Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 15 આર્થિક વિકાસ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 15 આર્થિક વિકાસ

પ્રક૨ણસાર

  1. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે; જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.
  2. આર્થિક વિકાસનો ખ્યાલ દેશના લોકોની માથાદીઠ આવક તેમજ લોકોના જીવનધોરણ સાથે સંકળાયેલો છે.
  3. વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. એ સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે.
  4. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત : (1) આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. (2) દેશના ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. (૩) વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય; જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વિકાસ કહેવાય.
  5. વિશ્વ બૅન્કના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક 735 ડૉલરથી ઓછી આવક ધરાવતા દેશો વિકાસશીલ અર્થતંત્ર કહેવાય.
  6. વિકાસશીલ અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો : (1) નીચી માથાદીઠ આવક, (2) વસ્તીવૃદ્ધિ, (3) કૃષિક્ષેત્ર પર અવલંબન, (4) આવકની વહેંચણીની અસમાનતા, (5) બેરોજગારી, (6) ગરીબી, (7) દ્વિમુખી અર્થતંત્ર, (8) પાયાની અપર્યાપ્ત સેવાઓ અને (9) આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ.
  7. વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય છે.
  8. વિકાસશીલ અર્થતંત્રમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વિકાસશીલ દેશોમાં મોસમી બેરોજગારી, છૂપી (પ્રચ્છન્ન) બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે પ્રકારની બેરોજગારી હોય છે.
  9. ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકો ગરીબ કહેવાય. વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું હોય છે.
  10. ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દા. ત., ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
  11. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. દા. ત., માતા પોતાના બાળકને ઉછેરે, ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે વગેરેની પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય.
  12. ભારતીય અર્થતંત્રનાં ત્રણ ક્ષેત્રો છે : (1) પ્રાથમિક ક્ષેત્ર, (2) માધ્યમિક ક્ષેત્ર અને (3) સેવાક્ષેત્ર.
  13. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, મરથિ-બતકિ (ર, વનસંવર્ધન, વન્ય પદાર્થોનું એકત્રીકરણ, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
  14. માધ્યમિક ક્ષેત્રમાં નાના-મોટા ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ અને પાણી-પુરવઠો, યંત્રસામગ્રી વગેરેની આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.
  15. સેવાક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ-પરિવહન અને સંચાર-માધ્યો, હવાઇ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તથા વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.
  16. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
  17. ઉત્પાદનનાં સાધનો ચાર છે : (1) જમીન, (2) મુી, (3) શ્રમ અને (4) નિયોજક (નિયોજન).
  18. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતાં યંત્રો, ઓજાર્ચ, મકાનો વગેરે માનવસર્જિત સાધનોનો મૂડીમાં સમાવેશ થાય છે.
  19. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક અને માનસિક કાર્યને ‘શ્રમ’ કહે છે. ખેતમજુરો, કામદારો, કારીગરો, શિક્ષકો, ડૉક્ટરો વગેરેના કાર્યને શ્રમ કહે છે.
  20. જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદનનાં સાધનોનું, કુશળતાપૂર્વક સંયોજન કરીને ઉત્પાદન-પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને ‘નિયોજક’ કહેવામાં આવે છે.
  21. ઉત્પાદનનાં સાધનોની ફાળવણી : (1) માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. (2) ઉત્પાદનનાં સાધનો મર્યાદિત છે. (૩) ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોને અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે. (4) ઉત્પાદનનાં સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે.
  22. ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની બે મુખ્ય પદ્ધતિઓ છે : (1) બજાર પતિ અથવા મૂડીવાદી પતિ અને (2) સમાજવાદી પદ્ધતિ.
  23. બજાર પતિને મૂડીવાદી પતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. બજાર પદ્ધતિમાં ઉદ્યોગોમાં થતા નફાના આધારે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે.
    બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયોનું સ્વાતંત્ર્ય હોય છે, તેમાં રાજ્ય કોઈ હસ્તક્ષેપ કરતું નથી, તેથી બજાર પતિને ‘મુક્ત અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે,
  24. સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતામાંથી થયો છે. સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્યતંત્ર લે છે. સમાજવાદી પદ્ધતિમાં રાજ્યે નક્કી કરેલા ઉત્પાદનનાં લક્ષ્યાંકો સિદ્ધ ક૨વાની જવાબદારી રાજ્ય-સંચાલિત કારખાનાંઓની હોય છે.
  25. સમાજવાદી પદ્ધતિનું એક લક્ષણ આ છે ઃ સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોય છે.
  26. સમાજવાદી પદ્ધતિનો એક લાભ આ છે : આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થતું હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી.
  27. સમાજવાદી પદ્ધતિની એક મર્યાદા આ છે : આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળતું નથી.
  28. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય તથા આ બંને ક્ષેત્રો એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય.
  29. મિશ્ર અર્થતંત્રમાં સરકાર બજાર પર જુદી જુદી રીતે અંકુશો મૂકે છે. જેમ કે, સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા રાજ્ય એ વસ્તુઓ પર ઊંચા અને આકરા કરવેરા નાખે છે. આ ઉપરાંત, પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવાં પ્રોત્સાહનો આપવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર (મુક્ત) હોતાં નથી.
    મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર રાજ્યની માલિકીનું હોય છે તેમજ ખાનગી ક્ષેત્ર પર રાજ્યનું નિયંત્રણ હોય છે, તેથી મિશ્ર અર્થતંત્રમાં આયોજન શક્ય અને જરૂરી હોય છે.
    ભારત, ફ્રાન્સ, ગ્રેટબ્રિટન વગેરે દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે.
    હોય છે. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ
    મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ વગેરે મર્યાદાઓ જોવા મળી છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) વિકાસશીલ અર્થતંત્રનાં કોઈ પણ પાંચ લક્ષણો ચર્ચો.
અથવા
વિકાસશીલ અર્થતંત્રનાં લક્ષણો જણાવો.
ઉત્તર : વિકાસશીલ અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છેઃ
  1. નીચી માથાદીઠ આવક : વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તીવૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે. પરિણામે લોકોનું જીવનધોરણ નીચું રહે છે.
  2. વસ્તીવૃદ્ધિ : આ દેશોમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 2 % કે તેથી વધારે હોય છે.
  3. કૃષિક્ષેત્ર પર અવલંબન : આ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60 % કરતાં વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે.
  4. આવકની વહેંચણીની અસમાનતા : આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનનાં સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી અસમાનતા હોય છે.
    • આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પ્રવર્તે છે.
    • આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું હોય છે.
    • આ દેશોમાં દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે; જ્યારે તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે.
  5. બેરોજગારી : આ દેશોમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના ૩% કરતાં વધારે હોય છે.
    • આ દેશોમાં મોસમી, છૂપી (પ્રચ્છન્ન), ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે છે. વળી, બેરોજગારીનો સમયગાળો પણ ખૂબ લાંબો હોય છે.
  6. ગરીબી : આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલું હોય છે.
    • આ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે.
  7. દ્વિમુખી અર્થતંત્ર : આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે. આ દેશોના ગ્રામવિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્રસામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે; જ્યારે શહેરી વિસ્તારોમાં અદ્યતન ઉદ્યોગો, મૂડી-પ્રધાન ઉત્પાદન-પદ્ધતિ, નવાં નવાં યંત્રોનો બહોળો ઉપયોગ, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે જોવા મળે છે.
  8. પાયાની અપર્યાપ્ત સેવાઓ : આ દેશોમાં વિકાસ માટે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર અને પરિવહન, વહાણવટું અને બંદરો, વીજળી, બૅન્કિંગ, શિક્ષણ, આરોગ્ય વગેરે પૂરતા પ્રમાણમાં અને ઊંચી ગુણવત્તાવાળી હોતી નથી. પરિણામે આ દેશોનો વિકાસ અવરોધાય છે.
  9. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ : આ દેશો મુખ્યત્વે કૃષિ- પેદાશો, બગીચા-પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરે છે. જેની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. પરિણામે તેમની નિકાસ કમાણી ઓછી હોય છે.
    • આ દેશો ઔદ્યોગિક પેદાશો અને યંત્રસામગ્રીની આયાત કરે છે, જેના ભાવો વધારે હોવાથી આયાતી ખર્ચ વધારે રહે છે.
    • આમ, એ દેશોના વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધતું જાય છે.
(2) ભારતીય અર્થકારણનાં માળખાનો પરિચય આપો.
ઉત્તર : ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે ઃ
1. પ્રાથમિક ક્ષેત્ર, 2. માધ્યમિક ક્ષેત્ર અને 3. સેવાક્ષેત્ર.
→ આર્થિક પ્રવૃત્તિના આ વિભાગોને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે.
  1. પ્રાથમિક ક્ષેત્ર : ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુસંવર્ધન તેમજ મરઘાં-બતકાં, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
    • સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ તેમ માધ્યમિક અને સેવાક્ષેત્રોની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે. પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવાક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે.
  2. માધ્યમિક ક્ષેત્ર : ભારતીય અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં નાનાં- મોટાં યંત્રો, બાંધકામ, વીજળી, ગૅસ અને પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.
    • તેમાં ટાંકણીથી લઈને મોટાં યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે.
    • મોટા ઉદ્યોગો રોજગારીની દૃષ્ટિએ ઓછા મહત્ત્વના છે, કારણ કે તે મૂડીપ્રધાન હોવાથી તેમાં યંત્રોનો ઉપયોગ થાય છે. તેથી તે ઓછા લોકોને રોજગારી આપે છે.
  3. સેવાક્ષેત્ર : ભારતીય અર્થતંત્રના સેવાક્ષેત્રમાં વ્યાપાર, વાહનવ્યવહાર અને સંદેશવ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ, વીમો, મનોરંજન વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
    • ભારતીય અર્થતંત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવાક્ષેત્રનો ફાળો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે.
(3) ઉત્પાદનનાં સાધનો કયાં છે તે જણાવી, દરેક સાધનની સમજૂતી આપો.
ઉત્તર : ઉત્પાદનનાં સાધનો કુલ ચાર છે : 1. જમીન, 2. મૂડી, 3. શ્રમ અને 4. નિયોજક,
  1. જમીન : અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને ‘જમીન’ કહેવામાં આવે છે. આ દૃષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંની ખનીજસંપત્તિ વગેરે ‘જમીન’ કહેવાય છે.
    [વિશેષ : જે કુદરતી સંપત્તિ માનવીના અંકુશમાં કે માલિકીમાં આવી શકતી નથી અને જરૂરિયાત મુજબ તેનો ઉત્પાદનમાં ઉપયોગ થતો નથી તે ‘જમીન’ કહેવાતી નથી. દા. ત., સૂર્યપ્રકાશ, હવા વગેરે કુદરતી સંપત્તિ છે, પણ ‘જમીન’ નથી.]
  2. મૂડી : ઉત્પાદનકાર્યમાં ઉપયોગમાં લેવાતાં હોય તેવાં માનવસર્જિત સાધનોને જ અર્થશાસ્ત્રની પરિભાષામાં ‘મૂડી’ ગણવામાં આવે છે. દા. ત., કાચો માલ, યંત્રો, ઓજારો, મકાનો વગેરે.
  3. શ્રમ : અર્થશાસ્ત્રની પરિભાષામાં ‘શ્રમ’ એટલે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની કામગીરી. દા. ત., ખેતમજૂરો, ઔદ્યોગિક કામદારો, શિક્ષકો, બૅન્ક કર્મચારીઓ, વકીલો, ડૉક્ટરો, નર્સો વગેરેની કામગીરી ‘શ્રમ’ કહેવાય છે.
  4. નિયોજક : જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદન-સાધનોને યોગ્ય રીતે સંકલિત કરી પોતાની જવાબદારીએ આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન-પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને ‘નિયોજક’ કહેવામાં આવે છે. નિયોજક એટલે ઉત્પાદન-એકમનો માલિક, સ્થાપક અને સંચાલક.
    • જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય ઉત્પાદનનાં સાધનોને ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે.
(4) ઉત્પાદનનાં સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષમાં રાખીને કરવી જોઈએ? ચર્ચો.
ઉત્તર : ઉત્પાદનનાં સાધનોની ફાળવણી કરતી વખતે નીચેની બાબતો લક્ષમાં રાખવી જરૂરી છે ઃ
  1. અમર્યાદિત જરૂરિયાતો : માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. તે સતત વધતી જાય છે.
    • એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવા૨ સંતોષવી પડે છે.
    • કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. આમ, અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે.
  2. જરૂરિયાતોનો અગત્યાનુક્રમ : અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે નક્કી કરી, જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે.
    • જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારપછી અન્ય જરૂરિયાતો.
    • આમ, ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે.
  3. મર્યાદિત સાધનો : કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ એ ઉત્પાદનનાં મુખ્ય સાધનો છે.
    • આ સાધનો મર્યાદિત છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદનનાં સાધનોની ફાળવણી કરવી પડે.
  4. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ ઃ ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય, તો તે અનેક ઉપયોગો ધરાવે છે.
    • તે સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય.
    • જેમ કે, ખેતીલાયક જમીનમાં કપાસનો પાક વાવીએ તો ઘઉં, શેરડી કે અન્ય પાકો લઈ શકાતા નથી. એ જમીનના અન્ય ઉપયોગો જતા કરવા પડે છે.
    • આમ, ઉત્પાદનનાં સાધનોના અનેક ઉપયોગો છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો છે.
(5) સમાજવાદી પદ્ધતિનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : સમાજવાદી પતિ
ઉત્તર : સમાજવાદી પદ્ધતિ એ ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની એક પદ્ધતિ છે.
→ આ પદ્ધતિનો ઉદ્ભવ બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાઓના પરિણામે થયો હતો.
→ તે બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે.
→ તેમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે.
→ તેમાં ઉત્પાદનનાં બધાં જ સાધનોની માલિકી રાજ્યની હોય છે.
→ તેમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે.
→ તેમાં મૂડીરોકાણ, ઉત્પાદન, ઉત્પાદનનાં સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગે૨ે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે.
→ આ પદ્ધતિની ઉત્પાદન-પ્રક્રિયામાં કેન્દ્રસ્થાને નફો નહિ, પરંતુ સમાજકલ્યાણ રહેલું હોય છે.
→ તેમાં ચીજવસ્તુઓનું અને તેની કિંમતો રાજ્ય નક્કી કરે છે.
→ રાજ્યોએ નિયત કરેલાં ઉત્પાદનનાં લક્ષ્યાંકો સિદ્ધ થાય તે પ્રમાણે ઉત્પાદન કરવાની જવાબદારી રાજ્ય-સંચાલિત કારખાનાંની હોય છે.
→ ખેતીક્ષેત્રમાં ઉત્પાદનની જવાબદારી રાજ્યની માલિકીનાં ખેતરોની હોય છે. ખેડૂતોની ક્ષમતા મુજબ તેમની પાસેથી કામ લેવામાં આવે છે અને તે મુજબ તેમને વેતન આપવામાં આવે છે.
(6) મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા આપી, તેનાં લક્ષણો જણાવો.
અથવા
એક આર્થિક પદ્ધતિ તરીકે મિશ્ર અર્થતંત્ર કયાં કયાં લક્ષણો ધરાવે છે?
ઉત્તર : મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય : ‘“મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય.”
મિશ્ર અર્થતંત્રનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે :
→ મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીનાં કારખાનાં, રેલવે, વીજળી, સિંચાઈ, રસ્તાઓ વગેરે પાયાનાં ચાવીરૂપ ક્ષેત્રોની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી રાજ્ય સરકારની હોય છે.
→ કૃષિ, વ્યાપાર, ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે ખાનગી ક્ષેત્રમાં રહે છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી વ્યક્તિગત હોય છે.
→ એક એવું સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે, જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. દા. ત., માર્ગ-પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓનાં ક્ષેત્રો.
→ મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતાં નથી. દા. ત., (1) સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્ય એ વસ્તુઓ પર ઊંચા કરવેરા નાખે છે. (2) પછાત વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત જેવાં પ્રોત્સાહનો આપે છે. (૩) ખેત-પેદાશોનાં ખરીદ-વેચાણની ખામીઓ દૂર કરીને રાજ્ય તેમના ઉત્પાદનના વાજબી ભાવ મળે એ માટે નિયંત્રિત બજારો રચે છે. (4) રાજ્ય ખેત-પેદાશો માટે લઘુતમ અને ભાવ ટેકાની નીતિનો અમલ કરે છે.
→ મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે.
→ તેમાં નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા માટે ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે છે.
→ તેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના વિકાસનાં લક્ષ્યાંકો નક્કી કરી, તે પૂર્ણ કરવા માટેની યોજનાઓ ઘડાય છે.
→ આ પદ્ધતિની ઉત્પાદન-પ્રક્રિયા પર અંકુશો કે નિયંત્રણો હોવાથી તે ‘નિયંત્રિત આર્થિક પદ્ધતિ’ તરીકે પણ ઓળખાય છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) આર્થિક વિકાસની સમજૂતી આપો.
અથવા
આર્થિક વિકાસ એટલે શું? સમજાવો.
ઉત્તર : આર્થિક વિકાસ એટલે –
– દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો.
– દેશની માથાદીઠ આવકમાં વધારો થવો.
– લોકોના જીવનધોરણમાં સુધારો થવો.
→ આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે; જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.
→ માથાદીઠ આવક એટલે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે.
→ લોકોના જીવનધોરણમાં દરેક વ્યક્તિને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતા અનાજ, કાપડ, ઊર્જા, પરિવહન સેવા, શિક્ષણ અને આરોગ્યની સેવા, રહેઠાણ વગેરેનો સમાવેશ થાય છે.
→ ઉદાહરણ તરીકે, ભારતમાં આઝાદી પછીનાં વર્ષોમાં લોકોની માથાદીઠ આવક ક્રમશઃ વધતી ગઈ છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચારસેવાઓનો વપરાશ વધ્યો છે. જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે. અગાઉની તુલનામાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
(2) આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો.
ઉત્તર : આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :
  1. વિકાસની પ્રક્રિયાના આધારે : આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફારો સૂચવે છે; જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે; જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું પરિણામ છે.
  2. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે : ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેત-ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે; જ્યારે અર્થતંત્રમાં થતાં નવાં સંશોધનોના આધારે ખેત-ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. દા. ત., ઘઉં, ડાંગર જેવા પાકોનાં નવાં બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં થતો અનેકગણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે.
  3. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં : યૂ.એસ.એ., રશિયા, જાપાન, ઈંગ્લૅન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય; જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના વગે૨ે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ ગણાય.
(3) સમજાવો : ઉત્પાદનના સાધન તરીકે જમીન
ઉત્તર : અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને જમીન’ કહેવામાં આવે છે. આ ષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંની ખનીજસંપત્તિ વગેરે ‘જમીન’ કહેવાય છે.
[વિશેષ : જે કુદરતી સંપત્તિ માનવીના અંકુશમાં કે માલિકીમાં આવી શકતી નથી અને જરૂરિયાત મુજબ તેનો ઉત્પાદનમાં ઉપયોગ થતો નથી તે ‘જમીન’ કહેવાતી નથી. ઘ. ત., સૂર્યપ્રકાળ, હવા વગેરે કુદરતી સંપત્તિ છે, પણ ‘જમીન’ નથી,]
→ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. તે કુદરતી બક્ષિસ છે, મનુષ્ય દ્વારા તેનું સર્જન થઈ શકતું નથી. તેથી તેનું ઉત્પાદનખર્ચ શૂન્ય છે.
→ જમીન માનવસર્જિત સાધન નથી, તેથી તેનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે, આથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટૅક્નોલિજી દ્વારા તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે,
→ જમીનની ગતિશીલતા મર્યાદિત છે, જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી, એક ખેતરને બીજે સ્થળે લઈ જઈ શકાતું નથી.
→ જમીનમાં વિવિધતા છે. ફળદ્રુપતા અને ઉપયોગિતાની ષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. જમીનની ગુણવત્તા પણ એક્સરખી શ્વેતી નથી.
(4) જરૂરિયાતો અમર્યાદિત હોય છે. સમજાવો.
ઉત્તર : માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે, તેનો કદી અંત આવતો નથી, તે સતત વધતી જાય છે.
→ એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્દભવે છે.
→ ઘણી વાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે.
→ કૈટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલાજીના વિકાસને કારણે ઉદ્ભવે છે.
→ ઘ. ત., જૈને ચાલીને કામ પર જવું પડ્યું હોય તેને સાઇકલની જરૂરિયાત જણાય છે; પરંતુ સાઇકલ મળ્યા પછી તે સ્કૂટર મેળવવાની ઇચ્છા સેવે છે.
→ જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી.
→ માનવ-જરૂરિયાતોનો સરવાળો, બાદબાકી કે ભાગાકાર નહિ, પરંતુ ગુડ્ડાકાર થાય છે.
→ માનવજીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલાતી જાય છે, પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે.
→ આમ, અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે.
(5) મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો.
ઉત્તર : મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી નીચે પ્રમાણે છેઃ
→ મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. તેથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે.
જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડીરોકાણ માગી લેતા પાયાના ચાવીરૂપ મૂડીસર્જક ભારે ઉદ્યોગો, રેલવે, વિમાનવ્યવહાર જેવી વાહનવ્યવહારની સેવાઓ; તાર-ટપાલ અને ટેલિફોન જેવી સંદેશવ્યવહારની સેવાઓ, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણની તથા જીવનવીમો, બૅન્કિંગ, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવે છે,
→ એ સિવાયના ઓછા જોખમી તથા ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના એકમો, કૃષિવ્યાપારી એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત રહે છે.
→ એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે, જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમાં કામ કરે છે. ઘ. ત., માર્ગ-પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓનાં ક્ષેત્રો
(6) બજાર પતિનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : બજાર પતિ
ઉત્તર : બજાર પદ્ધતિ ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની એક પતિત છે. તેને ‘મૂડીવાદી પદ્ધતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ તેમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે કરવામાં આવે છે.
→ તેમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે.
→ સાહસિક લોકો મુખ્યત્વે નફાકારક ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરે છે.
→ આ પદ્ધતિમાં બજારતંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે.
→ તેમાં બજારતંત્રમાં સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિઓની ભૂમિકા હોતી નથી.
→ તેમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી તેને ‘મુક્ત અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ બજાર પદ્ધતિના હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુ મહત્ત્વ આપવું પડે છે. આ પ્રક્રિયાને કારણે નવાં નવાં સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે. પરિણામે મહત્તમ ઉત્પાદન થાય છે, જેથી દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે.
→ આમ, આ પદ્ધતિમાં ‘સ્પર્ધા કે હરીફાઈ’નું તત્ત્વ ‘અદૃશ્ય હાથ’ની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે.
→ યૂ.એસ.એ., જાપાન, ઇંગ્લૅન્ડ વગેરે દેશોએ બજાર પદ્ધતિ અપનાવીને પોતાનો આર્થિક વિકાસ કર્યો હતો.
(7) બજાર પદ્ધતિનાં લક્ષણો જણાવો.
અથવા
બજારતંત્રનાં લક્ષણો જણાવો.
અથવા
મૂડીવાદી પદ્ધતિનાં લક્ષણો જણાવો.
ઉત્તર : બજાર પદ્ધતિનાં – બજારતંત્રનાં – મૂડીવાદનાં લક્ષણો નીચે પ્રમાણે છેઃ
→ તેમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે.
→ તેમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે.
→ તેમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.
→ તેમાં વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે.
→ તેમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તકો મળે છે.
→ બજાર પદ્ધતિના બજારતંત્રમાં સરકારની ભૂમિકા (હસ્તક્ષેપ) નહિવત્ હોય છે. અથવા હોતી નથી. તેથી આ પદ્ધતિને ‘મુક્ત અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
(8) બજાર પદ્ધતિના લાભ જણાવો.
અથવા
સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી, તે પદ્ધતિના લાભો અને ગેરલાભો જણાવો.
અથવા
મૂડીવાદના લાભ જણાવો.
ઉત્તર : સ૨કા૨નો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિના લાભો અને ગેરલાભો નીચે પ્રમાણે છેઃ
→ બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. એક ગ્રાહક તરીકે વ્યક્તિના ચીજવસ્તુઓના વપરાશ અંગેના નિર્ણયોમાં વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવે છે.
→ તેમાં ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
→ નિયોજકોની નફાવૃત્તિને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે.
→ તેમાં અર્થતંત્રમાં સતત નવાં નવાં સંશોધનો થતાં રહે છે, જેથી દેશના આર્થિક વિકાસને વેગ મળે છે.
→ તેમાં હરીફાઈનું તત્ત્વ હોવાથી ચીજવસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે.
→ લોકોની જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદન અને વહેંચણી થાય છે, તેથી જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે.
→ બજાર પદ્ધતિ હેઠળ લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.
(9) બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો. અથવા બજાર પદ્ધતિના ગેરલાભ જણાવો. 
અથવા
મૂડીવાદી પદ્ધતિની ખામીઓ (મર્યાદાઓ) જણાવો.
ઉત્તર : બજાર પદ્ધતિના ગેરલાભો નીચે પ્રમાણે છે :
→ આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે, તેથી દેશમાં મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે.
→ તેમાં બજારતંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે.
→ ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેમનું શોષણ થાય છે.
→ બજાર પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે, જેથી આવકની અસમાનતામાં વધારો થાય છે. પરિણામે આર્થિક અસ્થિરતા સર્જાય છે.
→ આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે. તે ગ્રાહકો અને મજૂરોનું શોષણ કરે છે.
(10) સમાજવાદી પદ્ધતિનાં લક્ષણો જણાવો.
ઉત્તર : સમાજવાદી પદ્ધતિનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે :
→ સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનમાં સાધનોની માલિકી રાજ્યની હોય છે.
→ તેમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે.
→ આ પદ્ધતિની આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં નફો નહિ, પરંતુ સમાજકલ્યાણ હોય છે.
→ તેમાં શ્રમિકોને કામના બદલામાં વેતન આપવામાં આવે છે.
→ તેમાં વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી.
→ તેમાં રાજ્ય-સંચાલિત કારખાનાંને ઉત્પાદન માટે જરૂરી મૂડી, નાણું, કાચો માલ, યંત્રસામગ્રી વગેરે પૂરાં પાડવામાં આવે છે.
→ આ પદ્ધતિમાં ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય- સંચાલિત દુકાનો સંભાળે છે.
→ આ પદ્ધતિમાં આવકની વહેંચણી વાજબી અને સમાન ધોરણે થાય છે. પરિણામે દેશમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો દૂર થાય છે અને શોષણ નાબૂદ થાય છે.
(11) દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે. ભવ્યાના પિતાજી ખેતીકામ કરે છે અને પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે. આ ત્રણેયના પિતાજી અર્થકારણના કયા માળખામાં આવશે? તેની સમજ આપો. 
ઉત્તર : દિવ્યાના પિતાજી સેવાક્ષેત્રમાં કામ કરે છે. ભવ્યાના પિતાજી પ્રાથમિક ક્ષેત્રમાં કામ કરે છે; જ્યારે પ્રેક્ષાના પિતાજી માધ્યમિક ક્ષેત્રમાં કામ કરે છે.
ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે :
  1. પ્રાથમિક ક્ષેત્ર : ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુસંવર્ધન તેમજ મરઘાં-બતકાં, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
  2. માધ્યમિક ક્ષેત્ર : ભારતીય અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં નાનાં- મોટાં યંત્રો, બાંધકામ, વીજળી, ગૅસ અને પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.
    • તેમાં ટાંકણીથી લઈને મોટાં યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે.
  3. સેવાક્ષેત્ર : ભારતીય અર્થતંત્રના સેવાક્ષેત્રમાં વ્યાપાર, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ, વીમો, મનોરંજન વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો.
અથવા
ભારતીય અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો વર્ણવો.
ઉત્તર : ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પશુપાલન અને પશુસંવર્ધન જેવી પ્રવૃત્તિઓ, મરઘાં- બતકાં ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
→ સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
→ રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે.
→ પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે. તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવાક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઓછું થતું જાય છે.
→ પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવાક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે.
(2) સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો.
ઉત્તર : સમાજવાદી પદ્ધતિના મુખ્ય લાભ નીચે પ્રમાણે છે :
→ આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી.
→ તેમાં ઉત્પાદનોના નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે, તેથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી.
→ આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.
→> ગ્રાહકોનું શોષણ થતું નથી.
(3) સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો.
અથવા
સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ કઈ કઈ છે?
ઉત્તર : સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ – ખામીઓ – નીચે પ્રમાણે છે:
→ આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી રાજ્યની હોય છે, તેથી ચીજવસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી.
→ તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્ત્વનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી.
→ આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી.
→ તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે, તેથી અમલદાર શાહીનો ભય પ્રવર્તે છે.
(4) મિશ્ર અર્થતંત્ર એટલે શું? તેની ખામીઓ જણાવો.
ઉત્તર : મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય.
મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ, આર્થિક વિકાસનો ધીમો દર વગે૨ે ખામીઓ (મર્યાદાઓ) જોવા મળે છે.

પ્રશ્ન 4. નીચેનાં વિધાનો કારણો આપી સમજાવો :

(1) ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
અથવા
ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાથી કહી શકાય?
ઉત્તર : ભારતમાં આઝાદી પછીનાં વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયો છે.
→ દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે.
→ શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચાર સેવાઓનો વપરાશ વધ્યો છે.
→ જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે.
→ અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે.
→ આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
(2) વિકાસશીલ દેશોમાં દેશ પર વિદેશી દેવું વધે છે.
ઉત્તર : વિકાસશીલ દેશો મુખ્યત્વે ખેત-પેદાશો, બગીચા-પેદાશો અને કાચી ધાતુઓની નિકાસ કરે છે.
→ આ નિકાસી વસ્તુઓની માંગ ઓછી હોય છે તેમજ તેના ભાવો નીચા હોય છે. પરિણામે નિકાસોની કમાણી ઓછી હોય છે.
→ આ દેશો મુખ્યત્વે ઔદ્યોગિક પેદાશો અને યંત્રસામગ્રીની આયાત કરે છે.
→ આ વસ્તુઓની કિંમતો વધારે હોય છે. પરિણામે તેમની ખરીદીનું ખર્ચ વધે છે.
→ આમ, વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધે છે.
(3) જરૂરિયાતોનો અગત્યાનુક્રમ (અગ્રતાક્રમ) નક્કી કરવો પડે છે.
ઉત્તર : માનવીની જરૂરિયાતો અમર્યાદિત અને અસંખ્ય હોય છે, જ્યારે જરૂરિયાતો પૂરી કરવાનાં ઉત્પાદનનાં સાધનો મર્યાદિત છે.
→ આથી કઈ જરૂરિયાતો અગત્યની છે તે નક્કી કરી, જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે.
→ જે જરૂરિયાત વધારે અગત્યની હોય તેને સૌપ્રથમ સંતોષવી પડે અને ત્યા૨પછી અન્ય જરૂરિયાતો.
→ આમ, ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે.
(4) ઉત્પાદનનાં સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે.
ઉત્તર : ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય, તો તે અનેક ઉપયોગો ધરાવે છે.
→ તે સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય.
→ જેમ કે, જમીનનો ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરીએ તો તેના અન્ય ઉપયોગો જેવા કે દવાખાનું, મંદિર કે બગીચો વગે૨ે જતા કરવા પડે છે. ખેતીલાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં કે અન્ય પાકો લઈ શકાતા નથી.
→ આમ, ઉત્પાદનનાં સાધનો અનેક ઉપયોગો ધરાવે છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો છે.

પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :

(1) આર્થિક વિકાસ એટલે શું?
ઉત્તર : આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે; જેના પરિણામે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે.
(2) આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સમજાવો.
ઉત્તર : આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે; તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને એ વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. તે મુખ્યત્વે પરિમાણાત્મક પરિવર્તન છે.
(3) માથાદીઠ આવક એટલે શું?
ઉત્તર : વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. એ સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે.
(4) વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય?
ઉત્તર : વિશ્વ બૅન્કના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક 735 ડૉલરથી ઓછી આવક ધરાવતા દેશો વિકાસશીલ અર્થતંત્ર કહેવાય.
(5) ગરીબ કોને કહેવાય?
ઉત્તર : ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એવા લોકો ગરીબ કહેવાય.
(6) વિકાસશીલ દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે?
ઉત્તર : વિકાસશીલ દેશોમાં દ્વિમુખી સ્વરૂપનું અર્થતંત્ર પ્રવર્તે છે. આ દેશોમાં ગ્રામવિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્રસામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, ગરીબી, બેરોજગારી વગેરે પ્રવર્તે છે; જ્યારે શહેરી વિસ્તારોમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન-પદ્ધતિ, આધુનિક યંત્રો, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે જોવા મળે છે.
(7) આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો.
અથવા
આર્થિક પ્રવૃત્તિ કોને કહે છે? ઉદાહરણ આપો.
ઉત્તર : ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દા. ત., ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
(8) બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહે છે?
ઉત્તર : જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે.
દા. ત., માતા પોતાના બાળકને ઉછે૨ે, ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે વગેરેની પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય.
(9) પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે?
ઉત્તર : પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, મરઘાં- બતકાં ઉછેર, વનસંવર્ધન, વન્ય પદાર્થોનું એકત્રીકરણ, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(10) માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે?
ઉત્તર : માધ્યમિક ક્ષેત્રમાં નાના-મોટા ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગૅસ અને પાણી-પુરવઠો, યંત્રસામગ્રી વગેરેની આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.
(11) સેવાક્ષેત્રમાં કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે?
ઉત્તર : સેવાક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ-પરિવહન અને સંચાર માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તથા વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે.
(12) ઉત્પાદનનાં મુખ્ય સાધનો ક્યાં છે? જણાવો.
ઉત્તર : ઉત્પાદનનાં મુખ્ય સાધનો : (1) જમીન, (2) શ્રમ, (3) મૂડી અને (4) નિયોજન છે.
(13) શ્રમ કોને કહે છે ?
ઉત્તર : ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક અને માનસિક કાર્યને ‘શ્રમ’ કહે છે. ખેતમજૂરો, કામદારો, કારીગરો, શિક્ષકો, ડૉક્ટરો વગેરેના કાર્યને શ્રમ કહે છે.
(14) નિયોજક કોને કહેવામાં આવે છે?
ઉત્તર : જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદન-સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરીને ઉત્પાદન-પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને ‘નિયોજક’ કહેવામાં આવે છે.
(15) સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું?
ઉત્તર : ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય, તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે, જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મગફળી, મકાઈ કે અન્ય પાકો લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે.
(16) વિશ્વમાં પ્રવર્તમાન ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કેટલી છે? કઈ કઈ?
ઉત્તર : વિશ્વમાં પ્રવર્તમાન ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની ત્રણ પદ્ધતિઓ છે : (1) બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ, (2) સમાજવાદી પદ્ધતિ અને (3) મિશ્ર અર્થતંત્રવાળી પદ્ધતિ.
(17) મિશ્ર અર્થતંત્ર એટલે શું?
ઉત્તર : મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય તથા આ બંને ક્ષેત્રો એકબીજાનાં હરીફ નહિ, પરંતુ પૂરક બનીને કામ કરતાં હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય.
(18) મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી, એમ શા માટે કહી શકાય?
ઉત્તર : મિશ્ર અર્થતંત્રમાં સરકાર બજાર પર જુદી જુદી રીતે અંકુશો મૂકે છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા રાજ્ય એ વસ્તુઓ પર ઊંચા અને આકરા કરવેરા નાખે છે. આ ઉપરાંત, પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબિસડી, કરવેરામાં રાહત વગેરે જેવાં પ્રોત્સાહનો આપવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર (મુક્ત) હોતાં નથી.
(19) કયા દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે?
ઉત્તર : ભારત, ફ્રાન્સ વગેરે દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે.
(20) મિશ્ર અર્થતંત્રમાં કોનું સહઅસ્તિત્વ હોય છે?
ઉત્તર : મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે.
(21) ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે?
ઉત્તર : ભારતે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ અપનાવી છે.
(22) મિશ્ર અર્થતંત્રમાં કઈ કઈ મર્યાદાઓ જોવા મળી છે?
ઉત્તર : મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ વગેરે મર્યાદાઓ જોવા મળી છે.

પ્રશ્ન 6. કારણો આપી વિધાનો પૂરાં કરો :

(1) ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કારણ કે…
ઉત્તર : અગાઉની સરખામણીમાં જીવનધોરણમાં લોકોને પ્રાપ્ત થતી જરૂરિયાતો તેમજ સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
(2) વિકાસશીલ દેશોમાં લોકોનું જીવનધોરણ નીચું રહે છે, કારણ કે……
ઉત્તર : એ દેશોમાં લોકોની માથાદીઠ આવક નીચી હોય છે.
(3) વિકાસશીલ દેશ ઉપર વિદેશી દેવું વધે છે, કારણ કે…
ઉત્તર : એ દેશમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે હોય છે. અર્થાત્ એ દેશ માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ હોય છે.
(4) જરૂરિયાતોનો અગત્યાનુક્રમ – અગ્રતાક્રમ નક્કી કરવો પડે છે, કારણ કે…
ઉત્તર : માનવીની અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનનાં સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે, તે નક્કી કરી તેમને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે.
(5) જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે, કારણ કે…
ઉત્તર : માનવીની બધી જ જરૂરિયાતો એકસરખી અગત્ય ધરાવતી નથી. વળી, બધી જરૂરિયાતો તાત્કાલિક એકસાથે સંતોષવાનું જરૂરી પણ હોતું નથી.
(6) બજાર પદ્ધતિને ‘મુક્ત અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે…
ઉત્તર : બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયોમાં રાજ્યની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. એટલે કે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ હોતો નથી.
(7) સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી, કારણ કે …
ઉત્તર : આ પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનો રાજ્યની માલિકીનાં હોય છે.
(8) મિશ્ર અર્થતંત્રને ‘નિયંત્રિત આર્થિક પદ્ધતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે…
ઉત્તર : આ અર્થતંત્રમાં બજારો પર રાજ્યનાં અંકુશો કે નિયંત્રણો હોય છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :

(1) દેશની કુલ આવકને ……… કહેવામાં આવે છે.
A. આર્થિક આવક
B. માથાદીઠ આવક
C. રાષ્ટ્રીય આવક
ઉત્તર : C. રાષ્ટ્રીય આવક
(2) દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી ……. પ્રાપ્ત થાય છે.
A. માથાદીઠ આવક
B. આર્થિક આવક
C. આર્થિક વિકાસ
ઉત્તર : A. માથાદીઠ આવક
(3) આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ ……. છે.
A. વિકાસાત્મક
B. પરિમાણાત્મક
C. સંશોધનાત્મક
ઉત્તર : B. પરિમાણાત્મક
(4) આર્થિક વૃદ્ધિ એ …… વિકાસ પછીની અવસ્થા છે.
A. ઔદ્યોગિક
B. રાષ્ટ્રીય
C. આર્થિક
ઉત્તર : C. આર્થિક
(5) ……… દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય.
A. વિકાસશીલ
B. વિકસિત
C. અવિકસિત
ઉત્તર : B. વિકસિત
(6) ………… દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય.
A. વિકાસશીલ
B. અવિકસિત
C. વિકસિત
ઉત્તર : A. વિકાસશીલ
(7) વિકાસશીલ રાષ્ટ્રોમાં ………. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે.
A. સેવાઓ
B. વ્યાપાર
C. ખેતી
ઉત્તર : C. ખેતી
(8) ……… દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે.
A. અવિકસિત
B. વિકાસશીલ
C. વિકસિત
ઉત્તર : B. વિકાસશીલ
(9) ભારત ……. રાષ્ટ્ર છે.
A. અવિકસિત
B. વિકાસશીલ
C. વિકસિત
ઉત્તર : B. વિકાસશીલ
(10) વિશ્વ બૅન્ક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક ……… ડૉલરથી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય.
A. 980
B. 735
C. 845
ઉત્તર : B. 735
(11) આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને …….. પ્રવૃત્તિ કહે છે.
A. બિનઆર્થિક
B. સેવાકીય
C. આર્થિક
ઉત્તર : C. આર્થિક
(12) જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને …….. પ્રવૃત્તિ કહે છે.
A. આર્થિક
B. બિનઆર્થિક
C. ઉત્પાદકીય
ઉત્તર : B. બિનઆર્થિક
(13) ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના ……… વિભાગમાં કરવામાં આવે છે. 
A. સેવાક્ષેત્ર
B. માધ્યમિક
C. પ્રાથમિક
ઉત્તર : C. પ્રાથમિક
(14) નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના ……… વિભાગમાં કરવામાં આવે છે.
A. માધ્યમિક
B. પ્રાથમિક
C. સેવાક્ષેત્ર
ઉત્તર : A. માધ્યમિક
(15) વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તેમજ વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના ………. વિભાગમાં કરવામાં આવે છે. 
A. સેવાક્ષેત્ર
B. પ્રાથમિક
C. માધ્યમિક
ઉત્તર : A. સેવાક્ષેત્ર
(16) ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને ……… પ્રવૃત્તિ કહે છે.
A. આર્થિક
B. સેવાકીય
C. બિનઆર્થિક
ઉત્તર : A. આર્થિક
(17) માતા પોતાના બાળકને ઉછેરે અને વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે એ પ્રવૃત્તિને ……. પ્રવૃત્તિ કહે છે.
A. બિનઆર્થિક
B. આર્થિક
C. સેવાકીય
ઉત્તર : A. બિનઆર્થિક
(18) સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં ……… ક્ષેત્રનું પ્રભુત્વ  હોય છે.
A. માધ્યમિક
B. સેવા
C. પ્રાથમિક
ઉત્તર : C. પ્રાથમિક
(19) ઉત્પાદનનાં સાધનોને ……… ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.
A. ત્રણ
B. ચાર
C. પાંચ
ઉત્તર : B. ચાર
(20) …….. એ ઉત્પાદનનું સજીવ સાધન છે.
A. મૂડી
B. જમીન
C. શ્રમ
ઉત્તર : C. શ્રમ

પ્રશ્ન 2. નીચેનાં વિશ્વનો ખરું છે કે ખોટાં તે જણાવી:

(1) દેશની કુલ આવકને ‘માથાદીઠ આવક’ કહેવામાં આવે છે.
(2) દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વધુ ભાગવાથી ‘માથાદીઠ આવક’ પ્રાપ્ત થાય છે.
(3) ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે.
(4) આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ ગુણાત્મક છે.
(5) આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે.
(6) વિકાસશીલ રાષ્યમાં વ્યાપાર એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે.
(7) બેરોજગારી અને ગરીબી એ વિકાશીલ દેશોના લક્ષા છે.
(8) વિકસિત દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે.
(9) ભારત વિકસિત દેશ છે.
(10) આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે.
(11) આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ન હોય તે પ્રવૃત્તિને ‘બિનઆર્થિક પ્રવૃત્તિ’ કહે છે.
(12) ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે.
(13) ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે.
(14) માતા પોતાના બાળકને ઉછેરે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
(15) વ્યક્તિ સમાજસેવાના કાર્યો કરે એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય.
(16) નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે.
(17) વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગી, શિક્ષણ, આરોગ્ય, બન્કિંગ, મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ સેવાક્ષેત્રમાં થાય છે.
(18) સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં માધ્યમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
(19) શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે.
(20) માનવીની જરૂરિયાતો અસંખ્ય અને મર્યાદિત હોય છે.
(21) બજાર પતિનું ‘મિશ્ર અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
(22) બજાર પદ્ધતિમાં ઉત્પાદોનાં સાધનોની ફાળવણી નાના આધારે થાય છે.
(23) બજારતંત્રમાં ‘ઋઈનું તત્વ અનોખી કામગીરી બજાવે છે.
(24) બજાર પતિને ‘મુક્ત અર્થતંત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
(25) બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું નથી.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખરું
(4) ખોટું
(5) ખરું
(6) ખોટું
(7) ખરું
(8) ખોટું
(9) ખોટું
(10) ખોટું
(11) ખરું
(12) ખરું
(13) ખોટું
(14) ખોટુ
(15) ખરું
(16) ખોટું
(17) ખરું
(18) ખોટું
(19) ખરું
(20) ખોટું
(21) ખોટું
(22) ખરું
(23) ખરું
(24) ખરું
(25) ખોટું

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :

(1) દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે?
ઉત્તર : રાષ્ટ્રીય આવક
(2) દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી શું પ્રાપ્ત થાય છે?
ઉત્તર : માથાદીઠ આવક
(3) શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે?
ઉત્તર : આર્થિક વિકાસને
(4) વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય?
ઉત્તર : આર્થિક વૃદ્ધિ
(5) વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય?
ઉત્તર : આર્થિક વિકાસ
(6) વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે?
ઉત્તર : ખેતી
(7) વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું ક્યું સ્વરૂપ પ્રવર્તે છે?
ઉત્તર : દ્વિમુખી
(8) વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે?
ઉત્તર : રૂઢિચુસ્ત
(9) આર્થિક રીતે ભારત કેવો દેશ છે?
ઉત્તર : વિકાસશીલ
(10) સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે?
ઉત્તર : પ્રાથમિક ક્ષેત્રનું
(11) વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજવસ્તુઓની નિકાસ કરતા હોય છે?
ઉત્તર : કૃષિ-પેદાશોની
(12) પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના ક્યા ક્ષેત્રમાં થાય છે?
ઉત્તર : પ્રાથમિક ક્ષેત્રમાં
(13) ઉત્પાદનનું કુદરતી સાધન ક્યું છે?
ઉત્તર : જમીન
(14) ઉત્પાદનનું સજીવ સાધન ક્યું છે?
ઉત્તર : શ્રમ
(15) ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય?
ઉત્તર : નિયોજક
(16) બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે?
ઉત્તર : મૂડીવાદી પદ્ધતિ
(17) બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે?
ઉત્તર : નફાના આધારે
(18) કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે?
ઉત્તર : બજાર પદ્ધતિમાં
(19) કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે?
ઉત્તર : બજાર પદ્ધતિને
(20) કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે?
ઉત્તર : બજાર પદ્ધતિમાં
(21) કઈ પદ્ધતિમાં ઉત્પાદનનાં બધાં જ સાધનોની માલિકી રાજ્યની હોય છે?
ઉત્તર : સમાજવાદી પદ્ધતિમાં
(22) કઈ પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી ?
ઉત્તર : સમાજવાદી પદ્ધતિમાં
(23) કઈ પદ્ધતિમાં શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે?
ઉત્તર : સમાજવાદી પદ્ધતિમાં
(24) ભારતમાં કેવા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે?
ઉત્તર : મિશ્ર અર્થતંત્ર
(25) મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય?
ઉત્તર : નિયંત્રિત
(26) કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી ?
ઉત્તર : મિશ્ર અર્થતંત્રમાં
(27) સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી?
ઉત્તર : વ્યક્તિગત માલિકીને
(28) બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો?
ઉત્તર : સમાજવાદી
(29) કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નીતિઓમાં અસાતત્યતા હોય છે?
ઉત્તર : મિશ્ર અર્થતંત્રમાં
(30) રશિયા અને ચીન જેવા દેશોએ કઈ આર્થિક પદ્ધતિ અપનાવીને ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો ?
ઉત્તર : સમાજવાદી પદ્ધતિ
(31) કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે?
ઉત્તર : સમાજવાદી પતિ
(32) ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં કઈ આર્થિક પદ્ધતિ જોવા મળે છે?
ઉત્તર : મિશ્ર અર્થતંત્ર

પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે …
A. સરેરાશ આવક
B. માથાદીઠ આવક
C. આર્થિક વૃદ્ધિ આવક
D. નિરપેક્ષ આવક
ઉત્તર : B. માથાદીઠ આવક
2. આર્થિક વિકાસ કોને કહે છે?
A. લોકોના જીવનધોરણમાં સુધારાને
B. આવકમાં થતી વૃદ્ધિને
C. મોંઘવારીના વધારાને
D. નિકાસવૃદ્ધિને
ઉત્તર : A. લોકોના જીવનધોરણમાં સુધારાને
3. ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને …
A. ઔદ્યોગિક વૃદ્ધિ કહેવાય.
B. આર્થિક વૃદ્ધિ કહેવાય.
C. આર્થિક વિકાસ કહેવાય.
D. રાષ્ટ્રીય વિકાસ કહેવાય.
ઉત્તર : B. આર્થિક વૃદ્ધિ કહેવાય.
4. ચીજવસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે?
A. વિનિમય પ્રવૃત્તિ
B. વ્યાપાર પ્રવૃત્તિ
C. આર્થિક પ્રવૃત્તિ
D. બિનઆર્થિક પ્રવૃત્તિ
ઉત્તર : C. આર્થિક પ્રવૃત્તિ
5. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે?
A. વાહનવ્યવહાર
B. ઉદ્યોગો
C. ખેતી
D. વહાણવટાની સેવાઓ
ઉત્તર : C. ખેતી
6. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે?
A. વિકાસ માટે પ્રોત્સાહક
B. પ્રગતિશીલ
C. રૂઢિચુસ્ત
D. વૈભવી
ઉત્તર : C. રૂઢિચુસ્ત
7. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે?
A. વિકાસ વિરોધી
B. વિકાસશીલ
C. રૂઢિચુસ્ત
D. દ્વિમુખી
ઉત્તર : D. દ્વિમુખી
8. વિશ્વ બૅન્કના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડૉલરથી ઓછી હોય, તો તે વિકાસશીલ દેશ કહેવાય?
A, 480 $
B. 520 $
C. 735 $
D. 250 $
ઉત્તર : C. 735 $
9. આર્થિક રીતે ભારત કેવો દેશ છે?
A. વિકસિત
B. પછાત
C. વિકાસશીલ
D. ગરીબ
ઉત્તર : C. વિકાસશીલ
10. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે?
A. વ્યાપાર ક્ષેત્રનું
B. પ્રાથમિક ક્ષેત્રનું
C. સેવાક્ષેત્રનું
D. માધ્યમિક ક્ષેત્રનું
ઉત્તર : D. માધ્યમિક ક્ષેત્રનું
11. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?
A. માર્ગ-પરિવહન
B. ખેતી
C. યંત્રોદ્યોગો
D. આરોગ્ય
ઉત્તર : B. ખેતી
12. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?
A. અણુશસ્ત્રોનું ઉત્પાદન
B. બૅન્કિંગ કામગીરી
C. મત્સ્યોદ્યોગ
D. પશુપાલન
ઉત્તર : A. અણુશસ્ત્રોનું ઉત્પાદન
13. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવાક્ષેત્રની પ્રવૃત્તિ છે?
A. શિક્ષણ
B. કારખાનાં
C. વનસંવર્ધન
D. વીજળી
ઉત્તર : A. શિક્ષણ
14. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે?
A. માધ્યમિક
B. પ્રાથમિક
C. સેવાક્ષેત્ર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર : B. પ્રાથમિક
15. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે?
A. શ્રમ
B. જમીન
C. ટ્રેકટર
D. મૂડી
ઉત્તર : A. શ્રમ
16. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાનાં મહત્ત્વનાં સાધનો છે?
A. વિકાસનાં
B. ઉત્પાદનનાં
C. ઔદ્યોગિક વિકાસનાં
D. રાષ્ટ્રીય સંપત્તિનાં
ઉત્તર : B. ઉત્પાદનનાં
17. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય?
A. નિયોજક
B. ઉદ્યોગપતિ
C. જમીનદાર
D. શ્રમિક
ઉત્તર : A. નિયોજક
18. બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે?
A. સામ્યવાદી પદ્ધતિ
B. મૂડીવાદી પદ્ધતિ
C. મિશ્ર પદ્ધતિ
D. સમાજવાદી પદ્ધતિ
ઉત્તર : B. મૂડીવાદી પદ્ધતિ
19. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે?
A. બજાર પદ્ધતિમાં
B. સામ્યવાદી અર્થતંત્રમાં
C. મિશ્ર અર્થતંત્રમાં
D. સમાજવાદી પદ્ધતિમાં
ઉત્તર : A. બજાર પદ્ધતિમાં
20. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે?
A. સમાજવાદી પદ્ધતિને
B. મિશ્ર અર્થતંત્રને
C. બજાર પદ્ધતિને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર : C. બજાર પદ્ધતિને
21. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે?
A. મિશ્ર
B. મૂડીવાદી
C. પારંપરિક
D. સમાજવાદી
ઉત્તર : A. મિશ્ર
22. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે?
A. ચીન
B. યુ.એસ.એ.
C. ભારત
D. યુગોસ્લાવિયા
ઉત્તર : C. ભારત
23. કઈ આર્થિક પદ્ધતિને ‘મૂડીવાદી પતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે?
A. મિશ્ર અર્થતંત્રને
B. સામ્રાજ્યવાદી પતિને
C. બજાર પદ્ધતિને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર : C. બજાર પદ્ધતિને
24. માનવીની જરૂરિયાતો કેવી છે?
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અખંડિત
D અંકુશિત
ઉત્તર : A. અમર્યાદિત
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *