Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 5 ભારતનો વિજ્ઞાન અને ટેફ્નોલોજીનો વારસો
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 5 ભારતનો વિજ્ઞાન અને ટેફ્નોલોજીનો વારસો
પ્રકરણસાર
- વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેક્નોલૉજીક્ષેત્રે થયેલાં સંશોધનોએ વિશ્વના દેશોને એક્બીજાની નજીક લાવી દીધા છે.
- આપણા ઋષિમુનિઓએ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદકવિઘા, શલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપ્યો છે.
- અર્વાચીન યુગનાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે.
- પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ મેળવી હતી. સિંધુખીણની (હડપ્પીય) સંસ્કૃતિની ધાતુની નર્તકીની પ્રતિમા પ્રખ્યાત છે. કુષાણ વંશના રાજાઓના સમયની બુદ્ધની ધાતુની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં ચોલ વંશના રાજાઓના સમય દરમિયાન વિપુલ પ્રમાણમાં ધાતુશિલ્પો તૈયાર થયાં હતાં. દક્ષિણ ભારતમાં ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ ક્લાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તમિલનાડુમાં ચેન્નઈ(મદ્રાસ)ના સંગ્રહાલયમાં નટરાજનું શિલ્પ અને ધનુષધારી રામનું શિલ્પ – આ બે ધાતુશિલ્પો સંગૃહીત થયેલાં છે.
- બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય ગણાય છે. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામનાં પુસ્તકો લખ્યાં હતાં. તેમણે વનસ્પતિ-ઔષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત, તેમણે પારાની ભસ્મ બનાવી તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.
- નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ ઊભી કરી હતી.
- મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગ્ભટ્ટ ભારતીય વૈદકશાસ્રના મહાન પ્રણેતાઓ છે. મહર્ષિ ચરકે તેમના ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ-ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા’ નામના વૈદકશાસ્ત્રના ગ્રંથમાં શલ્યચિકિત્સા(વાઢકાપ – શસ્ત્રક્રિયા)નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતાં હતાં.
- ‘હસ્તી આયુર્વેદ’અને શાલિહોત્રરચિત ‘અશ્વશાસ્ત્ર’ – આ બે પ્રાણીરોગોના પ્રખ્યાત ગ્રંથો છે.
- ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે શૂન્ય(0)ની સંજ્ઞા, દશાંશ-પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે. શૂન્ય(0)ની શોધ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કરી હતી. તેમણે ‘આર્યભટ્ટીયમ્’, ‘દસગીતિકા’ અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા.
- આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્રગ્રહણ થાય છે.
- ગૃત્સમદ ઋષિએ આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પદ્ધતિની શોધ કરી હતી.
- પ્રાચીન સમયમાં મેઘાતિથિએ ‘મોહેં-જો-દડો’ અને ‘હડપ્પા’ના અવશેષોમાં માપવાના અને તોલવાનાં સાધનોમાં ‘દશાંશ-પદ્ધતિ’ હતી તેની ઓળખ આપી હતી.
- ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.
- બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો લખાયા છે. તે ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો.
- મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ વિભાગોમાં વહેંચ્યું હતું. તેમણે ‘બૃહદ્અંહિતા’ નામનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથમાં વરાહમિહિરે આકાશી ગ્રહોની મનુષ્યના જીવન પર થતી અસરો, મનુષ્યનાં લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો, લગ્નસમય, તળાવો અને કૂવાઓનાં ખોદકામ, બગીચા બનાવવા અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોનાં શુભ મુહૂર્તોની ચર્ચા કરી છે.
- ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્તે ‘બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ લખ્યો હતો તેમજ ‘ગુરુત્વાકર્ષણ’ અંગેના પ્રખ્યાત નિયમની શોધ કરી હતી.
- વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) હતા. તેમણે વાસ્તુશાસ્ત્રને 8 વિભાગોમાં વહેંચ્યું હતું. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિશ્વકર્મા વગે૨ે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા.
- વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે.
- 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી નવા ગ્રંથની રચના કરાવી હતી.
- ભારતીય સંસ્કૃતિ વિશાળ અને ભાતીગળ છે. તેમાં વિજ્ઞાન અને ધર્મ, પરંપરાગત આદર્શો અને વ્યાવહારિક જ્ઞાનનો સુભગ સમન્વય થયેલો છે.
- ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતા છે. દેશની દરેક વ્યક્તિના ધર્મ, જીવનરાહ અને મૂલ્યોમાં વૈવિધ્ય છે. આમ છતાં, પ્રજામાં એકતાનાં દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.
અથવા
પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. સમજાવો.
ઉત્તર : નીચેનાં ધાતુશિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી મળે છે :
→ પ્રાચીન ભારતની સિંધુખીણની (હડપ્પીય) સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે.
→ કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.
→ 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.
→ આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ(શિવ)નું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈ(તમિલનાડુ)ના સંગ્રહાલયમાં સંગૃહીત છે.
→ ચેન્નઈ(તમિલનાડુ)ના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.
→ ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.
→ ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્ત્વનાં ગણાય છે.
(2) પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણવિદ્યાનો પરિચય આપો.
અથવા
પ્રાચીન ભારત સંદર્ભે રસાયણવિદ્યાની માહિતી આપો.
ઉત્તર : પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેનાં દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે :
→ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધિઓની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
→ તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામનાં પુસ્તકો લખ્યાં છે.
→ પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.

→ નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.
→ રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, દસ પ્રકારનાં વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.
→ બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7½ ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ઘપ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.
→ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ (લોહસ્તંભ) ઊભો કરાવ્યો હતો.

→ આજદિન સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણવિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે.
(3) વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.
અથવા
પ્રાચીન ભારતમાં વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સા વિશે લખો.
અથવા
પ્રાચીન ભારતે વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ણન કરો.
ઉત્તર : ભારતીય વૈદકશાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વાગ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદકશાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી.

→ વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ-ઔષધિઓનું વર્ણન કર્યું છે.
→ મહાન વૈદકશાસ્રી મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા’ નામના ગ્રંથમાં શલ્યચિકિત્સા (વાઢકાપ-વિદ્યા – શસ્ત્રક્રિયા) માટેનાં ધારઘર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકતાં હતાં.

→ પ્રાચીન ભારતના હિંદુઓનું ઔષધશાસ્ત્ર ખનીજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેનાં સૂચનો આપવામાં આવ્યાં છે.
→ ભારતના વૈદકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી, રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા. તેઓ પેઢુ અને મૂત્રાશયનાં ઑપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસ- મસા નાબૂદ કરતા.
→ તેઓ ભાંગેલાં અને ઊતરી ગયેલાં હાડકાં બેસાડી દેતાં તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા.
→ તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવાં નાક-કાન સાંધવાની ‘પ્લાસ્ટિક સર્જરી’ જાણતા હતા.
→ તેઓ વાઢકાપનાં હથિયારો બનાવતા તેમજ મીણનાં પૂતળાંના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઑપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઑપરેશનો કરતાં પણ તેઓ અચકાતા નહિ.
→ તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા.
→ તેઓ રોગોનાં કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા.
→ પ્રાચીન ભારતના વૈદકશાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં ‘હસ્તી આયુર્વેદ’ અને શાલિહોત્રનું ‘અશ્વશાસ્ત્ર’ નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે.
→ વૈદકશાસ્ત્રના મહાન લેખક વાગ્ભટ્ટે ‘અષ્ટાંગહૃદય’ જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
(4) પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.
અથવા
પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
પ્રાચીન સમયના ગણિતશાસ્ત્રની નોંધપાત્ર સિદ્ધિઓ જણાવો.
ઉત્તર : પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી :
→ ભારતે વિશ્વને શૂન્ય(0)ની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.
→ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્ય(0)ની સંજ્ઞાની અને દશાંશ- પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના ‘આર્યભટ્ટીયમ્’ ગ્રંથમાં π (પાઈ)ની કિંમત 22/7 (3.14) જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલક(ગોળા)ના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક π (પાઈ) છે.

→ આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ કહેવામાં આવે છે. આર્યભટ્ટે ‘દસગીતિકા’ અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા. આર્યસિદ્ધાંત’ ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો.
→ ‘ગૃત્સમદ’ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.
→ પ્રાચીન ભારતના ગણિશાસ્ત્રીઓએ 1(એક)ની પાછળ 53 (ત્રેપન) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યાં હતાં.
→ ‘મોહે-જો-દડો’ અને ‘હડપ્પા’ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં ‘દશાંશ-પદ્ધતિ’ હતી, તેનો પરિચય પ્રાચીન સમયમાં ‘મેઘાતિથિ’ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો.
→ ઈ. સ. 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર ૫૨ પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે + (સ૨વાળા) અને – (બાદબાકી)ની શોધો કરી હતી.
→ ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.
→ ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રો(ઈ. સ. 800 પૂર્વે)માં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યાં હતાં.
→ ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.
(5) પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ – માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : વાસ્તુશાસ્ત્ર
ઉત્તર : વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે.
→ બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આર્ષદષ્ટા અને પ્રસારક હતા.
→ તેમણે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપ્યા છે.
→ મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરરચિત ‘બૃહત્સંહિતા’માં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે.

→ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા-વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો હતો.
→ આજે જગતના અનેક દેશોએ ભારતના વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠા અને મહત્ત્વ સ્વીકાર્યાં છે.
→ ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) હતા. તેમણે વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા.
→ ‘વાસ્તુશાસ્ત્ર’માં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરના વિવિધ આકારો અને કદ, ઘરની રચના, ઘરની વસ્તુઓની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્માન, ભોજનકક્ષ, શયનળ, ટેનિક કાર્યો માટેનાં સ્થાનો વગેરે માટે માહિતી આપવામાં આવી છે,
→ સમયના પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના હિતો અને સમજ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
→ બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ટ ઊંચો સ્તંબ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખ્યું :
(1) ટૂંક નોંધ લખો : પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર
અથવા
પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન જણાવો.
ઉત્તર : પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે :
→ બધું શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે,
→ ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો.
→ ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી.
→ મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના ‘પંચસિદ્ધાંતિકા’ નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી.
→ ગ્રહ પરથી રાશિ-ફળ પ્રમાર્ગે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
→ ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત (સાબિત) કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે, વિદ્વાનો આ બાબતને ‘અજબર કહેતા હતા.
→ ખગોળવિજ્ઞાનક્ષેત્રે આર્યભટ્ટનું મહત્ત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખવામાં આવ્યું છે.
→ બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિક ‘બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા.
(2) ગણિતશાસ્ત્રક્ષેત્ર આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો,
અથવા
આર્યભટ્ટે કઈ મહત્ત્વની શોધી કરી હતી ?
ઉત્તર : આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે ‘આર્યભટ્ટીયમ્’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણે મહત્ત્વની શોધો કરી હતી :
→ શૂન્ય(0)ની શોધ,
→ π (પાઈ)ની કિંમત 22/7 (3.14) જેટલી થાય છે તેની શોધ.
→ ગોલક(ગોળા)ના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલક π છે તેની શોધ.
→ ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અલ્ટંગ પતિની શોધ.
→ જ્યોતિષશાસ્ત્રના મૂળ સોનાની શોધ.
→ પૃથ્વી પોતાની પડી છે કે કે અને પવન તીના પગમાં વધુ થાય છે એવું બાઇક સોપ્રથમ સાબિત કરે ઇ તેમાં બેંક બેસિન, બીજાતિ અને રોસિનના યુદ્ધભૂત પ્રશ્નોનો ગાળો હતો.
(3) વાસ્તુશાસ્ત્રના પ્રતાઓના નામ આપો અને વાંકનુંમાળમાં કઇ કઇ બાબતોનો બમાવેશ થાય છે?
ઉત્તર : બ્રહ્મા, નાગ, બુકિત, બળ, વિમ, અને વિશ્વમાં વાસ્તુશાસ્ત્રના પ્રહતા હતા.
→ વોના પ્રથમ પતિ (આર્કિટક) મનાતા વિશ્વકર્માએ ચાલને 8 વિભાગોમાં વહેતું હતું,

→ વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, નગર, દુકાન, કારાના વર્ગની રચના થી થત કરવી તેમજ કઈ દિશામાં કરવી વગેરેને લગતા ત્રિતોનો સમાવેશ થાય છે.
→ આ ઉપરાંત, વાસ્તુશાસન ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરના વિવિધ કાર્ઝ, ઘરની ના, ઘરની અંદરની ગોઠવવી, દેવદિર, બ્રહ્માન, ભોજન, શયનખંડ, દૈનિક કાર્ય માટેન ચાનો વગેરેની માહિતીનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના બાળ્યા મુજબ ઉત્તર લખ્યું છે
(1) વિજ્ઞાન અને ટેકનોલાજીનું મહત્ત્વ દર્શાવશે.
ઉત્તર : વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ નીચે પ્રમાણે છેઃ
→ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા,
→ વિજ્ઞાન અને ટેકનોલોત્રે થયેલા સાધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધો છે,
→ આશરે ા 200 વર્ષની વૈજ્ઞાનિક શોધખોળોએ દેશ-દેશ વચ્ચેના અતિવ્યવસ્થને સરળ બનાવ્યો છે,
→ તેવું વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યોં છે, નવી અભિગમ પેશ કર્યાં છે,
→ વિશ્વના રાષ્ટ્રો વિશ્વાતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયું છે.
→ વિજ્ઞાન અને ટેક્નોલૉજીએ માનવીના સર્વાંગી વિકાસની ઘણી તકો ઊભી કરી છે. ટેક્નોલૉજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ મળી છે.
(2) પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.
ઉત્તર : ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શલ્યચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે.
→ ભારતે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે સિંહફાળો આપ્યો છે. અર્વાચીન યુગનાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે, ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે.
→ આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેક્નિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
→ આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે.
(3) રસાયણવિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ જણાવો.
ઉત્તર : રસાયણવિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ : (1) નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. (2) પારાની ભષ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેમ મનાય છે. (3) નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી.
(4) રસાયણવિદ્યાક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.
ઉત્તર : આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામના ગ્રંથો લખ્યા હતા.
→ તેમણે વનસ્પતિ-ઔષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
→ પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેમ મનાય છે.
(5) પ્રાચીન ભારતની રસાયણવિદ્યાની સિદ્ધિઓનાં ત્રણ ઉદાહરણો આપો.
ઉત્તર : પ્રાચીન ભારતની રસાયણવિદ્યાની સિદ્ધિઓનાં ત્રણ ઉદાહરણો :
→બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7½ ફૂટ ઊંચી અને 1 ટન વજનની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ.
→ નાલંદામાંથી મળી આવેલી 18 ફૂટ ઊંચી બુદ્ધની તામ્રમૂર્તિ.
→ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લી પાસે ઊભો કરાવેલો 24 ફૂટ ઊંચો વિજયસ્તંભ (લોહસ્તંભ).
→ આજ સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં આ વિજયસ્તંભને જરા પણ કાટ લાગ્યો નથી તે રસાયણવિદ્યાની અનુપમ સિદ્ધિનો નમૂનો છે.
(6) જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો. અથવા વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો.
ઉત્તર : જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે
→ વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગોમાં વહેંચ્યું હતું.
→ વરાહમિહિરે તેમના ‘બૃહત્સંહિતા’ નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે.
→ તેમણે આ ગ્રંથમાં મનુષ્યનાં લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્નસમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોનાં શુભ મુહૂર્તોની માહિતી આપી છે.
આમ, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે.
(7) વરાહમિહિરે ‘બૃહત્સંહિતા’માં મુખ્યત્વે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે?
ઉત્તર : વરામિહિરે ‘બૃહત્સંહિતા’ નામના ગ્રંથમાં મુખ્યત્વે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. તેમણે મનુષ્યનાં લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો તેમજ લગ્નસમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોનાં શુભ મુહૂર્તોની ચર્ચા કરી છે.
(8) પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ તેમના ગ્રંથોમાં કઈ કઈ બાબતો માટેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે?
ઉત્તર : પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ તેમના ગ્રંથોમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કઈ રીતે કરવી અને કઈ દિશામાં કરવી વગેરે બાબતો માટેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે.
(9) ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે?
ઉત્તર : ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ નીચે પ્રમાણે છે :
→ ભારતીય સંસ્કૃતિ વિશાળ, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે. તે સંકુચિત કે મર્યાદિત નથી.
→ ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યાવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલો છે.
→ ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુતા, સમાનતા અને વિશ્વબંધુત્વની ભાવનાના મહાન ગુણો ધરાવે છે.
→ ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ, જીવનપદ્ધતિ અને મૂલ્યોમાં વિવિધતા છે. આમ છતાં, દેશના લોકોમાં મૂળભૂત એકતા જળવાઈ રહી છે.
→ વિવિધતામાં એકતા (Unity in diversity) એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અને વિશિષ્ટ લક્ષણ છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) વિજ્ઞાન અને ટેક્નોલૉજી એટલે શું?
ઉત્તર : વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા.
(2) આપણા ઋષિમુનિઓએ વિજ્ઞાનનાં કયાં કયાં ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપ્યો છે?
ઉત્તર : આપણા ઋષિમુનિઓએ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદકવિદ્યા, શલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપ્યો છે.
(3) કોનું શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે?
ઉત્તર : દક્ષિણ ભારતમાં ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
(4) તમિલનાડુ રાજ્યના ચેન્નઈના સંગ્રહાલયમાં કયાં બે ધાતુશિલ્પો સંગૃહીત થયેલાં છે?
ઉત્તર : તમિલનાડુ રાજ્યના ચેન્નઈના સંગ્રહાલયમાં નટરાજનું શિલ્પ અને ધનુષધારી રામનું શિલ્પ – આ બે ધાતુશિલ્પો સંગૃહીત થયેલાં છે.
(5) ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કયા કયા છે?
ઉત્તર : મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગ્ભટ્ટ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે.
(6) મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુતસંહિતા નામના વૈદકશાસ્રના ગ્રંથમાં શાનો ઉલ્લેખ કર્યો છે?
ઉત્તર : મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુતસંહિતા નામના વૈદકશાસ્રના ગ્રંથમાં શલ્યચિકિત્સા(વાઢકાપ – શસ્ત્રક્રિયા)નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતાં હતાં.
(7) પ્રાણીરોગોના બે પ્રખ્યાત ગ્રંથોનાં નામ જણાવો.
ઉત્તર : ‘હસ્તી આયુર્વેદ’ અને શાલિહોત્રરચિત ‘અશ્વશાસ્ત્ર’ – આ બે પ્રાણીરોગોના પ્રખ્યાત ગ્રંથો છે.
(8) ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે કઈ કઈ શોધો આપી છે?
ઉત્તર : ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે શૂન્ય(0)ની સંજ્ઞા, દશાંશ-પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે.
(9) પ્રાચીન સમયમાં મેઘાતિથિએ શાની ઓળખ આપી હતી?
ઉત્તર : પ્રાચીન સમયમાં મેઘાતિથિએ ‘મોહેં-જો-દડો’ અને ‘હડપ્પા’ના અવશેષોમાં માપવાનાં અને તોલવાનાં સાધનોમાં ‘દશાંશ- પદ્ધતિ’ હતી, તેની ઓળખ આપી હતી.
(10) આર્યભટ્ટે શું સાબિત કર્યું હતું?
ઉત્તર : આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્રગ્રહણ થાય છે.
(11) ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાંની ચર્ચા કયા કયા વિદ્વાનોએ કરી છે?
ઉત્તર : આર્યભટ્ટ, ગુત્સમદ, બોધાયન, કાત્યાયન, આપસ્તંભ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે વિદ્વાનોએ ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાંની ચર્ચા કરી છે.
(12) જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે?
ઉત્તર : જ્યોતિષશાસ્ત્ર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે.
(13) વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને કયા ત્રણ વિભાગોમાં વહેંચ્યું હતું?
ઉત્તર : વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને આ ત્રણ વિભાગોમાં વહેંચ્ય હતું : (1) ‘તંત્ર’, (2) ‘હોરા’ અને (3) ‘સંહિતા’.
(14) વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનાં નામ આપો.
ઉત્તર : વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનાં નામ : બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિશ્વકર્મા વગેરે.
(15) વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે?
ઉત્તર : વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે.
(16) વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં કોણે સુધારા-વધારા કરાવી નવા ગ્રંથની રચના કરાવી હતી?
ઉત્તર : 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી નવા ગ્રંથની રચના કરાવી હતી.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :
(1) પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ …….. ના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે.
A. તત્ત્વચિંતન
B. કલા
C. વિજ્ઞાન
ઉત્તર : C. વિજ્ઞાન
(2) ભારત …….. વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ ધરાવે છે.
A. આધ્યાત્મિક
B. સાહિત્યિક
C. માનસિક
ઉત્તર : A. આધ્યાત્મિક
(3) ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવ ………. શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે.
A. રામનું
B. નટરાજનું
C. બુદ્ધનું
ઉત્તર : B. નટરાજનું
(4) નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય …………ના આચાર્ય માનવામાં આવે છે.
A. ખગોળશાસ્ત્ર
B. રસાયણશાસ્ત્ર
C. ગણિતશાસ્ત્ર
ઉત્તર : B. રસાયણશાસ્ત્ર
(5) આચાર્ય નાગાર્જુને …….. ની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.
A. કાળાં મરી
B. લવિંગ
C. પારા
ઉત્તર : C. પારા
(6) 18 ફૂટ ઊંચી ભગવાન ……… ની તામ્રમૂર્તિ નાલંદામાંથી મળી આવી છે.
A. શિવ
B. બુદ્ધ
C. મહાવીર
ઉત્તર : B. બુદ્ધ
(7) 7.6 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની …….. સુલતાનગંજ(બિહાર)માંથી મળી આવી છે.
A. તામ્રમૂર્તિ
B. લોહમૂર્તિ
C. સુવર્ણમૂર્તિ
ઉત્તર : A. તામ્રમૂર્તિ
(8) 7 ફૂટ વજનનો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ……. દિલ્લીમાં ઊભો કરાવેલ વિજયસ્તંભ (લોહસ્તંભ) રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે.
A. હર્ષવર્ધને
B. ચંદ્રગુપ્ત બીજાએ
C. સમુદ્રગુપ્તે
ઉત્તર : B. ચંદ્રગુપ્ત બીજાએ
(9) મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહષિ સુશ્રુત : ………
A. સુશ્રુતસંહિતા
B. સુશ્રુતશાસ્ત્ર
C. સુશ્રુતવિદ્યા
ઉત્તર : A. સુશ્રુતસંહિતા
(10) વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્ર ………. નામનો ગ્રંથ લખ્યો છે.
A. વાગ્ભટ્ટસંહિતા
B. અષ્ટાંગસંહિતા
C. અષ્ટાંગહૃદય
ઉત્તર : C. અષ્ટાંગહૃદય
(11) શૂન્ય(0)ની શોધ ……… કરી હતી.
A. ભાસ્કરાચાર્યે
B. આર્યભટ્ટે
C. વરાહમિહિરે
ઉત્તર : B. આર્યભટ્ટે
(12) ઈ. સ. 1150માં ……. ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.
A. બ્રહ્મગુપ્તે
B. ભાસ્કરાચાર્યે
C. આર્યભટ્ટે
ઉત્તર : B. ભાસ્કરાચાર્યે
(13) ……… ને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
A. ભાસ્કરાચાર્ય
B. વરાહમિહિર
C. આર્યભટ્ટ
ઉત્તર : C. આર્યભટ્ટ
(14) …….. ‘માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે.
A. આર્યસિદ્ધાંત
B. બ્રહ્મસિદ્ધાંત
C. આર્યભટ્ટીયમ્
ઉત્તર : A. આર્યસિદ્ધાંત
(15) શાસ્ત્રોમાં ……. સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.
A. જ્યોતિષશાસ્ત્ર
B. ખગોળશાસ્ત્ર
C. વાસ્તુશાસ્ત્ર
ઉત્તર : B. ખગોળશાસ્ત્ર
(16) બ્રહ્મગુપ્તે ………. ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.
A. કાલગણના
B. અષ્ટાંગહ્રદય
C. બ્રહ્મસિદ્ધાંત
ઉત્તર : C. બ્રહ્મસિદ્ધાંત
(17) …….. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા.
A. મહર્ષિ પતંજલિ
B. વાત્સાયન
C. વરાહમિહિર
ઉત્તર : C. વરાહમિહિર
(18) વરાહમિહિરે ………. નામનો ગ્રંથ રચ્યો હતો.
A. બૃહત્સંહિતા
B. ચરકસંહિતા
C. સુશ્રુતસંહિતા
ઉત્તર : A. બૃહત્સંહિતા
(19) વાસ્તુશાસ્ત્ર એ ………. નું અવિભાજ્ય અંગ છે.
A. ગણિતશાસ્ત્ર
B. જ્યોતિષશાસ્ત્ર
C. રસાયણશાસ્ત્ર
ઉત્તર : B. જ્યોતિષશાસ્ત્ર
(20) પંદરમી સદીમાં મેવાડના રાણા ………. વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.
A. કુંભાએ
B. પ્રતાપે
C. પૃથ્વીરાજે
ઉત્તર : A. કુંભાએ
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વિદ્યાકીય ઉપયોગિતા.
(2) ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ પણ ધરાવે છે.
(3) રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે.
(4) તક્ષશિલા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.
(5) આચાર્ય નાગાર્જુને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.
(6) રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા ધાતુમાંથી બનાવેલી ભગવાન મહાવીરની મૂર્તિઓમાં દશ્યમાન થાય છે.
(7) સમ્રાટ સમુદ્રગુપ્તે દિલ્લીમાં 7 ટન વજનનો 24 ફૂટ ઊંચો વિજયસ્તંભ (લોહસ્તંભ) બનાવડાવ્યો હતો.
(8) મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને આર્યભટ્ટ ભારતીય વૈદકશાસ્રના મહાન પ્રણેતાઓ હતા.
(9) મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’માં 2000 ઉપરાંત વનસ્પતિ- ઔષધિઓનું વર્ણન કર્યું છે.
(10) શાલિહોત્રનું ‘અશ્વશાસ્ત્ર’ ખૂબ જ પ્રખ્યાત છે.
(11) ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના રચયિતા વાગ્ભટ્ટ વૈદકશાસ્રના વિદ્વાન છે.
(12) શૂન્ય(0)ની શોધ આર્યભટ્ટે કરી હતી.
(13) ‘ગુત્સમદ’ નામના ગણિતશાસ્ત્રીએ આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધ કરી હતી.
(14) ઈ. સ. 1260માં ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.
(15) ભાસ્કરાચાર્યને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
(16) ‘આર્યસિદ્ધાંત’માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું વર્ણન આપેલું છે.
(17) શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે.
(18) ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘ચંદ્રાયન’ હતું.
(19) આર્યભટ્ટે ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા હતા.
(20) વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા.
(21) વાસ્તુશાસ્ત્ર ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે.
(22) બૃહત્સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે.
(23) પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.
(24) દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને દસ વિભાગોમાં વહેંચ્યું હતું.
(25) અર્વાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે.
(26) વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.
(27) નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
(28) મહાદેવ નટરાજનું શિલ્પ હૈદરાબાદના સંગ્રહાલયમાં સચવાયેલું છે.
(29) બ્રાભ્રવ્ય પાંચાલે ‘પ્રજનનશાસ્ર’ નામનો ગ્રંથ લખ્યો છે.
(30) મહર્ષિ ભારદ્વાજે ‘કામસૂત્ર’ નામનો ગ્રંથ લખ્યો છે.
(31) બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા.
(32) ચક્રપાણિદત્તે ‘ચિકિત્સાસંગ્રહ’ નામનો ગ્રંથ લખ્યો છે.
(33) ‘કામસૂત્ર’ એ મહામુનિ પારાશરરચિત વિજ્ઞાન આધારિત શાસ્ત્ર છે.
(34) ‘યોગશાસ્ત્ર’ના રચિયતા મહર્ષિ પતંજલિ હતા.
(35) મહામુનિ પારાશરે ‘વૃક્ષ સર્વસ્વ’ નામના શાસ્ત્રની રચના કરી હતી.
(36) શકમુનિએ ‘કાલગણના’ નામના વિજ્ઞાન આધારિત શાસ્ત્રની રચના કરી હતી.
(37) પ્રાચીન ભારતમાં વાઢકાપ કરવા માટે વૈદ્યો પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું ભ્રમણ અટકાવતા.
(38) પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ 1(એક)ની પાછળ 53 (ત્રેપન) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નિર્ધારિત કર્યાં છે.
(39) પ્રાચીન સમયમાં આર્યભટ્ટે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખરું
(4) ખોટું
(5) ખરું
(6) ખોટું
(7) ખોટું
(8) ખોટું
(9) ખરું
(10) ખરું
(11) ખરું
(12) ખરું
(13) ખોટું
(14) ખોટું
(15) ખોટું
(16) ખરું
(17) ખરું
(18) ખોટું
(19) ખોટું
(20) ખરું
(21) ખોટું
(22) ખરું
(23) ખરું
(24) ખોટું
(25) ખોટું
(26) ખરું
(27) ખરું
(28) ખોટું
(29) ખરું
(30) ખોટું
(31) ખરું
(32) ખરું
(33) ખોટું
(34) ખરું
(35) ખોટું
(36) ખરું
(37) ખરું
(38) ખરું
(39) ખોટું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને કોના આચાર્ય માનવામાં આવે છે?
ઉત્તર : ભારતીય રસાયણશાસ્ત્રના
(2) વનસ્પતિ-ઔષધિઓની સાથે સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કોણે કરી હતી?
ઉત્તર : આચાર્ય નાગાર્જુને
(3) દિલ્લીમાં યા સમ્રાટે લોહસ્તંભ (વિજયસ્તંભ) ઊભો કરાવ્યો હતો?
ઉત્તર : ચંદ્રગુપ્ત બીજાએ
(4) વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો?
ઉત્તર : અષ્ટાંગહૃદય
(5) આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધ કોણે કરી હતી?
ઉત્તર : ગુત્સમદ ઋષિએ
(6) ભાસ્કરાચાર્યે ક્યા ગ્રંથો લખ્યા હતા?
ઉત્તર : લીલાવતી ગણિત અને બીજગણિત
(7) + (સરવાળા) અને – (બાદબાકી)નું સંશોધન કોણે કર્યું હતું?
ઉત્તર : ભાસ્કરાચાર્યે
(8) ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
ઉત્તર : આર્યભટ્ટને
(9) કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કર્યું છે?
ઉત્તર : નટરાજનું
(10) ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે.’ તેમ કોણે સાબિત કર્યું હતું ?
ઉત્તર : આર્યભટ્ટે
(11) બ્રહ્મગુપ્તે કયા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે?
ઉત્તર : બ્રહ્મસિદ્ધાંતમાં
(12) બૃહત્સંહિતા ગ્રંથની રચના કોણે કરી હતી?
ઉત્તર : વરાહમિહિરે
(13) પંદરમી સદીમાં મેવાડના કયા રાણાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો?
ઉત્તર : રાણા કુંભાએ
(14) દેવોના પ્રથમ સ્થપતિ કોને માનવામાં આવે છે?
ઉત્તર : વિશ્વકર્માને
(15) ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ કયું છે?
ઉત્તર : વિવિધતામાં એકતા
(16) બૌદ્ધ આચાર્ય નાગાર્જુને કયાં બે પુસ્તકો લખ્યાં હતાં?
ઉત્તર : ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’
(17) કઈ વિદ્યાપીઠમાં રસાયણશાસ્ત્રના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી?
ઉત્તર : નાલંદા વિદ્યાપીઠમાં
(18) ભારતની રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો કયો છે?
ઉત્તર : લોહસ્તંભ (વિજયસ્તંભ), દિલ્લી
(19) કોના અવશેષોમાં માપવાનાં અને તોલવાનાં સાધનોમાં ‘દશાંશ- પદ્ધતિ’ જોવા મળી છે, જેની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ આપી હતી.
ઉત્તર : મોહેં-જો-દડો અને હડપ્પાના
(20) કોણે પ્રતિપાદિત કર્યું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક π (પાઈ) છે?
ઉત્તર : આર્યભટ્ટે
(21) શાસ્ત્રોમાં ક્યું શાસ્ત્ર સૌથી પ્રાચીન છે?
ઉત્તર : ખગોળશાસ્ત્ર
(22) સમીકરણના પ્રકાર કયા વિદ્વાને બતાવ્યા હતા?
ઉત્તર : બ્રહ્મગુપ્તે
(23) ક્યા ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે?
ઉત્તર : આર્યસિદ્ધાંતમાં
(24) ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન કોણે શોધ્યું હતું?
ઉત્તર : આર્યભટ્ટે
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. વિજ્ઞાન એટલે …
A. વ્યવહારુ જ્ઞાન
B. સમૃદ્ધ જ્ઞાન
C. વ્યાવહારિક ઉપયોગિતા
D. વ્યવસ્થિત જ્ઞાન
ઉત્તર : A. વ્યવહારુ જ્ઞાન
2. ટેક્નોલૉજી એટલે …..
A. પ્રાયોગિક જાણકારી
B. મશીનરીની જાણકારી
C. વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા
D. યાંત્રિક જાણકારી
ઉત્તર : C. વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા
3. કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે?
A. બુદ્ધનું
B. મહાદેવ નટરાજનું
C. બોધિગયાનું
D. ધનુર્ધારી રામનું
ઉત્તર : B. મહાદેવ નટરાજનું
4. કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે?
A. રસાયણવિજ્ઞાન
B. ભૌતિક વિજ્ઞાન
C. ખગોળવિજ્ઞાન
D. જ્યોતિષવિજ્ઞાન
ઉત્તર : A. રસાયણવિજ્ઞાન
5. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી?
A. ચરકે
B. નાગાર્જુને
C. સુશ્રુતે
D. વાગ્ભટ્ટે
ઉત્તર : B. નાગાર્જુને
6. નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે?
A. 61 ફૂટ
B. 18 ફૂટ
C. 50 ફૂટ
D. 22 ફૂટ
ઉત્તર : B. 18 ફૂટ
7. દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો?
A. અશોકે
B. સમુદ્રગુપ્તે
C. ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે)
D. ચંદ્રગુપ્ત પહેલાએ
ઉત્તર : C. ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે)
8. મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહર્ષિ સુશ્રુત : …….
A. સુશ્રુતસંહિતા
B. ચરકશાસ્ત્ર
C. વાગ્ભટ્ટસંહિતા
D. સુશ્રુતશાસ્ત્ર
ઉત્તર : A. સુશ્રુતસંહિતા
9. ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?
A. ભાસ્કરાચાર્યને
B. ચરકને
C. બ્રહ્મગુપ્તને
D. આર્યભટ્ટને
ઉત્તર : D. આર્યભટ્ટને
10. જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું?
A. વરાહમિહિરે
B. ભાસ્કરાચાર્યે
C. આર્યભટ્ટે
D. નાગાર્જુને
ઉત્તર : A. વરાહમિહિરે
11. πની કિંમત કેટલી ગણવામાં આવે છે?
A. 4.71
B. 4.31
C. 3.14
D. 3.51
ઉત્તર : C. 3.14
12. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ …….. છે.
A. ચિકિત્સાસંગ્રહ
B. પ્રજનનશાસ્ત્ર
C. કામસૂત્ર
D. યંત્ર સર્વસ્વ
ઉત્તર : B. પ્રજનનશાસ્ત્ર
13. ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે?
A. વરાહમિહિરે
B. ભાસ્કરાચાર્યે
C. નાગાર્જુને
D. આર્યભટ્ટે
ઉત્તર : D. આર્યભટ્ટે
14. ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે?
A. બ્રહ્મગુપ્તે
B. ભાસ્કરાચાર્યે
C. આર્યભટ્ટે
D. વરાહમિહિરે
ઉત્તર : C. આર્યભટ્ટે
15. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?
A. બ્રહ્મગુપ્તે
B. વાત્સ્યાયને
C. ગૃત્સમદે
D. મહામુનિ પતંજલિએ
ઉત્તર : A. બ્રહ્મગુપ્તે
16. વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે?
A. રસાયણશાસ્ત્રનું
B. ગણિતશાસ્ત્રનું
C. ખગોળશાસ્ત્રનું
D. જ્યોતિષશાસ્ત્રનું
ઉત્તર : D. જ્યોતિષશાસ્ત્રનું
17. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું?
A. નવ
B. આઠ
C. સાત
D. દસ
ઉત્તર : B. આઠ
18. નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?
A. નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.
B. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.
C. રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
D. ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે.
ઉત્તર : C. રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
19. બૃહત્સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે?
A. આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્નસમય – વાવણીનાં મુહૂર્તો વગેરે
B. ગુરુત્વાકર્ષણના નિયમો
C. સમીકરણના પ્રકાર
D. આરોગ્ય અને ચિકિત્સા બાબતોની જાણકારી
ઉત્તર : A. આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્નસમય – વાવણીનાં મુહૂર્તો વગેરે
20. મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.
A. ગણિતશાસ્ત્ર
B. રસાયણશાસ્ત્ર
C. વૈદકશાસ્ત્ર
D. વાસ્તુશાસ્ત્ર
ઉત્તર : D. વાસ્તુશાસ્ત્ર
21. એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે?
શ્રેયા : ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા.
યશ : દશાંશ-પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય(0)ની શોધ ભારતે કરી હતી.
A. યશ
B. હાર્દ
C. શ્રેયા
D. શ્રેયા, માનસી, હાર્દ
ઉત્તર : D. શ્રેયા, માનસી, હાર્દ
22. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેનાં ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી, તે શોધો.
A. સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા
B. તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ
C. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ
D. નૃત્યક્લાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું અને ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ
ઉત્તર : C. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ
23. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

A. મહર્ષિ ચરકનું
B. મહર્ષિ સુશ્રુતનું
C. આચાર્ય નાગાર્જુનનું
D. આર્યભટ્ટનું
ઉત્તર : C. આચાર્ય નાગાર્જુનનું
24. નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાની યાદ અપાવે છે?

A. રસાયણવિદ્યાની
B. વૈદકવિદ્યાની
C. જ્યોતિષવિદ્યાની
D. ઔષધવિદ્યાની
ઉત્તર : A. રસાયણવિદ્યાની
25. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

A. મહર્ષિ સુશ્રુતનું
B. મહર્ષિ ભારદ્વાજનું
C. આર્યભટ્ટનું
D. મહર્ષિ ચરકનું
ઉત્તર : D. મહર્ષિ ચરકનું
26. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

A. આર્યભટ્ટનું
B. મહર્ષિ સુશ્રુતનું
C. ભાસ્કરાચાર્યનું
D. મહર્ષિ ચરકનું
ઉત્તર : B. મહર્ષિ સુશ્રુતનું
27. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

A. આર્યભટ્ટનું
B. વરાહમિહિરનું
C. ભાસ્કરાચાર્યનું
D. ચક્રપાણિદત્તનું
ઉત્તર : A. આર્યભટ્ટનું
28. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

A. ભાસ્કરાચાર્યનું
B. આર્યભટ્ટનું
C. વરાહમિહિરનું
D. બૃહસ્પતિનું
ઉત્તર : C. વરાહમિહિરનું
29. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાન વાસ્તુશાસ્ત્રીનું છે?

A. બ્રહ્માનું
B. વિશ્વકર્માનું
C. બૃહસ્પતિનું
D. ભૃગુનું
ઉત્તર : B. વિશ્વકર્માનું
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here