત્તર : આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ (અસ્થિ) સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે.
આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઇચ્છાશક્તિને આધીન એટલે કે આપણી ઇચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ કે રોકી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે.
સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતાં આ પેશીના સ્નાયુતંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રેખાઓ જોવા મળે છે. તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે.
સ્થાન તે ઉપાંગો, શરીરદીવાલ, જીભ, કંઠનળીમાં જોવા મળે છે.
સ્નાયુતંતુ : આ પેશીના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રી હોય છે.
પ્રશ્ન 37. ટૂંક નોંધ લખો ઃ [પ્રત્યેકના 2 ગુણ]
(1) અરૈખિત (સરળ) સ્નાયુ પેશી
ઉત્તર : સ્થાન : આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાંની શ્વાસવાહિનીઓમાં, અન્નનળી અને રુધિરવાહિનીની દીવાલમાં.
લક્ષણો : (1) પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે.
(2) અરૈખિત સ્નાયુતંતુઓ ત્રાકાકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે.
(3) સ્નાયુતંતુઓ એકકોષકેન્દ્રીય હોય છે.
(4) તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે.

અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીઓમાં રુધિરપ્રવાહ અનૈચ્છિક ગતિવિધિ છે. તેની ગતિવિધિ આપણી ઇચ્છાનુસાર પ્રારંભ કે બંધ થતી નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે.
(2) હૃધ્દ્ સ્નાયુ પેશી
ઉત્તર : હૃદયના સ્નાયુઓ જીવનપર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હ્રદ્ સ્નાયુ પેશી કહે છે.
હૃદ્ સ્નાયુતંતુઓ (સ્નાયુકોષો) નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રીય હોય છે.
પ્રશ્ન 38. વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરો. તેમના આકાર, કોષકેન્દ્રોની સંખ્યા તથા કોષમાં કોષકેન્દ્રોના સ્થાનને નોંધો. [3 ગુણ]
ઉત્તર :
6.3.4 ચેતા પેશી
પ્રશ્ન 39. ચેતા પેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો. [4 ગુણ]
ઉત્તર : ચેતા પેશીનું સ્થાન : મગજ (મસ્તિષ્ક), કરોડરજ્જુ અને ચેતાઓ.
ચેતા પેશીના કોષો : ચેતા પેશીના કોષને ચેતાકોષ કહે છે.
ચેતાકોષની રચના : ચેતાકોષમાં કોષકેન્દ્ર અને ચેતારસ (કોષરસ) આવેલો છે. ચેતાકોષમાંથી લાંબી, પાતળી શાખાઓ નીકળે છે.
ચેતાકોષની લંબાઈ : ચેતાકોષ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે.
ચેતાનું નિર્માણ : ઘણા ચેતાતંતુ(અક્ષતંતુ)ઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે.
કાર્ય : ચેતા પેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ, આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે.
પ્રશ્ન 40. ચેતા અને સ્નાયુ પેશીના કાર્યાત્મક સંયોજનનું મહત્ત્વ જણાવો. [2 ગુણ]
ઉત્તર : ચેતાના ઊર્મિવેગ આપણને ઇચ્છાનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે.
સ્નાયુઓના હલનચલન અંગને ગતિશીલતા આપે છે.
સામાન્ય રીતે બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન પાયારૂપ છે. આ સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે.
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
(1) કેટલા પ્રકારના અંકો મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે? તેમનાં નામ આપો.
ઉત્તર : ચાર પ્રકારના એકમો : (1) જલવાહિનિકી, (2) જલવાહિની, (3) જલવાહક મૃદુતક અને (4) જલવાહક તંતુ (દઢોતક) મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે.
(2) વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે?
ઉત્તર : વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોર્પો રચનાની દૃષ્ટિએ સમાન હોય છે અને જિટલ સ્થાયી પેશીના કોષો રચનાની દૃષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે.
(3) મૃદૂતક પેશી કયા પ્રદેશમાં હોય છે ?
ઉત્તર : મૃદૂતક પેશી આધારોતક પ્રદેશમાં હોય છે.
(4) વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ?
ઉત્તર : વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા : (1) તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે. (2) તે શોષણ, સ્રાવ અને ઉન્ગ્વેદનમાં મદદ કરે છે.
(5) છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે?
ઉત્તર : છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત હોય છે. તેમની કોષદીવાલ પર સુબેરિન રસાયણ સ્થૂલિત હોય છે. તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે.
(6) હૃદુ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે?
ઉત્તર : હૃદુ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય : હૃદયના સ્નાયુઓ જીવનપર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહી હૃદયના રુધિરપંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]
(1) પ્રકાશસંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે?
ઉત્તર : પ્રકાશસંશ્લેષણ માટે CO2 (કાર્બન ડાયૉક્સાઇડ) વાયુ આવશ્યક છે.
(2) વનસ્પતિની ત્રણ સરળ સ્થાયી પેશીઓનાં નામ આપો.
ઉત્તર : મૃદૂતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી એ વનસ્પતિની ત્રણ સરળ સ્થાયી પેશીઓ છે.
(3) વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ કઈ પેશીના કારણે હોય છે?
ઉત્તર : વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ સ્થૂલકોણક પેશીના કારણે હોય છે.
(4) જલવાહક પેશીના વિવિધ ઘટકોનાં નામ આપો.
ઉત્તર : જલવાહક પેશીના ઘટકોનાં નામ : (1) જલવાહિનિકી, (2) જલવાહિની, (3) જલવાહક તંતુઓ (દઢોતક) અને (4) જલવાહક મૃદૂતક.
(5) અન્નવાહક પેશીની રચના કરતાં એકમો જણાવો.
ઉત્તર : અન્નવાહક પેશીની રચના કરતાં એકમો : (1) ચાલનીનલિકા, (2) સાથીકોષ, (3) અન્નવાહક તંતુ અને (4) અન્નવાહક મૃદૂતક.
(6) આંતર્વિષ્ટવર્ધનશીલ પેશીનું સ્થાન જણાવો.
ઉત્તર : આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન : પર્ણોના તલપ્રદેશમાં, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ.
(7) સક્રિય વિભાજન પામતા કોષોમાં કઈ અંગિકાની હાજરી અને કઈ અંગિકાની ગેરહાજરી હોય છે?
ઉત્તર : સક્રિય વિભાજન પામતા કોષોમાં કણાભસૂત્ર અંગિકાની મોટી સંખ્યામાં હાજરી અને રસધાની અંગિકાની ગેરહાજરી હોય છે.
(8) મૃદૂતક પેશીના વિશિષ્ટ પ્રકારનાં નામ અને કાર્ય જણાવો.
ઉત્તર : મૃદૂતક પેશીના વિશિષ્ટ પ્રકાર કાર્ય
1. હરિતણોતક – પ્રકાશસંશ્લેષણ
2. વાધૃતક – તારકતા
(9) હરિતકણોતક સિવાય કઈ પેશી હરિતક્ષ્ણ ધરાવતી હોઈ શકે?
ઉત્તર : હરિતકણોતક સિવાય સ્થૂલકોણક પેશી હિરતકણ ધરાવતી હોઈ શકે.
(10) કોષોમાં રસધાનીની હાજરી ધરાવતી બે પેશીનાં નામ આપો.
ઉત્તર : કોષોમાં રસધાનીની હાજરી ધરાવતી પેશી : (1) મૃદૂતક અને (2) સ્થૂલકોણક.
(11) મરુનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તર પર કોનું લેપન થયેલું છે?
ઉત્તર : મરુનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તર પર મીણ જેવા જલ અવરોધક રાસાયણિક પદાર્થ ક્યુટિનનું લેપન થયેલું છે.
(12) સુબેરિનનું મહત્ત્વ જણાવો.
ઉત્તર : સુબેરિન વૃક્ષની છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે.
(13) શ્વાસક્રિયા કઈ કોષીય અંગિકાના કાર્ય માટે અગત્યની છે?
ઉત્તર : શ્વાસક્રિયા ણાભસૂત્ર અંગિકાના કાર્ય માટે અગત્યની છે.
(14) શ્વાસનળીમાં શ્લેષ્મને બહાર ધકેલી તે પ્રદેશને સ્વચ્છ રાખવામાં કર્યું હલનચલન મદદરૂપ છે?
ઉત્તર : શ્વાસનળીમાં શ્લેષ્મને બહાર ધકેલી તે પ્રદેશને સ્વચ્છ રાખવામાં પદ્મલ હલનચલન મદદરૂપ છે.
(15) અન્નનળીનું અસ્તર, આંતરડાંનું અસ્તર, લાળગ્રંથિની નલિકાનું અસ્તર કઈ પેશી ધરાવે છે?
ઉત્તર : અન્નનળીનું અસ્તર લાદીસમ અધિચ્છદ, આંતરડાંનું અસ્તર સ્તંભાકાર અધિચ્છદ અને લાળગ્રંથિની નલિકાનું અસ્તર ઘનાકાર અધિચ્છદ પેશી ધરાવે છે.
(16) રુધિરરસ એટલે શું?
ઉત્તર : રુધિરરસ એટલે રુધિર પેશીના પ્રવાહી આંતરકોષીય આધારક વ્ય.
(17) રુધિરરસમાં મુખ્યત્વે ક્યાં દ્રવ્યો હોય છે?
ઉત્તર : રુધિરરસમાં મુખ્યત્વે પ્રોટીન, મીઠું (NaCl), અંતઃસ્રાવ વગેરે દ્રવ્યો હોય છે.
(18) હાવર્સિયનનલિકા કઈ પેશીનું લક્ષણ છે?
ઉત્તર : હાવર્સિયનનલિકા અસ્થિ પેશીનું લક્ષણ છે.
(19) મેદપૂર્ણ પેશી ક્યાં જોવા મળે છે? તે કયું કાર્ય કરે છે?
ઉત્તર : મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે જોવા મળે છે. તે ઉષ્માનિયમનનું કાર્ય કરે છે.
(20) અરેખિત સ્નાયુ પેશી ક્યાં જોવા મળે છે?
ઉત્તર : અરેખિત સ્નાયુ પેશી આંખની કીકી, મૂત્રવાહિની, શ્વાસવાહિની, અન્નનળી અને રુધિરવાહિનીમાં જોવા મળે છે.
(21) અક્ષતંતુ અને શિખાતંતુ વચ્ચે મુખ્ય ભેદ ક્યો છે?
ઉત્તર : અક્ષતંતુ એક જ હોય અને લાંબો પ્રવર્ષ છે, જ્યારે શિખાતંતુ એક અથવા વધારે અને ટૂંકા પ્રવર્ધ છે.
(22) કઈ કઈ પેશીનું કેવું સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે?
ઉત્તર : ચેતા અને સ્નાયુ પેશીનું કાર્યાત્મક સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે.
(23) વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ભૂમિકા શોધો.
ઉત્તર : વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાના પાણીને બાષ્પરૂપે દૂર કરી જલનિયમન જળવાય છે. બાષ્પરૂપે પાણી દૂર કરતાં બહારની ઉષ્મા વાતાવરણમાં પાછી ફેંકી વનસ્પતિના આંતરિક ભાગોને ગરમી સામે રક્ષણ આપે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1થી 10 શબ્દોની મર્યાદામાં) ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]
(1) ક્યા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવનપર્યંત સંકોચન અને વિકોચન પામે છે?
(2) ક્યા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવી મૃત બને છે?
(3) અન્નવાહક પેશીના ક્યા ઘટકમાં છિદ્રાળુ દીવાલ આવેલી છે?
(4) કઈ પેશી સ્થૂલન ધરાવતી હોવા છતાં જીવંત છે?
(5) જલવાહક પેશીનો ક્યો ધટક પાશ્ર્વય વહનમાં સહાય કરે છે?
(6) જલવાહક પેશીનો ક્યો ઘટક વહનકાર્ય સાથે સંકળાયેલ નથી?
(7) કઈ પેશીને કારણે વનસ્પતિનાં અંગો તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે?
(8) મેદપૂર્ણ પેશીનું મુખ્ય કાર્ય શું
(9) કઈ અધિચ્છદ પેશીનું કાર્ય શરીરના અંતઃસ્થ ભાગોનું, જંતુઓના પ્રવેશ અને ઘા પડવા સામે રક્ષણ કરવાનું છે?
(10) કઈ સંયોજક પેશી ત્વચા અને સ્નાયુની વચ્ચે પૂરણ તરીકે હોય છે?
(11) અન્નમાર્ગમાં કઈ અધિચ્છદ પેશી શોષણ અને સાવ કાર્ય સાથે સંક્ળાયેલી છે?
(12) રુધિરનો લાલ રંગ ક્યા ઘટકોને આભારી છે?
(13) ક્યા કોષો કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ક્ષારોના બનેલા નક્કર આંતરકોષીય દ્રવ્યમાં જકડાયેલા હોય છે?
(14) માનવમાં અસ્થિ અને સ્નાયુને કઈ સંયોજક પેશી જોડે છે?
(15) ક્યા પ્રકારની સ્નાયુ પેશીમાં ઘેરી અને આડી પટ્ટીઓ આવેલી નથી ?
ઉત્તર :
(1) હદ્ સ્નાયુ પેશી
(2) લિગ્નિન
(3) ચાલનીનલિકામાં
(4) સ્થૂલકોણક
(5) જલવાહક મૃદૂતક
(6) જલવાહક તંતુ (દઢોતક)
(7) સ્થૂલકોણક
(8) ચરબીનો સંગ્રહ
(9) લાદીસમ અધિચ્છદ
(10) તંતુઘટક પેશી
(11) સ્તંભીય અધિચ્છદ
(12) લાલ રુધિરકોષો
(13) અસ્થિકોષો
(14) સ્નાયુબંધ
(15) અરેખિત
પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરોઃ [પ્રત્યેકનો 1 ગુણ]
(1) હરિતદ્રવ્ય ધરાવતા મૃદૂતકના કોષોને ……. પેશી કહે છે.
(2) પરોહાગ્રમાં …….. પેશી જોવા મળે છે.
(3) દૃઢોતક પેશીમાં ……. નું સ્થૂલન જોવા મળે છે.
(4) બીજ અને ફ્ળોની છાલમાં આવેલા કોષોને ……. કહે છે.
(5) વાયુતક એ …….. પેશીનો એક પ્રકાર છે.
(6) જલવાહક પેશીનો …….. ઘટક યાંત્રિક મજબૂતાઈ આપે છે.
(7) ચાલનીનલિકા એ …….. પેશીના બંધારણનો અગત્યનો ઘટક છે.
(8) જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક …….. છે.
(9) અન્નવાહક પેશીનો એકમાત્ર મૃત ઘટક …….. છે.
(10) જે પેશીના કોષો સતત કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે, તેવી પેશીને ……… પેશી કહે છે.
ઉત્તર :
(1) હરિતકણોતક
(2) વર્ધનશીલ
(3) લિગ્નિન
(4) દૃઢોતક દઢોતક
(5) મૃદૂતક
(6) જલવાહક
(7) અન્નવાહક
(8) જલવાહક મૃદૂતક
(9) અન્નવાહક દૃઢોતક
(10) વર્ધનશીલ
પ્રશ્ન 4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો : [પ્રત્યેકનો 1 ગુણ]
(1) વર્ધનશીલ પેશીના કોષો સતત કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન ક૨ે છે.
(2) મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી છે.
(3) સ્થૂલકોણક પેશીના કોષોની અંદરની દીવાલ લિગ્નિનની બનેલી છે.
(4) વાલ, વટાણા અને મગના બીજાવરણમાં દઢોતક કોષો હોય છે.
(5) દૃઢોતક એ મૃત યાંત્રિક પેશી છે.
(6) મૃદૂતકનું બીજું નામ હરિતકણોતક છે.
(7) પાર્શ્વય વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારે છે.
(8) જલવાહક પેશીના બધા કોષો નિર્જીવ હોય છે.
(9) અન્નવાહક પેશીના બધા જ કોષો જીવંત હોય છે.
(10) અન્નવાહક પેશી પાણી અને ક્ષારોનું ઊર્ધ્વદિશામાં મૂળથી પર્ણ સુધી સંવહન કરે છે.
(11) ચામડી તથા જીભનું બહારનું આવરણ લાદીસમ અધિચ્છદનું બનેલું છે.
(12) મૂત્રપિંડનલિકા અને લાળગ્રંથિની નલિકાનું અસ્તરમાં પહ્મલ અધિચ્છદ પેશી જોવા મળે છે.
(13) પક્ષ્મલ અધિચ્છદ એક પ્રકારના પરિવર્તન પામેલા સ્તંભીય અધિચ્છદ છે.
(14) ચેતાકોષ પાસે એક શિખાતંતુ અને એક કરતાં વધારે અક્ષતંતુ હોય છે.
(15) સંયોજક પેશીના આંતરકોષીય દ્રવ્ય જેલી જેવા, પ્રવાહી કે બરડ છે.
(16) અસ્થિ અને કાસ્થિ એ તંતુઘટક પેશીના બે પ્રકાર છે.
(17) રુધિર એ સંયોજક પેશી છે.
(18) હદ્ સ્નાયુમાં ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ ઉપરાંત થોડે થોડે અંતરે જાડા અને ઘેરા અધિબિંબ આવેલાં છે.
(19) રેખિત સ્નાયુતંતુઓ ત્રાકાકાર, એકકોષી, ચપટા અને છેડેથી સાંકડા હોય છે.
(20) ચેતા પેશીનો ઉદ્ભવ ગર્ભીય મધ્યસ્ત૨માંથી થાય છે.
ઉત્તર :
(1) ખરું
(2)ખરું
(3)ખોટું
(4)ખરું
(5)ખરું
(6)ખોટું
(7)ખરું
(8)ખોટું
(9) ખોટું
(10)ખોટું
(11) ખરું
(12) ખોટું
(13)ખરું
(14)ખરું
(15)ખરું
(16)ખોટું
(17)ખરું
(18) ખરું
(19) ખોટું
(20) ખોટું
પ્રશ્ન 5. માગ્યા મુજબ ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]
(1) અસંગત જોડ કઈ છે?
(i) વાયુરંધ્ર – રક્ષક કોષ
(ii) અધિસ્તર – મૃતક
(iii) લિગ્નિનયુક્ત દીવાલ – ચાલનીપટ્ટિકા
(iv) નાળિયેરના રેસા – દઢોતક
ઉત્તર : (iii) લિગ્નિનયુક્ત દીવાલ – ચાલનીપટ્ટિકા
(2) મને ઓળખો : હું છાલના કોષોની કોષદીવાલ પર સ્થૂલિત થયેલું રસાયણ છું અને છાલને પાણી અને હવા માટે અપ્રવેશશીલ બનાવું છું.
ઉત્તર : સુબેરિન
(3) પ્રકાંડનો પરિધીય વિસ્તાર : પાર્શ્વય વર્ધનશીલ પેશી :: ડાળીઓની આંતરગાંઠ : …….
ઉત્તર : આંતર્વિષ્ટવર્ધનશીલ પેશી
(4) તમને સૂક્ષ્મદર્શક યંત્રમાં એક સ્લાઇડ ઓળખવા માટે આપી છે. તેમાં લાંબા સાંકડા છેડા ધરાવતા મૃત કોષો જોવા મળે છે. આ કોષોને કઈ પેશી તરીકે ગણશો?
ઉત્તર : દઢોતક
(5) સ્નાયુને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી : સ્નાયુબંધ : : અસ્થિને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી : …..
ઉત્તર : અસ્થિબંધ
(6) અસંગત જોડ શોધો :
(i) ઉષ્માનિયમન – મેદપૂર્ણ પેશી
(ii) સંકોચનશીલ પ્રોટીન – સ્નાયુ
(iii) ગ્રંથિકોષો – શૃંગીય સ્મૃત અધિચ્છદ
(iv) ચેતાકોષ – ઉત્તેજનાનું વહન
ઉત્તર : (iii) ગ્રંથિકોષો – શૃંગીય સ્મૃત અધિચ્છદ
(7) જલ અવરોધક બે પદાર્થનાં નામ લખો.
ઉત્તર : ક્યુટિન, સુબેરિન
(8) નીચે આપેલા કોષોમાંથી કોષકેન્દ્રવિહીન કોષો અલગ પાડો : માસ્ટ કોષ, મેદપૂર્ણ કોષ, લાલ રુધિરકણિકા, અમ્લરાગી કણ, એકકેન્દ્રી ણ, અસ્થિકોષ, સાથીકોષ, રક્ષક કોષ, ચાલનીનલિકા
ઉત્તર : લાલ રુધિરકણિકા, ચાલનીનલિકા
પ્રશ્ન 6. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]
1. એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે…
A. સ્થૂલકોણક પેશી
B. સરળ પેશી
C. મૃદૂતક પેશી
D. જટિલ પેશી
2. જીવંત યાંત્રિક પેશી એટલે…
A. મૃદૂતક પેશી
B. સ્થૂલકોણક પેશી
C. દઢોતક પેશી
D. હરિતકણોતક પેશી
3. કઈ પેશી સામાન્યપણે વનસ્પતિઅંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે?
A. મૃદૂતક
B. સ્થૂલકોણક
C. દઢોતક
D. જલવાહક
4. વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે?
A. પાણીનું સંવહન
B. ખોરાકનું વહન
C. પ્રકાશસંશ્લેષણ
D. રસારોહણ
5. જલવાહક પેશીમાં જીવંત ઘટક ક્યો છે?
A. જલવાહિનિકી
B. જલવાહક તંતુ
C. જલવાહક મૃતક
D. જલવાહિની
6. અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે?
A. ચાલનીનલિકા
B. ચાલનીકોષ
C. અન્નવાહક મૃતક
D. અન્નવાહક તંતુ
7. આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય છે?
A. વર્ધમાન પ્રદેશની સૌથી ટોચ પર
B. વનસ્પતિઅંગોની પાર્શ્વ બાજુ પર
C. જલવાહિનીની અંદર
D. પર્ણોના તલપ્રદેશમાં
8. કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે?
A. વર્ધનશીલ
B. મૃદૂતક
C. સ્થૂલકોણક
D. દઢોતક
9. કયા ઘટકનો અન્નવાહક પેશીમાં સમાવેશ થતો નથી?
A. ચાલનીકોષ
B. સાથીકોષ
C. સ્થૂલકોણક
D. અન્નવાહક મૃદૂતક
10. કયો ઘટક હરિતકણ ધરાવતો છે
A. જલવાહિનિડી
B. રક્ષક કોષ
C. અન્નવાહક મુહૂતક
D. સાથીકોષ
11. વર્ધનશીલ પેશીના કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી?
A. ઘટ્ટ કોષરસ
B. કોષકેન્દ્ર
C. સેલ્યુલોઝ
D. રસધાની
12. નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દીવાલ કયો પદાર્થ ધરાવે છે?
A. લિગ્નિન
B. ક્યુટિન
C . સુબેરિન
D. પૅક્ટિન
13. કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે?
A. સેલ્યુલોઝ
B. લિગ્નિન
C. સુબેરિન
D. પૅક્ટિન
14. વાયુરંધ્રને આવરતા બે કોષ કયા છે?
A. સાથીકોષ
B. સહાયક કોષ
C. રક્ષક કોષ
D. દઢોતક કોષ
ઉત્તર :
1. જટિલ પેશી
2. સ્થૂલકોણક પેશી
3. સ્થૂલકોણક
4. ખોરાકનું વહન
5. જલવાહક મૃતક
6. અન્નવાહક તંતુ
7. પર્ણોના તલપ્રદેશમાં
8. મૃદૂતક
9. સ્થૂલકોણક
10. રક્ષક કોષ
11. રસધાની
12. લિગ્નિન
13. સુબેરિન
14. રક્ષક કોષ
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)
(1) તમારા શિક્ષક દ્વારા શાળાના મેદાનમાં ઊગેલાં વૃક્ષોને ઓળખી તેના થડ પર વૃક્ષોનાં નામ સાથે ધાતુની તકતી (પ્લેટ) લગાડવાનું કાર્ય તમારા વર્ગને સોંપવામાં આવ્યું છે. ઓળખ પછી એક વિદ્યાર્થી વૃક્ષો પર ધાતુની તકતી લગાડવાનો વિરોધ કરે છે. શા માટે?
તમારા શિક્ષક તે વિદ્યાર્થીને શું સમજાવશે?
ઉત્તર : વિદ્યાર્થી વૃક્ષો પર ધાતુની તકતી (પ્લેટ) લગાડવાનો વિરોધ કરે છે. કારણ કે, આમ કરવાથી વૃક્ષના ઘણા કોષોનો નાશ થાય અને કદાચ વૃક્ષ સુકાઈ જાય.
પરંતુ વિદ્યાર્થીની આ શંકાનું સમાધાન શિક્ષક દ્વારા કરાશે કે વૃક્ષોની બહારની છાલ જાડી, ખરબચડી અને નિર્જીવ કોષોની બનેલી હોય છે. તકતી લગાડવાથી માત્ર નિર્જીવ કોષોને જ અસર થાય.
(2) તમે તમારા માતા-પિતા સાથે એક સંબંધીની ખબર પૂછવા જાઓ છો, જેમને લકવાની અસર થઈ છે. ત્યાં તમે જુઓ છો કે તેમને જડબાં તેમજ જમણી તરફના હાથ-પગના હલનચલનમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે.
(a) લકવાની સ્થિતિમાં કઈ પેશીનું કાર્ય ખોરવાય છે?
(b ) હાથ-પગના હલનચલનમાં કઈ પેશી સંકળાયેલી હોય છે?
(c) સારવારમાં દવાઓ સાથે તમે બીજું શું વિચારી શકો છો?
ઉત્તર : (a) લકવાની સ્થિતિમાં ચેતા પેશી અને સ્નાયુ પેશીનું કાર્ય ખોરવાય છે.
(b) હાથ-પગના હલનચલનમાં રેખિત (ઐચ્છિક) સ્નાયુ પેશી સંકળાયેલી હોય છે.
(c) સા૨વા૨માં દવાઓ સાથે ફિઝિયૉથૅરપિસ્ટ દ્વારા સૂચવાતી હળવી કસરતો / હલનચલન કરાવવી જોઈએ.
(3) એક વ્યક્તિને એકાએક ગભરામણ થતાં તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે. ડૉક્ટર તેના નાડીના ધબકારા અને દબાણ માપી હાઈ બ્લડપ્રેશરનું નિદાન કરે છે.
(a) હાઈ બ્લડપ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય છે?
(b ) આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ ઝડપી બને છે?
(c) શું. આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે?
ઉત્તર : (a) હાઈ બ્લડપ્રેશરમાં હૃદ્ સ્નાયુ પેશી વધારે કાર્યરત હોય છે.
(b) આ સ્થિતિમાં રુધિર પેશીનો પ્રવાહ ઝડપી બને છે.
(c) હા.
(4) તમે બગીચામાં માળીને કેટલાક છોડની શાખાઓને કાપતા જોઈ રહ્યા છો. માળી તે છોડને ચોક્કસ આકાર આપે છે. થોડા દિવસો પછી ફરીથી તમે બગીચામાં તે જ છોડ જોયા કે જેને માળીએ ચોક્કસ આકારમાં કાપ્યા હતા. આ છોડની લંબાઈ અને ઘેરાવો વધેલો જોવા મળ્યો.
(a) છોડની લંબાઈમાં વધારો શાના કારણે જોવા મળ્યો?
(b) કઈ પેશી ઘેરાવામાં વધારા માટે જવાબદાર છે?
(c) છોડની છાલ અગાઉ કેવી હતી અને હવે કેવી દેખાય છે?
ઉત્તર : (a) છોડની લંબાઈમાં વધારો અગ્રીય વર્ધનશીલ પેશીના કા૨ણે જોવા મળ્યો.
(b) પાશ્ર્વય વર્ધનશીલ પેશી ઘેરાવામાં વધારા માટે જવાબદાર છે.
(c) છોડની છાલ. અગાઉ લીલી અને પાતળી હતી અને હવે પ્રમાણમાં જાડી અને સાધારણ કથ્થઈ રંગની દેખાય છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..